SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ , . .૬૬- . - ' ' - ૨૪૮ પ્રણય જેની તા. ૧૫-૪-૪૮ - પણ જ્યાં હેતુ એક અથવા સરખા હોય પણું જે ટ્રસ્ટનો લાભ લેનારો વર્ગ તેમ જ તેને કાર્યપ્રદેશ ભિન્ન હોય તેનું એકીકરણ વ્યવહારૂ નથી તેમ જ યોગ્ય નથી એમ અમને લાગે છે. આ જવાબના અનુસંધાનમાં એક બીજી પૂરક નેધ સંધની કાર્યવાહક સમિતિ તરફથી તા૧૦-૪-૪૮ ના રેજ મેકલવામાં આવી હતી જે નીચે મુજબ છે :ટ્રસ્ટ એન્ડ એન્ડાઉમેન્ટસ્તા વહીવટ અને વ્યવસ્થાના પ્રશ્નમાં તપાસ કરવા માટે મુંબઈ સરકારે નમેલી કમીટીના મંત્રી જોગ. સુજ્ઞ મહાશય, - સવિનય વિજ્ઞપ્તિ કે અમોએ આપની પ્રશ્નનાવલિના જવાબ તા. ૨-૪-૪૮ ના રોજ લખી મોકલ્યા છે. તે પ્રશ્નાવલિમાંના પ્રશ્ન ૬ તથા ને અમે એ જે જવાબ આપ્યા છે તેના અનુસંધાનમાં • અમારે નીચે જણાવેલું મન્તવ્ય ધ્યાનમાં લેવા વિનંતિ છે. - જે ટ્રસ્ટને જે હેતુસર ઉદભવ થયો હોય તે હેતુની આજે કશી ઉપગીતા રહી ન હોય તેવા ત્રસ્ટનાં નાણાં સમાજે પગી અન્ય કોઈ કાર્યમાં ખરચવાની કાયદાકારા સગવડ થવી જોઇએ તેમ જ કઈ પણ ટ્રસ્ટની વધારાની મીલકતનો ઉપયોગ પણ કેળવણી, વૈધકીય રાહત, તારીદ્રયનિવારણ જેવા સમાજોપયોગી કાર્યોમાં કરવાની કાયદાથી સગવડ મળવી જોઈએ એમ અમોએ અમારા જવાબમાં જણાવ્યું છે તેમાં અમો એમ ઉમેરવા માંગીએ છીએ કે જે ટ્રસ્ટને જે કોઈ નાના કે મેટા સમાજ સાથે સંબંધ હોય તે ટ્રસ્ટના નાણાંના ઉપયોગ સંબધે ઉપર જણાવ્યા મુજબ કાંઈ ફેરફાર કરવામાં આવે તે ફેરફારને સીધે લાભ તે ચોકકસ નાના કે મોટા સમાજને જ મળ જઈએ. જ્યાં અમુક ટ્રસ્ટને અમુક ચકકસ સમાજ સાથે સંબંધ જોડી શકાય તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં તેવાં ટ્રસ્ટનાં નાણુને ઉપગ કોઈ પણ પ્રકારના સાર્વજનિક હિતના કાર્યમાં થાય તે અમને સંમત છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ગેધરાનો ઉલ્કાપાત હિંદુસ્થાનના ભાગલા પડયા અને પંજાબને દાવાનળ પણ શમી ગયા અને ગાંધીજીએ કેમીવાદના ધુંધવાતા અગ્નિકુંડમાં પિતાની આહુતિ આપી. ત્યાર બાદ હિંદુસ્થાનમાં કેમીવાદ શમતે જતે હતો અને લગભગ સર્વત્ર શાતિ પ્રસરતી જતી હતી. આ રીતે આપણે કાંઈક નિરાંત અને નિશ્ચિત્તતા અનુભવતા હતા. એવામાં ગોધરામાં નજીવી અથડામણુમાંથી કમી આગ સળગી ઉઠી અને એ સમૃદ્ધ શહેરના મોટા ભાગનો નાશ થયે અને હિંદુ મુસલમાનનાં સંખ્યાબંધ કુટુંબ ઘરબાર વિનાનાં થઈ પડ્યાં. આ ઉલ્કાપાતમાં માણસની પ્રાણહાનિ બહુ ઓછી થઈ છે, પણ માલમીલકતની ખુવારી પારવિનાની થઈ છે અને ગઈ કાલ સુધી સુખચેનમાં સુતેલાં અને સમૃદ્ધ ગણાતાં કુટુંબે ઊંચે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિને પ્રાપ્ત થયાં છે. કેટલાય લો કે કપડાંભેર દશામાં બચવા પામ્યા છે. આ ઉકાપાતની જવાબદારી કોઈ એક કેમ કે વર્ગના માથે નાખી શકાય તેમ છે જ નહિ. તેમ જ તેની પાછળ પૂવયાજનાની પણ શકયતા સંભવિત નથી લાગતી. તે પછી આમ બનવા કેમ પામ્યું. ? આને ઉત્તર એક જ છે કે આજે દેખાતી સુલેહશાનિત ઉપરઉપરની છે. આપણું સાના દિલમાં કામ કડવાશ હજુ પારવિનાની ભરેલી છે અને એ કડવાશને ચીણગારી લાગતાં ગમે ત્યાં અને ગમે ત્યારે ભડકે થઈ ઉઠે છે. આપણે બધાય આજે ભારેલા અગ્નિ ઉપર ચાલી રહ્યા છીએ. નીચેની ધરતી જાણે કે એકાએક ફાટે છે અને નીચેથી ઉછળી આવતે ધગધગતે લાવા આસપાસના - સર્વ પ્રદેશને જાતજોતાંમાં ભસ્મીભૂત કરી નાંખે છે. આ રીતે જ્યાં જ્યાં કમી વેરઝેરની જવાળાઓ ફાટી નીકળે છે ત્યાંની પ્રજા ઉપર યાતનાઓનો વરસાદ વસે છે. આવા ઉલ્કાપાતના ભોગ બનેલા લોકોને કેમ પહોંચી વળવું એ સવાલ અત્યન્ત વિકટ બની જાય છે. આમ છતાં આવા પ્રસંગે નિષ્ફર કે નિષ્ક્રિય બની બેસવું એ કોઈ રીતે યોગ્ય ન ગણાય. આજે ત્યાં આફત છે. આવતી કાલે આપણી ઉપર આવી જ કોઈ આફત ઉતરી આવવાની છે. આવા પ્રસંગે જેનાથી જે કાંઈ બની શકે તે કરી છુટે અને આવેલી આફતને બને તેટલી હળવી કરે એમ માનવતા પિકારી રહી છે. ગોધરાના અગ્નિકાંડમાં લગભગ સવાબસો જૈન કુટુંબે ઘરબાર વિનાનાં થઈ પડયાં છે. તેમાં ૧૫૦ કુટુંબ તે સાવ પાયમાલ થઈ ગયા છે. આ દિશાએ મુંબઈની માનવ રાહત સમિતિ નામની જાણીતી જન સંસ્થાએ પ્રશસ્ત સેવા કરી છે અને સારા પ્રમાણમાં મદદ પહોંચાડી છે. અમદાવાદમાં પણ આ માટે મોટા પાયા ઉપર ફડ થઈ રહેલ છે. આવી સર્વવિનાશી ઘટનાને કેવળ કોમી દૃષ્ટિબિંદુથી જોઈ કે વિચારી ન જ શકાય. જે કાંઇ થાય તે બને ત્યાં સુધી સાર્વજનિક ધોરણે થવું જ જોઈએ. " આમ છતાં પણ કમી નહિ તે કશું જ નહિ એમ તો બનવું ન જ જોઈએ. એ રીતે જેને જેએ પિતાની વધારે નજીકના માને છે -- તેમને તેઓ પિતાથી બનતી રાહત પહોંચાડશે તે એ રીતે પણ સાર્વજનિક રાહતકાર્યની જવાબદારી હળવી થશે અને એ જ ' કાર્યની થોડી ઘણી પુરવણી થઈ લેખાશે. પરમાનંદ - નિઝામ રાજ્યમાં ધુંધવાતો જવાળામુખી - નિઝામ રાજ્યમાંથી ઉત્તરોત્તર એવા સમાચાર આવી રહ્યા છે કે જે સાંભળતાં ત્યાં કઈ પણ વખતે મોટા પાયા ઉપર કોમી તેમ જ રાજકારણી અથડામણ ઉભી થાય તેવા સંભવ લાગે છે. છેલ્લાં છેલ્લાં તેહાદ-ઉલ-મુસ્લમીનના પ્રમુખ કાસીમ રિઝવીએ રઝાકાર સેવાદળ સમક્ષ કરેલાં વ્યાખ્યાનેએ આખી પરિસ્થિતિને વધારે ઉગ્ર અને ચિતાજનક બનાવી દીધી છે. રઝવીનું ભાષણ વાંચતાં આ તે હિંદુસ્થાનની કમનસીબે કોઈ સવાઈ-ઝીણું ઉભે થયે હેય એમ લાગે છે. ઠરીઠામ બેસતા હિંદુસ્થાનની સુલેહ શાન્તિ કાશ્મીરમાં પ્રશ્નથી ડોળાતી તે રહી છે, પણ નીઝામી રાજ્યમાં બની રહેલી ઘટનાઓ, ઝેરી પ્રચારકાર્ય અને રઝાકાર જેવું કેવળ ખુનખાર વૃત્તિના પાયા ઉપર ઉભું કરવામાં આવેલું સેવાદળ આખી પરિસ્થિતિને અત્યન્ત ગંભીર બનાવી રહેલ છે. આ સંબંધમાં શ્રી કિશોરલાલભાઈ છેલ્લા હરિજનબંધુમાં યથા લખે છે કે “ધર્મને વેશ લઈને કેટલાંક વર્ષથી આપણે દેશમાં સેતાને પ્રવેશ કર્યો છે. ૧૯૪૬ ના ઓગસ્ટથી તેની આ ફર લીલાને આપણને સારી પેઠે પરિચય થઈ ચુક્યા છે. બે : કઠણ અનશન કરી ગાંધીજીએ મહામુશ્કેલીથી તેના વેગને કલકત્તામાં તથા દિલ્હીમાં રોકાયે. પિતાનાં માર્ગમાં વિM આવેલું જાણી સેતાને માઝા મુકી તેમનું છેવટે ખુન કર્યું. હિંદ તેમ જ પાકીસ્તાનની મુસલમાન પ્રજાએ ગાંધીજીએ બનાવેલી સેવાની કૃતજ્ઞતાપૂર્વક કદર બુજી. પરંતુ સેતાને હજુ પિતાની લીલા સમેટી લીધી નથી. દક્ષિણના આ રાજયમાં તેણે તે શરૂ કરી છે. જે હિંમતપૂર્વક એને રોકવામાં ન આવે તે હજુ તે કેવું ઉગ્રરૂપ લેશે તે કહી શકાય એવું નથી. દબાઈ રહેલી પ્રજા, દબાઈ રહેલા અગ્નિની જેમ જ્યારે જાગૃત થાય છે, ત્યારે તેના વેરની વસુલાતને કઈ હદ રહેતી નથી.” આ પ્રમાણે નિઝામના રાજ્યમાં આજે પરિસ્થિતિ એકાએક બગડતી ચાલી છે. આ સંબંધમાં હિંદી યુનીયને. આજ સુધી ખુબ ખામોશી ધારણ કરી છે. હવે તે તેણે સખ્ત હાથે કામ લેવું જ જોઈએ અને નામદાર નિઝામ, નવા કાયદે આઝમ કાસીમ રિઝવી અને ખાઉં ખાઉં કરી રહેલા રઝાકારોની સાન જેમ બને તેમ જદિથી ઠેકાણે લાવવી જોઈએ. આ બાબતમાં જેટલું મોડું થાય છે તેટલે ભાવી પરિણામની ભયંકરતાને ગુણકાર વધતું જ જાય છે. પરમાનંદ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy