SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પ્રશુદ્ધ જૈન ભિન્ન ભિન્ન વાદેશના સમન્વય આ અનંત અનત ભાસતા વિશ્વને પેલેપાર શુ હશે, એની વિશાળતાના અંત કયાં હશે, એના ઉંડાણને તાગ કયાં હશે, એની ઉત્પતિથ્યમાં કયું તત્ત્વ કામ કરી રહ્યું હશે એની શેષ પાછળ હજારા ભકતા, સંતે અવતારો કે પયગમ્બરે એ પેાતાનુ સમગ્ર જીવન વ્યતીત કરી નાખ્યું છે. તાપણુ એનુ આંતિરરહસ્ય ઉકેલવા હજુ કાઇ સફળ થયું નથી. છતાં એ પ્રયત્ન હજી અટકયે। પણ નથી. એક બાજુ આજના વિજ્ઞાનશાસ્ત્રીએ એના તાગ લેવા મથી રહ્યા છે, તે ખીજ બાજુ વિચારકા અને યાગીઓએ એની સાધના છેાડી પણ નથી. છતાં એ બધાએ પેાતપેાતાની રીતે એને ઉકેલ શોધવાને ભગીરથ પ્રયત્ન કર્યાં છે. એમાંથી એમને જે નવનવાં સત્યેા હાથ લાગ્યા છે એ ઉપરથી સમજાય છે કે કેટલાકએ પોતાની રીતે સમાધાન મેળવ્યુ' છે. કાઇએ શ્રવાઃ મનાવ્યોષ વાણી અને મનથી પર' કહી મૌન સેવ્યુ' છે. કોઈએ ‘કહી શકયા નહી તે પણુ શ્રી ભગવાન જો' કરી ખુલ્લે દિલે નિષ્ફળતાને એકરાર પણુ કર્યાં છે. તે વળી કોઇએ અનાદિ અનંત કહી એના પર પડદો પાડયે છે. બુધ્ધે એ કુટસ્થ તત્ત્વ પાછળ માથું બગાડવા કરતાં માથું જ ન મારવાની સલાહ આપી છે, જ્યારે મહાવીરે વળી એ બધી વિવાદાત્મક વિચારપદ્ધતિઓમાંથી સુંદર સમાધાન મેળવી લેની સુભગ દૃષ્ટિ શિખવી છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે અજ્ઞાનીએના સે મત અને જ્ઞાનીએના એક મત. કલેશ અને દુઃખથી ભરેલા આ તપ્ત જગતમાંથી - કાઇ પણ રીતે સમાધાન મેળવી સાચી શાંતિ પ્રાપ્ત કરવી એમાં જરૂર સહુ એકમત છે. પણ જગતનું રહસ્ય ઉકેલવામાં આજના વૈજ્ઞાનિકાની જેમ તે એકમત થયા નથી. જગતના ભૌતિક તત્ત્વમાંથી જેટલાનું એ શેાધન કરી શકયા એને પ્રત્યક્ષ અનુભવ કરાવી એના લાભ ઉઠાવવાની કળા શીખવી છે જે અદ્ભુત એકરાગતા વિજ્ઞાનીએએ પ્રાપ્ત કરી છે એવી એ નાનીએએ હજુ સિદ્ધ કરી નથી. એથી તે નાનીએના સા મત અને વિજ્ઞાર્નીએના એક જ મત કહેવાય. અને એ દૃષ્ટિએ જોઈએ તે જે ભવ્ય જ્ઞાનવારસે આપણને પ્રાપ્ત થયા છે તેમાં કાઇ પણ પ્રકારની એકરૂપતા ન હાઇ અવિશ્વાસનીય જ રે. પશુ મૂળ વાત તે એ છે કે એ બધા અનુભવ–જ્ઞાની જે ભવરેગ ટાળનારા ઉત્તમ વૈદ્યા હતા તેમણે જનતાની નાડ પારખીને જ રાગ મુજબ ઔષધિ આપી હતી. દેશ, કાળ તથા તે તે યુગના માનવીએના સ્વભાવ, સમજ, બુધ્ધિ અને શ્રધ્ધારૂચિને ખ્યાલ રાખીને જ એમણે તત્ત્વનિરૂપણ સમજાવવા પ્રયત્ન કરેલા. આથી એમની કથનશૈલી અને વસ્તુનિરૂપણુ જુદાં ડૅાય એ સંભવિત છે. પશુ ત્યાર બાદ રાગાંધી ભકતએ પોતાના પ્રિયની આપેલી ઔષધિને જ રાગનિદાન જાણ્યા વિના વાપરવા માંડી અને સહુ પેત પેાતાની ઔષધિ જ સવરાગારિ છે એમ પ્રતિપાદન કરવા લાગ્યા. એ ઔષધિથી રોગ મટે છે કે નહિ એ કઇ આજે વિચારતુ નથી. ફકત પિતા અને પિતામહ વાપરતા માટે આપણે પણ વાપરવી એ જ એક માત્ર એમને મૂઢ જવાળ હોય છે. રાગ મુજબ ઔષધિ અપાય તેમ મુમુક્ષુની ભુમિકા જોઇ ગુરૂઓએ સત્યના માર્ગો શીખવ્યા હતાં. એ માગ દૃષ્ટિ-દર્શન કે બાદ' કહેવાતાં આજે સિદ્ધાંત બની યુધ્ધન મેદાન થઇ પડયાં છે. જ્યાં સુધી એ બધા વાદે' વાદવિવાદના અખાડા બની રહેશે અને જ્યાં સુધી વાદને વા .આપણા મગજમાંથી નહી મટે ત્યાં સુધી ‘વાદ'ના વિવાદે મટવાનાય નથી અને સત્યના માગે. આપણે ચડવાનાય નથી... તા. ૧-૪ ૪ પણ પ્રશ્ન એ ઉઠે છે કે વા'ના આપણા વારસાગત લેહીમાં થર જામ્યા છે અને જેણે આપણે શ્વસેાશ્વાસ બની સ્વચ્છ પ્રાણવાયુ પુરા પાડયા છે એ વાદેને કેમ ટાળી શકાય? અને એના વિના સત્યને માર્ગ આપણને જડે પણ કેમ ? જે શ્વરવાદે નમ્રતા અને ભિકન શીખવી આપણને નિય બનાવ્યા, જે પુરૂષાર્થવાદે આપણામાં રહેલા અખૂટ શકિતભ'ડાર આત્મતત્વને બહાર લાવતાં શીખવ્યું, જે ખાવાદે જીવમાત્રમાં પેાતાને જોતાં શીખવી સમભાવ કેળન્મ્યા, જે ક્ષણુિવાદે જગતની ક્ષણુભંગુરતા બતાવી આપણને વૈરાગ્યભાવ આપ્યા. જે જ્ઞાનવાદે આપણને જ્ઞાનામૃતનાં પાન કરાવી બહ્માનંદ ચપ્પાયે, જે કમ વાદે આપણને નિષ્પક્ષ ન્યાય અને સમાનતાને કાયદો સુણાવી પાપભીરૂ બનાવ્યા, જે કમ યાગવાદે સાર જગતને સારરૂપ બતાવી આપણને જીવન જીવવાની કળા શીખવી તેમ જ જે ‘નાસ્તિકવાદે' આપણને વેવલા બનતા અટકાવી વ્યવહારતૢ બનાવ્યા એ બધા વાદે ભૂલી શકાય એમ નથી, ભૂલી પણ કેમ શકાય? અને જીવનમાં એમનું સ્થાન નથી એમ પણ કેમ કહેવાય ! વાદા ભૂલાય તેમ નથી, ભૂલી શકાય એમ પણ નથી એ સાચું, પણ ભૂલવાનુ' છે તે એ છે કે એ વાદે એ આત્યંતિક સત્ય નથી, પણ એને પહોંચવા ઉપયેગી થનારી ભિન્ન ભિન્ન જીવનદૃષ્ટિ છે, અને તેથી એમની વચ્ચે એમના સાચાખેટાપણા વિષે મારામારી કરવાની જરૂર નથી, સૌ ખેતપેાતાની મર્યાદામાં અગત્યતા ધરાવે છે એમ સમજી જનતા સહિષ્ણુતા કેળવે અને એના પણુ પ્રસંગે લાભ ઉઠાવવાની કળા હાથ ધરે તો આ જગત જીવવા જેવુ બની રહે. આથી આપણા આત્મવિકાસ માટે કઇ દૃષ્ટિ આપણને જરૂરી છે તે જાણ્યા વિના કોઇ એકાદ ચોક્કસ દૃષ્ટિને આગ્રતુપૂર્ણાંક પકડી બેઠેલું આપણું રામાંધ માનસ જે આપણને વારસામાં મળ્યું છે અને જે પડયું પડયુ* પ્રસંગ આવે સાડી ઉઠે છે તેને સુધારવાને એક માત્ર ઇલાજ આજના ઉગતા બાળકામાં એ દૃષ્ટિએના પતિહ્રાસ આપી એને પેાતાને કષ્ટ દૃષ્ટિ જરૂરી છે એ નક્કી કરીને એ દૃષ્ટિને પેાતાને વારસાગત મળેલા સસ્કારના ઘાટમાં ઉકેલવાની યા તે એને નવું સસ્કરણ આપવાની કળા શીખવાવામાં રહેલું છે. પ્રત્યક્ષ અનુભવમાં ઉતરતી વૈજ્ઞાનિક સિદ્ધિએ જેમ આપણામાંથી વહેમ અને ચમત્કારના ચમકારાને ઝાંખેા પાડયા છે, અને પૃથ્વી પય ટન અને ભૌગોલિક શાસ્ર જેમ પ્રચીન કલ્પનાને નિરાધાર કરી મુકી છે તેમ આજના માનવશાસ્ત્ર અને જગતના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં જે માનવપ્રગતિ અને વિચારણાને ઇતિહાસ જે આપણું દશ નશાસ્ત્ર બન્યુ` છે. તેને અભ્યાસ ઉમેરવામાં આવે તે આપણામાં પેઢી દર પેઢી પેાષાતું ઝેર ધીમું પડી વાદ-સમભાવની ભાવના જાગૃત કરવામાં તેમ જ એના સદુપયાગ કરી જ્યાં આપણે અટવાઇ રહ્યા છીએ ત્યાંથી ઉત્થાનના માર્ગને માકળા કરવામાં અગત્યને ભાગ ભજવે એમ હું માનું છું. આજના બધા જ અનાય દશ નાના ઇતિહાસ માનવંશશાસ્ત્ર, ઉત્ક્રાંતિવાદ, માનવ ઇતિહાસ અને સમાજપ્રગતિ સાસ્ત્રની દૃષ્ટિએ ઉકેલી શકે એવા-પૂર્યગ્રહ રહિત સ્વતંત્ર વિચારના–જગનામી અભ્યાસા પાસે સરળ નિષંધ રૂપે ધાવે જોઇએ. એમાં તુલના–ટીકા કે વિવેચનને સ્થાન આપવાની જરૂર નથી, ધરના સંસ્કારા જો ડખલ ન કરે તે સ્વચ્છ મનના વિધાર્થીએ જ એને તુલનાત્મક અભ્યાસ કરી જે વિવેચન આપશે તે વધારે સુસ્પષ્ટ, ઉદાર, અને પૂર્વગ્રહ રહિત હાઇ ન્યાયી હશે. આપ્તજનાના વાકયમાં 'કા ઉઠાવવી એ પાપ છે એવી માન્યતાએ એમનામાં મતાંધતા, રૂઢિજડતા અને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિને છૂંદી નાખવાના જે સકારા પેખ્યાં છે અને
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy