SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૪ ; ; : ૨૪ આ સુખઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પ્રભુ ન તંત્રી: મણિલાલ માકમચંદ શાહ, સુબઈ : ૧૫ એપ્રિલ ૧૯૪૮ ગુરૂવાર, સૈારાષ્ટ્ર સરકારને અભિનન્દન કાઠિયાવાડના ઇતિહાસનુ આછું રેખાચિત્ર ચાલુ એપ્રીલ માસની ૧૫ મી તારીખે સૌરાષ્ટ્રની નવી સરકારને પૂર્ણ સ્વરૂપે વહીવટ શરૂ થાય છે. કાઠિયાવાડનાં સવ દેશી રાયે આ નવી હકુમતમાં જોડાઇ ગયાં છે. અમરેલી પ્રાન્તના ગાયકવાડી વિભાગ, હિંદી સરકારનાં ધોધા રાષ્ટુપુર જેવાં એ ત્રણ મથકા, પાટુ’ગીઝ સરકારનુ દીવ-આવાં થોડાંક ટપકાં સિવાય આખા કાઠિયાવાડ ઉપર સૌરાષ્ટ્ર સરકારની હકુમત સ્થપાઇ ચુકી છે અને શ્રી ઉછર`ગરાય ઢેબર જેવી પવિત્ર, સુચરિત, શક્તિશાળી વ્યકિત જેના મુખ્ય સ્થાને છે એવા પ્રધાનમંડળના હાથમાં કાઠિયાવાડના ૪૦ લાખ પ્રજાજનાનુ ભાગ્યનિર્માણુ સોંપાયું છે. આ કારણે આ એપ્રીલ માસની ૧૫ મી તારીખ આખા કાઠીયાવાડમાં એક મહાન પર્વદિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉત્સવ સમારભના અનુસંધાનમાં મુ`બઈના કાયિાવાડ પ્રધાનમંડળ તરફથી મુંબઇ ખાતે કાઠિયાવાડના પ્રથમ પ્રધાનમડળના એક ભવ્ય સન્માનસમારા ગઠવવામાં આવ્યું છે. આ ભાંગળ પ્રસ`ગે પ્રબુદ્ધ જૈન' સૌરાષ્ટ્રના યશસ્વી પ્રધાનમ`ડળને અંતરના આવકાર આપે છે, તેમનું હાર્દિક અભિનન્દન કરે છે અને તેમના સર્વાં શુભ પ્રયત્ન તેમ જ પ્રવૃત્તિઓને સફળતા ઇચ્છે છે. સૌરાષ્ટ્ર 'દુસ્થાનના એક અગત્યના વિભાગ છે. હિંદુસ્થાન શાક અરબ્બી સમુદ્રના ખેાળામાં પડેલે સૌરાષ્ટ્ર પણું એક દ્વિપકલ્પ છે. સૌરાષ્ટ્ર ધનધાન્યવિપુલ દેશ છે. તેના વિશાળ પૃથ્વીપટને ગીરનાર, શત્રુજ્ય જેવા પત્ર' અને ભાદર, મચ્છુ, શેત્રુંજી જેવી નદી અને જુનાગઢ, જામનગર, ભાવનગર, રાજકૅાટ જેવી ભવ્ય નગરીએ શેાભાવી રહેલ છે. સૌરાષ્ટ્ર ખેતીપ્રધાન પ્રદેશ છે અને સૌરાષ્ટ્રના વ્યાપારીઓની સાહસિકતા અને દેશપરદેશમાં ખાહેાશીભર્યાં વ્યાપારી ખેડાણાને લીધે સૌરાષ્ટ્ર જગમશહુર છે. દુનિયાના કોઇ પણ એવા દેશ નહિ મળે કે જ્યાં સૌરાષ્ટ્રના વ્યાપારીએ પેાતાની પેઢી નાખી નહિ હાય. એક બાજુ આફ્રીકા અને બીજી બાજુએ સીલેન, બ્રહ્મદેશ, જાવા, સીંગાપાર અને જાપાન સૌરાષ્ટ્રવાસીને મન ધરઆંગણાના દેશો છે. હિંદુસ્થાનના અંગઉપાંગમાં સૌરાષ્ટ્રની પ્રાચીનતા અનુપમેય છે, એટલું જ નહિ પણ હિંદના ઇતિહાસમાં બનેલી દરેક ઐતિહાસિક ઘટનાઓના આધાતપ્રત્યાધાતા કાફિયાવાડને સીધી રીતે સ્પર્શીતા રહ્યા છે. સદ્ગત કવિસમ્રાટ નાનાલાલે યથાથ પણે વધુ બ્યુ છે કે કાઠિયાવડને ઇતિહાસ હિંદના ઇતિહાસનું એક સ ંક્ષિપ્ત સ્વરૂપ છે. પ્રભાસ અને દ્વારિકા, ગિરિનગર ( આજનું જુનાગઢ ) અને મયુરધ્વજ નગર (આજનું મેરખી), વલ્લભીપુર (આજનું વળા) અને સુદામાંપુરી (આજનું પારખંદર) આ બધી કાઠિયાવાડની પુરાણકાળ પ્રસિધ્ધ નગરીએ છે. ભગવાન શ્રીકૃષ્ણ કે મથુરા ડી કાઠિયાવાડમાં વાસ કર્યાં હતા અને દ્વારિકાને પેાતાની રાજધાની Regd. No B, 4266 વાર્ષિક લવાજમ રૂપિયા ૪ બનાવી હતી. સમ્રાટ શાકના પ્રાચીન શિલાલેખા જુનાગઢની ભાગાળને આજે પણ શૈાભાવી રહ્યા છે અને પુરાતન સંશોધકાને આકર્ષી રહ્યા છે. ગુપ્તવશના ચક્રવર્તી ચંદ્રગુપ્તના રાજ્યધ્વજ કઠિયાવાડની ધરતી ઉપર ક્રી ગયા હતા. વલ્લભીપુરનું મહારાજ્ય કાઠિયાવાડની સીમાએ એળ’ગીને હિંદુસ્થાનના અનેક વિભાગે ઉપર પથરાયું હતું. મહમદ ગીઝનીની હિંદુસ્થાન ઉપરની ચઢાઇ સાથે પ્રભાસપાટણ કંઇ કાળથી સંકળાયલુ છે. ગુજરાતના મહારાજ્યો સાથે કાયિાવાડના આદિકાળથી ધનિષ્ટ સંબંધ વતા હતા. સિદ્ધરાજ, રા'ખેંગાર અને રાણકદેવીની કથા વિષે આજની પેઢી પણ એટલું જ તીવ્ર સંવેદન અનુભવી રહેલ છે. હિંદુસ્થાનમાં એક પછી એક સામ્રાજ્ય આવ્યુ અને વિલય પામ્યુ’. પ્રત્યેક સામ્રાજ્ય સાથે કાઢિયાવાડ ગાઢપણે સંકલિત હતું. મોગલ સામ્રાજ્યના અસ્ત થયા અને ભરાાએ અંતે પેશ્વાનુ સામ્રજ્ય અસ્તિત્વમાં આવ્યુ. અને એ પેશ્વાના પ્રતિનિધિ ગાયકવાડની કાઠિયાવાડ ઉપર હકુમત સ્થપાઇ. તે પાછળ અંગ્રેજો આવ્યા અને તે સત્તાએ પણ કાઠિયાવાડને પાતાને આધીન બનાવ્યું. અંગ્રેજો આવ્યા પહેલાં હિંદના નાના મેટા સામ્રાજ્યો સાથેના કાઠીયાવાડનાં જોડાણા કેવળ ઔપચારિક અને ઉપરછલ્લાં હતાં. ત્યાંસુધી કાર્ડિયાવાડના ભિન્ન ભિન્ન રાજ્યે લગભગ સ્વાધીન હતાં અને તપેાતાની રીતે આત્મવિકાસ સાધવા માટે સ્વતંત્ર હતા; એટલું જ નહિં પણુ રાજા તેમ પ્રજાના રક્ષણની જવાબદારી દરેક રાજ્ય પોતે વહુન કરતુ' હતું. અંગ્રેજ સામ્રાજ્યને આધીન બનેલા કાઠિયાવાડને ૧૮૦૭ માં કરવામાં આવેલા વેકર સેટલમેન્ટ દ્વારા ૨૦૨ રાજ્યામાં વહેંચી દેવામાં આવ્યુ. અને દરેક રાજ્યને અનેક આાન્તરબાહ્ય અંધને વધુ જકડી દેવામાં આવ્યું. આ સમયથી કાઠિયાવાડ ખરેખર પરાધીન બન્યુ, અને કાઠિયાવાડના દરેક રાજવી એક બાજુ અંગ્રેજી હકુ મતના ગુલામ બન્યા અને બીજી બાજુએ પેાતપેાતાની પ્રજાપુરત સસત્તાધીશ બન્યું. આવી કુદરતી પરિસ્થિતિ વચ્ચે પ્રજાજીવન રૂંધાવા લાગ્યુ અને છિન્નભિન્ન થવા માંડયુ. કાર્ડિયાવાડના સાહસિક વ્યાપારીઓએ તેમ જ વિશિષ્ટ શકિતશાળી માનવીએ કાઠિયાવાડ છેડીને અન્યત્ર પેાડાપેતાની શકિતના વિકાસને અનુકુળ ક્ષેત્રના આશ્રય લેવા માંડયા. કાઠિયાવાડ ક્ષીપ્રાણુ ક્ષીણુસત્વ બનવા લાગ્યું. ૧૯૪૮ ની ઓગસ્ટની ૧૫ મી તારીખે હિંદુ આઝાદ થયુ અને અગ્રેજી હકુમતના કાઠિયાવાડના રાજવીઓ ઉપરના પશુ કાબુ લય પામ્યો. રાજા એક બાજુએ સર્વસત્તાધીશ બન્યા અને બીજી બાજુએ અંગ્રેજ સત્તાની હું અને અવલંબન તેમણે શુંમળ્યાં. કાઠિયાવાડની પ્રજા પોતાના ભાવી વિષે સંચિન્ત બની, વ્યાકુળતા અનુભવવા લાગી. એ જ અરસામાં જુનાગઢના નવાબસાહેખે પાકીસ્તાન સાથે પોતાના રાજ્યનું જોડાણુ જાહેર કર્યું. આ ઘટનાથી કાઠિયાવાડની સમસ્ત પ્રજા ખળભળી ઉઠી. શ્રી. સામળદાસ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy