________________
તા. ૧-૬-૪૯
અવ્યવસ્થા અને અસ્પષ્ટતા લાવે છે. અહિંસાનાં જુદાંજુદાં સ્વરૂપે છે: વ્યક્તિગત આંતર વિકાસના સાધન તરીકે એનું સ્વરૂપ એક છે, સામાજિક અને રાજકીય-સામુદાયિક અન્યાયના ઈલાજ તરીકે એનું સ્વરૂપ જુદું જ પડે છે, નૈતિક શકિત તરીકે તેને વિચાર થઈ શકે છે, તે કેટલીક વાર યુદ્ધના પ્રતિસ્પર્ધી ઇલાજ તરીકે પણ એને વિચાર થતે જોવામાં આવે છે.
પ્રશ્ન : પરંતુ, ખરું જોતાં અહિંસા અને સત્ય બનેને એક બીજાથી છુટા નહિ પાડી શકાય. જે માણસ સત્યને ઉપાસક હશે તેને અહિંસાનું પાલન કરવું જ પડશે, અને તેને માટે તે સહેલું પણ હશે. અને હિંસાની જરૂર જ નહિ પડે, કારણ કે સત્યમાં રહેલી સ્વય ભૂ શક્તિ ઉપર જ તે નિર્ભર રહી શકશે. આમ જોતાં જણાશે કે સત્ય અને અહિંસા એ બે એક જ સિકકાની બે બાજુઓ છે. આજે જગતને અહિંસા જે સત્યનું જ બીજું નામ છે તેની ઘણી જ જરૂર છે. હું ધારું છું કે જગતે હિંસાને અનુભવ ધરાઈને લીધે છે:
ઉત્તરઃ માણસે અત્યાર સુધીના ઇતિહાસ દરમિયાન અનેક પ્રકારના ઇલાજે અજમાવ્યા છે, અત્યાર સુધી એકલી હિંસા જ તેણે અજમાવી છે એવું નથી. એટલે અહિંસા તદ્દન નવી વસ્તુ નથી. વળી, તમે જેને હિંસા કહે છે તેનાથી જગતને કાંઈ જ લાભ થયો નથી એમ પુરવાર કરવું મુશ્કેલ છે. તમારા કહેવાને ભાવાર્થ એ છે કે અહિંસા એ જ જીવનનું મૌલિક, આખરી, એકમાત્ર સત્ય છે. એ પ્રમાણે હોય તે આપણે “સત્ય એટલે શું?’ એ પ્રશ્ન પહેલાં વિચારવું જોઈએ
પ્રશ્ન : જીવન માત્ર પવિત્ર છે, દિવ્ય છે. પ્રાણીમાત્રમાં એક જ આત્મા વસે છે એ મહાસત્રને સાચા હૃદયથી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર પ્રત્યેક માણસ આખરે અહિંસાને સ્વીકાર કર્યા વિના ભાગ્યે રહી શકે. અહિંસા એટલે કોઈને ય મનસા વાચા કર્મણા નુકસાન ન કરવું-નુકસાન કરવાનો વિચાર પણ ન કરોતે. અને તે અન્યને ખાતર, અથવા તે પિતાને જે સત્ય લાગતું હોય તેને ખાતર પિતાને ભેગ આપી દેવો, સહન કરવાને તૈયાર રહેવું જરૂર હોય ત્યાં દુઃખને અને મને પણ આમંત્રણ આપવું અને એ સત્રને જીવનના ઊંચામાં ઊંચા નિયમ તરીકે પાળવું એનું નામ અહિંસા. આવી અહિંસા નિબંળનું નહિ પણ સમર્થમાં સમર્થ માનવનું હથિયાર છે.
ઉત્તર : સર્વમાં વ્યાપેલ જે આત્મા છે તે તે કોઈને મારતે નથી, તેમ કોઈથી મરતે નથી, કારણ કે તે શસ્ત્રથી છેદા નથી. એટલે હિંસાથી આત્મા તે નાશ પામતા નથી. વળી, શરીરને વિનાશ ન કરવા ઉપર એટલે બધે ભાર મૂકતાં આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે શરીર કરતાં વધારે મૂલ્યવાન વસ્તુઓ માનવ જીવનમાં હોઈ શકે છે, જેમને માટે શરીરને ભેગ આપતાં માણસ અચકાતા નથી. એટલે શરીરની હિંસાને એટલું બધું મહત્ત્વ આપવું એ પણ એક લેખે અતિશયેકિત ભરેલું લાગે છે.
પ્રશ્નઃ આ તે તમે મિથ્યાવાદી જેવી દલીલ કરે છે. જીવનના એક મહાન નિયમ તરીકે હિંસા કરતાં અહિંસા વધારે ઉચ્ચ છે એ વિષે તમને શંકા છે ?
ઉત્તર : ના, પણ પ્રશ્ન એ છે કે હિંસા કોને કહેવાય? અને એને આરંભ કયાંથી થાય છે ?
પ્રશ્નઃ કોઈ પણ પ્રાણીને કોઈ પણ હેતુથી પ્રેરાઈને નુકસાન કરવાની કે દુ:ખી કરવાની સભાન વૃત્તિ કે ઇચ્છા એનું નામ હિંસા. વળી હિંસા જેવી સાદી સીધી બાબત સમજવા માટે શું તમારે ભાષ્યની મદદ જોઈએ છે? છેલ્લાં છ સાત વર્ષ આખું જગત શું કરી રહ્યું છે તે તરફ નજર કરશે તે તમને વગર પ્રયને સમજાઈ જશે કે હિંસા શી વસ્તુ છે !
ઉત્તરઃ હું સમજું છું ત્યાં સુધી તમે અહિંસાને પરમ ઇષ્ટ ગણો છો અને એ માન્યતાને પરિણામે વ્યવહારમાં પણ અહિંસાના સંપૂર્ણ પાલનની આશા રાખે છે અને હિમાયત કરે છે. અત્યાર રના માનવજીવનમાં-તે ઇષ્ટ છે કે નહિ એ પ્રશ્ન બાજુએ રાખતાં એવી અહિંસા મને શકય જ લાગતી નથી.
પ્રશ્નઃ તમને ખરેખર એમ લાગે છે ?
ઉત્તર : હા, ખરેખર, અને ખાતરીપૂર્વક, કારણ કે અહિંસાના પાલનમાં મુશ્કેલી એ છે કે કોઈને કોઈ રૂપમાં અન્યના જીવનને પિતામાં સમાવ્યા વિના જીવન ટકી શકે તેમ નથી. એટલે તમારા દષ્ટિબિંદુથી તે જીવવું એ જ અહિંસાનું કાર્ય ઠરે, ખરું કે નહિ ?
પ્રશ્ન : અલબત્ત, અહિંસાને એટલે દૂર ખેંચવાની વાત હું કરતું નથી. પરંતુ બની શકે ત્યાં સુધી માણસે હિંસાનો ત્યાગ કરીને, અહિંસાને વધારે ઉચ્ચ આધ્યાત્મિક માર્ગ તરીકે સ્વીકારવી જોઈએ, એમ મારું કહેવાનું છે. સંપૂર્ણ અહિંસાનું પાલન માણસ કરી શકતા નથી એ ખરું જોતાં માણસની નિર્બળતા છે. એથી હિંસા સકારણ કેવી રીતે ઠરે ?
ઉત્તર: પ્રકૃતિ તરફ જરા નજર કરો, ત્યાં વિરાટ વિશ્વ પ્રકૃતિમાં નીતિઅનીતિનાં ધોરણો નથી. ત્યાં મોટી માછલીઓ નાની માછલી ઓને ખાય છે. એમને એ પ્રેરણા કાણુ આપે છે? અને વાદ્યમાં રહીને બકરાને કોણ મારે છે એ વિષે વિચાર કર્યો છે? તમને નથી લાગતું કે તમે જેને હિંસા કહે છે તેને જીવનના બંધારણમાં જ સ્થાન છે ?
પ્રશ્નઃ તમે તે અર્થ વગરનું બોલે છે ! માણસ કાંઇ માછલું કે વાધ નથી. ઊલટું પશુમાંથી માણસને જુદો પાડનાર ગુણ અહિંસા છે એમ કહી શકાય.
ઉત્તર : હું એમ કહેવા જતા હતા કે લોભ અને મહેચ્છાને સંતોષવા ખાતર તેમ આદશને માટે, યા તે સિદ્ધાંત કે ધર્મને ખાતર વ્યવસ્થિત યુદ્ધ કરવાની શકિત સઘળી પ્રાણીસૃષ્ટિમાં એકલા માણસમાં જ છે. એટલે વ્યવસ્થિત યુધ્ધ કરવાના ગુણુ વડે માગુસ અન્ય પ્રાણીઓથી જુદા પડે છે એમ પણ કહી શકાય! પણું મૂળ મુદ્દા પર આવતાં, વાઘનું ઉદાહરણ આપીને માણસ અને વાઘ સરખા છે એમ તે હું કહેવા નથી જ ભાગ, મારૂં કહેવાનું એમ છે કે તમે જેને હિંસા કહો છો તેને કુદરતમાં અગત્યનું સ્થાન રહેલું જણાય છે અને આપણે જોવાનું એ છે કે એ સ્વાભાવિક વૃત્તિને માણસના જીવનમાં કેવું અને કેટલું સ્થાન હેવું જોઈએ.
પ્રશ્નઃ જીવનને ટકાવી રાખવું' એ જીવનને પ્રથમ નિયમ છે એ તે હું સ્વીકારું છું. અને જીવવાને માટે હિંસા આવશ્યક હોય તે માણસની માણસાઈ ઓછામાં ઓછી હિંસા કરીને પિતાનું જીવન ટકાવવામાં રહેલી છે.
ઉત્તર : શુદ્ધ આદર્શની દૃષ્ટિએ ઓછી કે વધારે હિંસામાં કશો ફેર પડશે નહિ. ઓછામાં ઓછી હિંસા' કાંઈ હિંસા એછી મટી જવાની હતી ? માણસ ખાય છે ત્યારે કઈને કઈ સ્વરૂપમાં તે જીવનનું જ ભક્ષણ કરે છે. એટલે તમારી માન્યતા પ્રમાણે એ માણસ પણ આહિંસાનું પાલન કરી શકશે નહિ,
પ્રશ્ન : એમાં પણ અન્ય જીની હિંસા ન કરવી પડે એવો ખોરાક તેણે લેવું જોઈએ.
ઉત્તર : વનસ્પતિને બે રાક પણ જીવનને જ ખોરાક થયે ને?
પ્રશ્ન: પણ એમાં જીવન ઓછું વિકાસ પામેલું હોય છે એટલે એમાં હિંસા ઓછી રહેલી છે.
ઉત્તરઃ વનસ્પતિનાં અને બીજી વનવાળી વસ્તુઓનાં પતિકાર્યો આપણને પ્રત્યક્ષ દેખાતાં નથી તેથી કાંઈ એમ કહી શકાય