________________
૪૫૦
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૩-૪૯
--
--
સમાવેશ કરવાનું દયાનમાં રાખીને જ બાંધવામાં આવ્યું છે. શ્રી ઘનશ્યામદાસજી બિરલાએ તથા બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ, આ વિશ્વકર્મા મહાવિદ્યાલયના મકાન માટે તેમજ તેની સાધનસામગ્રી માટે પચીસ લાખ રૂપિયા ખર્યા છે તેને માટે અમે તેમના આભારી છીએ. કામસી કોલેજ, કોમર્સ કોલેજ તેમજ મેડીકલ કોલેજ પણ અહીં આ સ્થાપવાને અમે વિચાર કર્યો છે. અમારી જ પાડોશમાં સરદારશ્રીની દોરવણીથી ચાલતી કૃષિગંવિધા ભવનની સંસ્થા એક ખેતીવાહીની કેલેજ ચલાવે છે અને પ્રાણીયોગશાસ્ત્ર તેમ જ વનવિજ્ઞાનનાં મહાવિદ્યાલય કેડા જ સમયમાં શરૂ કરવાની આશા રાખે છે.
આદર્શ ગ્રામવિદ્યાપીઠ આમ આણંદ ઘણી જ વરિત ગતિએ મહત્વનું કેળવણીનું ધામ બનતું જાય છે. આજે અમારા મહાવિદ્યાલયના ધણુંખરા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અહીં જ વસવાટ કરે છે. સરદાર વલભભાઈ પટેલ, લેડ અને લેડી માઉન્ટબેટન અને સુજ્ઞ કેળવણીકાના આશીર્વાદથી અમારું મંડળ એક શિક્ષણ આપતું વસતિ
ગૃહયુક્ત વિદ્યાપીઠ સ્થાપવા માંગે છે. તક્ષશિલા અને નાલંદાનાં વિદ્યાપીઠનાં આ જમાનાને અનુકુળ સંગીન અને ઉદાત્ત ધરણે પર એ વિદ્યાપીઠની રચના અમે કરીશું. વળી એકસફર્ડ અને કેમ્બ્રીજની વિદ્યાપીઠેના અદ્યતનું અંગમાંથી પણ આજના યુગને અનુકુળ અને સ્વતંત્ર ભારતના આત્માને પુષ્ય એવા શાને પણ આ વિદ્યાપીઠના ઘડતરમાં અમે સ્વીકારીશું. વલ્લભવિદ્યાનગરનું આ વિદ્યાપીઠ સહકાર અને સ્વાશ્રયના સિદ્ધાંત પર રચાયેલું એક આદર્શ ગ્રામવિદ્યાપીઠ બનશે. અમારી આ સંસ્થાઓને મૂળ હેતુ તે ગ્રામ-જીવનને સંસ્કૃત કરવાને, અને હજી એ ગામડામાં જીવંત છે એવા ભારતીય સંસ્કાર અને પ્રણાલીઓને પુનરૂદ્ધાર કરવાને છે. બીજી રીતે કહીએ તો શાંતિપ્રિય, સંતુષ્ટ અને સમૃદ્ધ હિન્દની ગ્રામસંસ્કૃતિનું પૂજ્ય બાપુજીનું સુખ, અમારા નમ્ર પ્રયાસેથી, સાક્ષાત્કાર કરવાને અમે પ્રયત્ન કરીએ છીએ.
વિદ્યાપીઠનું નગર આદર્શની સિદ્ધિ માટેના અમારા આ પ્રયાસમાં આ પ્રદેશના લેકે દિલના ઉમળકાથી સહકાર આપે છે, એનું એકજ જવલંત ઉદાહરણું આ છે, એમની આજીવિકાનું એક માત્ર સાધન ગણાય એવી એમની જમીનમાંથી ૬ ૦૦ એકર જેટલી જમીન મેળો મનથી એમણે અમને આપી દીધી છે. આ સ્થળની પસંદગી કરવાના કારણુને અહીં નિર્દેશ કરે ૫ ધારીએ છીએ. સ્વ. વીઠ્ઠલભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદ દેવાથી આ પ્રવૃત્તિઓ માટે અમે તેમની ચરણરજથી પવિત્ર થયેલી આ ભૂમિને અમારા કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરી છે. આ સ્થળે વલ્લભ વિદ્યાનગર નામના અધતન ગ્રામની રચના કરવાની છે, અને એ નગર વિદ્યાપીઠનું નગર બની રહે એવી અમારી નેમ છે. કેમકે તે દ્વારા જ અમારા આ બધા આદર્શની સિદ્ધિ પ્રાપ્ત કરવાની આશા અમે સેવીએ છીએ.
અમે તો માનીએ છીએ કે સમસ્ત સંસારમાં વ્યાપી રહેલી અરાજકતાને ટાળવાને સૌથી ઉત્તમ અને એક માત્ર ઉપાય પૂજ્ય મહાત્માજીએ નિદેશે રચનાત્મક કાર્યક્રમ છે. અહીં આ જ દીન. અજ્ઞાન, ભલભેળા ગ્રામજનોને તેમ જ કાર્યકરોની ઉગતી પેઢીને ખાસ રચનાત્મક કાર્યક્રમના લાભ કેમ મેળવી શકાય છે તે અમે શીખવીશું.
એક્તાની પ્રતિષ્ઠા માટે આવી રીતે વલ્લભવિદ્યાનગર વિદ્યાનું ધામ બને, શુભ અને નિર્દોષ જીવન જીવતાં શીખવે એવું ઉદાત ગ્નિક્ષણનું કેન્દ્ર બને, વિશ્વવસલ્યની ભાવનાથી એ પ્રાણિત થઈ ઉઠે ને એની સૌરભ સમસ્ત વિશ્વમાં પ્રસરે એ દિવસે જોવાને અમે ઉકઠા રાખીએ છીએ. અને અમને તે આશા છે જ કે વલભવિદ્યાનગર આ
મહદ્ કાર્ય કરીને, આપણું ભારત વર્ષમાં પ્રવર્તમાન પરસ્પર વિરોધી વિચારસરણીઓમાંથી પરમ એકતાની પ્રતિષ્ઠા કરશે.
આપના વરદ રહે આવા નગરનું શિલારોપણ થવાનું છે એ અમારૂં મોટું સુભાગ્ય છે. મારા સહયોગીઓ અને વલ્લભ વિદ્યાનગરનાં અન્ય કાર્યકરાવતી હું આપને પુનઃ ઉમળકાભર્યો આવકાર આપું છું અને વલ્લભ વિદ્યાનગરનું શિલારોપણ કરવાને વિનંતિ કરૂં છું.
કેટલાક સમાચાર અને નેધ અહિંસક જૈનેનું કર્તવ્ય
છે. રાજેન્દ્રપ્રસાદે “જૈન જગત', દ્વારા જૈન સમાજને તા. ૨૪-૧-૪૯ ના રોજ નીચે મુજબ સંદેશ આપ્યો છે –
જૈન ધર્મે સંસારને અહિંસાની દીક્ષા આપી છે. અહિંસાને જૈન ધર્મે ત્યાં સુધી પહોંચાડી કે મનુષ્યને જીવનમાં કટ પતંગ સુધીની રક્ષા કરવાની તેણે આજ્ઞા આપી, એટલું જ નહિ પણ કટાણુને પણ બચાવવાનો આદેશ આપ્યા. વનસ્પતિમાં પણ જીવન છે તેથી તેની હિંસાની પણ ઘણું અંશમાં મના કરી કઈ બીજા ધર્મમાં અહિંસાની મર્યાદા આટલે સુધીની ક૯પવામાં આવી નથી. આજે સંસારને અહિંસાની આવશ્યકતા તીવ્રપણે પ્રતીત થઈ રહી છે, કારણ કે તેણે હિંસાના નગ્ન તાંડવને નજરે નિહાળ્યું છે અને આજે લેકેને ડર લાગવા માંડે છે કે જો વળી ફરીથી યુધ્ધ ફાટી નીકળ્યું તે તે સર્વનાશ જ થવાને, કારણ કે હિંસાનાં સાધનો આજે એટલા બધા પ્રમાણમાં વધી રહ્યાં છે અને એટલા ઉગ્ર બની રહ્યાં છે કે યુધ્ધમાં કોઇ જીતે યા હારે એ બાબત આજે એટલા મહાવની રહી નથી જેટલું મહત્વ કોઈ કઈ પણ દેશ યા જાતિના લેક કેવળ અસહાય બની બેસે એટલું જ નહી પણ જીવનની સામાન્ય જરૂરિયાતેથી પણ વંચિત થઈ જાય એવા અનિવાર્ય પરિણામનું લેખવામાં આવે છે. આમ હેવાથી એ અત્યન્ત આવશ્યક બન્યું છે કે જે ભાવના અને ભય આજે હિંસા અથવા યુદ્ધ સંબધંમાં સેવાઈ રહેલ છે તેનો લાભ ઉઠાવીને અહિંસાની વૃત્તિ જાગૃત કરવામાં આવે અને જે કારણોથી યુદ્ધ ઉપસ્થિત થાય છે તે કારણે દૂર કરવામાં આવે. જેઓ અહિંસાને મમ સમજ્યા છે તેઓ આ અંધકારમાંથી કોઈને કોઈ રસ્તો કાઢી શકે છે. આમ હવાથી જેનું આજે મનુષ્ય માત્ર પ્રતિ સર્વથી મહાન કર્તવ્ય એ છે કે તેઓ આ બાબત ઉપર ધ્યાન આપે અને કોઈ રસ્તે શેધી કાઢે. આજે કીટાણુઓ અને કીટ પતંગોની રક્ષા કરતાં મનુષ્યની રક્ષા અધિક મહત્વ ધરાવે છે, અને આપણી એ જ અપેક્ષા છે કે તેઓ આ પ્રકારની સંકુચિત વર્તુળમાંથી નીકળીને મનુષ્યને બચાવવાના અને સુખી બનાવવાના કાર્યમાં પિતાની શક્તિ વાપરે.”
હિંદુ સમાજ માં પિતે અન્તર્ગત છે કે તેથી અલગ છે એ અને એવા અન્ય મામુલી વિચાર વમળમાં ઘુમરીઓ ખાતે જૈન સમાજ પિતાની આ વિશિષ્ટ જવાબદારી સમજે તે કેવું સારું ? જૈન સમાજને આજે પિતાનું અસ્તિત્વ ટકાવવાની ચિન્તા પડી અને આમ થશે કે તેમ થશે તે પિતાનું અસ્તિત્વ નાબુદ થઈ જશે એવો તેના દિલમાં ભય પડે છે. જે અહિંસાની ભાવના અને આદર્શનું નિર્જીવ ખખું પિતાને વારસામાં મળેલ છે તેને આજને જૈન સમાજ, સજીવ બનાવે, ક્રિયમાણુ બનાવે, પિતાના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને અહિંસાના સાચા રંગથી રંગે તે તેનું અસ્તિત્વ સદા સુરક્ષિત છે એટલું જ નહિ પણ આજની વ્યથા વ્યાકુલ બનેલી જન'તાને તેના અસ્તિત્વની અણમેલી ઉપયોગીતાં છે. જે પ્રાણવાન છે,
આદેશપરાયણ છે તેને કદિ કેઈ ઇનકાર કરી શકેલ નથી, કરી શકે તેમ નથી. બાબુ રાજેન્દ્રપ્રસાદના ઉપરના સંદેશને જન સમાજ અન્તરમાં ઉતારે, સાચી અહિંસાને સાક્ષાત્કાર પોતે કરે અને જગતને કરાવે એ જ પ્રાર્થના !'