________________
४७६
કશુદ્ધ જેના
'તા. ૧૫-૪-૪૯
દૃષ્ટિએ તેમાં કંઈ ને કંઈ ખોડખાંપણુ દેખાવાની જ; પરંતુ કઈ પણ કાયદાને ટૂંકી કે સ્વાર્થી દૃષ્ટિએ વિચાર ન જ કરાય. એક સમગ્ર ચિત્ર તરીકે જ તેને નિરખવા જોઈએ. જે પરિસ્થિતિ મુંબઈમાં છે તે અમદાવાદમાં ન હોય; અને અમદાવાદમાં હોય તે સુરત કે વડોદરામાં ન હોય; અને સુરત વડોદરામાં હોય તે ભાવનગર કે જામનગરમાં ન હોય. આથી દરેક સ્થળના, ભાઇઓ પોતાની જ દૃષ્ટિએ તેના ગુણદોષ તપાસવા બેસે તે આ કાયદે પણ ખૂબજ અપૂર્ણ થા અગ્ય લાગે; પરંતુ કોઈ પણ કાયદાને એ દૃષ્ટિએ જોઈ ન જ શકાય, એ કાયદે આજની પરિસ્થિતિમાં મૂળભૂત સુધારણ લાવે છે કે નહિ તે જ દૃષ્ટિએ તેને જોવું જોઈએ.
આ નવા કાયદા સામે વ્યાપારી વર્ગમાં ઠીક ઠીક ઉહાપેલ છે. એ પણું હું જાણું છું. વીસ, પચીસ કે પચાસ હજારની વસતિનાં શહેરે, જ્યાં અઠવાડિક રજા જેવું કાંઈ ન હતું ત્યાં એ દાખલ થયું છે એ વાત ત્યાંના વ્યાપારીઓને હજુ ગળે ઉતરતી નથી. રજાના જ કારણે ધંધે ઓછા શ્રેયે હોય એમ જાણ્યું નથી. લેકેને પિતાની જરૂરીઆતની જે ચીજે જોઈએ છે તે ક્યારેય પણ વખત મેળવીને ખરીદવાના જ છે. રાતના નવ કે દશ સુધી બેસીએ તે જ તેઓ આવશે એ કલ્પના ખોટી નીવડી છે. જે મુંબઈ-અમદાવાદ
જેવા શહેરેમાં બન્યું તે બીજે પણ બનશે જ, ધીરે ધીરે વ્યાપારી * વર્ગ તેથી ટેવાઈ જશે ત્યારે તેને પણ લાગશે કે ગુમાસ્તા કાયદાઓ તેને પણ ગુલામી અને વૈતરામાંથી રાહતું આપી છે. પિસ્ટઓફસે આપણે નિયત સમયે જ જઈએ છીએ કારણ કે તે વિના બીજે સમયે જઈશું તે કામ નહિ થાય, તે જ રીતે આપણુ બધા ધંધાઓને નિયત સમય ગોઠવવાનો છે. એ ગોઠવવામાં સૌ કોઈનું હિત છે. સાથોસાથ કઈ પણુ કાયદે એ પણ આખરી શબ્દ નથી જ. અનુ ભવે તેમાં સુધારા વધારા જરૂર થઈ શકશે.
આ ને ગુમાસ્તાધારા પ્રાંતભરના મુખ્ય મુખ્ય શહેર અને કચ્છએને લાગુ પડતો હોઈ, સ્વાભાવિક રીતે જ એ બધે સ્થળે ગુમાસ્તા સંગઠનોની જરૂર ઉભી થઈ છે. કારણ કાયદો ગમે તે હોય છતાં તેને લાભ લેનારૂં સંગઠન ન હોય તે માત્ર કાયદાથી ઝાઝી પ્રગતિ થતી નથી. એથી જ એવાં સ્થાનિક સંગઠનો તથા એ સૌના પ્રતિનિધિ સમાન આવી પરિષદે તથા તેમાંથી જન્મતા પ્રાંતવ્યાપી સંગઠનની જરૂર અનિવાર્ય બની છે. આ પરિષદ એવા સંગઠન મંગલાચરણ કરે એવી મારી ભાવના છે.
હું કામદારોમાં કામ કરું છું, એમના માટેના કાયદાઓને મે અભ્યાસ કર્યો છે, એટલું જ નહિ પણ આપણા પ્રાંતની સરકારે કામદારો માટે રચેલા કંઈક કાયદાઓના ઘડતરમાં પણ મેં રસ લીધો છે. કામદારોના પ્રશ્નોને ઔદ્યોગિક અદાલતે લઈ જઈ લડવાને પરિણામે તથા તેમની કેટલીયે સંરયાઓ સાથે જોડાયેલ હોવાને કારણે કામદારોના પ્રશ્નની ઠીક ઠીક સમજ ધરાવવાનો હું દાવે કરૂં છું. એના આધારે તથા સરખામણીએ હું કહી શકું તેમ છું કે કામદારોનાં સંગઠને કરતાં ગુમાસ્તાઓનાં સંગઠનનું કામ વધુ મુશ્કેલ છે.
સામાન્ય રીતે કારખાનામાં મજૂરની મોટી સંખ્યા એક જ માલિકના હાથ નીચે હોય છે અને તેમનાં સુખદુઃખ એકસરખાં હોય છે, જ્યારે બેંક કે વીમાકંપનીઓની મેટી એક્રિસ બાદ કરીએ તે ગુમાસ્તાઓ એક જ પેઢીમાં મેટી સંખ્યામાં હોતા નથી અને
શેઠ સાથે તેમને સંપક વધુ નજીક હોય છે. વળી, મજૂરનું આ ઉત્પાદન ભલે જુદા જુદા પ્રકારનું હોય, પણ છેવટે તેમને સંબંધ
સાંચાઓ સાથે જ હોય છે, જેથી તેમના કામને પ્રકાર છેવટે એક જ તરેહને હોય છે, જ્યારે ગુમાસ્તાઓના કામના પ્રકાર તેમના શેઠના ધંધા પ્રમાણે બદલાતા રહે છે.
અહીં હું ગુમાસ્તા’ શબ્દ બહોળા અર્થમાં વાપરું છું. જે નોકરીયાત વર્ગ કારખાનામાં કામ કરતું નથી, અને તેથી તેને અંગેના કાયદાનું જેને રક્ષણ નથી મળતું તેવા બધા જ વર્ગને
એમાં સમાવેશ થાય છે. એમાં વર્તમાનપત્રના ઉપતંત્રીઓ અને સંવાદવાહકો આવી જાય છે, બેંકના કારકુને આવી જાય છે, , ગોડાઉનમાં કામ કરતા અભણુ મજારો આવી જાય છે, નામું લખતા સાચા અર્થના ગુમાસ્તામાં આવી જાય છે, વાળ કાપવાની દુકાનના, કારીગરે પણ આવી જાય છે, અને ધરકામ અને રાઈ કરનારા પણ આવી જાય છે.
આ વિશાળ નેકરીઆત વર્ગને માટે કાયદાનું રક્ષણ મેળવવું . એ ધણું મુશ્કેલ છે. ઘરકામ કરનાર નોકર, રસેઈઓ, ખાનગી મેટર હાંકનાર, લિફટ ચલાવનાર એવા એકલદોકલ નેકરને માટે, કાયદે ઘડી શકાય એમ હોય તે પણ એનો અમલ એ મુશ્કેલ .. છે કે એ કાયદો ન ઘડવે એમાં જ ડહાપણ દેખાય છે.
કામદારોમાં તે લડાયક શકિત પણ ઠીક ઠીક હોય છે તેથી તેઓ પિતાના પ્રશ્નો જરૂર પડયે હડતાળ • આશ્રય લઇને પણ ઉકેલી શકે છે. ગુમાસ્તા એવા વર્ગમાંથી આવે છે જેની સહન કરવાની યા સંઘર્ષ વખતે ટકવાની શકિત ઔદ્યોગિક કામદારને પ્રમાણમાં ઓછી છે. તેનું જીવનધોરણ ઔદ્યોગિક કામદારો કરતાં ઉચું હોય છે. કામદારના કુટુંબમાં ઉંમરલાયક સ્ત્રીપુરુષે લગભગ બધાં જ કોઈને કોઈ કામ કરતા તથા કમાતા હોય છે, જ્યારે ગુમારસ્તાવર્ગના કુટુંબમાં એક કમાનારા પર ૫-૭ માણસે સુધીના નિભાવને જે હેય છે. ઉપરાંત તેનું જીવનધરણ પણ કામદાર ' કરતાં વધુ ખર્ચાળ છે. આથી કામદારે પોતાના પ્રશ્નોના નિકાલ તથા ઉકેલ માટે જે આખરી ઉપા-હડતાળ સુધીના-લઈ શકે તેમ છે તે ઉપાય ગુમાસ્તા વગં ભાગ્યે જ અજમાવી શકે તેમ હે છે. આથી ગુમાસ્તાઓના પ્રશ્નોને ઉકેલ મુખ્યત્વે તેમનાં સંગઠન, સમુહશકિત તથા લેકમતની કેળવણી ઉપર જ રહેલ છે. તે | ગુમાસ્તાવગની ટકવાની શકિત કામદારો કરતાં ઓછી છે છતાં ગુમાસ્તાવગ સામાન્ય રીતે બુધ્ધિવાદી છે. પિતાના પ્રશ્ન સમજી " શકે તેમ છે. પિતાના ફાયદાગેરફાયદાને તે વિચાર કરી શકે તેમ છે. આથી તેમના સંગઠનનું કામ મુશ્કેલ ન હોવું જોઈએ. પેતાને ફાયદો તે સહેલાઈથી સમજી શકતો હેઈ, અવિાં સંગઠનમાં જોડાવા તેને સમજાવી શકાય તેમ છે.
કામના કલાકે, અઠવાડિક રજા તથા કામની પરિસ્થિતિ એ ગુમાસ્તાઓના પ્રશ્નો છે, અને તેને ઉકેલવાનો પ્રયત્ન ગુમાસ્તાધારાએ દ્વારા થઈ રહ્યો પણ છે, પરંતુ તે ઉપરાંત પણ બીજા કેટલાક અગ' યના પ્રશ્નો છે અને તે દિશામાં હજી સુધી થવું જોઈએ એટલું ' થતું નહિ હોઈ, તેના પર જોર દેવાની જરૂર છે.
સૌથી પહેલો પ્રશ્ન છે જીવનવેતનનો. આજે કંઈક સ્થળે ગુમા ! સ્તાઓ એટલા ઓછા વેતનમાં નોકરી કરતા હોય છે કે તેનું પિતાનું પણ તેમાંથી માંડમાંડ પૂરૂ. કરી શકે, તે પછી વૃધ્ધ માબાપ, નાનાં ભાઈબહેન, બાળકે, પની વગેરે હોય તેનું શું ?
ગુમાસ્તાવના કુટુંબના જીવનનિર્વાહના આંકડા મળતા નથી. એના માલિક મુંબઈ જેવાં મેટાં શહેરોમાં તેમ જ નાના ગામડામાં પણ હોય છે. તેમની બધાની આર્થિક સ્થિતિ જુદી જુદી હોય છે અને ગુમાસ્તાની સંગઠનશકિત દરેક જગ્યાએ સરખી નથી હોતી; તેથી તેને માટે ઓછામાં ઓછો પગાર ઠરાવે એ , મુશ્કેલ થઈ પડે છે. છતાં આ માટે કાંઈક રકમ ઠરાવવી જરૂરી લાગે છે. ' '
એ જ રીતે આજે કારખાનાને મજુરે તે વધતી જતી " મેધવારીને બદલે મેળવી શકે છે અને જ્યાં સંગઠન શક્ય છે ત્યાં બેંક વગેરેમાં મોંધવારી મેળવી શકાય છે, પણ બીજે ઠેકાણે ગુમાસ્તાવને મેઘવારીના ઉપાય તરીકે વધારાનું વેતન મેળવવું, મુશ્કેલ છે.
ગુમાસ્તાઓ સાધારણ રીતે મધ્યમ વર્ગમાંથી આવે છે, તેથી તેમનું જીવનધોરણ મજુરવગં કરતાં ઉંચું હોય છે. મેધવા. રીની ભીંસ તેમને બીજા કરતાં વધારે લાગે છે. તેમનું જીવન . ધોરણ મંજુર કરતાં ૮૦ ટકા વધારે હોય છે એ વાત તે આજે . અંદાલતે એ પણ સ્વીકારી છે, તેથી તે મજુરને ઓછામાં ઓછા પગાર રૂ. ૩ હોય તે ગુમાસ્તાને ઓછામાં ઓછો પગાર રે .
ન