SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૧૫-૪-૪૮ પ્રબુદ્ધ જૈન - ૨૪૫ આપશે . - ઠાકોર સાહેબના પિતા અને પિતામહ સાથે જૈન સમાજને જાણે કે બાપે બાંધ્યા વેર જેવું હતું. વર્તમાન ઠાકોર સાહેબ સાથે જન સમાજને પ્રમાણમાં મીઠા સંબંધ હતો, એમ છતાં પણ રાજ્યની જાતજાતની દખલગીરી અને કનડગત તે ચાલુ જ હતી. આજે પણ યાત્રાનિમિતે એ રાજ્યને દર વર્ષે રૂ. ૬૦,૦૦૦ જૈન સમાજને ભરવા જ પડે છે. મારા રાજયમાં ભલે જૈને આવે અને તીર્થયાત્રા કરીને પિતાના જીવનને ધન્ય બનાવે અને પિતાના તીર્થને વધારે ને વધારે ભવ્ય બનાવે એવી કોઈ શુભેચ્છા એ વંશના વંશજોમાં કદિ અનુભવવામાં આવી નહોતી. એની વૃત્તિ કેવળ જન સમાજમાંથી બને તેટલે લાભ ઉઠાવવાની જ હતી. આજે કાળ બદલાય છે અને હકુમત પલટાણું છે. આજે અન્યત્ર તેમ જ ત્યાં એવી હકુમતની સ્થાપના થઈ છે જેને મન સર્વ કોઈનું સુખ, આનંદ અને શ્રેય એ જ એક માત્ર ચિન્તાનો વિષય છે, જેને કોઈ પણ સમાજની ધાર્મિક ભાવનામાંથી આર્થિક લાભ ઉઠાવવાની વૃત્તિ થવાને સ્પને પણ સંભવ નથી. આ રીતે આપણું શત્રુંજય પણ આ કાઠિયાવાડની નવી કાયાપલટથી આઝાદી પ્રાપ્ત કરે છે. આ કારણે સૌરાષ્ટ્રનું અધતન એકીકરણ આખા હિંદુસ્તાનના જૈન સમાજને માટે અત્યન્ત આનંદદાયી અને આવકારત્ર્ય ઘટના છે, અને તેથી આ નવી રચનાને બને તેટલો ટેકો આપવો અને તેમના ભગીરથ કાર્યમાં બને તેટલું સાથ આપે એ જૈન સમાજની ખાસ ફરજ બને છે. સાથે સાથે આજના આ આનંદમય વાતાવરણને શત્રુજ્ય તીર્થને લગતો રૂ. ૬૦૦૦૦ ને વાર્ષિક કર રદ કરીને સૌરાષ્ટ્રની નવી સરકાર સવિશેષ પ્રેસાહન આપશે એવી આપણે સૌરાષ્ટ્રની સરકાર પાસેથી આશા રાખીએ તે તે વધારે પડતું નહિ લેખાય. પરમાનંદ ધાર્મિક ટ્રસ્ટની તપાસ સમિતિને કાર્યપ્રદેશ * ધર્માદા ટ્રસ્ટના ઉદ્દેશે, વ્યવસ્થા અને વહીવટ સંબંધી તપાસ કરીને રીપેર્ટ કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી. ટંડુલકરના પ્રમુખ પણ નીચે શ્રી. શાન્તિલાલ શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, મુંબઇ સરકારના એડવોકેટ જનરલ શ્રી ઘારપુરે, શ્રી ભોગીલાલ લાલા, શ્રી દુલ કોટિ અને શ્રી એન. એચ. પંડયાની એક સમિતિ મુંબઈ સરકાર તરફથી નીમવામાં આવી છે. આ સમિતિ તરફથી એક પ્રશ્નાવલિ કાઢવામાં આવી છે અને જુદી જુદી સંસ્થાઓ ઉપર મોકલવામાં આવી છે. આ પ્રશ્નાવલિ અને પ્રસ્તુત સમિતિને ઉદેશ અને કાર્યપ્રદેશ સંબંધમાં તા. ૧૦-૪-૪૮ ના રોજ સમિતિના પ્રમુખ શ્રી ડુલકરે પત્રકારોને મુલાકાત આપતાં જે કાંઈ જણાવ્યું હતું તેમાંની કેટલીક વિગતે તે જ તારીખના જન્મભૂમિમાં અને આજ પ્રશ્નનું વધારે સ્પષ્ટીકરણ કરતી કેટલીક વિગતે તે જ તારીખના વદેમાતરમમાં પ્રગટ થઈ છે. એ બને સંકલિત કરીને અહિં પ્રગટ કરવામાં આવે છે. - જન્મભૂમિ: શ્રી ડુલકરે જણાવ્યું હતું કે : “ જાહેર સખાવતી સંસ્થાઓમાં ચાલી રહેલી ગેરરીતિઓ ગેરવહીવટ અટકા.. વવા તથા આવી સંસ્થાઓમાં સ્થગિત થઈ ગયેલાં નાણું આમજનતાના હિત માટે વપરાય તેવાં પગલાં સરકારને સૂચવવા માટે આ સમિતિ જવામાં આવી છે. સમિતિ આમજનતાના નિર્ણયને માન આપશે એવી હું તમને ખાત્રી આપું છું. “જાહેર સખાવતી સંસ્થાઓ પાસે પડી રહેલી એક અબજ કીંમતની મિલ્કતોને આજથી વર્ષો પુર્વે ઘડાઈ ગયેલી રીતે ઉપયોગ કરવામાં આવે છે. સમાજ જે રીતે પિતાનું દૃષ્ટિબિન્દુ અને સખાવતનાં મુલ્ય બદલે છે તે રીતને આ સખાવતી સંસ્થાઓ કેટલી યે વખત સ્વીકારતી નથી. એટલે આજે જયારે માણસે ભુખે મરે છે ત્યારે પણ કેટલીક સંસ્થાઓ વાંદરાઓ, કાચબાઓ, અને કીડી. એને ખવડાવવા માટે ધન વાપરે છે, અને અનાજ વેડફે છે. પલટો લાવવો પડશે આપણે આપણા સખાવત અને દાનના ખ્યાલોમાં હવે સપ્ત પલટે લાવવા પડશે. સો બસે વર્ષ પહેલાં કંઈ માણસે ચોકકસ રીતે પિતાનું ધન વાપરવાનું વિચાર્યું હોય તે પણ આજે જયારે બીજી બધી વસ્તુઓનાં મુલ્ય બદલાયાં છે ત્યારે આપણે સખાવતનું સ્વરૂપ પણ બદલવું પડશે એમ મને લાગે છે. અમે મેકલેલા પ્રશ્નપત્રના જવાબમાં પણ મેટા ભાગના સભ્યો આમ જ જણાવે છે. અમે જનતાના અવાજને ટેકો આપીશું અને મને વિશ્વાસ છે કે સરકાર પણ જનતાને ટેકો આપશે જ.” મર્યાદિત કેમ? આ સમિતિ માત્ર જૈન અને હિંદુ સંસ્થાઓ પુરતી મર્યાદિત કેમ રાખવામાં આવી છે એવા પ્રશ્નના જવાબમાં શ્રી. સેંડુલકરે જણાવ્યું હતું કે “સરકાર એક પછી એક કોમવાર તપાસ કરવા માગે છે અને એ રીતે જ પગલાં લેવા માગે છે. આ સમિતિનું કામકાજ પુરૂં થયા બાદ પારસી તેમ જ મુસ્લિમ ટ્રસ્ટની તપાસ પણું શરૂ કરવામાં આવશે. સલાહ માગે છે “આ તપાસ સમિતિએ તૈયાર કરેલા પ્રશ્નપત્ર મુજબ, સમિતિ, જનતા પાસેથી જાહેર સખાવતી સંસ્થાઓમાં ચાલી રહેલી ગેરરીતિઓ તથા એ ગેરરીતિઓને સુધારવાના ઉપાય અંગે સલાહ માગી રહી છે. સમિતિ આવી ગેરવહીવટવાળી સંસ્થાઓ માટે કમીશનરે નીમવા કે નહિ તથા સંસ્થાના રોજબરોજના કાર્યક્રમ પર સરકારી નિયંત્રણ હોવું જોઈએ કે નહિ તે અંગે પણ સલાહ માગે છે. દિવસે દિવસે સખાવત અંગેના બદલાના ખ્યાલ અંગે જનતાને શું કહેવાનું છે તે પણ સમિતિ જાણવાની અપેક્ષા રાખે છે. આ પ્રશ્નપત્ર તથા આને અંગેની બીજી વધુ માહીતી સમિતિના મંત્રી, સરકારી સોલીસીટર લીગલ ડીપાર્ટમેન્ટમાંથી મળી શકશે.” સ્થિગિત નાણાં શ્રી ખેંડુલકરે જણાવ્યું હતું કે “મદ્રાસ સરકારે તો તીરૂપથીના મંદિરની આવકમાંથી માત્ર હિંદુ જ નહિ પણ તમામ કામના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખાલી છે. આપણે અહીંના એક મંદિર પાસે ત્રણ લાખ રૂપિયા રોકડા પડયા છે. આ રકમ તદ્દન સ્થગિત પડી છે. શા માટે તેને ઉપયોગ શિક્ષણવિષયક કે તબીબી સહાય માટે કરવામાં ન આવે ? જનતા અત્યારે આ લાઈન પર વિચાર કરી રહેલ છે અને જનતાના જવાબ પર આધાર રાખીને અમારે સરકારને સુચને કરવાનાં છે. હાઈકોટે સખાવતને વિશાળ અર્થ કરીને કેટલાક કિસ્સાઓમાં મૂળ જાહેર કરવામાં આવેલા હેતુઓ સિવાય બીજા હેતુ માટે સંસ્થાની રકમ વાપરવાની રજા આપી છે. સરકાર આ અંગે યોગ્ય ખરડે કરીને બધી સખાવતી સંસ્થાઓમાંથી આમજનતાનું વધુમાં વધુ. " કલ્યાણ થાય તે રીતનાં પગલાં લેવા માગે છે.” - એકસરખા જવાબ શ્રી. સેંડુલકરે વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને અત્યારસુધી અમને મળેલા જવાબમાં જૈન સખાવતી સંસ્થાઓ અંગે ચોક્કસ ઘરેડના જવાબે જ મળ્યા છે. મોટા ભાગના જવાબમાં એમ જ લખવામાં આવ્યું છે કે અમારી સંસ્થાઓ બહુજ સારી રીતે ચાલે છે ને તેમાં દખલગીરી કરવાની કશી જરૂર નથી. એક જ ઘરેડના આવેલા આ જવાબેએ અમને જરા વિચાર કરતા કરી મૂક્યા છે. ઇચ્છું છું કે હજી વધુ જેને આ અંગેની બીજી બાજુની વધારે માહીતી અમને પુરી પાડે તો સારું.” શ્રી. ઠંડુલકરે જણાવ્યું હતું કે ખાનગી સખાવતી ટ્રસ્ટ આ સમીતીના કાર્યક્ષેત્રમાં આવતા નથી.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy