________________
૪૬
પ્રશુધ્ધ જેન
અંગ છે. આથી ઊલટુ શ્રમણધમ એમ માનતા-મનાવ હતા કે અર્ધા જ સામાજિક સ્ત્રીપુરૂષ સત્કમ અને ધમ`પદનાં એકસરખાં અધિકારી છે. જે પ્રયત્નપૂર્વક યેાગ્યતા મેળવે છે તે વણુ' અને લિંગના ભેદ સિવાય જ ગુરૂપદનાં અધિકારી બની શકે છે, આ સામાજિક તેમજ ધાર્મિક સમતાની માન્યતા જે રીતે બ્રાહ્મણધમની માન્યતાથી બિલકુલ વિરૂદ્ધ હતી, એ જ રીતે ખનેની સાધ્યવિષયક માન્યતા પણ પરસ્પર વિરૂધ્ધ રહી. શ્રમધર્મ ઐહિક યા પારલૌકિક અભ્યુદયને સથા હેય માનીને નિઃશ્રેયસને જ એકમાત્ર ઉપાદેય માનવા તરફ પ્રવૃત્ત હતા, અને એથી એ સાધ્યની પેઠે સાધનગત સામ્ય ઉપર પણ એટલે જ ભાર મૂકવા લાગ્યા. નિ:શ્રેયસનાં સાધતેમાં મુખ્ય છે અહિંસા. કાઇ પશુ પ્રાણીની કાઇ પણ પ્રકારથી હિંસા ન કરવી એ જ નિ:શ્રેયસનુ મુખ્ય સાધન છે, જેનામાં અન્ય સૌ સાધનેને સમાવેશ થઇ જાય છે. આ સાધનગત સામ્યદ્રષ્ટિ હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ કમની દૃષ્ટિથી બિલકુલ વિરૂધ્ધ છે. આ રીતે બ્રાહ્મણ અને શ્રમણધા વૈષમ્ય અને સામ્યમૂલક આટલે વિરેધ છે કે જેથી બંને ધર્માંની વચ્ચે ડગલે ને પગલે અથડામણને અવકાશ છે, અને એહુજારા વરસના છતિહાસમાં લિપિબદ્ધ થયેલ છે. આ પુરાણા વિરાધ બ્રાહ્મણુકાળમાં પણ હતા અને બુદ્ધમહાવીરના સમયમાં તથા એ પછી પણ હતા. આ ચર્'તન વિરાધના પ્રવાહને જ મહાભાષ્યકાર, પતજલિએ પેાતાની વાણીમાં વ્યક્ત કર્યાં છે. વૈયાકરણ પાણિનિએ સૂત્રમાં સાશ્વત વિરાધને નિર્દે'શ કર્યો છે. પતંજલિ ‘શાશ્વત' જન્મસિદ્ધ વિરધવાળાં અગ્નિ-નકુલ, ગેબ્યદ્ય જેવાં 'દ્દોનાં ઉદાહરણ આપતી વખતે સાથે સાથે બ્રાહ્મણુ-શ્રમણનુ પણ ઉદાહરણ આપે છે. એ વાત તે બરાબર છે કે હજાર યત્ન કરવા છતાં સાપ-નેળિયાના અને ગાય-વાધન વિરાધ નિમૂળ ન થઈ શકે. પરંતુ પ્રયત્ન કરવાથી બ્રાહ્મણુ અને શ્રમણના વિરેધ નિર્મૂળ થવા સભવિત છે અને પ્રતિદ્રુસમાં કંઇક ઉદાહરણા એવાં મળે પણ છે કે જેમાં બ્રાહ્મણુ અને શ્રમણની વચ્ચે કાઇ પણ જાતનાં વિરોધ કે વૈમનસ્ય દેખવા મળતાં નથી. પરંતુ પત ંજલિનુ બ્રાહ્મણ શ્રમણના શાશ્વતવરાધ અંગેનું કથન વ્યકિતપરત્વેનુ નહિં પણુ વગ પરત્વેનુ છે. કેટલીક વ્યક્તિ એવી હાઇ શકે, જે આ વિરોધથી પર થઈ છે અથવા થઇ શકે, પરંતુ સા બ્રાહ્મણવગ' અથવા સારે। શ્રમણવર્ગ' મૂલગત વિધથી પર નથી એ પતંજલિનુ તાત્પય છે, શાશ્વત' શબ્દને અથ અવિચલ નહિં પશુ પ્રાવાહિક એટલો જ છે. પત’લિ પછી સકા બાદ જૈન આચાય હેમચંદ્રે પણ બ્રાહ્માણુ–શ્રમણનું ઉદાહરણ આપીને પત'જલિના અનુભવની યથા'તા પર મહેર લગાવી છે. આજે આ સમાજવાદી યુગમાં પણ આપણે એ નથી કહી શકતા કે બ્રહ્મણું અને શ્રમણ એ એ વ વચ્ચે વિરે.ધનાં ખીજ નિમૂળ થયાં છે. આ આખા ય વિરોધનું મૂળ તે ઉપર સૂચવેલી વૈષમ્ય અને સામ્યની દૃષ્ટિ વચ્ચેનું પૂર્વ પશ્ચિમ જેટલુ અંતર એ છે. અનેની એકમેક પર અસર અને સમન્વય
બ્રાહ્મણુ અને શ્રમણપરંપરા એકબીજાના પ્રભાવથી બિલકુલ અસ્પષ્ટ નથી. નાનીમેટી અનેક વાતમાં એકના પ્રભાવ બીજા પર વત્તીઓછી માત્રામાં પડેલા જોવામાં આવે છે. ઉદા શ્રમણધમ ની સામ્યષ્ટિમૂલક અહિંસાભાવનાનેા બ્રાહ્મણુ પરંપરા ઉપર ક્રમશઃ એટલે પ્રભાવ પડયા છે કે જેથી યજ્ઞની હિંસાનું સમથ ન કેવળ પુરાણી શાસ્ત્રીય ચર્ચાના વિષય પૂરતું રહ્યું છે, વ્યવહારમાં યજ્ઞની હિંસા લુપ્ત જેવી થઇ ગઇ છે. અહિંસા અને ‘સૂર્યમૂતિ રતઃ' એ સિધ્ધાંતને પૂરો આગ્રહ રાખનાર સાંખ્ય, ચેગ, ઔપનિષદ, અવધૂત, સાવત આદિ જે પરાંપરાએ બ્રાહ્મણુપર પરાના પ્રાણભૂત પુરે! હ્રત-તથા વેવિષયક પ્રામાણ્યના અને બ્રાહ્મણૢવગના ગુરૂ-પદના આત્યંતિક વિરેધ કર્યાં નથી, તે પર પરાએ ક્રમશ:
તા. ૧-૪-૪૯
બ્રાહ્મણધમના સર્વાંસગ્રાહક ક્ષેત્રમાં એક અથવા ખીજા રૂપે મળી ગઇ છે. એથી ઉલટું જૈન, બૌદ્ધ આદિ જે પરપરાએ વૈદિક પ્રામાણ્ય અને બ્રાહ્મણવષ્ણુના ગુરૂપદની વિરૂદ્ધ આત્યંતિક આગ્રહ રાખ્યા તે પરપરાએ અગર જો કે 'મેશાંને માટે બ્રાહ્મણુધમ થી અલગ જ રહી છે, તેમ માં એમનાં શાસ્ત્ર અને નિવૃત્તિધમ ઉપર બ્રાહ્મણપરંપરાની લોકસ’ગ્રાહક વૃત્તિની એક અથવા બીજા રૂપે અસર જરૂર પડી છે.
શ્રમપર ધરાના મૂળ પ્રવક
શ્રમધર્મના મૂળ પ્રવર્ત્ત કે કાણુકેળુ હતા, તે કયાં કયાં અને કયારે થયા એને યથાથ' અને પૂરા ઇતિહ્રાસ અનુ.ત છે, પણ આપણે ઉપલબ્ધ સાહિત્યના આધારે એટલું તે। નિઃશ’ક કહી શકીએ છીએ કે નાભિપુત્ર ઋષભ તથા આદિ વિદ્વાન કપિલ એ સામ્યધમ'ના પુરાણુા અને પ્રબળ સમથ કા હતા. એમને ઇતિહાસ અધકારગ્રસ્ત હોવા છતાં પારાણિક પર પરાઓમાંથી એમનુ નામ લુપ્ત થયું નથી. એનું કારણ આ જ છે. બ્રાહ્મણુપુરાણુ ગ્રંથમાં ઋષભને ઉગ્ર તપસ્વીરૂપે ઉલ્લેખ છે. ખરા, પણુ એમની પૂરી પ્રતિષ્ઠા તે કેવળ જૈનપરંપરામાં જ છે, જ્યારે પિલના ઋષિ તરીકે નિર્દેશ જૈન કથાસાહિત્યમાં છે તે પણ એમની પૂર્ણ' પ્રતિષ્ઠા તે સાંખ્યપરંપરામાં તથા સાંખ્યમૂલક પુરાણુગ્રંથમાં છે. ઋષભ અને કપિલ આદિ દ્વારા જે આત્મૌમ્યભાવનાની અને તન્મૂલક અહિંસાધમની પ્રતિષ્ઠા જામી હતી, તે ભાવના અને ધમની પેષક અનેક શાખા-પ્રશાખા હતી, જેમાંથી કાઇ બાહ્ય તપ ઉપર, તે। કાઇ ધ્યાન ઉપર, તેા કષ્ટ માત્ર ચિત્તશુદ્ધિ અથવા અસગતા ઉપર અધિક ભાર દેતી હતી, પણ સામ્ય અથવા સમતા સૌનું સમાન ધ્યેય હતાં,
શ્રમણધમ'ની જે પરંપરામાં સૌમ્યુસિંહમૂલક અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર અધિક ભાર દીધે અને એમાંથી અમાર ગૃદ્ર, ગાંઠ અથવા પરિગ્રહધનના ત્યાગ ઉપર અધિક ભાર દીધા અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ અને પરિગ્રહનાં બંધન હૈાય ત્યાં સુધી કદી પૂણુ' હુંસા અથવા પૂણ્` સામ્ય સિદ્ધ થઇ ન શકે, તે શાખા નિત્ર ન્ય નામથી પ્રસિદ્ધ થઇ. એના પ્રથમ પ્રવત્તક નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે.
રાગદ્વેષના વિજય માટે જૈનધમ ના આગ્રહ
અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાયરૂપે નિગ્રન્થ ધમ'માં ગૂંથાઇ તે ગઇ જ હતી, પરંતુ સાધકાના મનમાં એ પ્રશ્ન ઉત્પન્ન થયા કે-થ તપ અને બાહ્ય ત્યાગ ઉપર અધિક ભાર દેવાથી આત્મશુધ્ધિ અને સામ્ય પૂર્ણરૂપે સિધ્ધ થાય એવા સભવ છે ખરા ? એના ઉત્તરમાંથી આ વિચર ફલિત થયે કે રાગદ્વેષ આદિ મલિન વૃત્તિએ ઉપર વિજય મેળવવા એ જ મુખ્ય સાધ્ય છે. આ સાધ્યની સિધ્ધિ જે અ‘િસા, જે તપ કે ત્યાગથી ન થઇ શકે તે અહિંસા, તે તપ, તે ત્યાગ ભલેને કેવાં યે હૈા આધ્યાત્મિક દૃષ્ટિથી અનુપયોગી છે. આ વિચારના પ્રવત્તક 'જિન' કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુધ્ધ, ગૈાશાલક અને મહાવીર~એ સૌ પે।તપેાતાની પરપરામાં જિનરૂપે પ્રસિદ્ધ છે. પરંતુ આજે જિનકથિત જૈનધમ કહેવાથી મુખ્યત્વે મહાવીરના ધમ'ના જ એધ થાય છે, જે રાગદ્વેષના વિજય ઉપર જ મુખ્યત્વે ભાર દે છે. ધ વિકાસને ઇતિહાસ કહે છે કે ધમ'ની ઉત્તરાત્તર ઉદય પામતી નવી નવી અવસ્થાએમાં તે તે ધર્મની પુરાણી અવિરેધી અવસ્થાએના સમાવેશ અવશ્ય થતા રહે છે. જૈનધમ' નિગ્રન્થ ધમ' પણ છે અને શ્રમધર્મ' પણુ છે તે ા કારણે.
શ્રમણધમની સામ્યદૃષ્ટિ
હવે આપણે જોઇએ કે શ્રમધમની પ્રાગુભૂત સામ્ભભાવનાનુ` જૈનપરંપરામાં શું સ્થાન છે. જૈન શ્રતરૂપે પ્રસિધ્ધ દ્વાદશાંગી