SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સાથે છેલ્લી ૧૯૦૯ ની સાલમાં અમારા અધેરીને જંગલે પહેલાં આવ્યા. આજે ચાલીસ વર્ષોને એ જુના, ગાઢ, મીઠા સંબંધ સદા માટે તૂટી ગયા ! પ્રભુગ જેન અંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષય તરીકે લઈને ખી. એ. પાસ થયા પછી છેલ્લી એમ. એ. થયા જેમાં પણ અંગ્રેજી સાહિત્ય એમના વિષય હતો, એમને લખવાના શેખ કૉલેજનાં દિવસથી હતે. કાલેજ છેાડયા પછી “ટાઇમ્સ એફ ઈંડિયા''માં હિન્દુ અને મુસ્લીમ તહેવારો વિશે એમણે ત્રણ ચાર સુન્દર લેખા લખ્યા હતા. તેવામાં સર ક્રિઝશાર્ડ મહેતાએ એમ્બે ક્રનિકલ’ સ્થાપ્યું એમાં મ્હારા પિતાની ભલામણુથી એ જોડાયા. ૧૯૧૬માં એમાં એ જોડાયા ત્યારથી ૧૯૪૯ની ૯ મી જાન્યુઆરીની સાંજ સુધી એમાં એમણે કામ કર્યું. ૩૩ વર્ષ સુધી એક પત્રની આવી સેવા ભાગ્યે જ કેએ કરી હશે અને આપણા દેશમાં તે કદાચ એવે એક જ દાખલેા હશે. ,, એ દિવસેામાં “ ક્રોનિકલ ” ના તંત્રી હાનિ મેન હતા અને ઉપતંત્રી સૈયદ હુસેન ( હાલ જીપ્તમાં આપણાં દેશના એલચી છે, તે ) હતા. એક વાર હૅનિ'મેન અને “ ક્રોનિકલ ’’ના ડીરેકટરે ને મતભેદ પડયા ત્યારે આખા સ્ટાફે રાજીનામું આપ્યું. એમાં ગ્રૅલ્લી પણ હતા. ત્યારપછી સમાધાન થયું અને હેાનિમેન, બ્રેલ્લી વગેરે પાછા ક્રેનિકલ ’’માં આવ્યા. ૧૯૧૮ ની સાલમાં હાનિ મેનને હિન્દુસ્તાનમાંથી દેશનિકાલ કર્યાં ત્યારે છેલ્લી ક્રોનિકલ ” ના કામચલાઉ તંત્રી થયા. પરંતુ ૧૯૨૧-૨૨ માં માડયુક પિકથાલ નામના એક અંગ્રેજને તંત્રી તરીકે ક્રોનિકલ ' ના માલિકો કેલ્વીની ઉપર લઇ આવ્યા. આ પિકથાલે ઇસ્લામ ધમ' સ્વીકાર્યાં હતા અને ટર્કી, ખીલાફત વગેરે પક્ષો વિશે લખે એવા તત્રી માટે “ ક્રોનિકલ ” ના કાર્યકર્તાના આગ્રડ હતા. ધણા મિત્રાએ તે વખતે બ્રેવીને રાજીનામું આપવાની સલાહ આપી, પરંતુ છેલ્લીને “ ક્રોનિકલ '' પ્રત્યે એવી નિષ્ઠા હતી કે એમણે પિચ્લના હાથ નીચે કામ કર્યુ. ૧૯૨૫-૨૬ માં હનિમેન પાછા હિંદ આવ્યા ત્યારે પણ છેલ્લી તંત્રી હતા છતાં ડેનિમેનને એમનુ જાનું તંત્રીપદ સુપ્રત કર્યું. આ પ્રકારની વફાદારી અને નમ્રતા ભાગ્યે જ તેવામાં આવે છે. પર`તુ એકાદ વલ'માં જ હેનિમેતે કરી દૈનિકલ” છેડયું અને છેલ્લી ક્રોનિકલ”ના તંત્રી થયા. અત્યાર સુધી એ સ્થાન એમણે દીપાવ્યુ, તા. ૧-૨-૪૯ ૧૯૩૫ જાન્યુારીમાં કલકત્તામાં એમને હૃદયના દરદને પહેલે આધાત થયા. સુભાગ્યે એમાંથી એ બચી ગયા, પરંતુ ખીજે હુમલો ૧૯૪૬ના સપ્ટેમ્બરમાં થયે અને ત્રીજી વખત એ ટકી ન શકયા. છેલ્લી પ્રથમથી જ રાષ્ટ્રવાદી હતા અને ૧૯૨૦-૨૧ ના આંદોલન પછી ગાંધીજી પ્રત્યે આકર્ષાયા હતા. તેઝ્મા મહાસભાના સભ્ય હતા અને ૧૯૩૦ ની તેમ જ ૧૯૩૨ ની લડતમાં કેદમાં ગયા હતા. એકવાર મહાસમાની કારોબારી સમિતિના તેઓ સભ્ય પણ હતા અને ૧૯૩૦-૩૧ માં જ્યારે મહાસભાના પ્રમુખે એક પછી એક કારાચદ્રમાં જતા હતા ત્યારે મહાસભાના પ્રમુખ ( Emergency President) તરીકે પણ એમની વરણી થઇ હતી. પર'તુ એ સ્થાનખર એ આવે તે પહેલાં મહાસભા અને સરકાર વચ્ચે સમવ્રુતી થઇ અને મહાસભાનું સંચાલન બંધ રહ્યું. જતા છેલ્લી સ્વભાવે શરમાળ અને વિનીત હતા. એમને બહાર પડવાની, જાહેર જીવનમાં આગળ વધવાની ધગશ નહોતી. એ મુગી સેવા કરવામાં માનતા, આથી “ક્રોનિકલ' જેવા પત્રના તંત્રી હાવા છતાં ઋણાં વર્ષો સુધી એ પત્રકારના મંડળમાં આગળ પડતા ભાગ લેતા નહાના તેમ જ જાહેરસભાઓમાં પણ ખાસ નહોતા. પરંતુ અખિલ ભારતના પત્રકારોના મંડળના એમને ૧૯૪૪ માં પ્રમુખ કર્યાં ત્યારથી એની પ્રવૃત્તિમાં તે પુષ્કળ રસ લેતા થયા અને એની સમિતિના કાય માં ખુબ પરાવાયેલા રહેતા. હિન્દુસ્થાનના ચારે ખુણે એની સભા માટે જતા, દૈનિક પત્રના તંત્રી તરીકે વર્ષો સુધી રાતપાળી કર્યાંની, કારગ્રહવાસની, તેમ જ પત્રકારના મંડળના પ્રમુખના ખેાજાની એમના શરીર પર અસર થઇ અને પત્રકારામાં જજૂદા જૂદા અભિપ્રાયા તેમજ પરસ્પર સ્પર્ધા અને દ્વેષ છતાં છેલ્લી પ્રત્યે સૌની પ્રીતિ હતી અને સૌને એમના પર વિશ્વાસ હતા. યુધ્ધના સમયમાં તેમ જ ૧૯૪૨ ની ચળવળ વખતે સરકાર અને પત્રકારે વચ્ચે તીવ્ર મતભેદ પડતા અને ધણું થતું, પરંતુ બ્રેલ્બી વાર'વાર એ બન્ને વચ્ચે સમાધાન કરાવતા. પત્રકારનું સ્વાતંત્ર્ય જાળવવા સાથે અરાજકતા ન થાય, ઝેરી કામીવાદન વધે, સત્યના પ્રચાર ન થાય એની એ ચીવટ રાખતા, અમના સતત્ પ્રયાસને લીધે હિન્દના પત્રા પરના અંકુશ હળવા થયેા હતેા. પત્રકારોની સ્વતંત્રતા માટે એ હુંમેશ મથતા તે લડતા. તે ઉપરાંત છાપાઓમાં જે કામ કરે છે. એવા સબ-એડિટર, રિપેટ, કેમ્પોઝીટર, પ્રુફ્રીડરા વગેરેની સ્થિતિ સુધારવા માટે પણ એ તીવ્ર લાગણી ધરાવતા હતા અને એમના મ`ડળના પ્રમુખ હતા, એ વાર ન્યુસપેપરના તંત્રીઓના મંડળના પ્રમુખ તરીકે એમની ચુટણી થઈ હતી એ વૃત્તવિદ્યાને ધંધો કે નેકરીની દૃષ્ટિથી નહાતા જોતા; દેશની સેવાનુ એ એક ક્ષેત્ર છે અને રાષ્ટ્રના પુનરૂદ્ધારનું શસ્ત્ર છે એમ માનતા. સેવાવૃત્તિથી જ એ કામ કરતા. પત્રકારના કાર્યમાં અનેક પ્રોાભના હોય છે. ધનવાના અને મુડીદારો છાપાઓનો કબજો લઇ પોતાના સ્વાથ પૂરતા એના ઉપયેગ કરવા ઇચ્છે છે; કામીવાદ કે પક્ષાપક્ષીને લીધે તે છાપાંઓને દુરૂપયેગ થાય છે; છાપાં તે છાપાંવાળા તે વેચાતાં લેવાય, એમાં પૈસા આપીને ક્રાવે એ લખાવાય એમ ઘણાખરા માને છે, તે ક્ષેત્રમાં ગ્રેવીએ પેતાનુ નામ દપ વ્યુ. એમણે કાવાર એક કામ કે પક્ષને માટે અયેગ્ય પગલું ભર્યુ” નહેતુ, પેાતાના સિધ્ધાન્તા પાળવામાં કદી ડગ્યા નહાતા પરિણામે જેએ એમના મત સાથે સંમત નહાતા એ સૌ પણ એમને માટે સન્માન ધરાવતા અને એમની સલાહ પૂછતા અને સહાય લેતા. છેલ્વીની રાષ્ટ્રસેવા અનેકવિધ હતી. એમાં મુસ્લીમ રાષ્ટ્રવાદી પક્ષ (Muslim Nationalist Party) સ્થાપવામાં અને એને સાળ કરવામાં એમને હાથ હતા. ૧૯૧૫ માં જ્યારે મહાસભા અને મુસ્લીમ લીગ વચ્ચે સમજુતી અને સડકાર હેવા જોઇએ એમ મિ, જીન્હા માનતા ત્યારે છેલ્લી એમની પાખે હતા. પરંતુ જ્યારથી ‘લીગે’ ઝેરી કામીવાદ ફેલાવ્યે ત્યારથી છેલ્લી લીગ''ના વિરોધી થયા. છતાં ૧૯૪૨ અને ૧૯૪૪માં મહાસભા અને “લીગ” વચ્ચે સમાધાન કરવાના રાજાજીના પ્રયાસ તરફ મની સહાનુભૂતિ હતી. પાકીસ્તાનની માંગણીના પક્ષમાં એ ન હતા, પરંતુ જ્યારે પાકીસ્તાન કર્યાં વગર હિન્દની સ્વતંત્રતા અશકય હતી એવું રાષ્ટ્રનેતાઓને જાયુ' ત્યારે શ્રેવીએ પણ પાકીસ્તાનની યોજના સ્વીકારી, શ્રેલ્બીમાં નૈતિક દૃઢતા એવી હતી કે એમનુ' અપમાન થતુ, એમની પર એમની કામના લાકા ચુકતા, છતાં એ રાષ્ટ્રવાદી મુસલમાનેને મત આપવા જતા અને એની સભાએમાં હાજરી આપતા અને એમનું અપમન કરનારા સામે હસતા, એક બે વાર તે એ સખ્ત માર ખાતાં ખસી ગયા હતા. ૧૯૪૪ થી જે ઝેરી વાતાવરણ આપણા દેશમાં ફેલાયુ. એથી બ્રેસ્સીને અસહ્ય દુઃખ થતું હતુ, પરંતુ એકવાર પણ એ ન્યાય ને પ્રેમના પંથમાંથી ડગ્યા નડેાતા. હિન્દુમુસ્લીમનું બૈર વધી ગયું હતું અને હત્યાકાંડ શરૂ હતા એ વખતે એ રાષ્ટ્રવાદી તરીકે કે માનવા તરીકે એમનુ કર્બી ચૂકયા નહેા. આ દૃષ્ટિએ એ ગાંધીજીના સાચા અનુયાયી હતા. ગાંધીજીતે પશુ એમના પ્રત્યે પક્ષપાત હતા. ગરીમા પ્રત્યે એમને અન્તરની લાગણી હતી. એમાં ભણા કરવા પૂરતી આછકલી સહાનુભૂતિ નહાતી કે આડમ્બર ને મેરાઇ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy