SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૪-૪૯ અને બીજી તરફ લીવો નવા નીરનY ની વાત પણ સંભળાવી દીધી. એક જીવ બીજા જીવની આપત્તિ સિવાય જીવી | શકતું નથી. જે અહિંસા જ સાચે માગ હોય તે એક જીવનું જીવન જ્યાં બીજાના જીવનને આપત્તિરૂપ બને છે ત્યાં અહિંસા કયાં રહી-એ પ્રશ્ન લોકોના દિલમાં ઉઠે તે સ્વભાવિક છે. આ પ્રશ્નને એક અંગ્રેજી લેખકે પિતાની ભાષામાં આ રીતે રજુ કર્યો છે. Living is Killing જીવવું એટલે મારવું, આ પ્રશ્નના ઉત્તરમાં આપણા તત્વચિંતકોએ કહ્યું છે કે જીવવું એટલે મારવું એ એક સત્ય હકીકત છે પણ એ કાંઈ માનવીને ધમ નથી, માનવીનો ધમ તે એ છે કે ઓછામાં ઓછી હિંસા કરવી અને અધિકમાં અધિક અહિંસાનું પાલન કરવું. અને આ કેવી રીતે કરવું તે બાબતને તેણે વિચાર કરવો જોઈએ. આ તત્વને લાયમાં રાખીને અંગ્રેજી ભાષામાં જણાવવામાં આવ્યું છે કે “Killing the least is living the best." ઓછામાં ઓછી હીંસા કરતાં કરતાં અહિંસાનું અધિકાધિક પાલન કરવું એ જ જીવનને સર્વોત્તમ ધર્મ છે. એ જ બાબત ભગવાને સાડાબાર વર્ષ લાંબુ મૌન ખેલવાના સમયે કરી હતી. “ મા દૃળો, મા ઢળો.” આ જ બાબતને વેદમાં પણ “મા બિંસ્થાત્ સર્વ ભૂતાનાં કહીને બતાવવામાં આવી છે. મનુષ્યના હૃદયમાં શુભ અને અશુભ એમ બે પ્રકારની ભાવના રહેલી છે. એના દિલમાં એક બાજુએ પ્રેમ, ક્ષમ, વાત્સલય, સંતોષ અને દયાળતા હોય છે તો બીજા ખુણામાં કામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે વાસનાઓ રહેલી હોય છે. જ્યાં સુધી એ વાસનાઓ ઉપર સંમય ધારણ કરવામાં ન આવે ત્યાં સુધી અહિંસાનું પાલન થઈ શકતું નથી. આજે વિશ્વના મહાન યુદ્ધના મૂળમાં લોભ રહે છે. એની ઉપર સંયમ સ્થપાતા નથી તેથી યુદ્ધ થાય છે. તેથી ભગવાને ઉપદેશ દીધું કે જો તમારે અહિંસાને પોતાના જીવનમાં ઉતારવી હોય તો સંયમ તથા તપનું પાલન કરો. અહિંસાના એ બે પણ છે, જેના વિના અહિંસા ચાલી શકતી નથી. સંયમની મતલબ ભગવાં કે સફેદ વસ્ત્રો પહેરવા એ નથી. પોતાની વાસના ઉપર દમન કરવું એ સંયમ છે. અહિંસાના આરાધકે વાસનાએનું દમન કરવું જ જોઈશે. અહિંસાને બીજે આધાર તપ છે. ઉપવાસ કે વ્રત કરવું એ જ માત્ર તપ નથી પણ પિતાના સ્વાચંને ત્યાગ કરે એ જ ખરો તપ છે. ધારો કે એક વેપારી છે, જે ભારે નીતિમાન છે અને સાદાઈથી રહે છે, વ્યાપારમાં અનીતિ કરવાનું એને પસંદ નથી. એણે બીજા વેપારી સાથે એક ચીજનો મેટ સેદ કર્યો. સેદો કરવા સાથે જ એ ચીજની કીંમત પાંચગણી વધી ગઈ. હવે માલ વેચવાવાળો વધી ગયેલા ભાવે માલ ખરીદ કરીને પુરો પાડે તો પોતે પાયમાલ થઈ જાય. આ સંજોગમાં પેલો નીતિમાન વેપારી વિચારે છે કે મારું કર્તવ્ય શું છે ? જે મૂળ ખરીદેલે ભાવે એ માલ લેવાને આગ્રહ રાખે છે તેને ઘણો જ લાભ થાય એવું છે, પણ તેને અંતરઆત્મા તેને જણાવે છે કે જો હું આમ કરૂં તે સામે વેપારી તદન પાયમાલ થઈ જાય છે. તેથી માલ વેચનારને બોલાવીને આ નીતિમાન વેપારી કહે છે કે આપણી વચ્ચે થએલે સોદો હું રદ કરું છું.’ આવી ભાવના એ જ ખરી અહિંસા છે. પોતાના લેભ ઉપર વિજય પ્રાપ્ત કરે એનું નામ સંયમ છે અને સ્વાર્થને ત્યાગ કરે એનું નામ તપ છે. જ્યાં સુધી આપણામાં આ પ્રકારને સંયમ અને તપ ન આવે ત્યાં સુધી આપણી અહિંસા અપૂણું જ રહેવાની. ભગવાન મહાવીરના આ અહિંસાતવને આપણું રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ અપનાવ્યું હતું. અને અપનાવ્યું હતું એટલું જ નહિ પણ પિતાના જીવનમાં તાણાવાણાની માફક મેળવી દીધું હોય એ . આપણને અનુભવ કરાવ્યો હતો. કેટલાક લેકે એમ કહે છે કે મહાત્માજીની અહિંસા માનવીસમાજ પુરતી જ મર્યાદિત હતી; પણ એમ કહેવું યંગ્ય નથી. એમના જીવનમાં કેટલાયે પ્રસંગો મળે છે, જેને વિચાર કરતાં સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે એમની અહિંસા માત્ર માનવસમાજ પુરતી મર્યાદિત નહોતી પણ એનાથી આગળ વધીને મોટે ભાગે સુપ સુધી પણ પહોંચતી હતી. એમના જીવનનો એક પ્રસંગ આપણે જોઈએ. મહાત્માજી યરવડા જેલમાં હતા. એ વખતે કાકાસાહેબ પણ તેમની સાથે હતા. સરદાર વલ્લભભાઈ પણ એ જ જેલમાં હતા, પણ તેમને જુદા એારડામાં રાખવામાં આવ્યા હતા. એક દીવસ સરદારે જેલ સુપરીન્ટેડ દ્વારા મહાત્માજી ઉપર એક ચીઠ્ઠી લખીને મેકલી. એ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે મારી પાસે પુણી થઈ રહી છે તે આપની પાસે હોય તે મેકલશે. મહાત્માજી પાસે પુણીઓ નહોતી, એથી તેમણે કાકાસાહેબને કહ્યું કે “મારી પાસે પુણી નથી તેથી તમે તમારી પુણઓ સરદારને માટે આપો.” કાકાસાહેબે જવાબ આપે કે “મને પુણીઓ બનાવતા આવડતી નથી તે મારી પુણીએ ખલાસ થાય ત્યારે હું પાછો ક્યાંથી લાવીશ ? મારી પાસે એટલી વધારે પુણીઓ નથી કે હું સરદારને આપી શકું.” મહાભાજીએ કહ્યું કે “તમે એ બાબત ચિંતા ન કર, હું તમને પુણીઓ બનાવતાં શીખવીશ. હમણાં તે તમારી પુણીએ સરદારને મોકલી આપે.” કાકાસાહેબે પિતાની પુણીએ મે કલી આપી અને નવી પુણીઓ બનાવવી શરૂ કરી. એ દીવસે વરસાદના હતા. પીંજણ રૂ પીંજવામાં બરાબર કામ આપતી નહોતી, મહાત્માજી એ કહ્યું કે પીંજણુની તાંત ઉપર જે બે ચાર લીંબડાના પાંદડા ઘસશે તે તે બરાબર કામ આપશે. કાકાસાહેબ ઉઠયા. સામે જ લીમડાનું ઝાડ હતું, ત્યાં તુરત જ તેઓ ગયા અને પચીસ ત્રીસ પાંદડાની એક ડાળખી તેડીને લઈ આવ્યા. મામાએ જ્યારે આ જોયુ' ત્યારે કાકાસાહેબને કહ્યું કે “તમને તે બે ચાર પાંદડાની જરૂર હતી એમ છતાં પણ તમે આખી ડાળી શા માટે તેડી લાવ્યા છે આટલા બધા પાંદડા તેડીને તમે લીમડાને ગુને કર્યો છે.” એક બીજો પ્રસંગ જોઇએ. કાકાસાહેબે મહાત્માજી માટે કુચ કરીને એક લીમડાનું દાતણ તૈયાર કર્યું અને આપ્યું. ગાંધીજીએ દાતણું કર્યું અને એ જ દાતણ કાકાસાહેબને પાછું આપતાં કહ્યું કે “આ દાતણને ઉપરને કુ કાપી નાંખીને આવતી કાલે એ જ દાતણ પાછું મને આપજે.” કાકાસાહેબે કહ્યું કે “આપ એમ કેમ કહે છે ? લીમડાનાં ઝાડ તે ખાપણે ત્યાં અનેક છે.” મહાત્માજીએ જણાવ્યું કે “જ્યાં સુધી આ દાતણ ચાલે ત્યાં સુધી એને ઉપયોગ ન કરીએ તો એ ઝાડને આપણે ગુને કરીએ છીએ.” આ ઉપરથી આપ બરાબર સમજી શકે તેમ છો કે મહામાજીની અહિંસા માનવસમાજ પુરતી મર્યાદિત નહાતી પણું તેમાં સુમ જીને પણ વિચાર રહેલો હતે. વાલકેશ્વર ઉપર જ્યારે એકવાર ગાંધીજીને મળવાનું બન્યું હતું ત્યારે તેમને મેં કહ્યું હતું કે ગીતામાં તો શ્રીકૃષ્ણ યુધ્ધનું વિધાન કર્યું છે તે પછી અહિંસા વિષે શું સમજવું ?” મહાભાજીએ જવાબ આપ્યો કે “ગીતાના અંતમાં અહિંસાનું જ વિધાન કરવામાં આવ્યું છે, હિંસાથી જે સિદ્ધિ થાય છે તે ઉપર ઉપરની હોય છે, દેખાવની હોય છે, પણ સાચી સિદ્ધિ તે અહિંસાથી જ પ્રાપ્ત થઈ શકે છે.” આજથી પચીસે વર્ષ પહેલાં લાગવાન મહાવીરે જે વાત કહી હતી એ આજે પણ એટલી જ ઉપયોગી છે. બીજી વાત ભગવાન મહાવીરે અપરિગ્રહની કરી છે. અહિંસા ને સત્ય તે પર્યાયવાચી શબ્દ છે અથવા તે એક જ સિકકાની બે બાજુ છે. પરિગ્રહ જયારે વધે છે ત્યારે હિંસાથી જ વધે છે. કેટલાક લેક એમ કહે છે કે “જો અમે ન્યાય અને પ્રમાણિ કતાથી પૈસા એકઠા કરતા હોઇએ તે એમાં ખેટું શું છે ?” પણ તેઓ જાણતા નથી કે ભગવાને તે સાફ સાફ કહ્યું છે કે પરિગ્રહસંગ્રહ રાખે એ જ પાપ છે. પરિગ્રહ ન્યાયથી કર્યો હોય કે નીતિથી કર્યો હોય તે પણ પાપરૂપ જ છે. પાપનું મૂળ જ પરિગ્રહ છે. '' '' ''17
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy