SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૪૯ પ્રબુદ્ધ જૈન ૪૩૫ ; નહતાં. પિતાની આગળ પૈસા નહોતા છતાં ગરીબેને પુષ્કળ સહાય કરતા, એટલું જ નહિ પણ એમના હાથ નીચેના માણસે સાથે તેમ જ એમના નેકરે સાથેની એમની વર્તણુંકમાં પણ સમાનતાની એમની આ ભાવના જણાઈ આવતી હતી. એમનું સૌજન્ય કેવળ અંગ્રેજીમાં જેને “ good manners” (સારી રીતભાત) કહે છે એ પ્રકારનું નહોતું, એમના અન્તરની નમ્રતા અને નિખા- લસપણાનું એ પ્રતિબિમ્બ હતું. બાળકો પ્રત્યે એમને અથાગ પ્રેમ હતા અને બાળકે ને પુષ્કળ રમાડતા. બાળકોને પણ એમના પ્રત્યે ખુબ આકર્ષણ હતું. બ્રેલ્વીએ મેટી ઉમ્મરે-૪ર વર્ષે–લગ્ન કર્યા હતાં, ત્યાં સુધી પણ બીજાઓનાં નાનાં બાળકોમાં એટલે જ રસ લેતા અને એમની સાથે આનન્દ કરતા. ઘણા હિન્દુઓ કહેતા હતા કે એ “હિન્દુ જેવા મુસલમાન” છે; મુસલમાન માનતા કે હિન્દુઓના પરિચય અને સમાગમથી એ ધમબ્રણ જેવા થઈ ગયા છે. આમાં અંશમાત્ર સત્ય નહોતું. અલબત્ત, લડકણા, અસહિષ્ણુ, ધમધ મુસલમાનનું જે ચિત્ર ઘણાંખરા હિન્દુઓના મનમાં હોય છે એવા એ નહતા. પરંતુ એ ઇસ્લામ ધર્મના અભ્યાસી હતા અને ધર્મનાં જે શ્રેષ્ઠ તો છે એ એમણે ગ્રહણ કર્યા હતાં અને જીવનમાં આચરતા હતા. એ બુદ્ધિવાદી હતા એટલે કર્મકાંડમાં માનતા નહિ. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી એમનામાં ઊડે ઊંડે આસ્તિક્તા, ભક્તિભાવ જન્મ્યાં હતાં. - એમની સાદાઈ, પ્રેમાળ સ્વભાવ, નિરભિમાનતા, પરગજુવૃત્તિ એવાં હતાં કે સૌ કોઈ એમના પ્રત્યે આકર્ષાતા. સૌ કોઇને પોતાના નેહથી તેઓ ભીંજી નાંખતા. એમનું નિત્ય હસતું વદન ફરી જોવા નહિ મળે એ વિચારથી અકથ્ય દુખ થાય છે. પરંતુ મૃત્યુ આગળ આપણે સૌ માનવીઓ સરખા લાચાર છીએ. એ તે જીવન ધન્ય કરીને ગયા છે અને એમના મિત્રો અને સ્નેહીઓના હૃદયમાં અમર થઈ ગયા છે. ૨૬-૧–. ગગનવિહારી મહેતા, સૈન્યમતિ શ્રી દશરથલાલ જોશી શ્રી દશરથલાલ જોશી જેઓ વિલે પારલેમાં વર્ષોથી વસતા હતા તેમના તા. ૨૫-૧-૪૮ મંગળવારના રોજ ૧૮ વર્ષની ઉમ્મરે નીપજેલ અવસાનથી આપણું ગુજરાતી સમાજે એક અમૂલ્ય માનવરને ગુમાવ્યું છે. વિલે પારલેના તેઓ વતની હતા એટલું જ નહિ પણ વિલે પારલેની ગુજરાતી પ્રજાને જ્ઞાનસંસ્કાર આપવામાં તેમણે બહુ મેટો ફાળો આપ્યું હતું. તેમને ત્યાં વર્ષોથી જ્ઞાનની પરબ મંડાઇ હતી જ્યાંથી અનેક જિજ્ઞાસુ લોકો પિતાની જ્ઞાનતૃષા છીપાવતા હતા. તેઓ પિતાનું મકાન જે “લીબર્ટી લેજના નામથી સુવિખ્યાત છે તેમાંના અમુક વિભાગમાં સાર્વજનિક પુસ્તકાલય તથા વાંચનાલય ચલાવતા હતા અને પિતાની ઉત્તરત્તર ઘસાતી જતી આર્થિક સ્થિતિમાં પણ તેઓ લગભગ રૂા. ૩૦૦ જેટલા માસિક ખર્ચ નીભાવતા હતા. પુસ્તકે પાછળ તેઓ પાગલ હતા. તેમના હાથમાં પૈસા આવે તે પુસ્તક પાછળ ખરચાઈ જ જોય. પિતાના પુસ્તકાલયને સતત સમૃદ્ધ કરતા રહેવું—એ જ જાણે તેમના જીવનનો મુખ્ય વ્યવસાય હતે. જે પુસ્તકને અન્યત્ર પત્તો ન લાગે તે દશરથ લાલભાઇની લાયબ્રેરીમાં ઘણુંખરૂં મળે જ. અભ્યાસકોને, સંશેશોધકે ને, વિદ્વાનને, પુરુતકે પુરું પાડવાં-આ તેમનું ચાલુ સેવાકાય' રહેતું. આપેલાં પુસ્તકો પાછા આવ્યાં–ને આવ્યાં તેને તેઓ બહુ ઉચાટ રાખતા હતા. આ ઉપરાંત તેઓ પિતે પણ સતત અભ્યાસી હતા. તેમના સમયને મોટો ભાગ વાંચન, ચર્ચા અને પુસ્તકાલય તથા વાંચનાલયની વ્યવસ્થા પાછળ જતે. તેમનું ધર વિલેપારલેને એક ચોર હતે. અહિં અનેક વિદ્વાને, સમાજ સેવક, પ્રચારક તેમ જ કાર્યકર્તાઓ એકઠા થતા અને પિતતાના જ્ઞાન તથા અનુભવની આપલે કરતા. એવો કોઈ વિષય ન રોય કે જેમાં દશરથભાઈને રસ ન હોય. તેમનું ઘર સૌ કોઈના માટે ખુલ્લું રહેતું. જે કઈ જાય તેને હાર્દિક આવકાર મળે એટલું જ નહિ પણ ચાનો કપ પામ્યા વિના તે ભાગ્યે જ પાછો ફરે. તેમનું સૌજન્ય, હાર્દિકતા, મીલનસારપણું અને સમાજના શ્રેષની તીવ્ર ઝખના અાજે અન્યત્ર એટલા પ્રમાણમાં ભાગ્યે જ અનુભવવા મળે તેમ છે. તેઓ સામાન્યતઃ અત્યંત લાગણીપ્રધાન હતા. દેશમાં બનતી અવનવી ઘટનાઓ તેમના ચિત્તતંત્રને સદાય કંપાયમાન રાખતી. રાષ્ટ્ર રાષ્ટ્રની સંકુચિત ભાવના જ આજના વિશ્વવ્યાપી સર્વ અનર્થોનું મૂળ છે એમ વારંવાર તેઓ પોકારી ઉડતા. જે જન ધમે હિન્દુ ધર્મને અહિં. સાના પરમ સિદ્ધાન્તની બક્ષીસ આપી છે તેવા મહાન ધર્મના અનુયાયીઓને મંદિરમાં હસ્તિના તાડયમનોડપિ કેઈએ જવું નહિ-આવું શાસન પિકારનાર બ્રાહ્મણો પ્રત્યે તેમનું કોમળ હૃદય રેષ અનુભવતું અને આનું પ્રાયશ્ચિત હું પોતે બ્રાહ્મણ હોઈને મારે પિતે જ કરવું જોઈએ એમ સમજીને પયુંષણની દરેક સંવરિએ તેઓ ઉપવાસ કરતા. આવા સૌજન્યના સાગરસમાં દશરથભાઈનાં પત્ની લલિતાબહેનને દશરથભાઈને જાણતું કોઈ ન જાણે એમ બને જ નહિ, મળવા આવનાર સૌ કોઇનું આતિથ્ય કરવાની જવાબદારી લલિતાબહેનના માથે રહેતી. ફકીરવૃત્તિના અને વૃદ્ધાવસ્થાના આક્રમણથી અને દમની ઉપાધિથી જ જરિત બની રહેલા દશરથભાઈના જીવનનું શ્રી લલિતાબહેન અનન્ય અવલંબન હતાં. ગમે તેટલું ભાર, અગવડ, ઘસારે લલિતાબહેન હસતા મોઢે ખમી લેતા. બ્રોહાણ છતાં ખડતલપણામાં તેઓ ક્ષત્રિયાણી જેવા લાગે. દશરથભાઇના દિલમાં પણ લલિતાબહેન માટે અત્યન્ત આદર અને એક પ્રકારને ભકિતભાવ હતો. દશરથભાઇને આપણી વચ્ચેથી ઉપાડી લઈને વિધિએ આવું એક સુમેળભર્યું" યુગલ ખંડિત કર્યું છે. વીલે પારલે જેવું એક નાનું સરખું પરૂ અને દશરથભાઈ જેવી એક સામાન્ય કટિની વર્ષોથી નિવૃત્ત જીવન ગાળતી વ્યકિત-વિશાળ દુનિયામાં વીલે પારલેન અને તેમાં વસતી આવી એક નાનીશી વ્યકિતના શે હિસાબ હોય? પણ એ પિતાની નાની સરખી દુનિયામાં પણ પિતાના સુચરિત, સેવાપરાયણતા તથા જ્ઞાનપ્રસારની-વાંચન પ્રચારની–અખંડ પ્રવૃત્તિ વડે તેઓ કેટલી ઘેરી સુવાસ મુકી ગયા છે એ આપણે જોઇએ છીએ ત્યારે દશરથભાઈ એક ધન્ય જીવન જીવી ગયા છે એમ આપણને લાગ્યા વિના રહેતું નથી. જીવનની સફળતાને આધાર આપણી પિતાની પ્રવૃત્તિ કેટલા મોટા માનવવર્તુળને સ્પર્શી શકી છે તેના ઉપર નથી રહેલો પણ એ પ્રવૃત્તિની ભાત ઉપર-તેમાંથી પ્રગટ થતી શ્રેયનિષ્ઠા ઉપર-રહેલ છે. આ રીતે જ દશરથભાઈના જીવનની સાર્થકતા ગ્રહણ કરવી ઘટે છે. તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ મળે એ જ પ્રાર્થાના ! પરમાનંદ સમાજ અહિહકાર પ્રતિબંધક ધારો - મુંબઈ સરકાર તરફથી મુંબઈની ધારાસભામાં રજુ કરવામાં આવેલ સમાજ બહિષ્કાર પ્રતિબંધક ધારા સંબંધે થી મુંબઈ જેન યુવક સંધ તરફથી નીચે મુજબનું નિવેદન મુંબઈ સરકાર ઉપર મોકલી આપવામાં આવ્યું છે : “ આ ધારાના ગર્ભમાં રહેલ સિધ્ધાન્તને અમે સંમત કરીએ છીએ પણું તેમાંની વિગતો પર અને નીચેના મુદ્દાઓ રજુ કરવા રજા લઈએ છીએ. એ ધારાની કલમ ૨ અમાં કમ (Community) એટલે એકાસ ધમને કે ધાર્બિક માન્યતાને અનુસરત વગે" એ મુજબ કેમનું લક્ષણ બાંધવામાં આવ્યું છે. આમ હોવાથી તેને એ પણ અર્થ થાય કે અમુક ધર્મ કે ધાર્મિક માન્યતા સ્વીકારનાર સભ્યોનું બનેલ કાઈ મંડળ કે સંસ્થા કોઈ પણ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy