________________
તા. ૧-૧-૪૯
પ્રબુદ્ધ જૈન
-બનાવી ગૃહ ઉદ્યોગ ઉપરાંત હરિજન પ્રવૃત્તિ, કસ્તુરબા સ્મારક પ્રવૃત્તિ, ગે સેવા સંધની પ્રવૃત્તિ, તથા નયી તાલીમી સંધની પ્રવૃત્તિ વિષે પણ પુષ્કળ બતાવવામાં આવ્યું હતું. પણ આ બધા વિષે વિગતે જાશુવાને મને વખત નહોતે મળે. નયી તાલીમી સંધ બધું શિક્ષણ ઉદ્યોગ મારફત આપે છે. એ સંધ દ્વારા શિક્ષણ પામેલાં નાનાં બાળકોને કામ કરતાં જોયાં. જે બાળકો આપણને ઘરમાં પજવતાં જણાય છે તે જ બાળકે આ નયી તાલીમને કારણે કંઈને કંઈ ઉત્પન્ન કરતાં દીઠાં. અને જે કંઈ કરતાં તે કેટલું સુઘડ અને વ્યવસ્થિત !
પ્રદર્શન જયપુરમાં થયું હતું, એટલે રાજસ્થાનના ઇતિહાસને દૃષ્ટિ સમક્ષ ખડું કરે એવી રાજસ્થાનની અનેક વસ્તુઓ એક વિભાગમાં સંગ્રહ કરી હતી.
પ્રદર્શનમાં નિસર્ગોપચારની પદ્ધતિ પણ બતાવી હતી. મુંબ- ઇથી શ્રી રઘુભાઈ શાસ્ત્રી અને અંગેના ઘણાં યત્રો ત્યાં લાવ્યા હતા. મને એ બધાં યંત્રો જોઈને એમ થયું કે રઘુભાઈ કુદરતી ઉપચારની ઠેકડી તો નથી કરતા ને? ઉરલી કાંચનથી એક ડોકટર ત્યાં આવ્યા હતા. દરરાજને ખોરાક કેમ તૈયાર કરે એ માટેની રીતે દરેક ઘરમાં દાખલ કરવા જેવી હતી. કોઈ પણ અનાજનું સહેજ પણું સત્વ ગુમાવ્યા વગર અવનવી વાનીઓ એક જ પાત્રમાં અને ઓછામાં ઓછા વખતમાં કેમ થાય એ વસ્તુ તેઓ ખાસ બતાવતા હતા. આપણે આપણે બરાક એવી રીતે તૈયાર કરીએ છીએ કે તેમાં આપણી બહેનને ખૂબ વખત જાય અને છતાં જે કંઈ ખાઈએ તેથી શરીરને પૂરતું પોષણ તે ન જ મળે. મળે માત્ર સ્વાદ, અને તે પણ કૃત્રિમ. કયાં બાફેલાં શાકભાજી તથા બીજા ખોરાકની મિઠાશ અને સ્વાદ અને કયાં મરીમસાલા તથા તેલથી ભરપુર શાકભાજીનાં મીઠાશ અને સ્વાદ !!
પ્રદર્શન જોવા જેવું જ નહિ પણ પૂર્ણ અભ્યાસ માગી લે તેવું હતું. પણ પ્રદર્શનમાં અને આખા ગાંધીનગરમાં જે રેતી હતી તેણે બધાંને ત્રાસ પોકરાવેલો. રેતી ખુંદી ખુંદીને માણસ થાકી જાય, અને પછી કશુંય કરવાના હોશકૈશ ન રહે. પાણીની તે જરાય ખેંચ ન હતી છતાં ગાંધીનગરમાં પાણી છાંટવાની વ્યવસ્થા જ કેમ ન કરાઈ એ સમજાતું નથી. રહી રહીને છેલ્લે દિવસે મોટરે દેડતી અને મુખ્ય રસ્તા ઉપર પાણી છાંટવુ શરૂ કરાવેલું.
આવાં પ્રદર્શન આમ બેચાર દિવસ માટે જ રહે એ બરાબર નથી. જે મહાસભા વખતે જ એ ભરવું હોય તે મહાસભાના અધિવેશન પહેલાં લગભગ મહિને યા ઓછામાં ઓછું એ પંદર દિવસ પહેલાં ખુલ્લું મૂકવું જોઈએ. એમાં જરાય શંકા નથી કે ગામડાંના વિકાસ માટે એમાંથી અનેક વસ્તુ એ શીખવાની તથા જાણવાની મળે.
કોંગ્રેસ અધિવેશન પ્રદર્શન વિષે મેં ઘણું લખી નાખ્યું. હવે અધિવેશન વિષે થોડું લખું. ગાંધીનગરમાં દાખલ થતાંની સાથે જ ત્યાં કશી જ વ્યવસ્થા નથી એમ દરેકને જણાઈ આવે એવી ગેરવ્યવસ્થા હતી. આજ સુધીના મહાસભાના ઈતિહાસમાં અધિવેશન પાછળ આટલે ભારે ખયે કદી જ નથી થયે. અને છતાં અહિં જેટલી અવ્યવસ્થા હતી એવી અવ્યવસ્થા ક્યાં ય ન હતી. એક આગેવાન ભાઈ તે ત્યાં જ બેલી ઉઠેલા કે અહીં ગોટાળા સિવાય કશું જ નથી. આમ શાથી થયું છે તે કોણ કહે? કદાચ નાને મોંઢે મેટી વાત ગણાય, પણ હું તે એમ કહ્યું કે સ્વયંસેવકથી માંડીને સ્વાગતમંત્રી સુધી કે આ બાબતમાં કેળવાયા ન હતા. કેમ જાણે બધું પિતાની મેળે થશે એમ માનીને બધા કાર્યકરો ચાલતા એવું દેખાતું.
ત્યાંની અવ્યવસ્થા વિષે પડિતજીએ પણ છેલ્લે દિવસે ખુલ્લા
અધિવેશનના મંચ ઉપરથી વાત કરેલી. અને મંત્રી હિરાલાલ શાસ્ત્રીએ પણ એ વિષે ખેદ વ્યકત કરેલ.
ગાંધીનગરનો એટલે બધા વિસ્તાર કરેલો કે કયાંય ભારે ગીદી ન લાગે. આ કારણે ત્યાં ગંદકી પણ પ્રમાણમાં ઓછી જણાતી. ગંદકી ઓછી જણાઈ એ એક ફાયદા સિવાય આમ અતિશય મોટો વિસ્તાર કરવાથી અને તેય આવા રેતાળ પ્રદેશમાં, અને ઠંડીના દિવસોમાં આ વિસ્તાર કરવાથી તે કોને થાક જ ચડતે અને કોઈ પણ માણસ ત્યાંના કાર્યક્રમમાં પૂરો ભાગ જ લઈ ન શકો. ચાલવાનું એટલું ભારે થઈ પડતું કે માણસ થાકી જ જાય-અને મજા તો એ કે વાહનોની કશી જ સગવડ ન મળે. આમ ત્યાંની ખામી બતાવી. તે સાથે વિશેષતા પણ બતાવવી જ જોઈએ ને?
ત્યાંની વ્યવસ્થામાં બત્તીની જરાય ખામી ન હતી, પાણીની જરાય તંગી નહોતી. અને બધા જ મંડપ પણ એટલા મોટા હતા, અને લાઉડસ્પીકરો એટલી સારી રીતે ગોઠવાયા હતા કે છેવટ સુધી એ વિષે કોઈને ફરિયાદ કરવાપણું હતું જ નહિ.
હિંદ સ્વતંત્ર થયું ત્યાર પછીની મહાસભાનું આ પ્રથમ અધિવેશન. કે. પટ્ટાભિ સીતારામૈયા એના પ્રમુખ હતા. એમના હરખનો પાર ન હતે. ઘણા વરસે મહાસભાના પ્રમુખ થયા હતા ને? પ્રમુખ તે તેઓ હતા પણ વિષયવિચારીણી સભામાં તેઓ સરદાર તથા પંડિતજી પાસે નાનેરા જ દેખાતા. કોંગ્રેસના જુના જગી પણ પંડિતજી તથા સરદાર પાસે જાણે એમના શિષ્ય જેવા લાગતા. અને પંડિતજી અને સરદારનું માન પણ ખૂબ સાચવતા. પંડિતજી તથા સરદાર તે એમની હુંફ હતા. આ અધિવેશનમાં કેટલાય ઠરાવે એવા આવ્યાં હતા કે જેના ઉપરની ચર્ચા કરતાં વાતાવરણ ગરમ થઈ જતું. સરદાર અને પંડિતજી નું હેત તે આ વાતાવરણ પ્રમુખ સાહેબ શાન્ત ન કરી શક્ત. એ ગરમ ચર્ચા થયા પછી સરદાર યા પંડિતજી જ જવાબ આપી વાતાવરણ શાન્તિ કરતા.
આ વખતની કોગ્રેસના એક એક દાવ અતિશય ગૌરવભર્યા અને મહત્વના હતા. ઠરાવને વિરોધ કરનાર કે ઠરાવ ઉપર કામની કે નકામી ચર્ચા કરનાર બીજો વિરોધપક્ષ-સમાજવાદી પક્ષ તથા સામ્યવાદી પક્ષ-આ મહાસભામાં ન હતે. છતાંય કેટલાક ઠરાવ ઉપર સુધાર મૂકતાં કેટલાક પ્રતિનિધિઓ અંગત આક્ષેપ ઉપર ઉતરી પડતા. પણ આવા બધાને પ્રમુખને બાજુએ રાખીને પણ સરદાર રેકતા. અને પછી જ્યારે જવાબ આપવા ઉભા થતા ત્યારે સમુદાયને પિતાની જવાબદારીનું ભાન કરાવતા.
પંડિતજી શું કે સરદાર શું---બને એ એક વાત સમુદાયના કાન પર ઠોકી ઠોકીને સમજાવી :-- “કોગ્રેસ એ બેજવાબદાર . વ્યક્તિઓની સંસ્થા નથી. અને તેમાંય હવે જ્યારે આપણા
હાયમાં રાજની લગામ આવી છે, ત્યારે તે અહીંથી એક પણ શબ્દ જવાબદારી સમજ્યા વગર બોલાય જ નહીં. અહીં આપણે બધા ભેગા થયા છીએ તે આપણી સરકારને આદેશ આપવા તથા ભવિષ્યમાં મહાસભાએ કેમ વર્તવું તેને નિર્ણય કરવા. આપણી સરકાર શાં શાં પગલાં ભરે છે તે તરફ આખી દુનિયા મીટ માંડીને બેઠી છે. તે એ સરકારને પણ આદેશ આપવા જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે આ પ્લેટફોર્મ ઉપરથી એક પણ નકામે શબદ, એક પણ બેજવાબદાર શબદ ન બેલી શકાય.
આમ ઘણી વાર વિચાર થાય છે પૂ. બાપુજી ગયા એમની સાથે શું એમના આદર્શો પણ ગયા ? આ સરકાર એમાંનું કશું ખ્યાલમાં નહિ રાખે? એમને તે જોઇએ છે શસ્ત્રીકરણ અને . મંત્રીકરણ. પૂજ્ય બાપુજીને આમાંથી કશું નહોતું જોઇતું.
પણુ મહાસભાના અધિવેશનમાં એક એક ઠરાવ એ મૂકાયે જેમાં પૂ. બાપુજીને સાચી રીતે અનુસરવાની વાત હોય. પૂજય