SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪૮ પ્રશુદ્ધ જેન પ્રેમ અને પ્રતિભા આખા વિશ્વ ઉપર શક્તિશાળી વ્યક્તિ જ સામ્રજ્ય ભેળવે છે. પણ એ ઉપરથી એમ નથી સમજવાનું કે જેએ સામ્રાજ્ય ભોગવે છે તે બધા પ્રતિભાશાળી હોય છે. કાઇ સત્તાધીશ યા સેનાધિપતિ બન્યા તેટલા માત્રથી જ તેને પ્રતિભાશાળી કહી શકાય નહિ. સામાન્ય સત્તાધીશે તે માત્ર માનવશરીર ઉપર જ સત્તા ચલાવી શકે છે. તેથી માનવી ખીએ છે, જ્યારે ખરા પ્રતિભાશાળાથી કોઇ ભય પામતું નથી. આવા પ્રતિભાશાળી પુરૂષ પ્રજાના હૃદય ઉપર સામ્રાજ્ય ભેળવે છે. લેાકેા મહાવીર કે કૃષ્ણની જય ખેલે છે, ગાંધી કે જવાહરતી જય ખેલે છે, પણ કદીયે કાઈને કાઇ શહેનશાહની જય ખેલતાં સાંભળ્યા નથી. એ જ બતાવી આપે છે કે પ્રજાના હૃદય-સિંહાસન ઉપર કાણુ ખીરાજે છે. સત્તાશાળી કે પ્રતિભાશાળી ? પશુબળથી દુનિયાને વશ કરનારા ધણા છે, પણ પ્રેમથી પ્રજા-હૃદયને જીતનારા પ્રતિભાશાળી પુરૂષ વિરલ હાય છે. પ્રતિભા એટલે આત્મજ્યોતિ, અન્તરજ્યોતિ, જ્ઞાનનું તેજ, દિવ્ય પ્રકાશ; એટલે આપણામાં રહેલા પ્રકારા. આવા પ્રતિભાશાવીએની સામે સત્તાધીશોના મસ્તક માત્ર નહિં, પણ હૃદયા પણું ઝુકી જાય છે. શ્રેણીક જેવા મહારાજ અનાથી મુનિની સામે નમી પડે છે. શુ' હતુ તેમની પાસે? પહેરવા પૂરાં વસ્ત્ર ન હતાં, કે એક વખતની ખાધા ખારાકી પણ ન હતી. તે શ્રેણીક કાને નમે છે ? શ્રેણીક નમે છે મુનિની પ્રતિભાને, જીવનની જવલંત જ્યોતિને. મહાવીર તથા બુદ્ધ અને અન્ય અવતારી પુરૂષોને તેમની પ્રતિભાને લીધે જ યુગયુગની વદના ચાલુ રહી છે. પ્રતિભાનો અર્થ છે આત્માજ્યાતિ. તે પ્રેમમાંથી પ્રગટે છે, અને તેમાંથી શાન્તિના અખંડ પ્રકાશ ઝરતા રહે છે. માનવ આ પ્રકાશમાં પેાતાની શાન્તિ અનુભવે છે અને એ શાંતિ અર્પનારનેહૃદય જીતનારને પ્રતિભાશાળી પુરૂષ કહે છે. આવી પ્રતિભાથી લેક-હૃદયનાં વિશાળ સામ્રજ્ય ઉપર તેઓ પોતાના પ્રેમનું શાસન ચલાવે છે. પ્રતિભાના જનકસ્થાને બીરાજેલ પ્રેમ સવ`દુઃખને રામબાણુ ઉપાય છે. પ્રેમથી ગરીમાને દિલાસા, નિ`ળને ખળ, કાયરને ધૈર્ય, અને નિરૂત્સાહીને ઉત્સાહુ આપી શકાય છે. પ્રેમથી પારકાને પેાતાનાં બનાવી શકાય છે, બગડેલાને સુધારી શકાય છે, વિખૂટા પડેલાઓને જોડી શકાય છે. પ્રેમથી શું નથી થતું. ? કટ્ટર દુશ્મન પશુ દિલેજાન દોસ્ત બની શકે છે. મહાવીરે ભયંકર ચંડકષિકને અનુયાયી બનાવ્યેા. બુધ્ધે અંગુલીમાલ લુટારાને સાધુ બનાવ્યા મહાત્માજીનુ જીવન આપણી સામે જીવાયું છે, ધારેિધીઓને તેમણે પેાતાના મિત્ર બનાવ્યાનુ આપણે જાણીએ છીએ. આા બધે પ્રેમને જ જાદુ છે. સ્થાને સ્વતંત્ર વિચારશકિત, ન્યાયદર્શન, ઉદારતા, પરમતસહિષ્ણુકતા અને રસ્પષ્ટ મન્તવ્ય રજુ કરવા જેટલી નૈતિક હિંમત જાગૃત થશે અને હૃદય, બુદ્ધિ અને તર્કની પણ શુદ્ધિ થશે. આ પ્રજાજાગૃતિના યુગમાં આપણા વિદ્યાર્થીએ પાસેથી આવી માશા રાખીએ તે તે વધારે પડતી નથી. જો આ કાÖમાં સફળતા પ્રાપ્ત થશે તે આજનું આપણુ જીવન જે વાડાબ’ધી અને પક્ષાપક્ષીથી આજે આપણને છિન્નભિન્ન થયેલુ લાગે છે તે પોતાનામાં સને અને સર્રમાં પોતાને સમાવી લેવાની આવડતથી જીવવા જેવું ભયુ" ભયુ" બની રહેશે અને ત્યારે જ આપણે આ મૃત્યુલેક ઉપર સ્લંગ' ઉતારી શકવા જેટલા ભાગ્યશાળી બનીશું. રતિલાલ મતભાઇ શાહુ ૨૩ પ્રેમની સાધના અતૂટ શ્રદ્ધાને માગે છે. શ્રદ્ધા વિના તે માગે પ્રયાણ કરવું અશકય છે. આજે આપણે એકના સેફ ડીપોઝીટ વેલ્ટ્સમાં શિપયા મૂકી આવીએ છીએ, આવતી કાલે તે મળશે કે નહી' એવી શ*કા કાઇ કરતું નથી. તેમ જ આજે નિવૈર થઈ પ્રેમથી આપણે વર્તીએ. એની અસર સમાજ ઉપર થશે કે નહી' એ વિષે સાશક થવાની જરૂર છે જ નહિ. રસ્તા પરનાં ટપાલના થાંભલામાં કાગળ નાંખીએ છીએ તે વખતે આપણા મનમાં સંપૂર્ણ ખાતરી હોય છે કે અમુક કલાક પછી અમુક સરનામે કાગળ જરૂર પહોંચી જશે. આ ખાતરી માટે ટપાલખાતાની બધી વ્યવસ્થા અને તેમાં કામ કરનાર માણસે:ની નામાવળી જાણવાની જરૂર નથી હતી. તેવી જ રીતે પ્રેમની અસર વિષે આપણને વિશ્વાસ રહેવા જોઇએ. પ્રેમથી જ વૈર જીતાય છે. વૈરભાવથી જ વૈરભાવના ત આવે છે. વૈરથી વૈર શમતુ નથી એ સનાતન સિધ્ધાંત આપણા પૂજો ગાઇ ગયા છે. ભગવાન બુધ્ધે કહ્યું છે કે-હિ વેરે વેરાલિ, संमती च कदाचन । अवेरेण च समंति, एस धम्मो सनातनी ॥१॥ બ. મહાવીરે પણ શત્રુતાનું એક માત્ર એસડ મૈત્રી જ બતાવ્યુ છે. અને મહાત્મા ગાંધી તેમના જીવન અને ઉપદેશ વડે શું એ જ નથી બતાવી ગયા? કલકત્તાના ઉપવાસેના પરિણામરૂપે ગુડાએ ગાંધીજીના ચરણમાં હથીયારા મૂકી દીધાં. દુનિયાની સૌથી મેટી સલતનત પણુ જે ન કરી શકત તે તેમણે કર્યું. કાઇ પણ સત્તા ગુંડાઓને મારી શકત, પણ તેમનુ મન પવિત્ર બનાવી હથીયાર સૂકાવવાનું કામ પ્રચંડ સત્તાથી કદિ પણું ન જ થાત. ગાંધીજીએ આ કામ ક શક્તિ વડે કયુ તે કહેવાની જરૂર રહેતી નથી. ભ. સુએ પોતાના ગિરિપ્રવચનમાં ઉપદેશ્યું છે કે‘Love your enemy' ‘મારા શત્રુ ઉપર પ્રેમ કરે.' ‘Bless them that curse you.' ‘શાષ આપનારને આશીર્વાદ આપે.’ પાપી તરફ તિરસ્કારની નજરે નહિ પણ કરૂણાની નજરે જુએ. જુલ્મીનુ મુરૂ નહિ પણ બલુ ઇચ્છે, ૨૯-૧-૪૮ એટલે ગાંધીજીના અવસાનને ગાગલે દહાડે એક અંગ્રેજ મહિલાએ મહાત્માજીને પૂછ્યુ કે–‘અમેરીકાને એટમ એમ્બે બનાવવાનું છેાડી દેવાની સલાહ તમે આપે ખરા ?'' તેમણે કહ્યું •‘મેલાશક, આજે સ્થિતિ એવી છે કે યુધ્ધતા અન્ત મેટી આપત્તિમાં આવ્યા છે. યુદ્ધમાં ખુદ વિજય મેળવનાર પક્ષ કર્યાં અને સ-તાના લેાભની ભાવનાના જોર આગળ હારી ખેઠા છે. ત્રીજા યુધ્ધને માટે લેાકાનાં માનસ તૈયાર કરવાનું કામ શરૂ થઈ ચૂકયું છે. અને એ યુધ્ધ પાછળના કાઈ પણું યુધ્ધના કરતાં વધારે મેટી આફતરૂપ નીવડે એવા પૂરે સંભવ છે. અહિં’સા એટમખેમ્બનાં કરતાં કેટલુ યે વધારે જોરાવર શસ્ત્ર છે ? અરે ખુદ હીરાશીમાં જેના પર એટમએમ્બનો પ્રયોગ અમેરીકાએ કર્યાં તે શહેરના લેાકેા પેાતાના દિલમાં શ્વર પ્રત્યેની પ્રાથના પેાતાના પર જીલ્મ ગુજારનાર પ્રત્યે શુભેચ્છાની લાગણી રાખી હુજારાની સખ્યામાં મરણને શરણ થયા હેત તે જાણે કોઇ ચમત્કાર થયા હોય તેમ એકદર પરિસ્થિતિનું ઈષ્ટ રૂપાંતર થઇ જાત. '' મહાત્માજીના આ અને આવા ખીજા ઘણાં લખાશે અને ઉપદેશો પરથી એ સ્પષ્ટ દેખાય છે કે નિવૈર બની પ્રેમ અને શુભેચ્છાથી શત્રુને મિત્ર બનાવી શકાય છે. અને એવું તેમણે જીવી પણ બતાવ્યું છે. આફ્રીકાની જેલમાંથી જનરલ સમટ્સને પેતે હાથે બનાવીને ચંપલ ભેટ મોકલ્યા અને પ્રેમની એ નાની સરખી કૃતિ કારણે જેમની સામે મહાત્માજી લડતા હતા અને જે જનરલ સ્મટ્સ મહાત્માજીને પોતાના વિરોધી સમજતા હતા તે જ મહાત્માજીના
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy