________________
૨૪
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૬-૪૯
એ હાનિયા રિામાં થયેલા
હું ધારું છું કે મહાત્મા ગાંધી જેવા અહિંસાના મહાન પયગંબર અહિંસા પર રચાયેલા નવીન સમાજનું સંગઠન કરવા માટે પ્રયત્ન કરતા હતા.
ઉત્તર જીવનનું ઉંચામાં ઉંચું સત્ય અહિંસા છે એવું પુરવાર ' કરવાનું રહે છે. અહિંસામાં કાંઈક સત્ય રહેલું છે અને જે માણ- સેને એમાં રહેલા સત્યને સાક્ષાત્કાર કરે હોય તેમને માટે તે શકય છે એ તે નિર્વિવાદ છે. પરંતુ માનવ પ્રકૃતિમાં સમળું રૂપાંતર થાય નહિ ત્યાં સુધી બધા માણસોમાં એનો સાક્ષાત્કાર શકય નથી અને માનવ પ્રકૃતિમાં એવો ફેરફાર કરવું હોય તે કાંઈ પણ બહારના ઉપાથી-સંસ્થાઓ વડે કે બંધારણુ વડે કે કાર્યક્રમ વડે લાવી શકાય તેમ નથી. એને માટે માણસના અંત- રમાં જાગૃતિ આવવી જોઈએ. એ અધિકાર પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી અહિંસાને સાક્ષાત્કાર શકય નથી.
પ્રશ્ન : પરંતુ હિંસાથી તે હિંસી જ ચિંરજીવી નથી બનતી ? માણસે હિંસાને ત્યાગ કરશે ત્યારે જ જગતમાં શાંતિ અને સુલેહ સ્થાપન થઈ શકશે.
ઉત્તર : પ્રાચીન આ પ્રશ્નને જુદી રીતે વિચારતા, જોકે અહિંસાના ઈલાજથી એ લોકો સુપરિચિત હતા. એમણે માણસની અંદર રહેલ આત્મરક્ષા માટે લડવાની વૃત્તિને સ્વીકાર કર્યો અને સામાજિક જીવનમાં કોઈ ઉચ્ચ આદશ અને ધેરણ ટકાવવા માટે તથા સાથે સાથે વ્યકિતને વિકાસ સાધવા માટે પણ તેને ઉપર - કર્યો. હિંદમાં ક્ષત્રિયને ધર્મ, જાપાનમાં સામુરાઈને આદર્શ, યુરેપના મધ્ય યુગમાં નાઈટ્સને આદર્શ કાંઈક અંશે એ જ દિશામાં થયેલા પ્રયત્ન હતા. હિંદમાં ધર્મનું રક્ષણ કરવું એ ક્ષત્રિયની ફરજ હતી. ક્ષત્રિય જુલમગાર બની શકે નહિ કારણ કે એને ધર્મ જ નિબં ળનું રક્ષણ કરવું, જુલમમાં પિસાયેલા હોય તેમને મુકત કરવા,
નષ્ટની સામે થવું. કેટલીક વાર અમુક અનિષ્ટ વડે જીવનારા માણસોને વિનાશ કર્યા વિના સમાજનું તે અનિષ્ટ દુર થઈ શકતું નથી તે એવા માણસને વિનાશ કરે એ પણ ક્ષત્રિયની ફરજ હતી. આ રીતે આપણને જણાશે કે પ્રાચીન કાળમાં વૈદ્ધાને ધર્મ માણસની પ્રગતિને રોકી નહિ એટલું જ નહિ પરંતુ તેની પ્રગતિ કરવામાં મદદ કરતા હતા.
પ્રશ્નઃ પરંતુ એટલા ઉપરથી અહિંસાને આદર્શ ઓછો મહાન કરે છે ખરા ? કારણ કે ક્ષત્રિયને આદર્શ ધર્મ યુધ્ધ ભલે હે પણ એમાં હિંસા તે આવે જ ને ? વળી, અહિંસા જ જીવનને રક્ષક નિયમ છે. કુટુંબ, સમાજ અને પ્રજા વગેરેને વિકાસ અહિં. સાને આભારી છે એ તમે કબૂલ કરશે.
ઉત્તરઃ એ તે સાચું છે જ કે સહકાર્ય, સુલેહ અને સંવાદ માનવજીવનનાં પિષક, વિકાસમાં મદદ કરનારાં ત છે, પરંતુ સહકાર્ય વગેરે યુદ્ધમાં પણ મદદ કરનારાં હોઈ શકે છે. માણસના આજના જીવનમાં સંઘર્ષને, કલહને અને યુધ્ધને સ્થાન જ નથી યા તે એને લઈને માણસને અત્યાર સુધી નુકસાન જ થયું છે એમ માનવું એ પણ બરાબર લાગતું નથી.
પ્રશ્ન : પણ તમને નથી લાગતું કે સંધર્ષને અને તેના સૌથી વધારે તીવ્ર યુદ્ધને લઇને, એટલે કે હિંસાથી માનવનું પતન, તેની અવનતિ થઇ છે?
ઉત્તર : યુદ્ધોને લઈને માનવની હમેશાં અધોગતિ જ થઈ છે ખરી? એ પ્રશ્ન ખરું જોતાં આપણે વિચારવાનું છે. મને લાગે છે કે એવી અવનતિ હમેશાં થઈ છે એમ સાબિત કરવું મુશ્કેલ છે.
પ્રશ્ન : આ બે વિશ્વયુદ્ધોમાં માણસે ક્યાં ક્યાં હતાં અને હિંસાત્મક કામ કર્યા છે અને એને પરિણામે માણસોની કેટલી અવનતિ થઇ છે તેને તમને ખયાલ હોય એમ લાગતું નથી.
અનિજીક જુલાકે નહિ
ઉત્તરઃ અપૂર્વ આપત્તિઓ અને હેનાર માણસ જાતિના ઉપર વધતી ગઈ છે એ સાચું છે. પરંતુ એ યુધ્ધોએ માણસોમાં ઉદાત્તતા અને સાદશપ્રિયતા પણ જાગ્રત નથી કરી એમ નથી. યુદ્ધોએ આદેશને માટે મરતાં પણ માસને શિખવાડયું છે.
પ્રશ્નઃ ૫ણુ પિતાનો દુશમનને નુકસાન કર્યા વિના જાતે મરતાં શીખવું એ કેટલું વધારે ઉદાત્ત, અને કેટલું વધારે મહાન છે ?
ઉત્તરઃ મહાન ઈસુ ખ્રિસ્ત એ સત્યને શીખવ્યું છે. કમનસીબે માણસજાતે એના અનુસરણ કરતાં એને ભંગ જ વધારે કર્યો છે.
પ્રઃ અહિંસાને એક ધાર્મિક માન્યતા બનાવવાને બદલે મહાત્મા ગાંધીજીએ એને જીવનને સક્રિય નિયમ બનાવ્યું તેમ ખિતે ય ત તે વધારે સારુ પરિણામ આવત.
ઉત્તર: મને લાગે છે કે એ બાબતમાં ઇસુ ખ્રિસ્તનું જ્ઞાન વધારે સંગીન હતું. કારણ કે ધર્મના એક મંતવ્ય તરીકે પણ અહિંસાનું અનુસરણ કેટલું ઓછું થયું છે ? કોઈ પણ પ્રકારની આધ્યામિક વૃત્તિવાળા માણસને જ્યારે અહિંસાનું પાલન કરીને દુ:ખ સહન કરવાનું આવે છે ત્યારે એની પ્રાણમય સત્તા સહન કરવાને પરિણામે બળવાન થાય છે, પરંતુ એની સમસ્ત અશુદ્ધ પ્રકૃતિમાં શુદ્ધિ આવી જતી નથી, જ્યારે એના પ્રાણુમાં પૂરતું સામર્થ એકત્રિત થાય છે ત્યારે જુલમ કરનારની કે અનિષ્ટની, સામે થઈને એ તેને વિનાશ કર્યા વિના રહેતો નથી. મુસલમાન ધર્મના આરંભમાં એના ઉપર જુલમ થયે જેને એણે અહિંસાપૂર્વક સામનો કર્યો. પણ આખરે જુલમગારે સામે લડીને તેમને હરાવ્યા અને હિંસાનો આશ્રય લીધે. રેમમાં ખ્રિસ્તી ધર્મનું પણ એ જ પ્રમાણે બન્યું. અને ઈંગ્લાંડમાં મ્યુરિટને સંપ્રદાય પણ એમનું જ ઉદાહરણુ ગણાય. જ્યારે રેમન લોકોએ ખ્રિસ્તીઓ ઉપર જુલમો કર્યા ત્યારે તેમણે શાંતિપૂર્વક એ બધા સહન કર્યા. પરિણામે ખ્રિસ્તી લેક સમર્થ બન્યા અને સત્તા એમના હાથમાં આવી. અને જ્યારે ખ્રિસ્તી લોકોના હાથમાં સત્તા આવી ત્યારે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે અહિંસાનું આચરણ કરવાને બદલે જેઓ ખ્રિસ્તી ન હતા તેમના પર તેમણે બેસુમાર જુલમ ગુજાર્યા છે અને ખૂબી તે એ છે કે એ રીતે પે.તે હિંસા કરતા હતા ત્યારે પણ એમ માનતા હતા કે જેમના પર પિતે જુલમ ગુજારતા હતા તેમને માટે એ લાભદાયક હતું !
પ્રશ્ન: હિંસામાં આપણે બીજાને દુઃખ સહન કરાવીએ છીએ, અહિંસામાં આપણે જાતના પર દુઃખ વહોરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે ઉપવાસ એ અહિંસાની એક પદ્ધતિ છે. એને પરિણામે માણસની શુદ્ધિ થાય છે. અને ઉપવાસથી ઘણી વખત વિરોધીના હત્યનો પલટે પણ થઈ જાય છે.
ઉત્તર : ઘણું ખરૂં માણસે ભૂલી જાય છે કે હિંસા કેવળ શારીરિક નથી હોતી. કેટલાક પ્રકારની કહેવાતી અહિંસા ઘણી વાર હિંસાને જ એક પ્રકાર હોય છે. આપણે ત્યાં શરીર પર ચાકુના ધા કરીને પૈસા ભેગા કરનાર ભિખારીઓ હોય છે. તેમને બાતલ કરતાં કેટલીક વાર આપણ જાહેર પ્રશ્નોના ઉકેલ માટે ઉપવાસ કરનારાએ એવા જ બીજાઓ ' ઉપર અગ્ય દબાણ કરનાર હોય છે. જેના વિરૂદ્ધ એવા ઉપવાસ કરવામાં આવે છે તેના પર હિંસક ગણાય એવું દબાણ થાય છે. અને એ માણસ નમતું આપે છે તે એના મનની કે હૃદયની ખાતરી કે પલટો થયે હેય છે તેથી નહિ પરંતુ વ્યવહારુ મુશ્કેલીઓને લઈને, યા તો ઉપવાસ કરનારના મરણની જવાબદારીનાં પરિણામોના ભયને લઈને. આ જાતનું દબાણ એક પ્રકારની માનસિક હિંસા જ છે. અને અહિંસાથી હૃદયને પલટ થાય છે એ દાવે પણ કેટલો અતિશકિતવાળે છે તે પણ એ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. વળી, પરસ્પર વિરોધી હેતુઓ માટે ઉપવાસ કરનારા નીકળે છે એ જે બતાવે છે કે ઉપવાસ કરવા એ કાંઈ સાચા હોવાને પુરા