________________
પ્રબુદ્ધ જૈન
તા. ૧૫-૫ ૪
રતે નથી; કારણ કે તેઓ એક ખુલ્લી લડાઈ લડી રહ્યા છે. જયારે હિંદના સામ્યવાદીઓ છૂપાં કાવત્રાં, ભાંગફેડ અને ખૂનને ભાગે જઈ રહ્યા છે. તેમની પોતાની માન્યતા પ્રમાણે પણ જે તેમનું સાધ્ય શુધ્ધ હોય, તે તેમનું સાધન પણ શુધ્ધ હેવું જોઈએ; અને ખાસ કરીને હિંદમાં જ્યાં લેખન, મિલન અને વાણીસ્વાતંત્ર્ય ઠીક અંશે પ્રવર્તે છે ત્યાં કઈ પણ પક્ષે સાધનની શુદ્ધિ જાળવવી જ જોઈએ. તેને બદલે જે કઈ પક્ષ અશુદ્ધ સાધન વડે તેનું સાધ્ય સિદ્ધ કરવાના પ્રયત્ન કરે, તે તેનું સાધ્ય શુધ્ધ હોવાને તેને દાને કઈ રીતે ટકી શકે નહિ. રીઢા સામ્યવાદીઓને | ગળે તે આ વાત ઉતરવાની નથી, પરંતુ ખાસ કરીને યુવકે, યુવતીઓ અને વિદ્યાથીએ, જેઓ જાણેઅજાણે સામ્યવાદી પક્ષને ટેકો આપી રહ્યા છે, તેઓ આટલી વસ્તુ વિચારે અને સમજે તે સારૂં.
વડોદરોનું વિલીનીકરણ
' વડેદરાના મહારાજા સર પ્રતાપસિંહરાવ હજુ તે થોડા માસ પહેલાં પ્રજાને જવાબદાર રાજતંત્ર આપવામાં પણુ ઠીકઠીક આનાકાની કરતા હતા, અને તેનું વચન આપ્યા પછી તેમાંથી છટકી જવાની પેરવી કરતા હતા, તેઓ અને સરદાર વલ્લભભાઇની કુનેહને પરિણામે પ્રજાને રાજતંત્ર સોંપવામાં કબૂલ તો થયા એટલું જ નહિ પણ તેમનું આખું તંત્ર છે. જીવરાજ મહેતાને સોંપ્યા બાદ ચેડા જ વખતમાં વડોદરાના વિલીનીકરણ માટે તૈયાર થયા, એ આવતાં પરિબળોને પારખવાની એમની દીર્ધદષ્ટિ બતાવે છે. મે માસની પહેલી તારીખથી વડેદરાનું દેશી રાજ્ય તરીકેનું અસ્તિત્વ બંધ પડયું છે. અને તે હિંદી સંધ નીચે સીધું મુંબઈ પ્રાન્ત સાથે જોડાઈ ગયું છે.
ગુજરાતી ભાષા બોલતી પ્રજાને પ્રદેશ ગુજરાત ૧૯૪૭ નાં ઓગસ્ટની પંદરમી તારીખ પહેલાં બ્રિટિશ હકુમત તળેનું ગુજરાત, વડેદરાનું દેશી રાજય, કચ્છનું દેશી રાજય, ગુજરાતનાં નાનાં મેટાં છુટા છવાયાં દેશી રાજ અને કાઠિયાવાડનાં નાનાં મોટાં છુટા છવાયાં દેશી રાજયમાં વહેંચાયેલું હતું. હિંદ આઝાદ થયા પછી સૌરાષ્ટ્રનું એકમ રચાયું અને કાઠિયાવાડના ૨૦૨ રાજ્યનાં ટુકડાઓ અદ્રશ્ય થયા પછી ગુજરાતનાં રાજસ્થાને મુંબઈ પ્રાન્ત સાથે જોડાઈ ગયાં. આમ છતાં વડોદરાનું એક રાજય જેને પ્રદેશ છુટા છવાયા હતા, તે ગુજરાતથી જુદુ' રહ્યું હતું. પણ હવે તેનું વિલીનીકરણ થતાં મુંબઈ પ્રાન્તમાં ગુજરાતનું એકમ થયું. હવે ગુજ રાતી ભાષા બોલતી પ્રજાના ત્રણ પુરા સમૂહ રહ્યા છે. મુંબઇ પ્રાન્તમાંનું ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. - મુંબઈ પ્રાન્ત જે આજ સુધી મુંબઈ ઇલાકા તરીકે ઓળખાતો હતો, તેને અંગ્રેજ રાજકર્તાઓ એ વિચિત્ર રીતે વહીવટી પ્રદેશ બનાવેલું હતું. તેમાં ગુજરાતી, મરાઠી, કાનડી, સીધી વગેરે વિવિધ ભાષાઓના સમૂહોનો સમાવેશ કરવામાં આવ્યું હતું. વળી ભૌગોલિક રીતે પણ એની સરહદે ભારે વિચિત્ર હતી. એટલે તેમાંથી પ્રથમ સિંધ પ્રાન્ત છૂટો થઈ સ્વતંત્ર પ્રાન્ત બને. હવે વહેલે મડે મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક જુદા પ્રાન્ત થવાના; અને ત્યારે સંભવ છે તેમ મુંબઈનગરી અને તેનાં પરાંને એક સ્વતંત્ર પ્રાત બનશે.
આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચછ પણ મુંબઈ પ્રાન્ત સાથે ભળી જ ગયાં હશે, એમાં કોઈ શક નથી; અને તેથી જ્યારે ગુજરાત મુંબઈથી જુદું પડશે ત્યારે તે ગુજરાતી ભાષા બોલતી પ્રજાને એક અને અખંડ સમૂહ હશે. આ રીતે વડેદરાનું મુંબઈ સાથેનું જોડાણ આપણને મહાગુજરાતની રચના તરફ નિઃશંક રીતે દોરી જાય છે.
અવેતન રંગભૂમિ
' ધ ધાદારી નાટકની દુનિયા પ્રત્યેને ગુજરાતના શિષ્ય સમુદાયને મેહ હવે એ નાટકની દુનિયાની ટુંકી દૃષ્ટિ, તેમનામાં કલા અને અભ્યાસને અભાવ અને પ્રજાની હલકી વૃત્તિને ઉત્તેજવાની રીતભાતથી એસર જોય છે એ એક શુભચિહ્ન છે. જો કે સિનેમા ફિલ્મને પ્રચાર પણ ધંધાદારી નાટકને ફટકે મારી જાય છે; પરંતુ સિનેમા ફિલ્મો પણ હવે તો શિષ્ટસમુદાય માટે મનોરંજનને બદલે ત્રાસરૂપ બની ગઈ છે. જેમ નાટકોમાં ધૂમધડાકા અને હાસ્યરસને નામે અશ્લિલતા પ્રવેશી ચૂકી છે, તેમ ફિલ્મોમાં પણ મરજનને નામે હલકી વૃત્તિને ઉત્તેજનારાં દૃષ્ય અને ગીતો તથા અભિનયે સારા માણસોને અકારાં લાગે છે. મુંબઈ પ્રાન્તનું સેન્સર બે અને સરકાર જનતાની નીતિ પર ભારે અસર કરનારી ફિલ્મ પ્રત્યે ખાસ લક્ષ આપતાં હોય એમ લાગતું નથી. નડતર શહનાઈ અનેખીડકી જેવાં હલકી મને વૃત્તિને ઉશ્કેરનારો ચિત્રે મુંબઈની થિયેટરોમાં કેમ ચાલી શકે?
આ સંજોગોમાં ગુજરાતના શિક્ષિત અને શિષ્ટ વર્ગના કલાકારો અવેતન રંગભૂમિ મારફત જનતા સમક્ષ પ્રગતિશીલ અને ધ્યેયલક્ષી નાટ અને નૃત્યનાટિકાઓ લઈને હાજર થાય છે, એ આપણી નાટયકળાના પુનરૂદ્ધારની આશા આપી જાય છે.
આઈ. એન. ટી. ના ટુંકા નામથી ઓળખાતી સંસ્થા, ઇન્ડીયન નેશનલ થીયેટર તરફથી હવે આવાં નાટકે ભજવવાની ફરી શરૂઆત થઈ ચૂકી છે; અને તેણે હમણાં જ માધવબાગમાં * નરસ” નામની સુંદર નૃત્ય નાટિકા ભજવી બતાવી છે,
આ ઉપરાંત એ સંસ્થા તરફથી એક મરાઠી નાટક પણ તાજેતરમાં રજુ થવાનું છે.
આ જ રીતે અમદાવાદની એલીસબ્રિજ આરોગ્ય સમિતિ તરફથી ચાલતા રંગમંડળે માધવબાગના રંગમંદિરમાં “સાથે શું બાંધી જવાના ?” “શહેરના શ્વાસ ” અને “મેંઘેરા મહેમાન એ ત્રણું ન ટકે રજુ કર્યા છે.
આ પહેલાં સામ્યવાદ પ્રચારક મંડળી તરીકે જાણીતી થયેલી સંસ્થા “પીપલ્સ થીયેટર’ પણ આ દિશામાં ઠીક પ્રગતિ સાધેલી અને જો તેણે રાજકારણ પક્ષાપક્ષીમાં ઝંપલાવ્યું અને હું તો એક ઉત્તમ કક્ષાની રાષ્ટ્રીય કલાસંસ્થા એ બની શકી હોત. પીપલસ થાયેટરના ગુજરાતી વિભાગમાંથી કેટલાક કળાકારે સામ્યવાદી એના વર્ચસ્વથી કંટાળી જઇને આ સંસ્થામાંથી જુદા પડયા છે, અને તેમણે એક નવી રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી ભાંગવાડી થિયેટરમાં નાટકો ભજવીને ઠીક રકમ દુષ્કાળ રાહત ફંડમાં આપી છે. શનાક્રુઝના કેટલાક કળાકારે દુષ્કાળના ચિત્રને રજુ કરતી નાટિકા ‘વેરણ વાદળી’ હવે ભજવવાના છે. આમ એક પછી એક કળાના શેખ સાથે રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનો અને યુવતીઓએ ભાત પાડે એવાં નાટક રજુ કરીને શિષ્ટસમાજને ચોકખું મનેર જન પૂરું પાડયું છે.
નાટકે અને ફિલ્મો મને રંજન પૂરું પાડવા ઉપરાંત જાણી કેળવણી માટે પણ ઘણું અસરકારક સાધન ગણ્ય છે. આવાં ચિત્ર રજુ કરનાર ધંધાદારી કળાકાર તરીકે શ્રી. શાન્તારામ અને પૃથ્વીરાજ કપૂર જાણીતા છે. શ્રી. શાન્તારામે કાળીદાસની શકુ તલાને પડદા ઉપર સફળ રીતે રજુ કર્યા પછી, ચીનના યુદ્ધક્ષેત્ર પર સેવા અપવા ગએલા છે. કેટનીસની અમર કહાણી' રજુ કરી દેશની સારી સેવા બજાવી હતી. હવે તે એ “અપના દેશ ચિત્ર મારત કાળાંબજારના ભયંકર છતાં આપણી વચ્ચે પાંગરતા દુષણ સામે પ્રચાર રજુ કર્યો છે.
પૃથ્વીરાજ કપૂર ધંધાદારી નાટક પ્રવૃત્તિ ચલાવતાં છતાં નવી ભાતનાં નાટકો પ્રજા સમક્ષ રજુ કરીને પ્રજાકેળવણીમાં મહાન ફાળે આપી રહ્યાં છે. દેશના ભાગલા સામે વિરોધ નેંધાવતું'