SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ તા. ૧-૧-૪૯ કેટલાક સમાચાર અને નોંધ પાલીતાણાની જૈના શાળાઓ અને નિર્વાસિતોનો વસવાટ સીંધથી ગયા વર્ષે અને હિંદુ કુટુંબ સીંધ છેડીને કાઠિયાવાડ તરફ આવ્યા તેમને માં વસાવવા એ પ્રશ્નો ઉકેલ શોધવાની જવાબદારી નવી રચાયેલી સૌરાષ્ટ્ર સરકાર ઉપર આવી. આ સમયે કેટલાક સીંધી કુટુંબને પાલીતાણુની ધર્મશાળામાં વસાવવા માટે સૌરાષ્ટ્ર સરકારે ધસાળાઓના સંચાલકો સાથે વાટાઘાટ કરી અને દીવાળી સુધીમાં તેમને અન્યત્ર વસાવવાની ગોઠવણ કરવામાં આવશે એવી સ્પષ્ટ સમજુતી ઉપર પાલીતાણાની લગભગ દરેક ધર્મશાળામાંથી અમુક જમાં કાઢી આપવામાં આવી અને ત્યાં કેટલાક સીંધી કુટુંબને વસાવવામાં આવ્યા. ત્યારબાદ દીવાળી આવી અને ગઈ. કાર્તકી પુનમ ઉપર સંખ્યાબંધ યાત્રાળુઓ મળ્યા અને ધર્મશાળામાં રહેવું ઉતરવાની પુરતી જગ્યા ન મળતાં તેમને પરવિનાની હાડમારીઓ જોગવવી પડી. આ સંબંધમાં સૌરાષ્ટ્ર સરકારનું અવાર નવાર ધ્યાન ખેંચવામાં આવે છે, પણ પ્રસ્તુત નિર્વાસિત કુટુંબો જાણે કે હંમેશાને માટે આ શાળામાં ઘર કરીને બેઠા હોય તેમ તેમને ત્યાંથી ખસેડવાનું કે તેમના માટે અન્ય વસતિસ્થાને ઉમાં કરવાનું હજુ સુધી સૌરાષ્ટ્ર સરøારના દાન ઉપર આવતું જ નથી. આ ભારે દુઃખદ છે. આ કારણે જૈન સમાજમાં ખુબ અસંતોષ ફેલાઈ રહ્યો છે. જરૂરના વખતે જન ધર્મશાળામાંથી જગ્યા ઢીને નિર્વાસિ. તેએ વસાવવામાં આવ્યા તે પેગ્ય જ થયું છે. આ ધર્મશાળાઓ જનોના ઉપયોગ માટે હોય તે પણ સંકટના વખતે કોઈ પણ પ્રજાજનોને બનતી સમવડ કરી આપવી એ આપણે પડોશીધર્મ છે. પણ સાથે સાથે એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આ ધર્મ શાળામાં જન કુટુંબે પણ થાયીષણે વસી શકતા નથી. ધર્મશાળાને જાશય જ એ છે કે અન્ય પંદર દિવસ માટે યાત્રા અાવતા યાત્રાળુઓને રહેવા વગેરે સગવડ આપવી. આને બદલે તત્કાળ રાહત આપવાના હેતુથી વસાવવામાં આવેલા નિર્વાસિત કે ત્યાં એંટી બેસે અને આ સંબૂધમાં જેનું શાસન ચાલે છે. તે કશી દાદ ફરિયાદ નું સાંભળે એ અત્યન્ત ગ્લાનિ ઉપજાવે તેવી બીના છે, નિર્વાસિતોના ચલું વસવાટે જનમાં બીજે પણ કચવાટ પેદા કર્યો છે. જૈનોનાં ખાનપાનમાં અને નિર્વાસિતેનાં ખાનપાનમાં ભારે મેટું અત્તર હોય છે અને તેથી શ્રદ્ધા અને ભક્તિમ,વથી આવતા યાત્ર ળઓની સામે જેને ઉજના અભય ગણે છે તેવી ચીજો વધુ રબાતી હાવ એ કારણે શ્રધ્ધાળુ જંનેની લાગણી સદા દુઃખ તી રહે છે. પાલીતાણા જૈનેનું એક અત્યન્ત મહત્વનું તીર્થસ્થાન છે. ત્યાં આવતા યાત્રાળએનાં દિલ ધાર્મિક, સારસાને સબંધે અત્યન્ત આળાં હોય છે. તેઓ પોતાના જ ધર્મસ્થાનકમાં વસતાં કુટુંબને સર્વ પ્રકારે અન્ય ચાર જુએ અને દિલમાં ખુબ દુભાવા કરે એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે મહેમાન છતાં જાણે કે માલીક બની બેઠા હોય એવા આ નિર્વાસિત કટુંબને જૈન ધર્મશાળામાંથી ખસેડીને સૌરાષ્ટ્ર સરકારે અન્યત્ર વસવાની સાવર ગાઠવણ કરી પવી ઘટે છે. ખાને અર્થે કોઇ એમ ન કહે છે લખનારને નિર્વાસિત કુટુંબો વિષે કશી સહાનુભૂતિ કે લાગણી નથી. તેમની બાજની દશા જોઇને એ કાગ માનવી હશે કે જેના દિલમાં ઉંડી અનુકંપ પુરતી નહિ હુંય ! પણ સ થે સાથે મશાળાઓનો આજે જે ક્રિય થઈ રહ્યો છે તેને પણ અન્ત રાવે તે એટલું જ જરૂરી છે. ખા બાબત સૌરાષ્ટ્ર સરકારે ગંભીરપણે થાન ઉપર લેવી જ જોઈએ અને જૈન સમાજના દિલને જે અસંતવ કરી રહ્યો છે તે દૂર કરે જઇએ. આ પ્રશ્નને લગતા જવાબદાર પ્રદ્ધાન એ બાબત જતિથી હાથ ધરશે એવા ખાપણે આશા રાખીએ. સ્વ, ડે, પ્રજલાલ ધરમચંદ મેઘાણી સ્મારક ફંડ , આજથી લગભગ બે વર્ષ પહેલાં ડે. વજલાલ મેધાણીનું અવસાન થયું. તેમના અવસાન પ્રસંગે સ્મશાનની અંદર જ સદ્ગતનું સ્મરણ ચિરંજીવ રહે એવી યોજના પાછળ વાપરવાના હેતુથી દંડ કરવામાં આવ્યું હતું અને ડે. મેધાણીના મિત્ર અને પ્રશંસકો તરફથી એજ પ્રસંગે એ ફાળામાં આશરે રૂ. ૩૫૦૦૦ ની રકમ એકઠી થઈ હતી અને તેની પેજના તેમજ વ્યવસ્થા કરવા માટે છ ગૃહથેની એક સમિતિ નિમવામાં આવી હતી. આ ફંડનું શું કરવું તે સબંધી એક પછી એક પેજના વિચારવા તેમજ ચર્ચવામાં આવતી હતી અને કશા પણ નિર્ણય વિના આ . કાર્ય આજ સુધી મુલતવી રહ્યા કરતું હતું. સદભાગ્યે તા. ૨૮-૧૧-૪૮ ના રોજ આ ફંડમાં નાણાં ભરનારાઓની એક સભા ઘટાપર ખાતે ભરવામાં આવી હતી અને ઘાટકોપરમાં પંડિત શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળાના ઉપાંગ રૂપે એક બાળ મંદિર ચાલે છે તેને વિકસાવવાની સરવે ઉપર જણાવેલ રકમ એ સંસ્થાને ભેટ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ બાળમંદિર સાથે છે. વ્રજલાલ ધ. મેધાણીનું નામ જોડવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. ડે. મેઘાણીના જીવનની જે વિશેષતા હતી દુઃખી દર્દી, પીડિત, ત્રસ્ત, દલિત વિષે અપાર કરણ–તેને આ રૂપ એવું કોઈ કાર્ય યોજવામાં આવ્યું હતું અને તેમાં કાર્ય સાથે ડે. વ્રજલાલ મેઘાણીનું નામ જોડવામાં આવ્યું હોત તે વધારે ઉચિત લેખાત. પણ જેમના હાથમાં આ કંડ ની વ્યવસ્થાની મુખ્ય જવાબ દારી હતી તેમાં શ્રીમન્ત હોવા છતાં અત્યન્ત વ્યવસાયશીલ હતા. તેમને આ બાબત સંબંધે નિરાંતે એકઠા મળીને વિચાર કરવાની પણ ફુરસદ નહોતી, એટલે નવી કઈ જવાબદારી લેવાનું તે તેમના માટે સંભવિત જ નહોતું. આવી પરિસ્થિતિમાં આટલો પણ જે નિર્ણય થયું છે અને એક નાની સરખી શિક્ષણ પ્રવૃત્તિ સાથે ડે. મેઘાણીનું નામ જોડવાનું નક્કિ થયું છે તે આવકારદાયક છે. આપણે આશા રાખીએ કે આ જે જે બાળમંદિર ચાલે છે તે છે એમનું એમજ ચાલે, અને સંસ્થાને આ રકમની આવક થાય અને બાળમંદિર સાથે છે. મેઘાણીનું નામ માત્ર જોડાયેલું રહે એમ ન બને, પણ એ બાળમંદિરને વિકસાવવાની સમજુતી સાથે આ રકમ આપવામાં આવી છે તે સમજુતી અનુસાર આ બાળમંદિર એક સર્વાગ સંપૂ સંસ્થા બને, જે જોઈને જેમને બાલચિત નિર્દોષ સ્વભાવ હવે એવા ડે. મેધાણીને આપણે હંમેશા યાદ કર્યા કરીએ. માંડલ જૈન યુવક સંધને વાર્ષિક સમારંભ " માંડલ ખાતે તા. ૨૮-૧૧-૪૮ ના રોજ ત્યાંના જૈન યુવક સંધને વાર્ષિક સમારંભ શ્રી. પનાલાલ ઝવેરીના પ્રમુખ પણ નીચે ઉજવ હતું, જે પ્રસંગે પંડિત સુખલાલજી તથા શ્રી છોટાલાલ ત્રીકમલાલ પારેખ હાજર હતા. આ પ્રસંગે પંડિતજીએ વિદ્વત્ત.પૂણું પ્રવચન કર્યું હતું અને આજને જૈન યુવક સંધ માત્રા શબ્દાર્થથી નહિ પગુ ભાવાર્થમાં પણ સાચે જૈન યુવક સંઘ બની રહે એવી આશા વ્યકત કરી હતી અને વિશેષમાં જણાવ્યું હતું કે આ સંઘે ગત વર્ષ દરમિયાન ધમ, કેમ કે જ્ઞાતિના ભેદભાવથી પર રહીને જનતાની મુશ્કેલીઓ હળવી કરવા અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી અને પાર પાડી હતી. ત્યારે યુવક સંઘ જે રાષ્ટ્રીય સાળા ચલાવી રહ્યો છે તેમાં બનતી મદદ કરવા એકત્ર થયેલા સભાજનને તેમણે અનુરોધ કર્યો હો. અન્ય વકતાઓએ સમાચિત ભાષણે કર્યા હતાં અને પ્રમુખશ્રીએ સમગ્ર પ્રસંગને યે ... ઉપસંહાર કર્યો હતો. એ પ્રસંગના અનુસંધાનમાં ત્યાંને વિદ્યાર્થીઓએ આજના સમાજ ના સળગતા પ્રશ્નોને સંવાદ રૂપે ગુંથી આકર્ષક રે.ચક શૈલીમાં ત્યાંની જનતા સમક્ષ રજુ કર્યા હતા. પરમાનંદ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy