SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૪૯ શ્રીમત છે, તે જ્ઞાતિએ પિતાના ગરીબ જ્ઞાતિબંધુઓ માટે શાળાઓ, છાત્રાલયે, હોસ્પીટલો, સેનેટેરીયમ, નિવાસાલય, આશ્રમ વગેરે ચલાવી, પોતાની જ્ઞાતિની રહી સહી ગરીબીને દૂર કરી, આખી જ્ઞાતિનું હિત અને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે; પરંતુ જે જ્ઞાતિમાં કઈ જ શ્રીમંત નથી, એ જ્ઞાતિનું હિત કેવી રીતે સધાશે, તેને વિચાર તેઓ કરતા નથી. તેઓ એવી દલીલ કરે છે, કે - આ “મારી જ્ઞાતિનું અમે સંભાળીએ, તો રાષ્ટ્રની એટલી જવાબદારી ઓછી થાય છે. જ્ઞાતિ પણ રાષ્ટ્રનું અંગે જ છે, અને અમારી જ્ઞાતિમાં પણ ઘણું રાષ્ટ્રવાદીઓ પાકયા છે, જેમણે દેશને માટે મેટા અત્મભાગ આપ્યા છે. પરંતુ આમ થવાથી આગળ વધેલી અને સમૃદ્ધ જ્ઞાતિઓ આગળ વધે છે અને પાછળ રહેલી અને ગરીબ જ્ઞાતિઓ વધુ પાછળ પડે છે, રાષ્ટ્રવાદમાં ભૌગોલિક દ્રષ્ટિએ જવાબદારી લેવાનું વિચારી શકાય, જ્ઞાતિની દ્રષ્ટિએ નહિ જ. જ્ઞાતિના વાડાથી રાષ્ટ્રનું હિત થઈ શકશે નહિ. અહિત જ થશે. ' જ્ઞાતિ સંસ્થાઓની ઉપયોગિતા લગ્ન પુરતી છે, જ્ઞાતિ એ લગ્નનું વર્તુળ છે. અને આ જાતનાં વતુળની ઉપયોગિતા હવે કશી રહી નથી.. લગ્ન. માટેનાં વતુ જેમ જેમ નાનાં બનતાં ગયાં, તેમ આપણી દૃષ્ટિ સંકુચિત બનતી ગઈ, સારા છોકરા છોકરીઓ માટે યોગ્ય પાત્રો મેળવવાની મુંઝવણ પણ વધતી ગઈ અને સેવાનું તથા દાનનું ક્ષેત્ર હું અને ટુંકુ બનતું રહ્યું. આજે એ સ્થિતિએ વાત આવી પહોંચી છે કે કોઈ સાર્વજનિક સંસ્થાને માટે નાણાંની તંગી છે, જ્યારે જ્ઞાતિ સંસ્થાઓ કે તેથી યે નાનાં વતુળા માટે નાણાં જોઈએ તેટલાં મળી શકે છે. જ્ઞાતિ સંસ્થાની કોઈ જરૂરીયાત આજે રહી નથી. આજે રાષ્ટ્રહિતની દ્રષ્ટિએ પણ જ્ઞાતિસંસ્થા નાશ જ માગે છે, લગ્નને પ્રશ્ન હવ્યકિતગત પ્રશ્ન હોઈને એને કઈ બંધનથી બાંધવાની જરૂર નથી. બીજી બાજુ કેમી ધોરણે પણ જે શાળાઓ, છાત્રાલય, કો, ધર્મશાળાઓ ચાલે છે, તે પણ બંધ થવાં જોઈએ. હિંદુ સ્નાનગૃહ કે હિંદુ હાઈસ્કૂલમાં હિંદુપણા જેવું શું છે ? જ્યાં નહાવું છે કે ભણવું છે, ત્યાં હિંદુ શું અને મુસ્લીમ શું? રમત. ગમતની કલબમાં કોઈ હિંદુ રમત કે મુસ્લીમ રમત હોતી નથી, તે એવી કલબો કોમી ધોરણે શા માટે જોઈએ ? છાત્રાલય, હોટલ ભેજનાલય વગેરેમાં ભજનના પ્રકારને કારણે હિંદુ-મુસ્લીમ-પારસી–ખ્રીસ્તીના ભેદ રાખવાનું કદાચ જરૂરી જણાય. પરંતુ એ માટે એ રીતે કમી ધોરણ ન રાખતાં નિરામિષાહારી (વેજીટેરીયન) અને આમિષાહારી (નવેજીટેરીયન) એવા ભેદ રાખી શકાય. અને જે કઈ મુસ્લીમ, પારસી કે ખ્રીસ્તી ચૂસ્ત વનસ્પત્યાહારી હેય, તે તે વનસ્પત્યાહારી હિંદુ સાથે એક છાત્રાલય- કે હોટલમાં જરૂર રહી શકે. એમાં વધે હો ન જોઈએ. કેમ અને જ્ઞાતિને નામે આવી છે જે સંસ્થાઓ ચાલે છે, તે જેમ નાશ થવાને એગ્ય છે, તેમ ધમને નામે પણ દેવમંદિરે અને પૂજાસ્થાન સિવાય શાળા, છાત્રાલયે, દવાખાનાઓ, નિવાસલય વગેરે ન હોવાં જોઈએ. જો જ્ઞતિની જરૂર નથી, તે જ્ઞાતિને નામે મંડળો પણ જરૂરનાં નથી, અને એવી રીતે કામને નામે હિંદુ સ્વયંસેવક દળ કે મુરલીમ સ્વયંસેવક દળ, હિંદુ વ્યાયામ શાળા કે મુસ્લીમ વ્યાયામ શાળા, એનાં કઈ દળ, શાળા કે મંડળો જરૂરનો નથી. કોમવાદને જો જડમૂળમાંથી ઉખેડી નાખ હોય તે આવી સંસ્થાઓને હવે અંત લાવ જ જોઇએ. ધર્મ એ અંગત પ્રશ્ન છે. આંતરિક માન્યતાને પ્રશ્ન છે. . ધર્મ એ સંસ્કાર છે. અને એ સંસ્કાર ખીલવા ખીલાવવા માટે, આધ્યાત્મિક, નૈતિક અને રાષ્ટ્રીય જીવનને ઉંચું લાવવા માટે, હિંદુઓનાં, મુસ્લીમેનાં પારસીઓનાં કે જેનાં મંડળે હોઈ શકે; ધર્મસ્થાને, પૂજાસ્થાને અને પ્રાર્થનાસ્થાને અલગ હોઈ શકે. પરંતુ એના મૂળમાં સર્વધર્મ સમભાવ તે હવે જ જોઇશે, નહિતર સંસ્કારને નામે સંગઠિત થતાં ધાર્મિક મંડળો ધમધતાને વશ બનીને વળી કેટલાંક કુકર્મો કરી નાખશે એ ભય રહ્યા કરે છે, જૈનને હિંદુમાં સમાવેશ કરવા-ન કરવાને-પ્રશ્ન હમણાં બહુ જ ચર્ચાઈ રહ્યા છે. જૈન ધર્મ હિંદુ ધર્મથી ઠીક અંશે અલગ હેવા છતાં, જન સમાજ એ હિંદુ સમાજથી અલગ નથી. સામાજીક સંસ્થા તરીકે જૈન એ હિંદુ છે. આમ છતાં જૈન તત્વજ્ઞાન એ હિંદુ શાસ્ત્રમાં સમાઈ શકતું નથી, અને તેથી સામાજીક રીતે જૈન હિંદુ હોવા છતાં જૈન એક સ્વતંત્ર ફિલસુફી છે. એની પણ ના કહી શકાય એમ નથી. જૈન એ કોઈ કોમ અથવા જ્ઞાતિ નથી. કેટલાક સંકુચિત વિચારના માણસોએ જૈનેનાં લગ્ન માટેનાં પણ વસ્તુળા બનાવી દઈને એને કેમ જેવી બનાવી દીધી છે. પરંતુ એવી કોઈ રચના જૈન ફિલસુફીને માન્ય નથી. જૈન કે તેના પેટા વિભાગોને નામે આવા વાડાઓ ન જોઇએ. જૈન ફિલસુફી કે ધર્મને જે માને છે, તે જૈને છે, અને તે ફિલસુફી કે ધર્મના અભ્યાસ, વિકાસ અને પ્રચાર માટે જૈન સંધ જેવી સંસ્થા હોઈ શકે છે. આ રીતે જૈન સાધુસંસ્થા, શ્રાવક સંસ્થા કોન્ફરન્સ કે યુવક સો હોઈ શકે છે, જેનું કાર્ય જન સંસ્કૃતિને અને અને જન ફિલસુફીને પ્રચાર કરવાનું હોઈ શકે. સામાજિક કાર્યો માટે જનનાં વતુળો બાંધવાનું નહિ. જૈન સામાજિક સેવા અને રાહતનાં કાર્યો કરી શકે છે, પરંતુ એને લાભ જૈને પુરતો મર્યાદિત ન રાખતાં સાર્વજનિક રહેવું જોઈએ, મુંબઈ જૈન યુવક સંઘ સાર્વજનિક સેવા માટેની એક સંસ્થા છે. એનું પુસ્તકાલય, વાચનાલય, મુખપત્ર અને વ્યાખ્યાનમાળા આદિ સાર્વજનિક હિતને માટે જ છે. એટલે તેથી તે રાષ્ટ્રહિતને અનુકુળ રહી શકે છે. એના ધ્યેયને એ વફાદાર રહે ત્યાં સુધી એ કામી નહિ પણ એક રાષ્ટ્રીય સંસ્થા જ છે. આમ છતાં તેના કેટલાક સભ્યોને જૈન શબ્દની ભડક લાગવા માંડી છે; અને તે સંસ્થા સાથે કેવળ જૈન શબ્દ જોડાએલ હોવાને લીધે બીનમજહબી રાજયના સિદ્ધાંત સાથે સહમત હોઇએ તે જૈન યુવક સંઘમાં રહી ન શકાય, એવા વિચાર આવવા લાગ્યા છે. પરંતુ મારું માનવું છે કે કઈ કેવળ પિતાની જાતને જૈન કહેવડાવવાથી કમી બની જતું નથી. માણસે પિતાની આધ્યાત્મિક ઉન્નતિને અર્થે કોઈ ને કઈ તત્ત્વજ્ઞાન સ્વીકારવું જ પડશે. રાષ્ટ્રીયતા એક નીતિ છે, તત્ત્વજ્ઞાન નથી. દેશની રાજકીય, સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે આપણે રાષ્ટ્રીયતા અપનાવવી પડશે; પરંતુ માણસને પિતાને આધ્યાત્મિક ઉન્નતિ માટે તે ધમની જ જરૂર પડશે. એ સર્વસામાન્ય ધર્મ અને સર્વસામાન્ય તત્ત્વજ્ઞાન અસ્તિત્વમાં ન હોઈને જે ધર્મમાં માણસને જન્મ થયે હેય. અથવા જે ઘમ પર માણસને શ્રદ્ધા બેઠી હોય, તેનું માર્ગદર્શન તેણે સ્વીકારવાનું હોય છે. આ દૃષ્ટિએ જૈન યુવક સંઘનું અસ્તિત્વ રાષ્ટ્રવિરોધી નથી. અને તેથી તેમાં સામેલ રહેતાં આપણે રાષ્ટ્રવિમુખ કે કોમી માનસના બની જઈશુ, એ ભય સેવવાનું કંઈ કારણ નથી. આમ છતાં જન શબ્દની જ જે ભડક હોય, તે જૈન યુવક સંધના હેતુઓ જે રાષ્ટ્રવાદી જ છે, તે ચાલુ રાખીને જૈન શબ્દને પડતા મૂકી એજ સંસ્થાનું સાર્વજનિક સંસ્થામાં પરિવર્તન થઈ શકે છે. આમ કરવાથી મૂળ સ્વરૂપમાં કશે ફેરફાર થતો નથી; *
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy