SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪૮ પ્રબુદ્ધ જૈન ભદ્ર સંસ્કૃતિનાં રૂપે વિવિધ પ્રકારના હોય છે, અને તેમની વચ્ચે પરસ્પર ઝઘડા પણ થાય છે. આથી ભદ્ર સંસ્કૃતિ વિષે એમ કહી શકાય કે આ હિંદુસ્તાની છે–પેલી યુરોપિયન છે, આ હિંદુ છે–પેલી ખ્રિસ્તી છે, આ શીખ છે-પેલી મુસ્લીમ છે વગેરે. સંત સંસ્કૃતિનું રૂપ આખી દુનિયામાં લગભગ સરખું જ હોય છે. એને હિંદુસ્તાનની કે અરબી કે કોઈ બીજું નામ દઈએ તે તે કેવળ સ્થાનિક પરિચય આપવા પૂરતું જ કહી શકાય. જેમ પાણીને પાણી, જળ, નીર, આબ કે વેંટર કહીએ એમ. અથવા, કાંઈ ફરક હોય તો તે કૂવા, નદી કે વરસાદનાં પાણીમાં ક્યારેક જણાય છે તે. અસલ કામની વસ્તુ એક જ હોય છે. ગાંધીજી માનવસંસ્કૃતિની સંત શાખાના હિંદુસ્તાની લેબાસ પહેરેલા પ્રતિનિધિ હતા. આ દેશની ભદ્ર સંસ્કૃતિનાં ભવનમાં એ જઈ પહોંચતા, પણ તેમનું દિલ સંત સંસ્કૃતિમાં વિશેષ પ્રસન્ન હતું. આ સંસ્કૃતિની બાબતમાં જ એમ કહી શકાય કે એ જેટલી પ્રાચીન છે તેટલી જ અર્વાચીન છે; જેટલી આય કે વૈદિક છે, તેટલી જ દ્રવિડ, જૈન, બૌદ્ધ, અરબી, ચીની, પેલેસ્ટાઈની વગેરે યે છે. દેલવાડાનાં જૈન મંદિર, દક્ષિણ ભારતનાં શૈવ-વૈષ્ણવ મંદિર અને દિલ્હીની જુમ્મા મસ્જિદમાં જેવો નજરે ચડી જનરે ફેર છે, દીલ્હીના લાલ કિલ્લામાંના દરબારે-ખાસ તથા દરબારે–આમમાં અને નવી દિલ્હીની લેજિસ્લેટિવ કાઉન્સિલ ધારાસભાનાં મકાનમાં જેટલો ફરક બતાવી શકાય એમ છે, તેટલો ફરક રામાયણના વાલ્મીકિ આશ્રમ કે બુદ્ધના મૂળ વિહાર કે મદીનાના હજરત મહમદનાં મકાન અને પુરાણી મસજિદ, કે સંત ફ્રાન્સિસનો મઠ, કે ગાંધીજીની સેવાગ્રામની ઝુંપડીઓ વચ્ચે દેખાડી શકાશે નહી. કેમ કે દરેક જમાનાની સંત સંસ્કૃતિનું બાહ્ય તેમ જ અંતરરૂપ જેટલું એકસરખું હોય છે, તેટલું ભદ્ર સંસ્કૃતિનું નથી હોતું. - આપણું એક મહાન સદ્ભાગ્ય છે કે દુનિયામાં આપણે દેશ તેને કોઈ મહાન પુત્રને નામે ઓળખાય છે. જ્યારે આપણે ભારતવર્ષ કે ભરતખંડ કહીએ છીએ, ત્યારે એકથી એક મહાન એવા ત્રણ ભરતનાં નામ યાદ આવે છે. કેટલાકને પાંડવોના પૂર્વજ દુષ્યન્તપુત્ર સર્વદમન ભરત યાદ આવે છે, કેટલાકને તીર્થંકર બષભદેવના પુત્ર મહારાજ ભરત, અને કેટલાકને રામના ભાઈ ભકતરાજ ભરત. છતાં આ ત્રણે ય આપણે આપેલાં નામે છે. પરંતુ જગતમાં આપણે દેશ બુધની ભૂમિ તરીકે અત્યાર સુધી ઓળખાય છે. હવે ભવિષ્યમાં સદીઓ સુધી ભારત દેશ ગાંધી દેશ' ને નામે પ્રખ્યાત થશે. આમ તે આપણો દેશ આજ સુધી હિંદુસ્તાનને નામે અને તેના લેકે હિંદુ, હિંદી કે હિંદુસ્તાનીને નામે ઓળખાતા આવ્યા છે. પરંતુ, પાકિસ્તાનના ભાગલા તથા ધર્મના ઝઘડાઓને લીધે હિંદુસ્તાન, હિંદુસ્તાની, હિંદી, હિંદુ બધાં નામે દ્વિઅર્થી થઈ ગયાં છે. એમાં પાકિસ્તાન અને તેની પ્રજાને સમાવેશ થઈ પણ શકે, ન પણ થાય. પણ, આ આપણે આખો દેશ જે બલુચિસ્તાનથી આસામ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલો છે તે આખો યે ગાંધીજીનું વતન હતું, અને તેના દરેક ભાગના હિંદુ, મુસલમાન, શીખ, પારસી તથા બીજા યે ધર્મોના લોકેના તે દેશબંધુ હતા. દુનિયા પાકિસ્તાનના લોકોને એટલા જ ગાંધીના દેશના માણસ સમજશે જેટલા હિંદસંધના લોકોને. અને પાકિસ્તાનની સ્વતંત્રતાના તે એટલા જ વિધાયક અને ૨ષ્ટ્રપિતા કહી શકાય એટલા હિંદી સંધની સ્વતંત્રતાના. આ ગાંધી સરકૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિ’ નામ એટલા વ્યાપક અર્થમાં વાપરી શકાય તે ગાંધીજી ભારતીય સંત સંસ્કૃતિના વર્તમાન યુગના સર્વોતમ પ્રતિનિધિ હતા. હિંદી કે હિંદુસ્તાની સંત સંસ્કૃતિ પણ એ જ છે, અને આદરપૂર્વક કહીશ કે પાકિસ્તાનની સંત સંસ્કૃતિ પણ એ જ હોઈ શકે.' કિશોરલાલ ઘ. મશરૂવાળા સંધ સમાચાર તા. ૮-૩-૪૮ ના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની એક સભા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણ નીચે મળી હતી. તેમાં કાર્યવાહક સમિતિમાં સભ્યોની ઉમેરણી અને બે પેટા સમિતિ નીમવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. જેની વિગત નીચે પ્રમાણે છે. તે બંધારણના નિયમ પ્રમાણે નવી ચુંટાયલી કાર્યવાહક સમિતિને ત્રણ સભ્ય ઉમેરવાનો અધિકાર છે પરંતુ હાલતુરત નીચે પ્રમાણે બે સભ્યોને ઉમેરવામાં આવ્યા છે. (૧) શ્રી જયંતીલાલ સુંદરલાલ કોઠારી (૨) , રમણીકલાલ મણિલાલ શાહ શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય-પુસ્તકાલય સમિતિમાં ચાર ટ્રસ્ટીઓ અધિકારની રૂઇએ ચાલુ રહે છે, તેમના નામે નીચે પ્રમાણે છે. શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ , અમીચંદ ખેમચંદ શાહ છે, રતીલાલ ચીમનલાલ કોઠારી , રમણીકલાલ મણિલાલ શાહ અને એ સમિતિમાં નવા ચુંટાએલા સભ્યનાં નામ નીચે પ્રમાણે છે: શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ ,, રમણલાલ સી. શાહ, ,, દીપચંદ ત્રીભોવનદાસ શાહ » જયંતીલાલ સુંદરલાલ કોઠારી-મંત્રી ત્યાર બાદ ચાલુ વર્ષ માટે વૈદ્યકીય રાહત સમિતિમાં નીચે પ્રમાણે સભ્યને ચુંટવામાં આવ્યા હતા. શ્રી જયંતીલાલ લલુભાઈ પરીખ-મંત્રી. , C/o જેસલ ટ્રેડીંગ કેરપરેશન, મસ્કતી મહાલ, લુહાર ચાલ, મુંબઈ-૨ શ્રી જસુમતીબહેન મનુભાઈ કાપડીઆ બંસીલાલ મેતીલાલ બીલ્ડીંગ, B બ્લેક એથે માળે, ગીરગામ ટ્રામ જંકશન પાસે, મુંબઈ-૪ શ્રી ટી. જી. શાહ છે. ટી. જી. શાહ બીલ્ડીંગ, પાંચમે માળે, પાયધુની, મુંબઈ–૩ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ ૭, શેખમેમણ સ્ટ્રીટ, બીજે માળે મુંબઈ-૨, શ્રી, વેણુબહેન વિનયચંદ કાપડીઆ મલબાર વ્યુ નં. ૧ ચોથે માળે ચપાટી મુંબઈ-૭. શ્રી. દીપચંદ ત્રીભોવનદાસ શાહ. * રણવીર બીલ્ડીંગ, ચેથે માળે પ્રીન્સેસ સ્ટ્રીટ મુંબઈ -૨. સંઘદ્વારા વિદ્યકીય રાહતનો પ્રબંધ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા કોઈ પણ જૈન ભાઈ કે બહેનને જરૂરી વૈદ્યકીય રાહત આપવાને પ્રબંધ કેટલાય સમયથી કરવામાં આવ્યું છે. આ રાહતમાં દવા. ઇજેકશન, ડાકટરનાં બી, હોસ્પીટલ ખર્ચ તેમ જ દર્દીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ - આવી અનેક બાબતે સમાવેશ થાય છે. આ સંબંધમાં જે કંઈ જૈન ભાઈ બહેનને રાહતની અપેક્ષા હોય તેને ઉપર જણાવેલ વૈદ્યકીય રાહત સમિતિના કોઈ પણ સભ્યને મળવા વિનંતિ છે. દવા કે ઇજેકશને માટે દર્દીએ પિતાના ડાકટરની ચીઠ્ઠી લાવવાની આવશ્યકતા રહેશે. આ પેજનાનો લાભ લેવા વૈધકીય રાહતની અપેક્ષા ધરાવતા મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા સૌ કોઈ જૈન બંધુએ તેમ જ બહેનને આગ્રહપૂર્વક વિનંતિ છે. જયંતીલાલ લલુભાઈ પરીખ મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ,
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy