________________
૪૪૨
પ્રભુષ જેન
તા. ૧૫-૨-૪૯
એમજ છે. ગાંધી સિધ્ધાન્તના વાતાવરણમાં, એની અસર તળે, બાકીના બધા સિધ્ધાન્ત એવા તે મુલાયમ થઈ જાય છે કે તે કોઇને ખેંચી કે કઠી શકતા નથી.
એક વાર યરવડા જેલમાં ગાંધીજી સાથે હું એકલે જ હતે. એવી તકનો લાભ લઈ હું ગાંધીજીને અનેક તાત્વિક સવાલ પુછત અને કાલ્પનિક પરિસ્થિતિઓ રજૂ કરી, એને ઉકેલ એમની પાસેથી માંગતો. એક દિવસે એમણે કંઈક અકળાઇને કહ્યું કે “દરેક પરિસ્થિતિને ઉકેલ મારી ઢબે જ થવા જોઈએ એમ કયાં છે ? સત્ય અને અહિંસાને સાક્ષાત્કાર તને મારી પાસેથી ભલે થયો હોય, પણ જે ક્ષણે તે એને સ્વીકાર કર્યો, તે ક્ષણે એ વસ્તુ તારી થઈ. હવે તારી મેળે દરેક પરિસ્થિતિને ઉકેલ તું શોધી શકે છે. મારા અભિપ્રાય સાથે એને મેળ બેસ જોઈએ એવું કે નથી. તારા અનુભવ દ્વારા અહિંસા જે વખતે જે સ્વરૂપ પકડે તે જ તારે માટે સાચું છે. અહિંસા અનેક રીતે પ્રગટી શકે છે. એટલા માટે દર વખતે મારો ચૂકાદો માંગવાની ટેવ ખોટી છે.”
એમને કહ્યું “આપ કહે છે તે હું જાણું છું. મને તે માન્ય છે. દરવખતે અપના જ ચુકાદા પ્રમાણે હું ચાલી શકતે પણ નથી. હું પ્રશ્ન પૂછું છું તે અહિંસાનું સ્વરૂપ વધારે સારી રીતે સમજી લેવા માટે. દાખલા તરીકે કળાની વ્યાખ્યા સાંભળીને કોઈ માણસ કળાત્મક વૃત્તિ કેળવી શકતા નથી, પણ કેઇ શ્રેષ્ઠ કલાકેવિદ પાસેથી અનેક વસ્તુઓની સુંદરતા ચર્ચાને જ ધીરે ધીરે એ કલારસિકતા કેળવી શકે છે અને અસંખ્ય દાખલાઓ દ્વારાજ એ કલાનું હાર્દ પકડી શકે છે. એવી જ રીતે આપની આગળ અનેક પ્રસંગો રજૂ કરી આપની અહિંસાવૃત્તિ કઈ રીતે કામ કરે છે એ જાણવા હું માનું છું. મારી આગળ પ્રત્યક્ષ સવાલ આવશે ત્યારે તે મને સૂઝે તેવી જ રીતે હું ચાલવાનો. દર વખતે આપને પૂછવા આવી શકવાના નથી. અને આપને સુઝે તેના કરતાં મને જુદું પણ સુઝી શકે અને કદાચ તે જ મને વધારે સંતોષ આપી શકે.”
તેથી હું કહું છું કે ગાંધીમતને ઉગમ ભલે ગાંધીજી પાસેથી થયે હેય પણ ગાંધીજી એ કાંઈ ગાંધીમતની અંતિમ મર્યાદા નથી. Gandhiji is not the last word on Gandhism, ગાંધીજીના અભિપ્રાય, એમની પ્રવૃત્તિઓ અને એમના નિર્ણય આપણા માટે પ્રેરણાદાયી જરૂર છે, પણ એ બધાં બંધન તરીકે ન જ ગણાય.
ગાંધીજી જન્મ અને સંસ્કારે હિંદુ હતા. ખ્રિસ્તી, મુસલમાન વગેરે જાતજાતના લોકોના સંપર્કમાં આવી એ માટે સર્વધર્મસમભાવનો સિદ્ધાન્ત તારવી કાઢયો અને બધા ધર્મોને આદરપૂર્વક સ્વીકાર કર્યો. અને તેથી ખ્રિસ્તીઓ કહે છે કે “ગાંધીજીને અમે ખ્રિરતી ગણીએ છીએ.” જનો અને બૌધ્ધા કહે છે કે “એ જ. સાચા જૈન અને બૌદ્ધ છે.” ખિલાફતના દિવસોમાં મુસલમાન કહેતા કે “ગાંધીજી જ સાચા મુસલમાન છે.'
અને છતાં ગાંધીમતને રંગ અને એની પરિભાષા એમણે હિંદુ ધર્મમાંથી જ લીધી છે એની ના ન પડાય. પણ એટલા પરથી ગાંધી સિદ્ધાન્ત એ કાંઈ હિંદુ ધર્મની સુધારેલી અને વિધા. રેલી આવૃત્તિ નથી. એક વાર ગાંધીજીએ મને પૂછયું કે “આશ્રમમાં ઘણા મુસલમાને હેત તે પ્રાર્થનાનું સ્વરૂપ કેવું છે તે ?” મેં કહ્યું કે “ આપણે ગીતા સાથે કુરાનને પણ પ્રાર્થનામાં સ્થાન આપત.” ગાંધીજીએ કહ્યું “ એમ નથી. આપણે ગીતાને ઠેકાણે કુરાન ચલાવ્યું હેત. આપણે મન બધા જ ધર્મગ્રંથો સરખા. અત્યારે આશ્રમમાં હિંદુઓ વધારે છે એટલે આપણે મુખ્યત્વે ગીતા વાંચીએ છીએ, પણ આશ્રમ કાંઇ હિંદુ ધર્મને આશ્રમ નથી. એ
તે, ગમે તે ધર્મને લઈને ચાલી શકે. સત્ય, અહિંસા આદિ વ્રત - એ જ મુખ્ય વસ્તુ છે, ગમે તે ધર્મમાં એ ભેળવી શકાય.
ગાંધીમતના પાયામાં મુખ્ય વસ્તુ છે. આત્માની પ્રધાનતા. માણસનું જીવન એ આજે શરીર અને આત્માને કફેડે સંસાર છે. આમાં શરીરમાં રહીને, શરીર વાટે પિતાનો સાક્ષાત્કાર કરવા માગે છે અને શરીર આત્માને કારણે ટકતું હોવા છતાં આત્માને ઇનકાર કરી એને નીચે ખેંચવા માગે છે. આવી સ્થિતિમાં શરીરધર્મ અને આત્માને ધર્મ એ બન્ને વચ્ચે વિરોધ ઓળખી આત્માને પ્રધાનપદ આપવું અને શરીરને સાધના દ્વારા કાબૂમાં આણી એને આત્માને વશવર્તી બનાવવું એજ ગાંધીજીની સાધનાનું મુખ્ય સ્વરૂપ છે. અને એ સાધના કેવળ વ્યકિત પૂરતી કે વ્યકિતના મોક્ષ માટે નહીં પણ વ્યકિત સાથે સમષ્ટિ એટલે કે સમાજ માટે પણ કલ્પેલી છે. શરીર આત્માને બંધનમાં નાખનારું પાંજરું પણ છે અને એ આત્માને પિતાની સાધના સાધવા માટેનું સાધન પણ છે. શરીરને જો પિતાની ઢબે જવા દઈએ તે એ ઈન્દ્રિય તૃપ્તિ તરફ દેડવાનું અને અંતે વિનાશ હારી લેવાનું. વાસનાનુપ્તિના મૃગજળ સાથે સ્વાર્થ, હિંસા, અસત્ય, કપટ, સંકુચિતતા અને ચિરંતન અસતિષ આવવાના જ. આ ડેષ વધી પડવાથી જ માણસ માણુસનો દ્રોલ કરે છે, બીજાની સ્વતંત્રતા છીનવી સામ્રાજ્ય ચલાવે છે, પોતે એદી બની બીજાની મહેનતને ગેરલાભ લે છે અને અણુસમજુ પછાત કે ભોળી પ્રજાને નિચવે છે.
હવે દબાયેલા લેકે હંમેશને માટે દબાયેલા રહી શકવાના જ નથી. તેઓ જ્યારે જાગૃત થાય છે ત્યારે જૂના અન્યાયે યાદ કરીને વિફરે છે અને પછી આજના ગુલામે આવતી કાલે જાલી બની જાય છે. આ ચાંડાળચક્ર એક વાર ચાલતું થયું એટલે માણસ જાતને વિનાશ કર્યા વગર ભવાનું નથી. બુદ્ધ ભગવાને જે કહ્યું હતું કે વેરથી વેર શમતા નથી, અવેરથી જ શમે છે, તેને ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝગડામાં કેમ કરે એ તે ગાંધીજીએ જ બતાવ્યું. વેર સામે થવા જઈએ તો પિતે ઝેર કેળવી હિંસા કરવી જોઈએ અને અવેર કેળવીએ તે સામા થવાનું છોડી દઈ અન્યાય સહન કરવા જેટલા ઢબ્બે થવું જોઇએ. યેશુ ખ્રિસ્તે કહ્યું ન હતું કે “જે કોઈ તારું પરણુ છીનવી લે તે એને ડગલો આપજે-જે કઈ તને ખેંચીને એક ગાઉ ઘસડીને લઈ જાય તે એની સાથે રાજીખુશીથી બે ગાઉ * જજે-કઈ જમણું ગાલ પર તમાચે મારે તે ડાબે ગાલ પણ એની આગળ ધરજે. ?
પણુ આટલાથી જીવનના સવાલને ઉકેલ નથી આવતું.' વેર પણ ન સેવાય અને અન્યાય પણ સહન ન કરાય એ રસ્તા ગાંધીજીએ શોધી કાઢો. ગાંધીજીએ કહ્યું કે “જે તને કોઈ જમણા ગાલ પર તમાચે મારે તે એની આગળ ડાબે ગાલ પણ ધરજે.', અને ઉમેર્યું કે બન્ને ગાલ પર તમાચા મળ્યા છતાં પિતાની સાચી વાત છોડીશ નહીં. શરીરને ભલે ખમવું પડે પણ આમાનું અપમાન સહન ન કરાય. સામે માણસ શરીરને પીડીને દબાવવા માંગે છે. આપણે એને બતાવીએ કે પીડવાની એની શક્તિ કરતાં આપણી ખમવાની શક્તિ આપણે વધારવા તૈયાર છીએ. પરિણામે આપણું જીત થાય છે અને સામા માણસની , નહીં પણ એની દુષ્ટતાની હાર થાય છે. અને આપણે એનું કશું માઠું ન કરેલું હોવાથી એની સાથે દસ્તી બાંધતાં કશી જ અગવડ આવતી નથી. આમ વૈમનસ્ય અને વિનાશને બદલે બને ચઢે છે.
આ થઈ ગાંધીવાદની લડાયક બાજુ.
બીજી બાજુ રચનાત્મક છે. એમાં દરેક સમાજે પિતાની ન્યાયનિછા વધારવા માટે જરૂરી એવું વાતાવરણ ઉભું કરવાનું રહે છે, સમાજમાં ઘર કરીને બેઠેલા દે દુર કરવા, અન્યાય કરવાની પ્રવૃત્તિ ધોઈ કાઢવી, આળસ, એકાંગિતા અને સંકુચિતપણું દૂર કરવું, કૌશલ્ય, સ્વાશ્રય અને પરસ્પર સેવા અને સહકાર વધારવા–એ હેતુ રચનાત્મક કાર્યક્રમ પાછળ રહેલું હોય છે. રચનાત્મક કાર્યક્રમ