________________
- તા. ૧૫-૫-૪૮
પ્રબુદ્ધ જેન
કરવાની જરૂર નથી. પણ એમ કરવાથી એક ફાયદે થાય છે ખરો. એ વખતની ઉપાડ-લેને પરિણામે નબળું થયેલું હૃદય અને નકામા ડચકા મારતા શ્વાસને ધકકો લાગવાથી એ ઝટ લઈને બંધ પડી શકે છે, અને નકામું લંબાનું મૃત્યુ થોડુંક નજીક આવી શકે છે, તેથી એમાં મારા પ્રત્યેની ભૂતદયાથી પ્રેરાઈને એમ કરવું હોય તે ભલે. વળી, પથારીમાં મરી જાઉં તાં એ પથારી કાઢી નાંખવી પડશે એ મનમાં વસવસે હોય તે તે દૃષ્ટિએ પણ એમ કરવામાં વહેવારું ડહાપણુ લાગતું હોય તોયે ભલે. મને પિતાને ભાન જ નથી એમ માની લીધેલું હોવાથી એમાં મારી વેદના વધવાને સવાલ રહેતું નથી. '
મર્યા પછી ચકામાં નાંખવે કે પથારીમાં જ રાખવે વગેરે બાબતેને સદ્ગતિ-દુર્ગતિ સાથે કરશે સંબંધ નથી. એ બધી લોકાયારની રૂઢિઓ છે. એમાં ઘણી વાર જિલ્લા જિલ્લા અને પ્રાંત પ્રાંત વચ્ચે અને જુદી જુદી ન્યાતમાં ફરક પણ રહે છે, “અમારામાં આમ કરે, તેમ ન કર્યું એટલે બાપડા ભરનારનું અધૂરું રહ્યું,એવા વિચારે અણસમજના છે. માટે જેવા માણસોની વચ્ચે મરૂં તેવા માણસને જેમ છે તેમ કરવામાં જરાયે હરત નથી.
(૪) અંત્યવિધિ: મરવા ની આદર્શ રીત તો મારી દ્રષ્ટિએ શ્રી વાલજીભાઈ દેસાઈનાં માતુશ્રીની હતી. સાંભળ્યા પ્રમાણે તે વાલજીભાઈ, જોડે સાબરમતી આશ્રમથી અમદાવાદ જવા નીકળ્યા. નદી ઓળંગીને દૂધેશ્વર સ્મશાનના આરા પર આવતાં જ હાંકી ગયાં, અને ત્યાં જ એમનું હૃદય બંધ પડી ગયું. ઉપાડીને સ્મશાન લઈ જવાં પડે એટલીયે તકલીફ એમણે કાઇને આપી નહીં. આવું મરણ તે કરડે માંથી એકાદને જ આવે. એથી બીજા નંબરનું મહાદેવભાઈના જેવું. પણ એયે બધાને નસીબ નથી હોતું. આથી ઉપર મેં મંદવાડ ભોગવીને થતાં મરણનું જ દૃષ્ટાંત લીધું છે.
કાંઈ ખાસ પ્રયજન ન હોય તે શબને ફેટો લે એ મારી દષ્ટિએ એક જાતનું વેવલાપણું અને આ જમાનામાં ઉત્પન્ન થયેલું ગાંડપણ છે. મરનારના મરણ વિષે કૈઈ આગળ પ્રશ્ન ઉત્પન્ન થવાનો સંભવ હોય અને તેથી તેને ફેટે લઈ રાખવું પડે એ જુદી વાત છે. પણ મરનાર મહવને માણસ કે પોતાના પ્રેમનું પાત્ર છે, માટે તેના શબને ફોટો લે એમાં વિવેક નથી.
મારા મરી ગયા પછી મારા શબને કોઇ પણ રીતે નિકાલ તે કરે રહ્યો જ. મરી ગયાની ખાતરી થયા પછી, જેમ બને તેમ વહેલો નિકાલ કરે જ સારો. કેવી રીતે નિકાલ કરે તે સ્થાનિક સગવડ ઉપર આધાર રાખે છે. સગવડ હોય, અને મંદવાડને પરિણામે બીજા કારણસર શરીર અસ્વચ્છ હોય અથવા વાસ છૂટવા લાગી હોય તે પાણીથી સાફ કરીને દેવું એ સારી રીત છે, પણ નવડાવવાની રીત છે માટે ધડ પાણુ ઢાળવાની જરૂર નથી. શરીર સાફ જ હોય તો તે બિલકુલ જ જરૂર નથી, અને ન હોય તે એમ પણ ઢાળવામાં કાંઈ સ્વચ્છતા આવી શક- વાની નથી, માટે જરૂર નથી. એવી જગ્યાએ મરી જાઉં કે જ્યાં પાણીની સગવડ ન હોય તે પછી ખેંચાઇને નવડાવવાની નજર નથી. ભર્યા પહેલાં જ નવડાવવા બરાબર નથી, સિવાય કે મૃત્યુ સમીપ લાવવાના ઉદ્દેશથી.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સારી રીત તે બાળવાની ગણું છું. પણ સમજો કે લાકડાં દુર્લભ જ છે, તે દાટવાનેય હરકત નથી. નવી જાતની બાળવાના ચૂલા આવે છે તેમાં ભસ્મીભૂત કરવાનેયે હરકત નથી. ગંગા જેવી મોટી નદી કે સમુદ્રમાં વહેતું મૂકવાનેયે બાધ નથી. અને, જે કોઈ ઇસ્પિતાલમાં મરૂં અથવા દાકતરોને લાગે કે મારું શરીર ખેલીને અભ્યાસ કરવા જેવું છે, અથવા કોઈ બીજા દરદીને માટે તેના કઈ ભાગનો ઉપયોગ કરવા જેવું છે, તે તેમને સેપવામાં ઉદારતા જ છે. ટૂંકમાં કઈ રીતે શબને નિકાલ આવે એ સાથે મને સંબંધ નથી; સમાજને સંબંધ છે. સમાજને અનુકૂળ હોય તેમ કરે.
(અપૂર્ણ) કિશોરલાલ, ધ, મશરૂવાળા
ભગવાન મહાવીરના ઉપાસકેને
[ વિશાળ સંમેલનમાં મહાવીર જયંતિ પ્રસંગે શ્રી ફતેહચંદ બેલાએ આપેલા વ્યાખ્યાનને સાર ભાગ નીચે આપવામાં આવે છે. -તંત્રી)
ગયા ડીસેમ્બર માસમાં ભારતીય ઇતિહાસ પરિષદની મીટિંગ વખતે શ્રીમાન બાબુ દીવનારાયણસિંહ (વૈશાળી સંધના ઉપપ્રમુખ)ને મળવાનું થયું ત્યારે એમણે વૈશાળી સંધ સંબંધી વાતચીત કરી હતી. તે વખતે મેં કહ્યું હતું કે વૈશાળીનું ઐતિહાસિક મહત્ત્વ જાળવવા માટે મહાવીરના જન્મોત્સવ નિમિત્ત ઉત્સવ રાખવો જોઈએ. તેમને એ વાત ગમી. પરિણામે આજે સાંજે અહીં મહાવીરના જન્મ પછી ૨૫૦૦ વર્ષે સૌથી પહેલી જયંતિ તેમના જન્મસ્થાનમાં ઉજવાય છે એ આનંદની વાત છે.
ભ. મહાવીરનું જીવન એ લખવાબોલવાની વસ્તુ નથી. એ એક આચરણ છે અને અનુભૂતિનો વિષય છે. તેને આચરણમાં પરિણત કરીને જ બતાવી શકાય, શબ્દોમાં એ સામર્થ્ય જ નથી. અનુભૂતિ મેળવી શકે, એ તો માત્ર એખલું સાધન છે.
ભ. મહાવીરનું નામ લેતાં જ નજર બિહાર તરફ ખેંચાય છે. બિહારનું એ ગૌરવ છે કે આવા મહાપુરુષને તેણે જન્મ આપ્યો, જેણે અહિંસાને જીવનમાં ચરિતાર્થ કરીને દેશના હિંસક જીવનને અહિંસામાં ફેરવી નાખ્યું. ભ. બુધે પણ ઉપદેશ માટે બિહારને જ પસંદ કર્યો અને ગાંધીજીએ પણ ભારતમાં સત્યાગ્રહનો પહેલો પાયો બિહારમાં નાંખે. આ ત્રણે સૌથી મોટી વિભૂતિઓએ પિતાના જીવન–ધ્યેયને પાયે બિહારમાં નાંખે એ ખરેખર ગૌરવ છે.
આ બિહારમાં ૨૫૦૦ વર્ષ પહેલાં વૈશાળીના એક ઉપનગર ક્ષત્રિયકુંડમાં–આજના બાસુકુંડમાં ભ. મહાવીરને જન્મ થયે હતે. એ જમાનામાં રાજ્યશાસનમાં વૈશાળીનું મહત્ત્વનું સ્થાન હતું. લોકશાસનની રાજનૈતિક ચેતના ત્યાંથી જ પ્રવાહિત થતી. લિચ્છવીગણરાજ્યના ૭૭૦૭ રાજઓની ત્યાં સભા હતી. તેને પ્રમુખ રાજા ચેટક હતા અને ભ. મહાવીર તેના ભાણેજ થતા હતા.
આ વૈશાળીમાં તેમના જન્મ સમયે બાર દિવસને ઉત્સવ થયો હતો, પણ આજે મહાવીરની એ જન્મભૂમિને તેમના ઉપાસકે જાણતા નથી. તેને શોધવાની પણ કોઈ સામૂહિક કોશિશ થઇ , નથી એટલે ત્યાં કાંઈ સ્મારક પણ બન્યું નથી. એ લજજાસ્પદ ગણી શકાય.
પણ હમણાં હમણાં પાછલા બેએક વર્ષથી વ્યકિતગતરૂપે કાંઈક કોશિશ થઈ રહી છે. જન્મસ્થાનની શોધ પણ થઈ. સ્મારક માટે પણ થોડી જગા મળી છે. અને આ વર્ષે વૈશાળી સંધ અજેન હોવા છતાં મહાવીરની સૌથી પહેલી જયંતિ તેના સાચા જન્મસ્થાનમાં ઊજવે છે. એ ભારતીયતાનું ઘાતક છે. તે ધન્યવાદને યોગ્ય છે.
પણ મહાવીર અને બુદ્ધ બનેના અનુયાયીઓ સાથે મળીને એવું સ્મારક ઊભું કરે જેમાં બનેની મૂર્તિઓ એકસાથે હોવ અને બધા બનેની એકસાથે ઉપાસના કરે તે કેવું સારું ? બનેને માટે વૈશાળી મહત્ત્વનું સ્થાન છે, અને બન્નેની એકતાને માટે એ જરૂરી પણ છે.
આ પૈશાળીમાં મહાવીરે રાજધર્મની ઉપેક્ષા કરીને ત્યાગને ભાગ લીધો. કદાચ એટલા માટે જ હશે કે જેને જનતાની સેવા કરવી છે તે હકુમત નથી ચાહતે, બુકે જનતામાં હળીમળીને, જનતાથી પણ નીચે જઈને તેની આત્મચેતનાને જગાડવાની તે કોશીશ કરે છે. હકુમત જનતાની ઉપર ઉપર જ રહે છે, તેમાં હળીમળી શકતો નથી, એટલે જનતાના સુખ-દુઃખની અનુભૂતિ પણ તેને થતી નથી. એટલે મહાવીરે સેવા અને ત્યાગને મા લીધે.
મહાવીરે ઈશ્વરરૂપે જન્મ લીધો કે મનુષ્યત્વને વિકાસ કરતાં કરતાં ઈશ્વરવ પ્રાપ્ત કર્યું એ હું નથી જાણતો. હું એટલું જાણું છું કે તે વખતના આપણુ જેવા લોકેથી અને આપણા જેવા