________________
*
તા. ૧-૧-૪૯
'
૪૧૨
---- બાપુજી તે આ વખતે ન હતા. પણ કેમ જાણે એટલે જ બધા ઠરાવો એમના આદશને લક્ષમાં રાખીને થયા હોય એમ થયું. અને એ ઠર ઉપરનું મુખ્ય મુખ્ય નેતાનું પ્રવચન તે પૂજ્ય બાપુજીના આદેશને સારો ચિતાર ખડું કરતું હતું. ' - પૂજ્ય વિનોબાજીએ પ્રદર્શન ખુલ્લું મૂકતાં મહાસભાવાદીઓને ચેતવ્યા હતા. પણ “જાહેર વર્તાવનાં ધારણ”વાળા ઠરાવ ઉપર સરદાર બેલ્યા ત્યારે તે એક કેએક મહાસભાવાદીઓના અંતરમાંથી સફાઈ કરતા હોય એમ લાગતું હતું. કોંગ્રેસ સેવાને ભૂલી સત્તા તરફ લપસી ગઈ છે તેનું સરદારને ભારે દુઃખ હતું. સરદારને હૈયે કોગ્રેસનું, દેશનું કેટલું હિત વસે છે એ ત્યારે જ જણાતું. અને પિતાની સંસ્થા પડતી હતી તેનું કેટલું ભયંકર દુઃખ હતું તે પણ જણાઈ આવતું. સરદાર કેમ જાણે પ્રાયશ્ચિત કરવાને આદેશ આપી આખી સંસ્થાને શુદ્ધ થવાનું ન કહેતા હોય એમ લાગતું.
મહાસભાના ઠરાવની વિગતેમાં તે હું નહિ પડું. પણ હું એટલું ચોકકસ કહું કે આ વખતે મહાસભાનું અધિવેશન એક પાવનકારી પર્વ હતું. અધિવેશનમાં એકઠા થયેલા સૌ કોઈને રાજ્ય કરનારી સંસ્થા તરીકેની જવાબદારીનું પૂરું ભાન હતું. અને તે સાથે સાથે પૂ. બાપુજીનાં આદર્શોને અમલી બનાવવાની તમન્ના દેખાતી હતી. સ્વરાજ્ય મળ્યા પછી સેવાને માગ ચૂકી બધા સત્તાની ખેચમેચમાં પડયા હતા. તેમને પૂજ્ય વિનોબાજીએ પ્રદર્શનના પ્રવચનથી ચેતવવા શરૂ કર્યા. એજ ચેતવણુ એજ પિતાની ખોજ જાતની શુદ્ધિ કરવાનું લક્ષમાં રાખી બધી કાર્યવાહી થઈ.
જે ઉચ્ચ આદર્શો નજર સામે રાખીને અને જે પવિત્ર વાતાવરણમાં અધિવેશને ઠરાવ કર્યા છે તે ઠરાનું પાલન થશે તે પ્રજાએ-હિંદ–બાપુનો સંદેશ બરાબર ઝીલે છે એમ કહેવાશે.
સરદારશ્રી ચર્ચાઓને જવાબ આપતાં એક વખત બેલેલા કે “પૂજ્ય ગાંધીજી સાથે રહી રહીને સાચું બોલતા તે શીખી ગયે છું પણ મારી વાણી કડવી રહી. હવે બીજો જન્મ એમની સાથે રહેવાનું મળે તે સાચું તે ખરૂં જ પણ કડવું ને લાગે એવી રીતે બોલતાં ય શીખી લઈશ.”
પંડિત જવાહરલાલજીના માત્ર હિંદ માટેની ભવિષ્યની નહિં પણ સારા જગતની ભવિષ્યની ચિંતા દેખાતી. તેઓ કોઈ પશુ પ્રશ્ન આખા વિશ્વને નજરમાં રાખ્યા સિવાય વિચારી શકતા જ નથી અને તેથી જ કદાચ આજ પૂજ્ય બાપુજી પછી સારા જગતમાં તેઓ જ પૂજાય છે. પૂજ્ય બાપુજીના સંદેશાન-આદર્શોને-જગતભરમાં કોઈપણ પ્રચાર કરતું હોય તે તે પંડિતજી જ છે. હિંદના મહાઅમાત્ય થયા પછી પણ એમની લાગણીઓ એટલી જ સતેજ છે જેટલી પહેલાં હતી. હજી પણ તેઓ કોઈ પણ અનિષ્ટ જોઈ, ક્યાંય પણ અવ્યવસ્થા જોઈ કે ગેરશિસ્ત જોઈ એટલા જ અકળાય છે જેટલા પહેલા અકળાતા. તેઓ આ ઉમ્મરે જે કામ કરે છે તે તે કોઈ પણ જુવાનને શરમાવે તેવું હોય છે. સાઠ વર્ષ વિતાવી ગયા છતાં હજી પણ તેઓ ગમે ત્યારે દેડવા મંડી પડે છે.
૧૮ મીની સવારની વાત છે. કંઈક કામ પ્રસંગે તેમને પૂજ્ય વિનોબાજીને મળવા જવું હતું. અને પછી પ્રદર્શન જોવું હતું. તેઓ ખુલી ઝીપ કારમાં પ્રદર્શન તરફ જતા હતા. મારી નજરે એમની ઝીપ કાર ચડી. મેં છોટાલાલને બતાવી. બસ છેટું તો દડો ઝીપ પાછળ. પ્રદર્શનનું દ્વાર નજીક જ આવ્યું હતું તેથી ડ્રાઈવરે ઝીપ સડક ઉપરથી રેતીમાં લેવા ધીમી પાડી હતી. એટલે છોટુ તે દેડીને પંડિતજીને પગે પડો. પંડિતજી ઝીપમાં જ બેઠા હતા. છોટુએ ઘુંટણ દખ્યા. પણ આથી પંડિછા તરત અકળાયા. એમને તરત જ થયું કે હવે લેકે મને ઘેરી વળશે. આ વિચાર આવતાં જ ઝીપમાંથી કૂદી પડયા અને રેતી
ખુંદતા ખુંદતા પ્રદર્શનમાં દાખલ થયા. અને પૂજ્ય વિનોબાજીને મળવા ગયા.
અહિં મને પૂજય કાકાસાહેબે કોક પ્રવચનમાં કહેલી એક વાત યાદ આવે છે. એમણે કહેલું કે “વખત એ આવશે કે રાજ્યની લગામ જેના હાથમાં હશે તેઓ ગામડાની ઝુંપડીએ આવશે. અને ત્યાં જે રચનાત્મક કામ કરતું હશે એને પૂછશે કે માર્ગ બતાવે. ! સ્વરાજ્ય તે મળ્યું, પણ જો તેને રામરાજ્ય કરવું હશે તે આપણે બધાએ રચનાત્મક કામનું મહત્વ વધુને વધુ સમજવું પડશે.”
આખા અધિવેશનમાં પંડિતજી અને સરદાર તરી આવતા . હતા. તેઓ એટલા બધા વિરાટકાય દેખાતા કે બીજા એમની . પાસે વામન શા દેખાતા. બધે વખત પ્રજા કેમ જાણે પંડિતજી યા સરદારને સાંભળવા માટે રાહ જોતી હોય એમ લાગતું. અને એમાંથી કોઈપણ બેલે પછી જ પ્રજાને સંતોષ થતે. .
પ્રમુખ સાહેબનું ખુલ્લા અધિવેશન વખતનું ભાષણ ખરચું લાબું હતું, પણ તેમાં પણ પ્રજાને બહુ રસ પડતો ન હતા. પિતે સ્ટેટ કેન્ફરન્સના પણ પ્રમુખ હતા એટલે બધા રાજ્યો હવે હિંદ સાથે જોડાઈ ગયા તેને એમને ભારે આનંદ હતો એને ખાસ નિર્દેશ એમના પ્રવચનમાં હતું. ઉપરાંત સરકાર અને કોંગ્રેસ હળીમળીને કામ કરે, કોંગ્રેસ સરકારની મુંઝવણ સમજે વગેરે માટે સચન હતું. અને બધાયે કરતાં વધુ તે એ કે હવે બાકી ની જિંદગી માત્ર કાગ્રેસના કામ પાછળ જ, પૂજ્ય બાપુજીના આદેશને પ્રચાર કરવા પાછળ જ ગાળવાને તેમણે દેશને કોલ આપ્યો હતો. સરકાર અને કેસ વચ્ચેનું અંતર કાપવાની આ વાત હતી.
બીજા નેતાઓમાં તે ગેવિંદ વલ્લભ પંત, મૌલાના અઝિાદ. શ્રી જગજીવનરામ તથા આચાર્ય કૃપલાનીનાં પ્રવચને પણ લોકોનું ભારે ધ્યાન ખેંચ્યું હતું. આ બધામાં આચાર્ય કૃપલાનીનું ગાંધી સ્મારક નિધિ અંગેનું ભાષણ હૃદયદ્રાવક હતું. સ્વરાજ આવ્યા પછી, અને પૂજ્ય બાપુજીના દેહવિલય પછી કેંગ્રેસ પિતાને માગું ચૂકતી હતી એનું વધારામાં વધારે દર્દ એમને હતું. સરકારનાં અનેક પગલાં સામે એમણે પુણ્યપ્રકોપ જાહેર કર્યો હતો. પૂ. બાપુજીને સ્મારક નિધિ વિષે બોલતાં બોલતાં તેઓ પોતે ગદ્ગદિત થયા, આંખ અશ્રુભીની થઈ અને શ્રોતાવર્ગની પણ આંખ ભીની કરાવી. એમની અપીલની બીજી તે જે અસર થવાની હશે તે થશે, ૫ બિહારના એક ખેડુતે તે ત્યાંને ત્યાં જ . પ્રતિજ્ઞા લીધી કે માત્ર ખેડુત ભાઈઓ પાસેથી જ હું એક લાખ રૂપિયા ભેગા કરીશ. ત્યાર પછી બીજા પણ કઈક ભાઈએ ત્રણ મહિનામાં જ ૫૦ હજાર એકઠા કરવાની વાત કરી હતી. આચાર્યું કૃપલાની એ બાપુના સાચા ભેખધારી છે.
આ બધું લખ્યા પછી એક વિચાર આવી જાા છે. પંડિતજી અને સરદાર તે આજ હિંદના ચમકતા તારા છે. પણ એમની પછી કોણ? બાપુએ તે ખુણે ખુણે લેકમાં ન પ્રાણ પૂર્યો. બાપુએ જ આ બધા નેતાઓને તૈયાર કર્યો. પણ સરદાર અને પંડિતજીએ કાઈને તૈયાર કર્યા. ગુજરાતમાં સરદારે વર્ષો સુધી કામ કર્યું, વર્ષો સુધી પ્રાતિક સમિતિના પ્રમુખ રહ્ય, અનેક કામો કર્યો અને દીપાવ્યાં પણ એમની પાછળ એમના પદને શોભાવે એ કોઈ તૈયાર ન કર્યો? અને હમણાં જ વિચાર આવે છે કે તૈયાર ન કર્યો એમ કહેવાય કે તૈયાર ન થયો એમ કહેવાય ?
આ અધિવેશન પૂરું થયા પછી ઘણા લોકો વિચારમાં પડી ગયા છે કે હવે આવા અધિવેશનની જરૂર ખરી ? હું પોતે તે. માનું છું કે હા જરૂર ખરી. કારણ આવા અધિવેશનથી પ્રજાને એકકે એક વર્ગ ખૂબ કેળવાય છે. હા હવેથી આપણે આવે ખર્ચા-લખલૂંટ ખર્ચ ન કરીએ; અધિવેશનો અત્યંત સાદાઈથી થાય, ગામડિયાઓને ખ્યાલમાં રાખીને જ થાય. ગામડું એ આપણી
(અનુસંધાન પૃષ્ઠ ૪૨૦ જુએ.)