________________
૪૬૭
-
તા. ૧-૪-૪૯
----- અથવા ચતુર્દશપૂર્વમાં “રામચનું સ્થાન પ્રથમ છે જે આચારાંગ સૂત્ર કહેવાય છે. જનધર્મના અંતિમ તીર્થંકર મહાવીરના આચારવિચારનું સીધું અને સ્પષ્ટ પ્રતિબિંબ મુખ્યત્વે એ જ સૂત્રમાં દેખવા મળે છે. એમાં જે કાંઈ કહેવાયું છે તે બધામાં સામ્ય-સમતા અથવા સમ ઉપર જ પૂરો ભાર દેવાય છે. “સારા ” એ પ્રાકૃત અથવા માગધી શબ્દનો સંબંધ સામ્ય-સમતા અથવા સમ સાથે છે. સામ્યદષ્ટિમૂલક અને સામ્ય દષ્ટિપેષક જે જે આચારવિચાર હોય તે બધા સામાફય-સામાયિક-રૂપે જૈનપરંપરામાં સ્થાન પામે છે. જેમ બ્રાહ્મણ પરંપરામાં સંધ્યા એક આવશ્યક કમ છે, એ જ રીતે જેનપરંપરામાં પણ ગૃહસ્થ અને ત્યાગી સૌને માટે આવશ્યક કમં દર્શાવ્યાં છે, જેમાં મુખ્ય સામાફ૪ છે. જે સામાઈય ન હોય તે બીજું કોઈ આવશ્યક સાથુંક ન નીવડે. ગૃહસ્થ તેમજ ત્યાગી પિતપતાના અધિકારોનુસાર જ્યારે જ્યારે ધાર્મિક જીવનનો સ્વીકાર કરે છે ત્યારે ત્યારે તે “રમ ! સામા” એવી પ્રતિજ્ઞા કરે છે. એને અથું એ છે કે “હે ભગવન ! સમતા અથવા સમભાવને સ્વીકાર કરું છુ.” આ સમતાનું વિશેષ સ્પષ્ટીકરણ પછીના બીજા જ પદમાં કરવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે હું સાવધયોગ અર્થાત્ પાપવ્યાપારને યથાશક્તિ ત્યાગ કરું છું. સામારૂાની આવી પ્રતિષ્ઠા હોવાને કારણે સાતમી સદીના સુપ્રસિધ્ધ વિદ્વાન જિનભદ્રગણી ક્ષમાશમણે એની ઉપર વિશેષાવશ્યક ભાષ્ય નામને અતિ વિસ્તૃત ગ્રંથ લખીને બતાવ્યું છે કે ધર્મનાં અંગભૂત શ્રદ્ધા, જ્ઞાન અને ચાર એ ત્રણે ય સામાય છે. . સાચી વીરતા વિશે જૈનધમ, ગીતા અને ગાંધીજી - સાંખ્ય, યોગ અને ભાગવત જેવી અન્ય પરંપરામાં પૂર્વકાળથી સામ્યદૃષ્ટિની જે પ્રતિષ્ઠા હતી, એને આધાર લઇને ભગવદ્ગીતાકારે ગીતાની રચના કરી છે. આપણને ગીતામાં ઠેકઠેકાણે સમદશ, સામ્ય, સમતા, જેવા શબ્દદ્વારા સામ્યદૃષ્ટિનું જ સમર્થન મળે છે એનું કારણ આ છે. ગીતા અને આચારાંગની સામ્યભાવના મૂળમાં એક જ છે, તેમ છતાં એ પરંપરાભેદથી, અન્યોન્ય ભાવનાઓની સાથે મળીને, ભિન્ન થઈ ગઈ છે. અર્જુનને સામ્યભાવનાના પ્રબળ આવેગના સમયે પણ શૈક્ષ્યજીવન સ્વીકારતાં ગીતા રોકે છે અને હિંસક શસ્ત્રયુદ્ધને આદેશ કરે છે, જ્યારે આચારાંગસૂત્ર અનુનને એ આદેશ ન કરતાં એમ જ કહે કે જો તું સાચે ક્ષત્રિયવીર હોય તે સામ્પષ્ટ લાધ્યા પછી હિંસક શસ્ત્રયુદ્ધ ન કરી શકે બલકે ભૈયજીવનપૂર્વક આધ્યાત્મિક શત્રુની સાથે યુદ્ધદ્વારા જ સાચું ક્ષત્રિયત્વ સિદ્ધ કરી શકે. આ કથનનો ધોતક ભરતબાહુબલિની કથા જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, જેમાં કહેવાયું છે કે સહોદર ભરતદ્વારા ઉગ્ર પ્રહાર પામ્યા પછી બાહુબલિએ
જ્યાં પ્રતિકાર માટે હાથ ઉઠાવ્યું. ત્યાં જ સમભાવની વૃત્તિ પ્રગટ થઈ. એ વૃત્તિના આવેગમાં બાહુબલિએ ભૈયજીવનને સ્વીકાર કર્યો પણુ પ્રતિપ્રહાર કરીને ન તે ભરત સામે બદલો લીધો કે ન એની પાસેથી પિતાને ન્યાયોચિત રાજ્યભાગ લેવાનો વિચાર કર્યો. ગાંધીજીએ ગીતા અને આચારાંગ આદિમાં પ્રતિપાદિત સામ્યભાવને પોતાના જીવનમાં યથાર્થરૂપે વિકસિત કર્યો અને એના બલ ઉપર કહ્યું કે માનવસંહારક યુદ્ધ તે છેડે જ પણ સામ્ય અથવા ચિત્તશુદિધના બલ ઉપર જ અન્યાયના પ્રતિકારનો માર્ગ પણ ગ્રહણ કરે. પુરાણા શૈક્ષ્યજીવનને આવે અર્થવિકાસ ગાંધીજીએ સમાજમાં પ્રતિષ્ઠિત કર્યો છે. સામ્યદૃષ્ટિ અને અનેકાન્તવાદ
જનસમાજને સામષ્ટિ ઉપર એટલે બધે ભાર છે કે એણે સામષ્ટિને જ બ્રાહ્મણુપરંપરામાં લબ્ધપ્રતિષ્ઠ બહા કહીને સામ્યદ્રષ્ટિપેષક સાચા આચારવિચારને “બ્રહ્મચર્ય'-ઘરમાં કહ્યું છે, જેમ બૌધ્ધપરંપરાએ મૈત્રીઆદિ ભાવનાઓને ઘણવિજ્ઞાન કહ્યો છે. એટલું જ નહિ પણ ધમ્મપદ અને શાંતિપર્વની પેઠે
જૈનગ્રંથમાં પણ સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહૃાણુ કહીને શ્રમણ અને બ્રાહ્મ વચ્ચેનું અંતર મિટાવવાનો પ્રયત્ન કર્યો છે.
સામ્યદૃષ્ટિ જૈન પરંપરામાં મુખ્યત્વે બે પ્રકારે વ્યક્ત થઈ છે : - (૧) આચારમાં, (૨) વિચારમાં. જૈનધર્મના બાહ્ય-આમ્પનરથુલસૂક્ષ્મ
બધા આચાર સામ્યદૃષ્ટિમૂલક અહિંસાના કેન્દ્રની આસપાસ જ નિર્મિત થાય છે. જે આચારધારા અહિંસાની રક્ષા અને પુષ્ટિ ન થાય એવા કોઈ પણ આચારને જૈન પરંપરા માન્ય રાખતી નથી. જો કે સૌ ધાર્મિક પરંપરાઓએ અહિંસાતત્ત્વ ઉપર ઓછોવત્તો ભાર દીધે છે, તેમ છતાં જનપરંપરાએ એ તત્ત્વ ઉપર જેટલા બાર મૂકે છે અને એને જેટલું વ્યાપક બનાવ્યું છે, એટલે બાર અને એટલી વ્યાપકતા બીજી ધર્મપરંપરાઓમાં દેખવા મળતી નથી. મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ અને વનસ્પતિ જ નહિ બલકે પાયિંવ, જલીય આદિ સૂક્ષ્માતિસૂક્ષ્મ જંતુઓ સુદ્ધાંની હિં સાથી આત્મૌપમ્યની ભાવનાધારા નિવૃત્ત થવા માટે કહેવામાં આવ્યું છે. •
વિચારમાં સામ્યદૃષ્ટિને ભાવના ઉપર જે ભાર દેવાય છે, તેમાંથી અનેકાન્તદૃષ્ટિ અથવા વિભજ્યવાદને જન્મ થયો છે. કેવળ પિતાની દૃષ્ટિ અથવા વિચારસણીને જ પૂર્ણ અથવા અંતિમ સત્ય માનીને એની ઉપર આગ્રહ રાખવો એ સામ્યદૃષ્ટિનું ઘાતક છે. એથી કહેવામાં આવ્યું છે કે બીજાઓની * દૃષ્ટિને પણ એટલો જ આદર કરે જેટલો પિતાની દૃષ્ટિને. આ સામ્યદ્રષ્ટિ અનેકાન્તવાદ ભૂઝિકા છે. આ ભૂમિકા માંથી જ ભાષાપ્રધાન સ્વાદ અને વિચારપ્રધાન નયવાદનો ક્રમશઃ વિકાસ થયો છે. એમ નહિ કે અન્યોન્ય પરંપરામાં અનેકાન્તષ્ટનું સ્થાન જ નથી. મીમાંસક અને કપિલદશન ઉપરાંત ન્યાયદર્શનમાં પણ અનેકાન્તવાદનું સ્થાને છે. બુદ્ધભગવાનના વિભજ્યવાદ અને મધ્યમમાગ પણ અનેકાન્તદૃષ્ટિનાં જ ફળ છે, તે યે જૈનપરંપરાએ જેમ અહિંસા ઉપર અત્યધિક ભાર મૂકે છે તેમ જ એણે અનેકાન્તદષ્ટિ ઉપર પણ અત્યધિક ભાર મૂક્યો છે. એથી જૈન પરંપરામાં આચાર અથવા વિચારને કોઈ પણ વિષય એવું નથી, જેની ઉપર અનેકાન્તદષ્ટિ લાગુ પાડવામાં આવી ન હોય અથવા જે અને કાન્તદૃષ્ટિની મર્યાદાથી બહાર હોય, ખાને જ લીધે અન્યાન્ય પરંપરાઓના વિદ્વાનોએ અનેકાન્તષ્ટિને માનવા છતાં એની ઉપર સ્વતંત્ર સાહિત્ય રચ્યું નહિ, જ્યારે જૈનપરંપરાના વિદ્વાનોએ એ દૃષ્ટિના તથા એના અંગભૂત સ્યાદ્વાદ, નયવાદ આદિનું બેધક અને સમર્થક વિપુલ સ્વતંત્ર સાહિત્ય નિર્માણ કર્યું. અહિંસા
હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસા છે. આ વિચાર ત્યાં સુધી સમજમાં આવી શકતા નથી, જ્યાં સુધી એ બતાવવામાં ન આવે કે હિંસા ની થાય છે અને હિંસા કાણુ અને શા કારણે કરે છે અને એનું પરિણામ શું છે ? આ પ્રશ્નને સ્પષ્ટ સમજાવવાની દૃષ્ટિમાંથી મુખ્યત્વે ચાર વિદ્યાઓ જૈન પરંપરામાં ફલિત થઈ છેઃ (૧) આત્મવિદ્યા, (૨) કર્મવિદા, (૩) ચરિત્રવિદ્યા, અને (૪)
વિધા. આ રીતે અનેકાન્તછિદ્વારા મુખ્યત્વે ધ્રુવિદ્યા અને પ્રમાણુવિધાનું નિર્માણ અને પિષણ થયું છે. આ પ્રકારે અહિંસા, અનેકાન્ત અને તત્વમૂલક વિદ્યાઓ જ જૈનધર્મને પ્રાણુ છે, જેની ઉપર આગળ સંક્ષેપમાં વિચાર કરીશું. (અપૂર્ણ)
- પંડિત સુખલાલજી.
સંધના સભ્યોને વિનંતિ સંધના મેટા ભાગના સોના ચાલુ વર્ષના લવાજમે હજુ સુધી આવેલ નથી તે જે સભ્યોના લવાજમ બાકી હોય તેમને સંધના કાર્યાલયમાં પિતાના લવાજમ વિના વિલંબે મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ. ' + બ્રાહમણવગ૨૬. * ઉત્તરાધ્યયન) ૨૫.
-