SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ a. ૧૫-૨-૯ આપણે અત્યાર સુધી રાષ્ટ્રવાદ જ અપનાવ્યું છે. આપણે પારસીએની જેમ જુદે મતાધિકાર માગેલ નથી. આપણે આપણે રાષ્ટ્રવાદ ચાલુ રાખીએ અને જ્યાં ગેરસમજ ઉભી થતી હોય ત્યાં જરા પણુ આવેશમાં આવ્યા વિના સરકાર પાસે વ્યાજબી દલીલે વડે આપણી સ્થિતિ સ્પષ્ટ કરીએ. આ માર્ગે આપણે ચાલીએ તેમાં જ જેનેની મહત્તા અને ઉન્નતિ છે. અલગતાવાદ નથી તેમ અમુક કાયદાઓ જેને લાગુ ન પાડવા એમ કહેવાને પણ ઉદ્દેશ નથી, પણ કાળાન્તરે જન ધર્મ કે જૈનનું નામનિશાન ભૂંસાઈ ન જાય એટલું જ જોવાને ઉદ્દેશ છે. હિંદુ ધર્મમાં રહેલી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાનિઓ દુર થાય તેની સાથે જનમાં રહેલી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિએ દુર થાય તેની સાથે જેને સહમત છે, પરંતુ જયાં ધર્મચક વ્યાખ્યા કરવામાં આવે ત્યાં જન ધમને સ્વતંત્ર અને ૨૫ષ્ટ ઉલ્લેખ થવો જોઇએ એ જનની માંગણી છે. હિન્દુ ધર્મ એટલે વૈદિક ધર્મ એ સર્વસામાન્ય માન્યતા છે. આર્ય સંસ્કૃતિમાં હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની સંસ્કૃતિને સમાવેશ થઈ જાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં અન્ય કોઈને સમાવેશ થતો નથી. આટલી સ્પષ્ટતા પછી સૌ કોઈને લાગશે કે ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ અને સ્વતંત્ર અને અલગ ધર્મો છે. ' જ્ઞાતિ વિદારક બીલ અંગે આટલી ચર્ચા પછી જેનેએ કેટલીક મહત્વની બાબતે સમજવાની જરૂર રહે છે. કોઈ પણ બીલ ક્રાન્તિકારી હોય કે આપણું રૂઢ થયેલા વિચારોને અનુકુળ ન હોય એટલે આવેશમાં આવી જઈ ગમે તે દલીલ કરવી એ જેને માટે વ્યાજબી નથી. દાખલા તરીકે હરિજન મંદિર પ્રવેશ ધારે આબે અથવા દેવદ્રવ્ય સંબંધી ચર્ચા ઉપસ્થિત થઈ ત્યારે જૈને એ રજુઆત કરી કે પ્રસ્તુત ધારા જેનેને લાગુ પાડવા ન જોઈએ. આ દલીલ વ્યાજબી નથી અને આવી દલીલ કરીને જૈને કે પણ ધારામાંથી છટકી શકે એ શક્ય નથી. જૈનાએ એ ભૂલવું ન જોઇએ કે સામાજિક, આર્થિક અને કાયદાની દૃષ્ટિએ જેને હિન્દુઓથી અલગ ન જ પડી શકે; એ દૃષ્ટિએ તે જેને હિન્દુ સમાજનું એક અને અવિભાજ્ય અંગ છે. દાખલા તરીકે સરકાર હિન્દુઓને લાગુ પડે અગર હિન્દુઓને લાભ મળે તેવી કોઈ સંસ્થા સ્થાપે અગર સખાવત કરે તે તેને લાભ શું જેને નથી લેવાના ? હું માનું છું કે જેને તેને ચેકસ લાભ ઉઠાવશે. અત્યારે જે હિન્દુ ધર્મશાળાઓ છે અગર તે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ છે તેને લાભ જેને નથી ઉઠાવતા ? ઉઠાવી જ રહેલ છે; તે પછી જેને હિન્દુએથી અલગ છે એમ કેમ કહેવાય ? આવી સંસ્થાઓને જેનો લાભ ઉઠાવે છે, એટલું જ નહી પરંતુ જેને પણ સાર્વજનિક સંસ્થાઓ ઉભી કરે છે અથવા સાવં. જનિક સંસ્થાઓને મદદ કરે છે અને એમ જ હોવું જોઈએ. એટલે જ જનોએ પોતાનું સ્થાન સ્પષ્ટ કરવું જરૂરી છે.. જ્યાં ધમની વ્યાખ્યા આવે અગર ધાંસૂચક બાબત હોય ત્યાં હિન્દુ ધર્મ અને જૈન ધર્મ તદ્દન જુદા અને સ્વતંત્ર છે, પરંતુ સામાજિક બાબતોમાં જૈને હિન્દુઓથી અલગ નથી. આપણે સરકારને આટલું જ કહેવાનું રહે છે. દાખલા તરીકે લગ્નની પ્રથામાં ફેરફાર કરનાર કે પુત્રીઓને વારસાહક આપનાર કાયદે ઘડાય છે તે હિન્દુઓને લાગુ પડે તેમ જનોને પણ લાગુ પડે તે સામે જનોને વાંધો ન હોઈ શકે. દરેક સામાજીક કાયદો કાઈ સમાજને લાગુ કરો કે નહિ તે તેના ગુણદોષ ઉપર આધાર છે. ધમ સાથે તેને કોઈ સંબંધ નથી. હિન્દુઓને લાગુ પાડવાના કાયદા વિષે પણ કેટલાક હિન્દુઓને વિરોધ રહે છે તેમ તેજ કાયદાઓ જૈનેને લાગુ પડે ત્યારે પણ કેટલાંકનો વિરોધ રહેશે, પરંતુ તેથી અમે જેન છીએ અને જૈન ધર્મ હિન્દુ ધર્મથી સ્વતંત્ર છે માટે અમુક કાયદો જૈનેને લાગુ ન પાડી શકાય એ દલીદ વજુદ વિનાની છે. આશા છે કે આટલી વિગતવાર સ્પષ્ટતા પછી જૈન ખરી વસ્તુ સમજશે અને કોઈ પણ વસ્તુ આપણા રૂઢ વિચારોને ન રૂચતી હોય તેટલા માટે જૈને અલગવાદ ઉભે નહી કરે, એટલું જ નહી પરંતુ અલગવાદના વિચારને અનુમોદન પણ નહી આપે. - ( એ જ પ્રસંગે એ સભા શરૂ થવા પહેલાં પં. મુનિશ્રી પુનમચંદજી અને મુનિશ્રી ડુંગરશી સ્વામીએ પણ આજ પ્રશ્ન ઉપર કેટલુંક વિવેચન કર્યું હતું તેમાંને ઉપયોગી ભાગ “જૈન પ્રકાશ ” માંથા' ઉધૂત કરીને નીચે આપવામાં આવે છે અને હવે પછી પણ આ વિષયને સ્પર્શતા લેખે તેમ જ ચર્ચાપત્રો પ્રબુદ્ધ જૈનમાં . પ્રગટ કરવામાં આવશે. . તંત્રી) બીલમાં હિન્દુ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં ઈસાઈ, પારસી, યહુદી, મુસલમાન અને શીખ સિવાય હિન્દુ ધર્મમાં જન્મેલા અને હિન્દુ ધર્મ પાળનારા બધા હિન્દુઓને સમાવેશ કરવામાં આવેલ છે; આ મુજબ જનોને પણ હિન્દુ ધર્મમાં સમાવેશ કરવામાં આવેલ છે તે યોગ્ય નથી; જૈન ધમ એ હિન્દુ ધર્મનું અંગ નથી, પરંતુ તદ્દન સ્વતંત્ર અને પૂરાણ ધર્મ છે, તે ઘણી રીતે પુરવાર થઈ શકે તેમ છે. સૌથી પ્રથમ્ હિન્દુ ધર્મમાં છ દશને બતાવવામાં આવ્યા છે; તેમાં જૈન અને બૌદ્ધ દરશનને સમાવેશ થતો નથી; એ જ બતાવે છે કે જૈન અને બૌદ્ધ ધર્મો હિન્દુ ધર્મથી સંસ્કૃતિ, પરંપરા અને પ્રણાલિકાની દૃષ્ટિએ તદન સ્વતંત્ર ધર્મ છે. વર્તમાને હિન્દુ શબ્દ જે અર્થમાં પ્રચલિત છે તેને અર્થ વૈદિક ધ થાય છે. એટલે એ અર્થ મુજબ હિન્દુ ધર્મમાં જૈન ધર્મના સમાવેશ ન થઈ શકે, હિન્દુ શબ્દનો અર્થ આર્ય સંસ્કૃતિ થતું હોય તે તે આર્ય સંસ્કૃતિમાં જેને સમાવેશ થાય; આર્ય સંસ્કૃતિ એ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના ત્રિવેણી સંગમથી બનેલી સંસ્કૃતિ છે; એટલે ઉપરોક્ત બીલમાં હિન્દુ શબ્દને બદલે આયે, શબ્દ વાપરવામાં આવ્યું હોત તે જૈનને તેમાં સમાવેશ થઈ શકત. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મો આત્મા-પરમાત્માના સ્વરૂપ સંબંધમાં મુખ્યત્વે જુદા પડે છે. પરમાત્માને કર્તા તરીકે હિન્દુ ધમ માને છે, જ્યારે જૈન અને બૌદ્ધ ધર્મ તેમ માનતા નથી. જૈન ધર્મ ભગવાન ઋષભદેવના સમયથી અસ્તિત્વ ધરાવે છે અને .. એ રીતે જૈન ધર્મ પુરાણો ધર્મ છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ બ્રાહ્મણ કે વૈદિક સંસ્કૃતિ નામે ઓળખાય છે, જ્યારે જન અને બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ શ્રમણ સંરકૃતિ નામે ઓળખાય છે. આમ અનેક રીતે જૈન ધર્મ એ હિન્દુ ધર્મથી તદ્દન સ્વતંત્ર અને પુરાણું ધમ' તરીકે પુરવાર થઈ શકે તેમ છે. જૈન શબ્દ જ્ઞાતિ વાચક શબ્દ પણ નથી; જેમાં વાણિયા, બ્રાહ્મણ, રજપુત, વગેરે અનેક જ્ઞાતિના અનુયાયીઓ છે. જૈન ધર્મમાં થઈ ગયેલ માધવ મુનિ એ બ્રાહ્મણ, હતા અને તેમણે જૈન ધર્મની વૃદ્ધિ અથે' સારી જહેમત ઉઠાવી હતી; જાય કે મન પણ જૈન સાધુ થાય છે. જૈન ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર અને હરિજન સુદ્ધાં થઈ ગયા છે. આ રીતે જૈનશબ્દ એ જ્ઞાતિવાચક - શબ્દ નથી. જૈન શબ્દમાં જ્ઞાતિભેદ કે સંકુચિતતાને સ્થાન પણ નથી. પરંતુ તેના અનુયાયીઓએ જૈન ધર્મને સંકુચિત બનાવી દીધે છે. જન ધર્મનાં પાળનારાઓએ પરરપર ધમના ધરણે વ્યવહાર રાખે નહી અને વ્યાવહારિક બાબત માં જ્ઞાતિના અને ઉચનીચના ભેદભાવ ચાલુ રાખ્યો; તેના પરિણામે જૈન ધર્મ સંકુચિત બની ગયે છે. પરંતુ અત્યારે સમય આવી ગયું છે કે જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને આપણી ટકાવી રાખવી હશે તે જ્ઞાતિભેદની દિવાલો આપણે જમીનદોસ્ત કરવી પડશે અને પરસ્પરના મતભેદ ભૂલી જઇને સંગઠ્ઠીત બનવું પડશે. સંગઠ્ઠીત બનીને જ જૈન સમાજ ઉપરાઉપરી આવતા આક્રમણનો સામનો કરી શકશે.
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy