SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જેન ભદ્ર સંસ્કૃતિ વિરૂધ્ધ સત્ત સંસ્કૃતિ ગાંધીજીનું મૂલ્યવિતરણ [ ‘સસ્કૃતિ'ના માર્ચ માસના અંકમાં શ્રી કિશોરીલાલ ધ. મશાળાએ ગાંધીછ અને ભારતીય સ'કૃતિ' આ મથાળાના એક સુન્દર લેખ લખ્યા છે. આ લેખમાં ગાંધીજીના ચકિતત્વની વિશેષતા સમનવતાં જગતસમસ્તની શસ્કૃતિને ભદ્ર સ*સ્કૃતિ અને સન્ત સસ્કૃતિ એમ બે વિભાગમાં વહેંચીને એ બન્ને સસ્કૃતિના સ્વરૂપનુ* બહુ હૃદચ ગમ વવેચન કર્યું છે અને આ રીતે જગતના મહાપુરૂષોને ઓળખવાની આપણને એક શૈલિક દ્રષ્ટિ આપી છે. એ લેખ અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. પરમાનદ] કેટલાક વિદ્વાનેાના લેખ પરથી એમ જણાય છે કે મુસલમાન હિંદુસ્તાનમાં આવ્યા તે પહેલાં જે સ ંસ્કૃતિ આપણા દેશમાં હતી, તે તથા તેનું અનુકરણ કે અનુસરણ કરનારી જે વિધા, કળા તથા સભ્યતા હાય, તેટલી જ ‘ભારતીય સંસ્કૃતિ’ છે, એટલે કે, સ ંસ્કૃત, પાલી અને માગધી ભાષાઓના સાહિત્યમાં જે પ્રકારનું' આપણા દેશનું ચિત્ર આપણી કલ્પના આગળ ખડુ થાય છે, મુસલમાના આવ્યા પહેલાં જે જાતની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા હતી, શહેરા તથા ગામેાની જે ચેાજના અને સ્થિતિ હતી, મદિરા મકાને, કિલ્લાઓ વગેરેનું શિલ્પ હતું, પેાશાકધરેણાં વગેરેના પ્રકાર હતા, સંગીત-નૃત્યચિત્ર-ઉત્સવ ઇત્યાદિ કળાઓ ખીલી હતી, ધુમ-કમ-તત્વજ્ઞાનમાં વિચાર અને રિવાજો હતા, તેટલાં જ. તેમની દૃષ્ટિએ 'ભારતીય' સંસ્કૃતિ કહી શકાય, તથા જેટલી હદ સુધી એ સ ંસ્કૃતિ તે જ રૂપમાં કાયમ છે તેટલી જ હ્રદ સુધી 'ભારતીય' સંસ્કૃતિ જીવે છે. મુસલમાનોના આવ્યા પછી એ સ ંસ્કૃતિમાં અરબસ્તાન, ઇરાન, તુર્કસ્તાન વગેરેથી આવેલી પ્રજાઓમાં ધમ-કમ-રીતરિવાજ–ભાષા-પોષાક-શિલ્પ-ગાયન–ચિત્ર વગેરેની જે ભેળસેળ થઇ, અને તેમાંથી જે નવા પ્રકારની મિશ્ર સંસ્કૃતિ પેદા થઇ, તે આ પંડિતાના મત પ્રમાણે ‘ભારતીય’ સ’સ્કૃતિ નથી. ભલે, જોઇએ તા તમે તેને હિંદુસ્તાની સ ંસ્કૃતિ' કહા કે બીજી કાંઇ નામ આપે. જે ભારતીય સંસ્કૃતિને ઉપર કહ્યા મુજબ જ અ` હાય તો મારા મત પ્રમાણે, ગાંધીજી ભારતીય સંસ્કૃતિના નહીં, પણ હિંદુસ્તાની સંસ્કૃતિની મૂર્તિ હતા. ૨૩૪ ખરૂં જોતાં, મુસલમાનેાના હિંદમાં આવ્યા પહેલાં કે એકની પછી બીજી કેટલી યે પરદેશી જાતિએ અહીં આવીને વસી હતી, અને દરેક જાતિ પોતાની સાથે જુદા પ્રકારના વિચાર, રિવાજ, રહેણીના ઢંગ વગેરે લઇ આવી, અને તેની પહેલાંની સંસ્કૃતિ પર અસર પડતી રહી. જ્યારથી આપણા દેશને કઇક ઇતિહાસ મળે છે, ત્યારથી આપણા દેશની સંસ્કૃતિ રચવામાં અનેક દેશની અનેક પ્રજાએએ ભાગ ભજવ્યો છે. કઇ એવે કાળ ખતાવી શકાય એમ નથી કે જેને વિષે એમ કહી શકાય કે તે કાળની માપણી સ’કૃતિ શુદ્ધ ભારતીય સંસ્કૃનિનું ચિત્ર છે, જેમ એ મિશ્રણને આપણા પૂર્વજોએ પોતાના જીવનમાં સમાવી લીધાં, તેમ જ મુસલમાનાના આવ્યા પછી પણ આપણી પ્રજાએ કયુ . પ્રાચીન કાળથી આજ સુધી ભારતીય સંસ્કૃતિનું રૂપ જગતની અનેક નાની મેાટી સંસ્કૃતિઓના મિશ્રણથી બનેલું રસાયણુ (કમ્પાઉન્ડ) જ રહ્યું છે. કાઇ એક જ સંસ્કૃતિના નમુના નથી. ગાંધીજીએ જે ભારતીષ સરકૃતિની હિમાયત અને સેવા કરી, તથા જેને તેમણે પચાવી હતી, તે હંંદુસ્તાનમાં આવીને વસેલી બધા યે કાળની બધીએ પ્રજાએ રચેલી સંસ્કૃતિ છે. યુરોપની સભ્યતાના યે કેટલાક અંશ એમાં ભળેલા છે. એમણે સેવેલી સંસ્કૃતિમાં દેશ કે ધમને કારણે કોઇને વિરોધ નહાતા. કદાચ એમ કહેવાશે કે પશ્ચિમની સભ્યતાના તેઓ વિરાધ કરતા હતા જ. પણ આ એક સમજવાની બાબત છે. વાત એ છે કે દરેક સંસ્કૃતિ એ પ્રકારની હેાય છે. એક પ્રકાર એ, જે રાજદરબાર અને શહેરમાં, આરામ તથા વિલાસપ્રિય લેાકેાનો આસપાસ, ધન અને સત્તાના આશ્રય તળે વધે છે. એને તા ૧-૪-૪૮ આપણે ભદ્ર સંસ્કૃતિ કહીશું. ખીજો પ્રકાર એ, જે સાધુ-સંત– કીરા દ્વારા ઘણુ' ખરૂ' મહેનત-મજુરી કરવાવાળા લેકની આસ-: પાસ અને ત્યાગ, સેવા તથા શ્વરશ્રદ્ધાના આશરા નીચે વધે છે. એને આપણે સહત સસ્કૃતિ કહીશું. દરેક દેશની દરેક સંસ્કૃતિમાં ભદ્ર સંસ્કૃતિ અને સંત સંસ્કૃતિની શાખાઓ હૈાય છે. સાચુ' જોતાં, માનવસમાજમાં જુદા જુદા વેશમાં આ જ છે મૂળ સંસ્કૃતિ છે. ભદ્ર સંસ્કૃતિનું' રૂપ ભપકાદાર અને ભવ્ય હોય છે. આપણા દેશમાં કુરૂવંશ, મૌય વંશ, ગુપ્તવ’શ, વિક્રમ, ભાજ, અકબર, જહાંગીર, શાહજહાં તથા મેટામેટા ઉમરાવ, નગરશેઠ અને મહાજનના આશ્રય તળે ખીલેલી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનુ ભદ્ર રૂપ છે. એણે પણ વિદ્યા-કળા-વિજ્ઞાન વગેરેને ખૂબ પેપ્યાં અને ખીલવ્યાં છે. યુરાપની જે સંસ્કૃતિનુ રૂ૫ આપણાં દેશમાં આજ સુધી ફેલાયું છે અને જે આપણને આંજી નાંખે છે, તે માટે ભાગે એનુ ભદ્રરૂપ જ છે. જગતની ભદ્ર સંસ્કૃતિએ પણ ધણાં ભારે કામા કર્યાં છે, પણ તે સાથે જ તેણે લડાઇ, ખુનામરકી, લુંટફાટ, જીમા અને અન્યાયે પણ ઘણાં કર્યાં છે. ભદ્ર સ ંસ્કૃતિ એ નથી સ્વીકારતી કે બધી માનવજાતિ સમાન છે. તેના વ્યવહાર અને કારભાર એમ સમજીને ચાલે છે કે દુનિયામાં અધિકારભેદ છે અને તે જરૂરી છે. એ કાઇકને યા અને કાકને નીચા ઠરાવે છે. ભદ્ર સંસ્કૃતિના વિકાસ માટે થાડા માણસા ધન, સત્તા, વિધા વગેરે વિભૂતિઓથી સ`પન્ન અને બાકીના અધા મહેનત-મજૂરી કરવાવાળા અને આજ્ઞાધીન રહેનારા સેવા હેાવાની જરૂર માનેલી છે. સાધારણ લેાકા માટે ખાવા-પીવા– પહેરવા અને રહેવા માટે કઇક પ્રશ્નધ હેાય તે બસ છે. પણ સાહિત્યકળા વગેરે સ ંસ્કૃતિ વિકાસ માટે આરામ અને નવરાશ સાથે શે।ખથી રહેનારા લોકો પણ હેાવા જોઈએ. જો સમાજમાં કરડે રૂપિયા ભેગા કરવાની અને ખીજા પર સત્તા ચલાવવાની ગુર્જાશ ન હેાત તે। દેલવાડાનાં મંદિર કે આગ્રાના તાજમહાલ જેવી મારા કયાંથી થાત? નાલંદાની વિદ્યાપીઠે કેમ સ્થપાત ? કાલિદાસ, શેકસપિયર અને અકબરના દરબારના કવિએ શી રીતે પેદા થાત ? સમાજમાં સભ્યતાથી શી રીતે ખેલવુ', પરસ્પર મળવું', શિષ્ટાચાર કરવા, પાશાક કરવા, ખાવા-પીવાની સ્વાદું વાની નાવવી વગેરે સે'કડા ખાખતા, જેથી માણસની કુલીનતા, નાગરિકતા, રસિકતા, શિષ્ટતા (પેલિશ) વગેરેના પરિચય થાય છે તે ઉપચ્છ ન હેાત. આ બધી ભદ્ર સરકૃતિએ માનવસમાજને આપેલી બક્ષિસે છે. પણ, આ ઉપરાંત દરેક દેશમાં સત સંસ્કૃતિની પણ એક શાખા મળી આવે છે. ત્યાગ, પ્રેમ, સેવા અને નેક વતન પર, નિષ્ઠાની ઉપર એ ખડી રહે છે. જ્ઞાન અને ઉચ્ચ વિચાર એનાં શાભા અને પ્રકાશ છે. નમ્રતા, સમાનતા, સરળતા, ક્ષમા, દયા, ન્યાય, માજીસાઇ એનાં ચિન્હ છે. સત્પુરૂષોની આસપાસ ભ્રૂણુ ખરૂ' સાદા સીધા, મહેનત-મજૂરી કરવાવાળા ગ્રામવાસીઓ તથા શહેરી કે શ્રીમત હૈાય તે યે, એવા માણસો કે જેમનામાં કપટ નથી, બનાવટીપણુ (Sophistry ) નથી, હું પણુ કાંઇક છું.' એવુ અભિમાન નથી,-એવાએની વચ્ચે તે ખીલે છે. તેમને કેપ્ટને દ્વેષ ન હોવાથી તે ક્યારેક ક્યારેક ભદ્ર સંસ્કૃતિના ભાતમાં ચે પહેાંચી જાય છે. પણ તેમનું ચિત ત્યાં એટલું ખુશ નથી રહેતું જેટલુ ઝુપડીમાં રહેવાવાળી વસ્તી વચ્ચે રહે છે.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy