________________
૯૨
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૧૦-૦૯
કમિશનરને આદેશ આપતે નિયમ આ ધારામાં દાખલ કરવા અમે સરકારને આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ. આમ કરવાથી, સરકાર તરફથી ટ્રસ્ટ પર આ ધારા વડે બહુ કડક નિયમન કરવામાં આવશે એવી જાહેર જનતામાં ઉભી થયેલી ભીતિનું ઘણે અંશે નિવારણ થશે. આ ધારાનું બહુ વિગતથી નિરીક્ષણ કરવાને અમારે હેતુ નથી, પણ ઉપર જણાવેલ અભિપ્રાય અનુસાર આ ધારામાં ફેરફાર કરવા સિલેકટ કમીટીને અમે આગ્રહ કરીએ છીએ. આના અનુસંધાનમાં અમને નેધ લેતાં આનંદ થાય છે કે સરકારે ડુલકર કમિમિટીની કેટલીક ઉગે ભલામણોનો સ્વીકાર કર્યો નથી અને એ કમિટીમાં કેટલાક સભ્યોએ આખી કમિટીના અભિપ્રાયથી જુદા પડીને જે નોંધ કરી હતી તેમાં રહેલી કેટલીક ભલામણોને પૂરતું વજન આપ્યું છે,
અમે આ ધારાની એક બે કલમે તમ્ફ ખાસ ધ્યાન ખેંચવા માગીએ છીએ. આ ધારાની ૩૩મી કલમ નિયમબહારના ગેરકાયદેસર અથવા તે અયોગ્ય ખચ સંબંધમાં, જાહેર ટ્રસ્ટને જેના પર હકક લાગતો હોય એવી મિલકત કે નાણું પાછું મેળવવામાં ગફલતી કરી હોય કે નિષ્ફળતા મેળવી હોય તે સંબંધમાં, અથવા તે ટ્રસ્ટની મિલકત કે નાણાને દુર્વ્યય થયો હોય કે તેમાં નુકશાની આવી હોય તે સંબંધમાં-આવી કોઈ પણ બાબત સંબંધમાં ખબર આપવાની, અને ટ્રસ્ટીઓની અથવા તે કોઈ પણ વ્યકિતની ગેરવર્તણુક, તેની હસ્તકનાં નાણુને દુરપયોગ અથવા તે વિશ્વાસભંગના કારણે ઉપર જણાવેલ અગ્ય ખર્ચ દુર્વ્યય કે નુકશાની નિપજ છે કે કેમ તે જણાવવાની ઓડીટરને ફરજ પાડે છે. આ નિયમ એડીટરને માથે ઘણી મોટી જવાબદારી નાખે છે અને તેની ચેષતા અથવા તે કાર્યક્ષેત્રની બહાર હોય તેની સત્તાએ તેને આપે છે. ટ્રસ્ટને નિયમની વિરૂધ્ધ કોઈ પણ ટ્રસ્ટીએ ખર્ચ કર્યો હોય અથવા તે જેમાંથી ટ્રસ્ટને નુકશાન થયું હોય એવા ટ્રસ્ટીઓના કે:ઈ કાય કે ગફલતીને લગતી બાબત જ એડીટરના કાર્યક્ષેત્રમાં ગણાવી જોઈએ. અને આવો ખચ કે નુકશાની. ટ્રસ્ટીઓને વિશ્વાસઘાત કે કોઇ ગેરવર્તણુંકના કારણે થઈ છે કે કેમ એ નકકી કરવાનું કામ ચેરીટી કમિશનરનું કહેવું જોઇએ. ખર્ચ સાથે નિયમબહારના, ગેરકાયદેસર અથવા તે અયોગ્ય (irregular, illegal or improper) આ પ્રકારના વિશેષણો જોડવામાં અાવ્યા છે તેમાં અમર્યાદિત અસ્પષ્ટતા રહેલી છે. એડીટરના રીપોર્ટ ઉપરથી તપાસ કરીને ટ્રસ્ટીઓને ઉપર જણાવેલ નુકશાની કે ખર્ચ ભરપાઈ કરવાની ૩૭ થી ૪૦ સુધીની કલમ ચેરીટી કમિશનરને સત્તા આપે છે. આવી રીતે નુકશાની કે અયોગ્ય ખર્ચ ભરપાઈ કરવાનો હુકમ કરવાની ચેરીટીકમિશનરને સત્તા આપવામાં આવે તેની અમે સખ્ત વિરૂદ્ધ છીએ. આ કક્ષાએ અમને જણાવવાની જરૂર લાગે છે કે કોઈ પણ સંગોમાં ચેરીટીકમીશનરને ન્યાયાધીશની સત્તા આપવામાં આવે તેમાં અમારી સંમતિ નથી. અમારા અભિપ્રાય મુજબ ચેરીટી કમીશનર ટ્રસ્ટના સામાન્ય વહીવટની દેખરેખ રાખવા માટે નિમાચેલે કેવળ એક વહીવટી અધિકારી (executive and administrative officer) હોવા જોઈએ અને ટ્રસ્ટ ડીડ મુજબ અમુક ટ્રસ્ટને વહીવટ બરાબર ચાલે છે એ સંબધે પિતાને પુરતું સમાધાન મળે એ હેતુથી કોઈ પણ માહીતી મેળવવાને તેને અધિકાર હોવા જોઈએ. જ્યારે કોઈ પણ રટન અમુક રીતે દ્રોહ થઈ રહ્યો છે અથવા તો તેના વહીવટમાં અક્ષમ્ય બેદરકારી કે ગફલતી દાખવવામાં આવી છે એમ તેને માલુમ પડે ત્યારે તેણે એગ્ય પગલાં લેવા માટે કોટ'ને આશ્રય લેવો જોઈએ. .
કલમની પેટા કલમો અને ખાસ કરીને પેટા કલમ ૧ નીચેની પેટાકલમ ‘સી’ બહુ વ્યાપક બાબતોને સ્પર્શે છે.
આ પેટાકલમ ‘સી’ મુજબ જે હેતુ માટે અમુક ટ્રસ્ટ ઉભુ કરવામાં આવ્યું હોય તે હેતુના બદલે બીજા હેતુ માટે અથવા તે તે હેતુ ઉપરાંત બીજા હેતુ માટે જાહેર હિતને અનુલક્ષીને એ દ્રસ્ટની આવક કે મીલકત વપરાવો જોઈએ એવી ભલામણું કરવાની જ ચેરીટીકમીશનરને સત્તા આપવામાં આવે તે તેના પરિણામે જાહેર સખાવતેના વહેતા પ્રવાહને ઘણો ધકકે લાગવા સંભવ છે. ઉપર જણાવેલ કલમની પેટા કલમ ૧ ની પેટા કલમ “એ” અને “બી” ને અમે સંમત થઈએ છીએ અને પેટા કલમ સી’ રદ કરવામાં આવે એમ અમે ઈચ્છીએ છીએ. આ જ કલમમાં એક એવી પેટા કલમ ઉમેરવાની અમે સુચના કરીએ છીએ કે આ કલમ અનુસાર ચુકાદો આપતા સરકારી અદાલતોએ દાતાઓ અથવા તે સખાવત કરનારાઓની ઇચ્છાઓને બને ત્યાં સુધી માન આપવાનું વલણ અખત્યાર કરવું જોઈએ અને જ્યારે પણ મૂળ હેતુઓમાં ફેરફાર કરવાની જરૂર લાગે ત્યારે મૂળ હેતુઓની બને તેટલા સમીપના હેતુઓ સુધી ટ્રસ્ટની મીલકત તેમ જ આવકને ઉપગ સીમિત કરવાનો ખ્યાલ રાખવો જોઈએ. આજના ન્યાયવહીવટને લગતી વસ્તુસ્થિતિ પ્રકારની છે અને દાતાઓ કે સખાત્રત કરનારાઓની ઈછાઓની અવગણના કરવાને સરકારને ઇરાદે છે એવી વ્યક્તિ જાહેર જનતાના દિલ માં ઉભી થવા ન પામે એ દયાનમાં રાખવું સર કાર માટે ડહાપણભરેલું છે. એ પણ કોઈ અજાણ્યું નથી કે “સીપ્રે’ને સિદ્ધાન્ત લાગુ પડતાં મૂળ હેતુથી જેટલું દૂર જઈ શકાય તેટલે સુધી જવાનું આજની અદાલતેનું વળણું જોવામાં આવે છે અને કોઈ કઈ વાર મૂળ હેતુથી તદ્દન જ બિન પ્રકારના હેતુ પાછળ ટ્રસ્ટનાં નાણાં કે આવકને ઉપયે ગ કરવાને અદાલત આદેશ આપતી આવી છે. આમ છતાં પણ દતા કે સખાવત કરવાની ઇચ્છાને માન આપવાને નિયમ સામાન , ન્યતઃ ધ્યાનમાં રાખવામાં આવે છે. આજને આ પ્રકારના કાયદા તથા ન્યાયને લગતી વસ્તુસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે ઈષ્ટ નથી.
ઉપરની કલમમાં અન્તર્ગત થતી પેટા કલમ બી” માં વધારાનાં નાણાના ઉપગનું વિધાન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને જેમાં જેને દેવદ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે તેની સાથે આ પેટાકલમ સંબંધ ધરાવે છે. કેટલાએક જેનેએ આ સંબંધમાં એ વાંધો ઉઠાવ્યું છે કે આ દેવદ્રવ્યનો ઉપયોગ માત્ર મંદિર અથવા તે મૂર્તિ સિવાય અન્ય કોઈ કાર્ય પાછળ થઈ ન શકે. અમારા અભિપ્રાય મુજબ દેવદ્રવ્યને જનકલ્યાણના કાર્યમાં કદિ ઉપયોગ થઈ ન જ શકે એવું કઈ બંધન જન ધર્મમાં છે જ નહિ. આથી પ્રતિકુળ વિચારના સમર્થનમાં ધર્મશાસ્ત્રોના જે ઉલ્લેખે રજુ કરવામાં આવે છે તે ઉલ્લેખનો અમારા અભિપ્રાય મુજબ એટલે જ અર્થ નીકળે છે કે દેવદ્રવ્યના કોઈ પણ વ્યકિત દુરુપયોગ કરી ન શકે અથવા તો તેમાંથી એક પણ પાઈ પિતાના અંગત ઉપગ માટે વાપરી ન શકે. પણ અમે દઢતાપૂર્વક જણાવીએ છીએ કે જાહેર જનતાના ભલા માટે એ દ્રવ્યનો ઉપયોગ જરૂર થઈ શકે છે. આજની સામાન્યતઃ રૂઢ માન્યતા અન્ય પ્રકારની છે એ અમે જાણીએ છીએ, પણ એ રૂઢ માન્યતામાં હવે ફેરફાર થવાની જરૂર છે એ અમારે સુદઢ અભિપ્રાય છે. અમે કબુલ કરીએ છીએ કે આ દેવદ્રવ્યને પ્રથમ ઉપગ મંદિરમાં તેમ જ મૂર્તિની વ્યાજબી જરૂરિયાત પાછળ થવો જોઈએ, પણ આ બાજની જરૂર વાત કરતાં આજે કેટલાંક મંદિરે માં ઘણી વધારે આવક થતી જોવામાં આવે છે; વળી કેટલાક ઠેકાણે દેવદ્રવ્યને દુર્વ્યય થતો
આ ધારાની પ૩મી કલમ જેને “સપ્રેને સિધ્ધાન્ત કહેવામાં આવે છે તેને આજના ટ્રસ્ટો ઉપર લાગુ પાડવાને લગતી છે. આ