SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ રાકની '', એક કે . તા. ૧૫-૫-૪૯ પ્રબુદ્ધ જૈન ૧૭ - - એમનું નાટક “દિધાર' એને નમૂને છે. વધુમાં શ્રી. પૃથ્વીરાજ એક રાષ્ટ્રપ્રેમી કળાકાર હોઇને રાષ્ટ્રીય ફંડફાળાઓમાં તેમને નટકોની માટી ઉપજને અવારનવાર આપતા રહ્યા છે. છેલ્લે દક્ષિણ હિન્દની કોકિલા શ્રી શુભલક્ષ્મીએ “મીસી ફિ૯મ મારફન હિન્દને સાત્વિક ભકિતરસ પીરસ્યો છે અને શુદ્ધ સંગીતની લહાણું પણ કળાશેખીનોને આપી છે. હમણાં તેમણે મહાલક્ષ્મી પર સંગીતના એક જલસા મારફત મેળવેલી રૂા. સવા લાખની ભેટ ગાંધી સ્મારક ફંડમાં આપીને દેશની સારી સેવા બજાવી છે. આમ દેશના શિક્ષિત અને રાષ્ટ્રપ્રેમી કલાકારોએ નાટકસિનેમાની વણસતી જતી પરિસ્થિતિમાં સ્વચ્છ કલા અને ધ્યેયલક્ષી' વરતુઓ પીરસીને હાલનાં નાટક-સિનેમાથી ત્રાસેલી દુનિયાને જોઇને ખેરાક પૂરે પાડયો છે. આપણે લાંબા વખતથી પરદેશી સત્તા સાથે લડી રહ્યા હતા. એમાંથી નિવૃત્ત થતાં કોમી હુલડે, તંગીની પરિસ્થિતિ, હૈદરાબાદ અને કામિરના પ્રશ્નો વગેરેમાં સંડોવાયા હતા. એટલે સાંસ્કારિક . 'પ્રવૃત્તિઓ પ્રત્યે આપણે બહુ લક્ષ આપી શકયા નહોતા. હવે દેશને નવવિધાનમાં આવી સાંસ્કારિક પ્રવૃત્તિઓ મહત્વનો ભાગ ભજવી શકે એમ હાઈને શિષ્ટ અને શિક્ષિત સ્ત્રી–પુરૂષોએ સમાજની આ જરૂરી પ્રવૃત્તિ યોગ્ય માર્ગે ચાલે, એ પ્રત્યે લક્ષ આપવું જરૂરનું છે. વ્યાપારી નીતિ અને પ્રતિષ્ઠા ગોધરાથી સમાચાર મળે છે કે પંચમહાલ જીલ્લાના એક જાણીતા મીલ માલીક અને વેપારી સામે લુધિયાણાના જુલા મેજીસ્ટ્રેટે ઠગાઈ અંગેના કાઢેલ વોરંટ ઉપરથી સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી છે. એમ જાણવા મળે છે કે તેણે લુધિયાણાના એક વેપારીને કરેલ સોદા મુજબ મોકલેલા મગફળીના તેલમાં ૬૫ ટકા જેટલે હાઈટ એઈલનો ભંગ કર્યાથી તેના પર ઠગાઇનો આરોપ મૂકાય છે. હિંદ એક ધાર્મિક વૃત્તિવાળે દેશ હોવાનું અભિમાન આપણે ઘણા વખતથી રાખતા આવ્યા છીએ, પરંતુ ધર્મનું પહેલું પગથિયું નતિ આપણે કેવી જાળવીએ છીએ, તે આપણી જાતને જ પૂછી જોવાનું રહ્યું. ઈંગઠંડ, અમેરિકા, જમની વગેરે પશ્ચિમના દેશે આ પણી સાથે ઘણા વર્ષથી વ્યાપારી સંબંધથી જોડાએલા છે, અને ત્યાંના વ્યાપારીઓ અને વેપારી કંપનીઓને આપણને સારો પરિચય છે. આપણે કબૂલ કરવું પડશે કે આ દેશની વ્યાપારી નીતિ અને પ્રતિષ્ઠા આજ સુધી ઉંચા પ્રકારની રહી છે. જે નમૂને બતાવી માલ વેએ હોય, તે મુજબના જ માલ આપ, માલપુરતી પૂરી પ્રમાણિકતા જાળવવી, નકકી કરેલી શરતેને વળગી રહેવું, નીમેલા એજન્ટ સિવાય કંઈને બારેબાર માલ ન મોકલ, વગેરે વ્યાપારીનીતિ એ લે કે લગભગ જાળવતા આવ્યા છે. યુદ્ધ દરમિયાન તેણે એજન્ટો અને વ્યાપારીઓને કંટ્રોલ ભાવે માલ આપે છે, અને યુદ્ધ અંગે સાધનને અભાવે જયાં જ્યાં માલની જાતમાં ફેર કરવો પડે છે, તે પણ તેમણે સ્પષ્ટ રીતે જાહેર કરેલ છે. " બીજી બાજુથી આપણા દેશી વેપારીઓએ - માલની જાતમાં વારંવાર ફેરફાર કર્યો છે, યુદ્ધ દરમિયાન ઉપરથી રકમ આપનારને જ માલ આપ્યું છે, અને તેની વહેંચણીનું તંત્ર વાપરનારાઓને બદલે વેચનાર વેપારીઓના જ હિતમાં રહે એવું ગોઠવ્યું છે. ગાંધીજીને જન્મ આપનાર દેશના પ્રજાજન તરીકે અભિમાન લેનાર માણસ આમ નીતિને નેવે મૂકી શકે, એ દુઃખદાયક બીના છે. ગોધરાના ઉપરોકત વેપારી પર આરોપ જે સાચે કરે તે એ બનાવ આખા દેશની વેપારી પ્રતિષ્ઠાને ભારે હાનીકારક છે. નકકી કરેલ માલને બદલે હલકે માલ આપે એ વ્યાપારી નાતિનું ઉલંઘન છે, અને ફોજદારી ગુનો બને છે; પરંતુ ગ્યાસતેલમાંથી જેની બનાવટ થાય છે એવા ઝેરી વહાઈટ એઈલનું ખાવાના તેલમાં મિશ્રણ કરવું એ તે ઉપરાંતમાં સમાજદ્રોહી અને અમાનુષી કૃત્ય છે. આવું કૃત્ય હિંદના વેપારીની પ્રતિષ્ઠા પર ભયંકર કલંક સમાન છે. પષક તવાળે ખોરાક આજે મળતો નથી. મયમ વર્ગને પણ વેજીટેબલ ધી ઉપર નભવું પડે છે. અને ગરીબને તે તેલ એ જ સર્વસ્વ છે. રોટલી પર ચોપડવામાં, શાક વધારવામાં કે મરચાના ભુકા સાથે મેળવવામાં એ તેલને જ ઉપયોગ કરે છે. આ તેલ પણ જો એને ચોકખું ન મળી શકે, તે એણે કઈ રીતે છત્ર ન ટકાવવું એ એક પ્રશ્ન થઈ પડે છે. * કથાપારી અપ્રમાણિકત એ આપણા દેશના વેપારીઓમાં બહુ વધી ગઈ છે. કાળાંબજારથી માલ લે અને વેચ, માલમાં દગો કરે, જીવન જરૂરીયાતની ચીજને સંગ્રહ કરે, કારખાનાંઓ માં કામ કરતા મજુરે માટે જરૂરી સગવડ ન આપવી, કારકુને, ગુમાસ્તાઓને ઓછા પગાર આપી તેમની પાસેથી વધુ કામ લેવું, વેપારી કામે વહેલાં અથવા ગેરકાયદે પતાવવા સરકારી ખાતાંના, રેલવેના, ગેદી, અંકુશ ખાતાના અમલદારને લાંચ આપવી, આ બધું આપણે વેપારી વર્ગ કરી રહ્યો છે. અને વેપારીમાં આપણી. તરફ મુખ્યત્વે વણિ છે અને જેને છે. આવાં કાર્યો કરવા. છતાં શું કેવળ સામાયિક-પ્રતિક્રમણ કરવાથી કે દેવદર્શન કરવાથી આપણે જૈન તરીકે આપણી જાતને ઓળખાવી શકીશું ? કર ભરવામાં આપણે આનાકાની કરીએ છીએ. આપણી પોતાની સરકાર છતાં આપણી એ વૃત્તિ હજુ સુધરી નથી. જ્યારે પશ્ચિમના દેશે. માં મરફડ-લૂંટ-ચેરી-ખૂનના ફોજદારી ગુન્હાનું પ્રમાણ આપણુ કરતાં વધુ હોવા છતાં, ત્યાં વ્યાપારી પ્રમાણિકતા અને સામાન્ય નીતિનું ઘણું ઉંચું રણ પ્રવર્તે છે, એ ઉપરથી આપણે ધડે લેવો જોઈએ. લંડનથી હમણાં જ પાછા ફરેલા મારા એક મિત્રે મને કહ્યુંઃ છાપાંને ફેરિયે કઈ જગ્યાએ છાપાં રેઢાં મૂકીને ચાલ્યા ગયે હૈય, તે દરમિયાન કોઈ પણ માણસ તેમાંથી છાપાં લઈ શકે છે, અને તેની કિંમતના પૈસા ત્યાં જ મૂકી છે છે. પાછા ફરેલો ફેરિયા એ ગણા વિના જ ખીસામાં મૂકી ધે છે. તેને ખાત્રી હોય છે કે જેટલાં છાપાં તેની ગેરહાજરી દરમિયાન ગયાં હશે, તેટલી રકમ ત્યાં મૂકાઈ ગઈ હશે. હિંદે એક આઝાદ દેશ તરીકે પોતાની વ્યાપારી નીતિ, અંગત પ્રમાણિકતા અને શિસ્ત કેળવવાં પડશે. હિંદનું નૈતિક ધોરણ જે વધુ વખત સંચું રહેશે. તે આપણું પૂજય રાષ્ટ્રપિત ને આપણે વફાદાર નથી રહ્યા, એમ ગણાશે. કેની જવાબદારી? , આરાહથી મળેલા સમાચાર મુજબ પત્ની અને બાળકોને ભૂખે ટળવળતાં જોઈ હતાશ બનેલા, શહાબાદ જિલ્લાના ગુડી ગામના સીતારામ નામના કોંગ્રેસ કાર્યકરે ઝાડ સાથે દેરડું બાંધી, ગળે ફાંસો નાખી ટીંગાઈને આપઘાત કર્યો છે. સમાચાર ચોંકાવનારા અને દુ:ખદાયક છે. દેશમાં મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત કડી છે. મેઘવારી વધતી જાય છે, એને પહોંચી વળવા એની પાસે કંઈ સાધન નથી; એકલે હાથે એણે આખા કુટુંબનું પિષણ કરવાનું હોય છે. ભીખ એ ભાગી શકો નથી. પિતાની પીડા કોઈને કહી શકતો નથી, મધ્યમ વર્ગના માનવી તરીકે અમુક રીતે તેણે જીવવું પડે છે. એ રીતે જીવવાને તેની પાસે જેડતી આવક હોતી નથી. થઈ શકે તે કરજ કરે છે. ન થઈ શકે તે ભૂખ્યા રહે છે. પણ સ્ત્રી–બાળકોને એ ભૂખ્યાં ' કેમ રાખી શકે ? છેવટે એ સીતારામને માર્ગે જાય છે.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy