SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રશુદ્ધ જૈન અને કળા પાંગરતુ' કળાભવન; કલાભવનના શિક્ષાગુરૂ હતા નદ બાબુ ભારતના સમથ` કલાકાર શ્રી નંદલાલ ખેઝ; ચિત્રા સાથે ચિત્રકારના જીવનમાં પશુ રંગપુરણી કરતા. હરિપુરા મહાસભાના અધિવેશનમાં તેમની કળા મે' પ્રથમ જોએલી. અહીં તેમની પીંછીએ ઉપજાવેલા અદ્ભુત રરંગા ધારી ધારીને મે જોયા. સંગીતભવનમાં સિતારના સ્વર સાથે મધુર કંઠમાંથી વહેતાં ગીતા સુમેળ સાધતા સભળાયા. નૃત્યશાળામાં તાલબદ્ધ થનગનાટ જોયા, સ્થળે સ્થળે વિદ્યાર્થીઓ કળાને હસ્તગત કરવ! પ્રયાસ કરી રહ્યા હતા. હિંદીભવનમાં રાષ્ટ્રભાષાને અભ્યાસ ચાલતે હતે. અને સમૃદ્ધ ગ્રંથાલયવાળા ચીનભવનમાં પડેાશી ચીનના જીવન અને કવન ઝીલાતાં હતાં. શાન્તિનિકેતનથી ચેડે દૂર હતુ. શ્રીમવન, ત્યાં ગ્રામવિકાસના કાય*ક્રમ અમલમાં મૂકાતે. ગ્રામજને સાથે વિદ્યાર્થીએ એકરૂપતા સાધી તેમના જીવનમાં, ધંધામાં રસ લેતા અને તેમતે વિકાસને માગે' દોરી જતા. કૃષિ, વણાટ વગેરેના નવીન પ્રયાગે ત્યાં થતા. શ્રીભવનમાં એક શિલ્પભવન હતુ, ત્યાં કારીગરા ઉદ્યાગને વિકસાત્રતા. ભાષા, ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન, જ્ઞાન અને કળા અહીં ગુજતાં હતાં. અધ્યાપકો વિદ્યાર્થીઓના મિત્ર હતા. કુમારા અને કન્યાએ ભાઈહેન હતાં. ગુરૂદેવની છાયામાં પવિત્રતા અને શીતળતા પ્રસરેલી હતી. વળી સાંજે ગુજરાતી કુમાર અને કન્યાએ આવી મળ્યા, અને વાર્તાલાપ શરૂ થયે. મુખ્ય પ્રશ્નોમાં હજી તાજે તે તે રાજકોટના સત્યાગ્રહ, ડાકાર ધર્મેન્દ્રસિંહની અજબ વાઢે, વીરાવાળાની દમનનીતિ, અને ગાંધીજીના ઉપવાસ હતા. આ સ્થાનમાં રાજકારણને પ્રવેશ બહુ અલ્પ હતા; છતાં શાન્તિનિકેતનના કળાકારાને, સ’ગીતકારાને, નૃત્યકારાને, મારી પાસેથી રાજકારણુ જાણવાની તે દિવસે ઇચ્છા થઈ. પણ મારે કઈ આપવાનું નહેતું. હું તે કઇં લેવા આવ્યા હતા. આ અપૂર્વ વાતાવરણમાં મારૂં” મન રાજકારણથી દૂર તે દૂર ભાગતું હતું. અહીં તેા દેવી સરસ્વતીની છાયા હતી. જ્ઞાનને પ્રકાશ હતા. ગુરૂદેવનું તેજ હતું. એ તેજને ઝીલવા હુ' 'આવ્યા હતા. મહર્ષિ' રવિભાખુએ આ સુંદર વાતાવરણમાં પાંચ બાળકોથી શાળાની શરૂઆત કરેલી. પછી તે ત્યાં સેકડા વિદ્યાર્થીએ પ્રાંતપ્રાંતથી, દેશ-દેશથી આવીને જ્ઞાન એકઠું કરવા લાગ્યા અને ગુરૂદેવ જ્ઞાનની લહાણી કરવા લાગ્યા. શાન્તિનિકેતનમાં ગુરૂદેવનાં ગીતે ગુ ંજવા લાગ્યા. ગુરૂદેવની કળાભાવના પ્રસરવા લાગી. ગુરૂદેવે આંતર્રાષ્ટ્રીય સ્વરૂપની આ વિધાપીઠ ‘વિશ્વભારતી'માં પ્રભુ પૂ. અહીંથી ગુરૂદેવની ગીતાંજલી પ્રગટી અને વિશ્વમાં ફેલાઈ. અહીં ગુરૂદેવે ચિ'તન કર્યુ અને એનો પ્રકાશ જગતને મળ્યા. એમની કવિતા, એમની કથાએ, એમનું સંગીત, એમનાં નાટયા, એમની કલા અહીં પાંગર્યા અને એની સુવાસ જગતમાં પ્રસરી રહી. ગુરૂદેવે એમનુ જીવન ધન્ય કર્યુ” અને એમનાથી ભારતવષ ધન્ય બન્યા. ગાંધીજીએ એક ક્ષેત્રમાં એક રીતે અને ટાગેરે બીજા ક્ષેત્રમાં ખીજી રીતે ભવ્ય પુરૂષા' કર્યાં અને જગતને નવુ' દશ'ન કરાવ્યું. દીનબધુ સંત એન્ડ્રુસ અહીં રહેતા. આજે તે નથી. ગાંધીજી પણ અહી રહ્યા હતા. તેઓ પશુ નથી. ગુરૂદેવ તા એમના પહેલાં ચાલ્યા ગયા છે; પણ એ સૌ સ ́તેની મીઠી સુવાસ આજે પણ પવિત્ર ધામમાં વિદ્યાભ્યાસ કરી રહેલા કુમાર-કુમારીઓને પ્રેરણા આપી રહે છે. ગુરૂદેવ ગયા છે, પણ એમના જ્ઞાન–સિઁધુ અહીં ઠલવતા ગયા છે. કવિ ગયા છે, અને કવિતા મૂકતા ગયા છે. એમનાથી ભારત ઉજળું બન્યું છે. 2 તા. ૧૫-૫-૪ વર્ષો પહેલાં શ્રીકૃષ્ણુ, મહાવીર અને બુદ્ધ ભગવાને આ દેશને પાવન કર્યાં હતા. એમના જ્ઞાનસ સ્કાર આ દેશે ઝીલ્યા હતા. પછી તા વર્ષોં વીત્યાં. યુદ્દો આવ્યાં અને ગયાં. ભીષ્ણુ ધી ફેલાઇ. દેશ ગુલામીમાં જકડાયે. પ્રજાનું ચેતન હણાયું. પણ દેશને ક્રી પ્રકાશ આપનર, ભીષણુ આંધીના નશ કરનાર, પરમ શાન્તિના બેધ કરનાર એ મહારના ભારતને મળ્યા : ગાંધી અને ટાગાર. એ પરમ પુરૂષ ગુરૂદેવ ટાગારની આજે ૮૯ મી જન્મજયન્તી છે. આ શુભ દિવસની ઉજ્જવળ પ્રભાતે હું તેમના અમર આત્માને કોટી કોટી વંદન કરૂં છું. રવિવાર, ૮ મી મે, જટુભાઇ મહેતા સર્વ ધર્મ પરિષદમાં સર સવ પલ્લીતુ. પ્રવચન ધર્મના ઉદ્દેશ માનવી॥ મનને દ્વિધાભાવ દૂર કરીને એકર ગી ભાવ ઉભા કરવાને હાઇ શકે. ઇશ્વરનું, એટલે અંતરમાં ઉડે રહેલા આત્મતત્ત્વનું, સંશોધન કરવુ એ જ સાચે મહાન ધમ છે. આ સચે ધમ' આપણા જીવનને નવુ' સ્વરૂપ આપીને આપણુા વ્યક્તિ ત્વને પલટાવી શકે. લેકા ધમ'તું આ સાચું સ્વરૂપ અને ઉદ્દેશ સમજી શકે, તે દુનિયામાં અ,જકાલ ચાલી રહેલા ધામિક ઝગડા અને ધાર્મિક સ્પર્ધા દૂર થઇ જાય, ધર્માંના અથ કરવામાં ઉભી થએલી ગેરસમ જીતીને કારણે જ મેટા ભાગની ધમક સ્પર્ધા ઉભી થઇ છે. વસતા સાચે અર્થ સમજાય તે આ સ્પર્ધા દૂર થઇ શકે. દુનિયામાં આજે એક મહત્ત્વની હકીકત એ છે કે ઝડપી વાહનવ્યવહાર દ્વારા દુનિયાના લેાકા પરસ્પર નક્ક આવ્યા છે. પરિણામે એક બીજા ધર્માં અને સંસ્કૃતિએ એક બીજાની નજીક આવેલ છે. હવે પ્રશ્ન એ છે કે આપણે ધાર્મિક સ્પર્ધા ચાલુ રાખવી છે કે કાઇપણ પ્રકારની સમજુતીને આધારે ધાર્મિ ક મતભેદ્ય દૂર કરવા છે ? હકીકતમાં આ ધાર્મિ ક મતભેદો એટલા વધી પડયા છે અને તેનું આચરણુ એટલું બધું વિકૃત બની ગયું છે કે સેાવિયેટ રશિયા જેવા દેશેએ ધમના સતર ત્યાગ કર્યાં છે. અમેરિકા પણુ વૈજ્ઞાનિક માનવતાના ધોરણે આગળ વધી રહ્યું છે. હિંદમાં આપણે શ્રીનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરી છે. બીજા શબ્દોમાં કહીએ તા આપણે ધમથી દૂર રહ્યા છીએ. આ પરિસ્થિતિ ધર્મના સમાજવિરધી આચરણને આભારી છે. આ પરિસ્થિતિ દુર કરવા માટે ધમને સાચે અ સમજીને બધા ધર્મના મૂળનવેશ અંગે મૂળભુત સમજૂતી સાધવી જોઇએ. ધના ઉદ્દેશ અનંત સત્યના ભેદ પામવાના છે. જીવનન દુઃખાના વિચાર કરતાં આપણે દ્વિધાભાવ અનુભવીએ છીએ. સાચા ખે ટાને નિષ્ણુ ય કરવાની માનવીની શકિતને કારણે તેના હૃદયમાં મથન ઊભું થાય છે. માનવી જ્યાં સુધી માનવી રહેશે ત્યાં સુધી આ મથન ચાલુ રહેવ તુ જ. પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે પશુ માસિક શાન્તિ અને આંતરિક પ્રકાશ ધમ દ્વારા મળી શકે. જો ધમ આ ક પાર પાડી શકે તે જ તેનું સ સું આચરણ થયું કહેવાય. દુનિયામાં ધર્માંની આવશ્યકતા છે, દુનિયાના મહાન પુરૂષ શ્રીકૃષ્ણ, રામાનુજ, શૅ'કર, ખ્રિસ્ત આદિ સૌએધનું આચરણુ કયુ" હતુ. એ સમયે ધામિક સ્પર્ધા નહાવાથી ધર્મની સહાય વડે તેઓએ સામાજિક ઉન્નતિનાં કાર્યો પાર પાડયાં હતાં. આજે પશુ એ જ રીતે ધર્મનું આચરણ થઇ શકે છે. ધમને જીવન સાથે મેળ જોઇએ.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy