________________
• ૪૭૪
શુદ્ધ જેન
ઉપર જે ક્રમનુ સ્વરૂપ બતાવ્યુ' છે તે જૈન પરિભાષામાં ભાવકમ છે અને તે આત્મગત 'કારવિશેષ છે. આ ભાવક્રમ આત્માની આજુબાજુ સદા વર્તમાન એવા સૂક્ષ્માતિસમ ભૌતિક પરમાણુઓને આકર્ષે છે અને એમને વિશિષ્ટ રૂપ આપે છે. વિશિષ્ટ રૂપ પામેલા આ ભૌતિક પરમાણુઓને પુંજ એ જ દ્રવ્યકમ અથવા કા་શરીર કહેવાય છે, જે જન્માન્તરમાં જીવની સાથે જાય છે અને સ્થૂલ શરીરના નિર્માણની ભૂમિકા બને છે. ઉપરઉપરથી જોતાં માલૂમ પડે છે કે દ્રવ્યકમના વિચાર જૈન પરંપરાની કમ'વિદ્યામાં છે, પણુ અન્ય પરપરાની ક་વિદ્યામાં તે નથી, પરંતુ બારીકીય જોનાર જાણી શકે છે કે વસ્તુત: એવું નથી, સાંખ્ય, યોગ, વેદાન્ત આદિ પર પરાઓમાં જન્મજન્માન્તરગામી સમય લિંગ શરીરનું વધ્યુંન છે. એ શરીર અતઃકરણ, અભિમાન, મનદિ પ્રાકૃત કે માયિક તત્ત્વનું બનેલું મનાયુ' છે, જે વાસ્તવમાં જૈનપર પરાસમત ભૌતિક કામ્હણ શરીરનાં જ સ્થાને છે. સૂક્ષ્મ યા કામણુ શરીરની મૂળ કલ્પના એક જ છે. શ્વેતર હેય તા એના વનપ્રકારમાં અને ન્યૂના ધિક વિસ્તારમાં તેમજ વર્ગીકરણમાં છે, જે હજારા વર્ષોથી જુદા જુદા વિચાર–ચિંતન કરનારી પર પરમાં હેવુ સ્વાભાવિક છે. આ રીતે આપણે જોઈએ છીએ તે ખાત્મવાદી સૌ પરપરામાં પુનઃજન્મના કારણરૂપથી કમ તત્ત્વના સ્વીકાર છે અને જન્મજન્માન્તરગામી ભૌતિક શરીરરૂપ દ્રવ્યકતા પણ સ્વીકાર છે. ન્યાયવૈશેષિક પરંપરા જેમાં એવા સુક્ષ્મ શરીરનો કઇ ખાસ સ્વીકાર નથી, તેણે પ જન્મજન્માન્તરગામી અણુરૂપ મનને સ્વીકાર કરીને દ્રવ્યકમ ના વિચારને અપનાવ્યું છે.
તા. ૧૫-૪૪૯
ઉપરના સક્ષિપ્ત વર્ગુ નથી એ સ્પષ્ટપણે સૂચિત થાય છે કે જૈનપર પરાસ’મત મુસ્વરૂપ 'ધમેક્ષના તત્ત્વચિંતકાની કલ્પનાનું અનુભવમૂલક પ્રથમ રૂપ છે. સાંખ્યયોગસ`મત આત્મસ્વરૂપ એ તત્ત્વચિંતકોની કલ્પનાની ખીજી ભૂમિકા છે. અદ્વૈતવાદસ"મત આત્મસ્વરૂપ સાંખ્યયોગની બહુવિષયક કલ્પનાના એકત્વરૂપે પરિમાર્જન માત્ર છે, જ્યારે ન્યાયવૈશેષિકસ'મત અંત્મસ્વરૂપ જૈન અને સાંખ્યયેાગની કલ્પનાનું મિશ્રણ માત્ર છે. બૌદ્ધસંમત આત્મસ્વરૂપ જૈનકલ્પનાનું જ તક શાધિત રૂપ છે. ચિત્રવિદ્યા
પુનઃજન્મ અને કની માન્યતા પછી જ્યારે મેક્ષની કલ્પ-ના પણ તત્ત્વચિં’તનમાં સ્થિર થઇ ત્યારથી આજસુધીની બંધનમેક્ષવાદી ભારતીય તત્ત્વચિંતકાની આત્મસ્વરૂપત્રિયક માન્યતાએ કેવી કેવી છે અને એમનામાં વિકાસક્રમની દૃષ્ટિથી જૈન મંતવ્યના સ્વરૂપનું શું સ્થાન છે. એને સમજવા માટે સંક્ષેપમાં બંધમેક્ષવાદી મુખ્ય મુખ્ય સૌ પરપરાઓનાં 'તવ્યો અત્રે આપવામાં આવે છે. (૧) જનપર’પરા અનુસાર આત્મા પ્રત્યેક શરીરમાં જુદે જુદે છે. તે સ્વયં શુભાશુભ કમ'ત કર્તા અને કમના કુલ–સુખદુઃખાદિ–ના ભકતા છે. તે જન્માન્તર સમયે શ્રીજા સ્થાને જાય છે અને સ્થૂલ દેહ અનુસાર સકાચવિસ્તાર ધારણ કરે છે. એ જ મુક્તિ પામે છે અને મુક્તિકાળમાં સાંસારિક સુખદુઃખ, જ્ઞાનજ્ઞાન આદિ શુભાશુભ કમ' આદિ ભાવાથી સર્વથા છૂટી જાય છે. (૨) સાંખ્યયોગ પરપરાની અનુસાર આત્મા ભિન્નભિન્ન છે, પણ તે ફૂટસ્થ તેમજ વ્યાપક હાવાથી ન તા કમતા કર્તા, ભેતા, જન્માન્તરગામી કે ગતિશીલ છે, કે ન તો મુક્તિભાગી છે. એ પર પરા અનુસાર તે પ્રાકૃત બુદ્ધિ યા અન્તઃકરણ જ ક્રમ'નુ કર્તા, ભેકતા, જન્માન્તરગામી, સાવિસ્તારશીલ, જ્ઞાન-અજ્ઞાન આદિ ભાવેને આશ્રય અને મુકિતકાલમાં એ ભાવેાથી તિ છે. સાંખ્યયોગ પર પરા અન્તઃકરણના ધમેાક્ષને જ ઉપચારથી પુરૂષના માની લે છે. (૩) ન્યાયવૈશેષિક પરંપરા અનુસાર આત્મા વિવિધ છે. એ, સાંખ્યયેગની જેમ, ફૂટસ્થ અને વ્યાપક મનાયેા છે, તેમ છતાં એ, જૈનપરપરાની જેમ, વાસ્તવિકરૂપે કર્તા, જે કતા, બહુ અને મુકત પણ મનાય છે. (૪) અદ્વૈતવાદી વેદાન્ત અનુસાર આત્મા વાસ્તવમાં વિવિધ નહિં, પણ એક જ છે. એ, સાંખ્યયોગની જેમ, ક્રૂટસ્થ અને વ્યાપક છે. એથી જ એ વાસ્તવમાં ન તે! બહુ છે, ન તા મુક્ત. એનામાં અન્તઃકરણના ધમેક્ષ જ ઉપચારથી મનાયા છે; (૫) બૌધ્ધમત અનુસાર આત્મા યા ચિત્ત વિવિધ છે; એ જ કતા, ભાડતા, ખધ અને નિર્વાણને આશ્રય છે. એ ન ફૂટસ્થ છે, ન તે વ્યાપક છે; એ કેવળ જ્ઞાનક્ષણુપર પરારૂપ છે અને દેહનાં હૃદય ઇન્દ્રિયે જેવાં અનેક કેન્દ્રોમાં એક સાથે અથવા ક્રમથી નિમિત્ત પ્રમાણે ઉત્પન્ન અને નષ્ટ થતે રહે છે.
આત્મા અને કમના સ્વરૂપને જાણ્યા પછી જ એ જાણી શકાય છે કે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિમાં ચારિત્રનુ શુ સ્થાન છે. મે ક્ષતત્ત્વચિંતકા અનુસાર ચારિત્રને ઉદ્દેશ આત્માને કમથી મુકત કરવાના જ છે. ચારિત્રદ્રારા કપથી મુકિત માની લેતાં પશુ. આ પ્રશ્ન રહે છે કે સ્વભાવથી શુધ્ધ એવા આત્માની સાથે પહેલવહેલા કર્મોના સંબંધ કયારે અને શા માટે થયેા અથવા તો એવા સબંધ કાણું કર્યું. આ રીતે એ પણ પ્રશ્ન ઉઠે જ છે કે સ્વભાવથી શુધ્ધ એવા ખાત્મતત્ત્વની સાથે. જો કાષ્ટ ને કાઇ રીતે કમ'ના સબંધ થયેલા માની લેવામાં આવે તે પછી ચારિત્રારા મુકિત સિધ્ધ થયા પછી પણ પાછે। ક્રમ'સબંધ શા માટે નહિ થાય. આ બે પ્રશ્નોના ઉત્તર આધ્યાત્મિક સૌ ચિતકાએ લગભગ એકસરખા જ આપ્યા છે. સાંખ્યયેાગ હા કે વેદાન્ત-ન્યા વૈશેષિક હા કે બૌદ્ધ હૈા, આ બધાં જ દનાની જેમ જૈનદશ નનુ પણ એ જ મતવ્ય છે કે કમ' અને આત્માના સબંધ અનાદિ છે, કેમકે એસબંધની આદિ ક્ષણુ જ્ઞાનસીમાની બહાર છે. સૌએ એમ માન્યુ છે કે આત્માની સાથે કમ-અવિદ્યા કે માયાને સબંધ પ્રારૂપે અનાદિ છે, તેમ છતાં વ્યક્તિરૂપે એ સંબધ આદિ છે. કેમકે આપણા સૌના એવા અનુભવ છે કે અજ્ઞાન અને રાગદ્વેષથી જ કમવાસનાની ઉત્પત્તિ જીવનમાં થતી રહે છે. સવ થા કમ છૂટી જતાં આત્માનુ જે પૂર્ણ શુદ્ધ રૂપ પ્રગટ થાય છે એમાં કરી કમાઁ કે વાસના શા માટે ઉત્પન્ન થતી નથી એને ખુલાસ તક વાદી આધ્યાત્મિક ચિંતકાએ એ રીતે કર્યાં છે કે આત્મા સ્વભાવત: શુદ્ધિપક્ષપાતી છે. શુદ્ધિદ્વારા ચેતના આદિ સ્વાભાવિક ગુણાને પૂર્ણ વિકાસ થયા પછી અજ્ઞાન યા રાગદ્વેષ જેવા દેાય જડમાંથી જ છેદઇ જાય છે અર્થાત્ એ પ્રયત્નપૂર્વક શુદ્ધિને પ્રાપ્ત એવા આત્મતત્ત્વમાં પેાતાનું સ્થાન મેળવવા માટે સર્વથા નિખળ ખની જાય છે. ચારિત્રનું કાય જીવનગત વૈષમ્યનાં કારણેાને દૂર કરવાનુ છે, જે પ્રયત્નને જૈનપરિભાષામાં સવર' કહે છે. 'સવર' એ જ યોગશાસ્ત્રની પરિભાષામાં ‘ચિત્તવૃત્તિનિરોધ' કહેવાય છે. વૈષમ્યના મૂળ કારણુ અજ્ઞાનનું નિવારણુ આત્માની સમ્યક્ પ્રતીતિથી થાય છે અને રાગદ્વેષ જેવા કલેશનું નિવારણુ માધ્યસ્થ્યની સિધ્ધિથી થાય છે. આથી અન્તર ચારિત્રમાં બે જ ખાળતા મુખ્ય છેઃ (૧) આત્મજ્ઞાનવિવેકખ્યાતિ, (૨) માધ્યસ્થ અથવા રાગદ્વેષ આદિ કલેશાના જય. ધ્યાન, વ્રત, નિયમ, તપ આફ્રિ જે જે ઉપાય આન્તર ચારિત્રના પેષક હાય છે તે જ બાહ્ય ચારિત્રરૂપે સાધકને માટે ઉપાય મનાયા છે.
આધ્યાત્મિક જીવનની ઉત્ક્રાન્તિ અન્તર ચારિત્રના વિકાસક્રમ ઉપર અવલંબિત છે. આ વિકાસક્રમનું, ગુણસ્થાનરૂપે, જૈનપર પરામાં અત્ય ́ત વિશદ અને વિસ્તૃત. વણુન છે. આધ્યાત્મિક ઉત્ક્રાન્તિક્રમના જિજ્ઞાસુગ્માને માટે યોગશાસ્ત્રપ્રસિધ્ધ મધુમતી આદિ ભૂમિકાઓનું, બૌદ્ધશાસ્ત્રપ્રસિદ્ધ સેાતાપન્ન આદિ ભૂમિકાનુ, યોગવાસિષ્ઠપ્રસિધ્ધ અજ્ઞાન અને જ્ઞાન ભૂમિકાઓનું, આછવક પરંપરાપ્રસિધ્ધ માંદાદિ ભૂમિકાએ નુ' અને જૈનપર પરા પ્રસિધ્ધ ગુણુસ્થાનાનું તથા યોગદૃષ્ટિ
( અનુસધાન પૃષ્ટ ૪૮૪ જુઓ. )