________________
તા. ૧૫-૨-૪૯
પ્રબુદ્ધ જૈન
४४३
આ
વસ્તુ જવી
જ નથી થતો. આ
એટલે સામાજિક, સદ્ગણો વધારવાની પ્રવૃત્તિ, રાષ્ટ્રનિર્માણની યોજના, , અથવા સંજીવની વિદ્યા, એ વાટે જ સત્યયુગની સ્થાપના થઇ શકે સત્યયુગમાં વ્યક્તિને અધિકાર વધારતાં પહેલાં અને, વ્યકિતસ્વાતંત્રયનું રક્ષણ કરતાં પહેલાં વ્યક્તિની શુદ્ધિ કરવાની હોય છે. વ્યક્તિશુદ્ધિને અને વ્યક્તિ સ્વાતંત્રયને આધારે સમાજહિત અને સમાજની સમૃદ્ધિ સાધવાની હોય છે. ..
આજકાલ અસમાનતા સામે જ્યાં ત્યાં જેહાદ પિકારવામાં આવે છે. અસમાનતા બુરી વસ્તુ છે. એની જડમાં અન્યાય હેય છે. એ વસ્તુ જવી જ જોઈએ. પણ એના બદલામાં સમાનતા સ્થાપીને ગાંધીવાદને સંતોષ નથી થતું. અસમાનતા જે સંઘર્ષની અથવા યુદ્ધની ભૂમિ ગણાય તે સમાનતા બજારૂ સંબંધવાળી ભૂમિકા છે? અને આપણને જોઈએ છે કૌટુંબિક ભૂમિવાળી એકતા, જ્યાં અસમાનતા કે નહીં અને સમાનતા માટે રોજ ઉઠીને ઝગડે હાય નહીં.
* માણસ મજશેખને, સંપત્તિ અને અધિકારને લાભમેહ છોડી દે ત્યારે જ એ સ્વતંત્ર થઈ શકે છે. ખરી સ્વતંત્રતા આમાની છે. એને ઠેકાણે શરાબ પીવાની સ્વતંત્રતા, બીજાને નાચવવાની સ્વતંત્રતા, નીચવીને મેળવેલું ધન પોતાનું કરીને રાખવાની સ્વતંત્રતા, બીજાને ભૂખે મારી પતે પોતાની જાતને નુકસાન થાય ત્યાં સુધી ભોગ ભગવ• વાની સ્વતંત્રતા મેળવવા પાછળ આજની દુનિયા દોડે છે. અને એવી સ્વતંત્રતા તેડી નાખવા માટે સમાજવાદ અને સામ્યવાદ ગમે તેવા હિંસાનાં સાધનો વાપરવાની ભલામણ કરે છે. આ આખા ચાંડાળચક્રમાંથી-vicious circleમાંથી-માનવજાતિને ઉગારવા માટે રસ્તે ગાંધીજી બતાવે છે કે,
જેમ ભૂખ કરતાં વધારે ન ખવાય તે જરૂરી કરતા વધારે ધન ભેગવાય નહીં-સંધરાય નહીં-એ નિયમ સમાજે પાળ જોઈએ. આને જ તેઓ અસ્તેય અને અપરિગ્રહ કહે છે, આ બેમાં સમાજવાદ અને સામાન્યવાદના આદર્શો સમાઈ જાય છે.
જાહેર, જીવનની શુદ્ધતા કાયમ કહે અને એ ભાંગી ન પડે એટલા માટે એમણે સત્યને આગ્રહ રાજકીય ક્ષેત્રમાં પણ દાખલ કર્યો. માણસમાસ વચ્ચેની બંધુતા કાયમ રહે એટલા માટે વ્યક્તિ- ગત તેમ જ સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય ક્ષેત્રમાં તેમણે કડકપણે અહિંસા નું વ્યાકરણ ચલાવ્યું. | સ્વરોજ મળયું ન હતું ત્યાં સુધી તેમણે સત્ય અને અહિંસા
એ બે ઉપર જ ભાર મૂક, સ્વરાજ મળ્યા પછી આર્થિક જીવનમાં દાખલ થયેલે સડે દૂર કરવા માટે એમણે અપરિગ્રહને એટલે કે જરૂરી કરતાં વધુ ધન પિતાનું ન બનાવવા તરફ સમાજને વાળવાનો પ્રયત્ન કર્યો. આને જ તેઓ “ટ્રીશિપને સિદ્ધાન્ત કહેતા. ધની માણસ ધનને પિતાનું ન ગણે, ધન ભગવાનનું એટલે કે સમાજનું હાઈ કમાનાર માણસ પોતાને એનો વહીવટદાર અથવા " ટ્રસ્ટી મણે એટલે એનું જીવન અર્થશુચિ થવાનું.
પોતાની જરૂરીયાતો માણસ હદ કરતાં વધારી દે છે તે ભાઈ ભાંડુની ચોરી કરી કહેવાય. એટલે એ સામાજિક ગુને તે છે તે ઉપરાન્ત ભોગવિલાસ અને એશઆરામ વધારવાથી માણસ પિતાની શારીરિક, બૌદ્ધિક, હાર્દિક અને આત્મિક શક્તિ ખેઇ બેસે છે, બધી રીતે ક્ષીણ થાય છે. બેગ ભેગવવાની એની શક્તિ પણ નબળી પડે છે. ધન મેળવવાની અને સમાજ સેવા કરવાની યોગ્યતા પણ નષ્ટ થાય છે આ થયો માણસને પિતા પ્રત્યેને ગુને.
" પિતા પ્રત્યે ગુને ન કરવું હોય તે માણસે દરેક વસ્તુમાં સંયમ પાળવું જોઈએ. એ સંયમ માટે ઋષિમુનિઓએ એક સુંદર નામ આપ્યું છે બ્રહ્મચર્ય'. આ શબ્દની નિરોગિતા, સુંદરતા અને ભવ્યતા લકે. ખેઇ બેઠા છે અને એને બહુ સાંકડો અર્થ કરે છે.
ઉપર બતાવેલા બધા સદ્દગુણ ત્યારે જ કેળવાય જ્યારે માણસ શ્રમશાઠય કરવાનું છોડી દે. શ્રમશાઠય એટલે કામચેરી જેને ગામ-
ડાના લોકો હાડકાની હરામી કહે છે. તમામ પાપનું મૂળ એ જ છે, અને નબળાઈનું પણ એ જ મૂળ છે. એ દેય જાય તે ભાણસ સહેજે નિર્ભય થઇ જાકે, અને એને એને સ્વાભાવિક ધર્મ સહેજે સુઝે.
માણસ જે છે તે ને તે જ રહેવા માંગે તે એના એક સવાલો ઉકેલ આવે નહીં. સમાજરચના માણસ ગમે તેમ ફેરવે, સંપત્તિની વહેંચણી આદ" રીતે કરે, સારા સારા કાયદાઓ બનાવે અને ધર્મોપદેશકોનીમે, તમે જ્યાં સુધી માણસે પિતાને સ્વભાવ ફેરવ્યો નથી અને ઉચ્ચ જીવન પસંદ કર્યું નથી ત્યાં સુધી માણસ દુઃખી ને દુઃખી જ રહેવાનો છે. જૂના સંતાએ સમાજને ટાળી દઈ એકાંતસેવન કરવાના રસ્તે અખત્યાર કર્યો. જીવનની વિષમતાથી અકળાઈ તેઓ જીવનવિમુખ થયાં. અને એકાંતમાં એકાંતની-શૂન્યતાની–ઉપાસના કરવા લાગ્યા. ગાંધીજીએ જોયું કે આ રસ્તા ખેટો છે એટલું જ નહીં, પણ એની પાછળ સ્વાર્થ અને નાસ્તિકતા છે. આપણા ભાઈએ, આપણા સાથીઓ અને પડોશીઓ એ પણ આપણે જ છીએ, એમના દે તે આપણું દે છે. એમને ઉદ્ધાર થયા વગર આપણે ઉદ્ધાર અશકય છે. આપણી સાધનામાં તમામ માણસજાતને ભેળવ્યા વગર ટુ નથી. એ એમણે જોયું અને પિતાની સાધના ચલાવી. “મારો ધર્મ તે મારે છે જ પણ મારા પાડોશીઓ જે પાળે છે તે ધમ પણ મારે જ છે. એને પણું મારે સ્વીકાર કરે જોઇએ.” આ જાતની જીવનથાપી વિશ્વાત્મજ્ય બુદ્ધિના આધારે ગાંધીજીએ પિતાની સાધના કેળવી અને તેજ એમણે દુનિયા આગળ રજૂ કરી, એને અમુક વાદ ન જ કહી શકાય. ગાંધીજીએ સંપૂર્ણ જીવનને સ્વીકાર કર્યો અને એ વિશ્વજીવન ના ઉદ્ધારની સાર્વભૌમ સાધનો ખીલવી. એને વાદ' ન કહેતાં ગાંધી સાધના કહો અથવા સંજીવની સાધના કહો. આની આગળ બધા વાદે એકાંગી, ફીકા અને અદૂરદૃષ્ટિ દેખાય છે. આ ગાંધી સાધના આખી દુનિધાએ કાંઈ નહીં તે હજારો વર્ષ સાધવાની રહેશે. તેમ થાય તો જ માનવજાત આગળ વિનાશ ટળશે.
કાકા કાલેલકર “ના, ના, એ દીવો ઓલવા નથી !
એ અવાજ સંભળાતે બંધ થયો નથી !?? ગાંધીજીની પુણ્ય સંવત્સરિની સાંજે હિંદતા મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરૂએ ઍલ ઇન્ડીઆ રેડીઓ ઉપરથી જે પ્રવચન કરેલું તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. એ પ્રવચન ટુકું છતાં અત્યન્ત અર્થગંભીર છે, ગાંધીજીના વિયેગથી વ્યથિત વ્યાકુલ આત્માની એ ભવ્ય ઉદ્દઘોષણા છે, તેમાં ગાંધીજીએ દેશ સમક્ષ રજુ કરેલા આદર્શનું પુનઃ પ્રતિપાદન અને સમર્થન છે. ગાંધીજી વિષે જવાહરલાલને બોલતા સાંભળવા એ જીવનની ઘન્યતા અનુભવવા બરોબર છે.
પરમાનંદ, “એક વર્ષ પહેલાં તમને સંબંધીને મેં જણાવ્યું હતું કે આપણા જીવનને આજ સુધી અજવાળી રહેલે દી એકાએક ઓલવાઈ ગયો છે અને આપણી આસપાસ અંધકાર ફરી વળ્યું છે. ત્યાર બાદ માથે આવી પડેલી જવાબદારીઓને બે વહન કરતાં કરતાં આપણે એક વર્ષ પુરૂ કર્યું છે અને આજે એ કમનસીબ વર્ષને અને એજ: સમયે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયેલ છું અને જણાવું છું કે ના, ના, એ દી એલવા નથી કારણ કે પહેલાં એને જેટલું પ્રકાશ હતા તે કરતાં પણ વધારે પ્રમાણમાં આજે એને પ્રકાશ આપણે અનુભવી રહ્યા છીએ અને આપણું પરમ પિતાને એને એ અવાજ—એનો એ સંદેશ-આજે આપણે સાંભળી રહ્યા છીએ. અને એમ છતાં પણ ઘણી વાર રાગદેષ અને પૂર્વગ્રહોથી જકડાયેલા આપણામાંના અનેક આ પ્રકાર સામે આંખ બંધ કરે છે અને એ સંદેશ ને સંભળાય એ રીતે પિતાના કાન આડા હાથ મૂકે છે. આજે આપણે આપણી આંખ,