________________
પ્રભુખ જેન
૨૬૬
લેકામાં તેમણે જન્મ લીધો. આપણા જેવા લોકોમાં તે ફર્યો અને ઉપદેશ આપ્યા.
જે એમને માનવીયે માની શકાય તે આપણુને એક આશ્વા સન મળી શકે કે આપણા જેવી એક વ્યકિત આત્માના વિકાસ કરતાં કરતાં કર્યાની કર્યાં પહેાંચી ગઇ ! તે તે એમના માર્ગ' અનુસરવામાં ઉત્સાહ પણ મળે અને એમનું જીવન આપણને સહાયક થાય. પણ એમને ઇશ્વર માનીને જ ચાલીએ તે તે આપણાથી એટલા બધા ઊંચા અને દૂર થઇ જાય છે કે તેમના માગે' ચાલવુ આપણા માટે અસંભવ બની જાય, આપણી હિંમત જ તૂટી જાય; છતાં પણ તેમને શું માનવા શું ન માનવા એ પોતપેાતાની
સમજની વાત છે.
ભ. મહાવીરે ધરબાર છેડી દીક્ષા લીધી તેની અસર આખા ભારતમાં પડી હતી. તેનું વિશિષ્ટ કારણ છે. એક તો એ કે વૈશાળી ગણરાજ્યના નેતા રાજા ચેટકનાં તેએ ભાણેજ થતા હતા અને ખીજું ચેટકની દીકરી એટલે મહાવીરની ખેને તે વખતના મોટા મોટા જનપદેશના રાજાઓને પરણી હતી. તેમાંની એક મગધના રાજા—શ્રેણિક બિ'ખિસારને, એક અવન્તિના પ્રદ્યોતને, એક સિન્ધુસૌવીરના ઉદયનને, એક કૌશાલીનાં શતાનિકને, એક અંગ-ચંપાના, દધિવાનને. આ સંબંધને લીધે ભારતના એક છેડાથી ખીજા છેડે સુધી મહાવીરના ત્યાગમાગની આમજનતા ઉપર ભારે અસર પડી હતી.
તે વખતથી મહાવીરે સાડાબાર વર્ષ સુધી મૌન ધારણ કરી તપસાધના કરી. તેમાં ધણાં દુ:ખે વેઠયાં. વિદ્વાર કરતાં કરતાં ચાર સમજીને તેમને પકડયા, અપરાધી ગણી કૈદ કર્યો, સજા મળી, મારપીટ કરી, કૂવામાં ડૂબાડયા, દારડે બાંધ્યા, લેકાએ કૂતરા કરડાવ્યા, કાનમાં ખીલા પણ ઠે।યા. પણ મહાવીરે મૌન બનીને બધી યાતનાઓ સહન કરી, યારેય કાઇને કશી ફરિયાદ કરી નહિ. બલ્કે યાતના સહન કરવામાં જ કૃતા'તા અનુભવી.
અને તપની વિક્રિયા પણ પાતાનામાં પેદા થવા દીધી નહિ. અર્થાત્ ાંકાથી નારાજ, વિમુખ કે ઉદાસીન થને શુષ્ક તાપસ બની ગયા નહિ. ખકે શરૂથી જ બીજા તરફ સસ્નેહ, સહૃદય રહ્યા. માતાપિતાને કષ્ટ ન થાય એટલા માટે એમણે નિશ્ચય કર્યાં હતા કે માતાપિતા જ્યાંસુધી જીવે છે ત્યાંસુધી હું દીક્ષા નહીં લઉં. પાછળથી મોટાભાઇનું દુઃખ તેને તેમના આગ્રહથી બે વર્ષ તેમની સાથે પણ રહ્યા. એમના એક શિષ્ય ગેાશાળકની બાલીશતાને કારણે તેમણે તપરવીજીવનમાં ઠેકાણે ઠેકાણે યાતનાઓ અનુભવી, પણ ગાશાળકને કયારેય કશું કહ્યું નથી. એક વખત તપસ્વી∞વનમાં કરતાં કરતાં ઋદક તાપસ રહેતેા હતેા ત્યાં મહાવીર આવ્યા. ત્યાંના લોકા અચ્છદકના દર કરતા, તેને શ્રદ્ધાથી માનતા, પણ મહાવીર ત્યાં આવ્યા ત્યારે લેાકા મહાવીર તરફ ઢળ્યા અને અ ંંદક તરફ્ ઉદાસીન થવાં લાગ્યાં. આામ બનતાં એક દિવસે અદકે આવીને કહ્યું: ‘“તમે તેા તપસ્વી છે, જ્યાં જશે ત્યાં તમને આદર મળશે પણ મારૂ' તે આ એક જ સ્થાન છે. આપ આવ્યા ત્યારથી લેાકેા મારા તરફ ઉદાસીન થવા લાગ્યા છે, આ સાંભળીને ભગવાન ત્યાંથી ખીજે સ્થાને ચાલ્યા ગયા. આ રીતે પેતે કષ્ટ ઉઠાવીને પણ ખીજાએ તરફ તેમણે હમેશાં સ્નેહપૂર્વક સહાનુભૂતિ બતાવી.
એમાં એમણે કાઇ જાતિભેદ પણ ગણ્યા નથી. બલ્કે જાતિભેદ તેાડવા માટે ભરચક પ્રયત્ન કર્યાં છે. તેમના શિષ્યો અને અનુયાયીઓમાં બધી જાતના માણસે। હતા. સદાલક કુંભાર હતા, રિબળ માછીમાર હતા. મેતા મુનિ રિજન-તે વખતના ચંડાળકુળના હતા. ભગવાન કહેતાઃ “બ્રાવેલ ગયા, શ્રશ્નન્નાયથક્ષરી | નિલાલ વન્નત્તા, સથે તે બંધવા શિયા ” ગમે તે દેશમાં જન્મ્યા ડ્રાય, ગમે તે ખાધું પીધું હોય પણ મારા ધમમાં બધા ભાઇ-ભાઇ છે.
તા. ૧૫-૫૪૮
તે બધાના કલ્યાણમાગ સાચતા રહ્યા. ' હું આથા? સ્ત્રો ફો જુઓ, હર વેપન્ના વિસ્વામિ' આ આત્મા શુ છે ? કયાંથી આવ્યા ? કયાં જવાને ? કર્યાં કયાં છે ? વિચાયુ, મનુષ્યોમાં, પશુમાં, વનસ્પતિમાં આખા વિશ્વમાં એક સરખા–મારા જેવા આત્મા છે. તેમણે નિશ્ચય કર્યું કે, હું એવી કાઇ ચેષ્ટા નહી' ક" જેથી ખીજાને તકલીફ પહોંચે; બલ્કે બીજા આત્માને તકલીફથી બચાવવા માટે હું મારી. જાતને જ સયમમાં રાખીશ. ધનુ' એ જ મૂળ છે.
એમણે સિદ્ધાંત બનાવ્યા–સવાશ્ત્રો પાળવાપાત્રો વેરમાં, सच्चा मुसावायाश्रो वेरमणं । सव्वाथो श्रहिरणादायाश्र वेरमणं । સચ્છાત્રો પરિશ્માંશ્નો વેત્રમાં ! બધા પ્રકારની હિંસાને ત્યાગ કરીશ, બધા પ્રકારના અસત્ય, અદત્તાદાન છેાડીશ, બધા પરિગ્રહના ત્યાગ કરીશ. હં...સાનું સૂક્ષ્મ લક્ષણ બતાવ્યું કે, ઘ્રપ્રસ્થ દુ:સ્લોવાન હિંસા !” બીજાને કષ્ટ આપવુ એ હિંસા છે. પરિગ્રહનુ લક્ષણ કહ્યું: મૂળ પરિશ્રહઃ મેાડ ગમતા જ પરિગ્રહ છે.
તેમણે કહ્યું: “કાને મારવાની કે ટાઇની ચીજ લક લેવાની ચેષ્ટા થશે તે તેની પ્રતિક્રિયા સામા માણસમાં પણ થશે, એથી ઇર્ષ્યા-દ્વેષ વધશે, મારફાટ અને લડાઇઓ થશે. તેથી સમાજમાં અશાંતિ વધશે. એટલે હિંસા અને પરિગ્રહ છેડવાં જોઇએ. સ્વાર્થ અને મમત્વની ભાવનાને નિમૂળ કરવામાં જ શાંતિ છે. એટલે મારૂ' જે કાંઇ કહી શકાય તે બધુ એમણે છોડયુ અને ' સાચા અર્થમાં નિગ્રન્થ અને નિષ્પરિગ્રહી થઇને વિશ્વપ્રેમની સાધ નામાં લાગ્યા. એ રીતે સાધના કરતાં કરતાં શરીરની પણુ મમતા છેડી. સાડાબાર વર્ષીમાં તેમણે કેવળ ૩૪૯ દિવસ ભેજન લીધું. બાકીના સાડા અગીઆર વથી પણ વધારે વખત નિળ, નિરાહાર રહી. તપ કરતાં કરતાં લેાકામાં ભમીભમીને સ'સારને એ સાખિત કરી બતાવ્યું કે માણસને માંસભ્જન તે શું, શરીરને ટકાવવા માટે હારની પશુ ઓછામાં એછી જરૂર છે. તેમની તપસ્યા આ પ્રમાણે છે. ૧ છમાસિક તપ, ૧ પાંચ દિવસ એછા માપુ, ૯ ચારમાસિક, ૨ ત્રમાસિક, ૨ અઢીમાસિક, હું એમાસિક, ૨ દેઢમાસિક, ૧૨ માસિક, ૭૨ પાક્ષિક, -૧ સેળ દિવસ, ૧૨ ત્રણ દિવસ, અને ૨૨૯ એ દિવસ (છઠ). એક સાથે એ દિવસ તે એમણે કયારેય ભોજન લીધું જ નથી.
આ કારણે તે સમયે તેમના તપના લોકા ઉપર ભારે પ્રભાવ પડયા હતા. ભ. યુદ્ધ ઉપર પણ એમના તપ અને યાગને ભારે પ્રભાવ પડયે છે. પિટકગ્રંથમાં આપણે જોઇએ છીએ કે જ્યાં જ્યાં મહાવીરના પ્રસંગ આવ્યા છે ત્યાં ત્યાં ઠેકાણે ઠેકાણે યુધ્ધે હમેશાં મહાવીરને ‘દ્ઘિાવસ્તી નિયંથ જ્ઞાતપુત' કહીને જ ખેરલાવ્યા છે.
બરાબર સાડા બાર વર્ષ પછી એક દિવસ ઋજુવાળુકા નદીને કાંઠે, શ્યામા ગૃRsપતિના ઉદ્યાનમાં શાલવૃક્ષ નીચે ભગવાન ધ્યાન કરતા ખેડા હતા, તે જ વખતે એમને ખખ્ખર પડી કે પાવામાં સામિલ બ્રાહ્મણે મહાયજ્ઞ આદર્યો છે. હુન્નરે પશુમેની તેમાં બલિ ચડાવવાની છે. ઇંદ્રભૂતિ આદિ વૈદિકધમના નેતાઓ ત્યાં આવેલા છે અને તેમની અધ્યક્ષતામાં યજ્ઞ થવાના છે.
ત્યારે એમણે વિચાયુ" કે ધર્મના નામે આટલા બધાં નિરપરાધી પશુઓની હત્યારી રીતે થઇ શકતી હશે ? એમને આભા અંદરથી કકળી ઊઠયા. તે જ વખતે તેઓ બારજોજન રસ્તો કાપીને એકદમ ત્યાં પહોંચ્યા. દ્રભૂતિ સ્માદિને સમજાવ્યા ત્યારે તે બધા પડિતા પોતપોતાના પરિવારો સાથે મહાવીરના શિષ્ય થઇ અહિંસાના પ્રચારક બની ગયા.
એમના હૃદયમાં સ્નેહ હતા અને બુદ્ધિમાં સમન્વય હતેા. પેાતાના વિચારાને ઉદાર રાખીને બીજાને એમની દૃષ્ટિએ સહાનુભૂતિપૂવ ક સમજવાની ક્ષમતા અને પેાતામાં મેળવી લેવાનો શનિ જેમાં પ્રકટ થાય છે તે છે સમન્વયદ્રષ્ટિ, મહાવીરની આવી સમન્વયાત્મક દૃષ્ટિ યા સાાદ ભારતીય ધમ અને તત્ત્વજ્ઞાનની અસંગતિને મટાડી તેમાં પરસ્પર એકતા સ્થાપન