SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ તા. ૧૫-૩-૪૮ ચિન્તા કર્યા કરીએ અથવા તો આપણું વતન દુરાચારથી ભરેલું હોય તેપણુ ઉન્નત આદર્શોની જ આપણે વાત કર્યા કરીએ, દિલ ખેલવા જતાં સત્ય પ્રકટ થઈ જશે અને સત્ય પ્રકટ થતાં કોઈને દુઃખ લાગી જશે એવા ભયને વશ થઈને આપણુ અમુક વિચારને બાજુએ રહેવા દઈએ અને મામુલી બાબતો ઉપર જ વાર્તાલાપને હેતુન્યપણે વહેવા દઇએ, ઘણી વખત પણે કઈ પાઠ જ ભજવતા હોઈએ તેમ-જાણે કે આપણાં કાન, આંખ, 'મેહું કે નાક આપણાં પોતાનાં ન હોય તેમના વિચારો છપાવવા ખાતર આપણે કદી ગમગીન દેખાઈએ, કદી નિ:શ્વાસ નાંખીએ, કદી બૂમ પાડીએ, કદી ને હસવા જેવી વાત ઉપર ખૂબ હસવા લાગીએ અને આ રીતે ગ્લાનિ, ધ, અનંદ, હાથ અને તિરસ્કારના દેખાવ કરીએ-સમાજની આજની સભ્યતા આવી છે, અને તેમાં સુધારો થવાની કેઈ આશા દેખાતી નથી. વળી આગળ ઉપર મેં જણાવ્યું તેમ સાચી સભ્યતાથી ઉલટી રીતભાને જોઈને પણ તેને ખૂબ ઘૂંગા છૂટી. તે રીતભાત કેવી હોય છે તે કેટલાક દાખલા આપણે જોઈએ: આપણી સાથે કામ કરતા માણસે આપણુ પુરાણા મિત્રો હોય તે પણ તેમને દિવસમાં હાલ 1. ચાલતાં જયારે જયારે મળવાનું થાય છે ત્યારે ત્યારે પરસ્પર નાનુંવિધિના અર્થ વિનાના ઉપચારમાંથી તેઓ કે આપણે ટી શકતા જ નથી. કેટલાકની સાથે કશા પણ કારણુ લવ ય અ પણે સંબંધ તોડી નાંખીએ છીએ, અને જાણે કે તેઓ એ પણ દુશ્મન હોય તેમ તેમની સાથે આપણે વતીએ છીએ, તે કેટલ • કની પ્રત્યે આપણી અને તેમની વચ્ચે કશી સમાનતા કે સંકઆકર્ષણ ન હોય એમ છતાં પણ જાણે કે આપણું દિલ ઝૂમ પ્રેમથી ઊછળી પડતું હોય એવો દેખાવ કરીએ છીએ અને તેમના ખૂબ નિકટ જવાને પ્રયત્ન કરીએ છીએ. કોઈ મોટે સરદાર જરા જેટલું મોટું ઉઘાડે એટલામાં તે આપણે ‘99 હજૂર’- બૂમ મારીને તે કહે તેવી આપણે તે•ી ગુલામી કરીએ છીએ અને એમ છતાં પણ આપણાથી વીફરતાં અને આપણું માથાં ધડથી ઘડીના છઠ્ઠા ભાગમાં છૂટાં કરતાં તેને જરા પણ વાર લાગતી નથી. કઈ પણ બે માનવીઓ જે કે એક એકનું ટુ જોતાં અંદરથી સુગાતા હોય છે તો પણ ઉપરથી પરસ્પર ભારે મહેનત દાખવે છે, દિવસેને દિવસ સાથે ગ ળે છે, ઘેડ ઉપર બેસીને સાથે ફરે છે અને કલાકના કલાક પાનાં રમવામાં પસાર કરે છે. આપણે આપણા કોઈ સંબંધીને મળવા જઈએ છીએ અને તેના વિષે દિલ માં લાગણી છાંટ સરખો ન હોવા છતાં તેની તમિતના આપણે કેવળ ઔપચારિક રીતે ખબરઅન્તર પૂછીએ છીએ. આપણે અમલદારી પોશાકમાં પંજરગ્રસ્ત વાનરની માફક સજજ થઇ છીએ, અને અંદરના ભાગમાં લઈ જજૂ કરડે કે ખંજવાળ આવે તેપણુ ખણી ન શકીએ એવા અક્કડ થઈને ફરીએ છીએ. કે દ શેરી કે સરિયામ રસ્તા ઉપર આપણે મેજથી ચાલતા હોઈએ, ત્યારે પણ રખેને આપણાથી કેઈ કાયદાનો ભંગ તે થઈ જતા નથીને એવી ભીતિ આપણને સતત પડયા કરે છે. આપણી આંખે નાક ઉપર ઠેરવીને આપણે ચાલીએ છીએ અને લાંબે નજર કરવાની આપણે હિંમત કરી શકતા નથી. અને ભૂલેચૂકયે લાંબે નજર કરી તે બીજા લે કે આપણી સામે ટગર ટગર જોવા લાગે છે અને આપણી નજર કયાં દોડે છે તે શોધી કાઢવાને તેઓ પ્રયત્ન કરતા દેખાય છે. ધારો કે રસ્તે ચાલતાં લઘુશંકા થઈ આવી તે પણ કેઇ ખાસ બહાનું હાથ લાગ્યા સિવાય ઊભા રહેવાની કે લઘુશંકાથી મુકત થવાની આપણે હિંમત દાખવી શકતા નથી. ઉપરી અધિકારીએ પિતાને માથે લટકતી તરવારની તેમજ પીઠ પાછળ ચાલી રહેલી લે. ટીકાની કદી ઉપેક્ષા કરી શકતા જ નથી. ઠંડી ઋતુમાં ઠંડીના કારણે તેઓ હેરાન હોય .. છે અને ગરમ ઋતુમાં ગરમીના કારણે તેઓ નાસી જતા દેખાય છે. પરિગ્રહની એવષ્ણુ અને મેળવેલું ગુમાવવાને ભય તેમને સદાકાળ પડયા કરે છે. રખેને પતાથી કાંઈ અગ્ય કે અનુચિત થઈ નહિ બેસેને-એ ચિન્તા અને મૂંઝવણમાં તેઓ બેચેન બેચેન બની રહે છે. જેમનાં પડળ ઉuડી ગયાં માનવામાં આવે છે અને જેઓ નિજાનંદમાં મસ્ત જેવા દેખાય છે તેવા ડાહ્યા, વિચક્ષણ અને ઉમદા કટિના પુરૂષે પણ કોઈ પણ સત્તા કે અધિકાર ઉપર આવતાં આ કૃત્રિમ વ્યવહારની પ્રપંચજાળમાં ફસાય છે. તેથી આ પ્રપંચજાળમાંથી છૂટવાને ખાશયથી અને પોતાના ચિત્તને નિર્વિકાર કરવાના અને પિતાનાં માને બંધનમુક્ત કરવાના હેતુથી મંગળમૂર્તિ એકવાર અજાણ્યા અને અગમ્ય પ્રદેશમાં પ્રવાસ કરવાને નીકળી પડયે. કઈ મંગળભૂતિને એમ કહે કે “મે સાંભળ્યું છે કે તેઓને અનુયાયી એકાન્તમાં રહે છે, છતાં તેને એકલપણું લાગતું નથી. અને લોકો વચ્ચે રહે છે તે પણ તેને કશા ઘાંઘાટ લાગતો નથી. તે દુનિયામાં રહે છે, છતાં તે દુનિયાથી પર છે, બંધનથી મુકત છે, અને મુકિતની તેને પરવા નથી. વળી તેની સમાધિ એટલી સુદઢ હોય છે કે તેના શરીરની આસપાસ વેલ વીંટળાઈ વળે અને તેના માથા ઉપર પંખી માળો બાંધે તે પણ તેની તેને દરકાર હોતી. નથી. અનાસક્તિ અને જીવનમુક્તિની આ ઊંચામાં ઊંચી કક્ષા છે. રસોડામાં નોકરી કરવી કે જમીન ઉપરનો કચરો સાફ કરે એ હલકામાં હલકું કામ ગણાય. એમ છતાં પણ સાધુપુરુષના સમભાવને એથી જરાપણુ ક્ષતિ પહોંચતી નથી. તમે અમલદારી જીવનના બંનેથી ત્રસે છે અને અજાણ્યા પ્રદેશમાં ભટકવા-ll ઇચ્છા કરો છે એ એમ નથી સૂચવતું કે તમે તમારા આત્માને તમારા શરીરનો ગુલામ બનાવી રહ્યા છે ?" અને તેને મંગળમૂર્તિ જવાબ આપે છે કે આજે તેઓ પદને પામેલ છે તે પાણીમાં જાય છે છતાં ભીંજાતા નથી, અગ્નિમાં ઝંપલાવે છે છતાં દાઝતો નથી, જાણે કે જમીન આકાશ હેય એવી રીતે તે જમીન ઉપર ચાલે છે અને જાણે કે આકાશ જમી હેય એની રીતે તે આકાશમાં વિચરે છે, તે જ્યાં જાય છે ત્યાં પોતાનું ઘર જ હોય એવી રીતે વર્તે છે, અને ગમે તેવા સંયોગો વચ્ચે તે નિરાળાપણું અનુભવે છે. તેને માટે તે સ્વાભાવિક છે. પણ જેણે તેઓ પદને પ્રાપ્ત કર્યું છે તે હું નથી. હું તો તેઓને માત્ર ઉપાસક છું. જેણે ટેઓ પદને પ્રાપ્ત કર્યું છે તે પિતાને માલિક છે અને તેના પૂરતો આ વિશ્વપ્રપંચ લય પામે છે. તેને ગંદા અને ઘે ધાટિયા લોકેની મંડળી વચ્ચે બેસાડે અને જેને ડોળું પાણી પશે છે છતાં દૂષિત કરી શકતું નથી તેવા કાદવથી મલિન બનેલા જળ વચ્ચે ઉગતા કમળ જેવો અલિપ્ત બનીને તે રહેશે. કયાં જવું કે શું કરવું તે વિચારવાનું કે પસંદ કરવાનું તેને હતું જ નથી. મેં આ ગ્યતા પ્રાપ્ત કરી નહી, કારણું કે તે માત્ર પવનની ગતિને અનુસરતા એક નાના છોડ જે છું. જયારે પવન શાન્ત હોય છે, ત્યારે હું શાન્ત હોઉં અને જ્યારે પવન ગતિમાન થાય છે ત્યારે હું પણ ચલાયમાન થાઉં છું. હું પાણીમાંની રેતી જે છું કે જે જેવું પાણી હોય છે તે મુજબ ચેખી યા તે કાદવવાળી દેખાય છે. ઘણી વખત મેં શાન્તિ અને પવિત્રતાનો આખો દિવસ અનુભવ કર્યો હોય છે અને એક ઘડીમાં તે મેં એ બધી ગુવાવી દીધી છે અને ઘણી વખત આખું વર્ષ કોઈ અજબ સમભાવ અને આધ્યાત્મિક ઉન્નતિ મેં અનુભવી હોય છે, અને પાછું એક જ દિવસમાં એ બધું મેં ગુમાવી દીધું છે. જે જેમ ચાલતું હોય તે તેમ ચાલવા દેવાનું અને બહારના સંયોગથી જરા પણ ક્ષે ભ નહિ અનુમવાનું મારે માટે શકય બન્યું નથી. જે કોઈ શહેનશાહ માટે ઉપર જણાવેલ કે સાધના શકય હતી તે ‘ચાઉ છું” અને “સુ ફુ’ (ચીનના કંઇ કાળ પહેલાં થયેલા બાદશાહો) ચી શિખર અને યીંગ નદી તરફ શા માટે પ્રયાણ કરત? જો કેઈ રાજકુમાર
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy