SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 1. ૧૫-૩-૪૮ ૨૨૯ ઉપર વણવેલ ‘આ’ ની સ્થિતિને ઘેર બેઠાં પ્રાપ્ત કરી શકે હત તે શાક્યમુનિ હિમાલય તરફ શું કામ જાત ? જો કેઈ ઉમરાવ ટેને અનુસરી શકે છે તે અંગેલી આગ માંદગીની રજા શું કામ માગત? અને જો કોઈ સાધારણ અમલદાર ‘એના આદર્શને જીવનમાં ઉતારી શક્યા હોત તે ટાઉ યુઅલનચીંગ પિતાના હોદાનું રાજીનામું શું કામ આપત? હું મારા મનને નિર્વિકાર બનાવવા માટે અને મારા આત્માને બંધનમુકત કરવાના હેતુથી જ્યાં મને કોઈ જાણે નહિ કે જ્યાં મને કોઈ પૂછે નહિ એવા અગમ્ય અગોચર પ્રદેશની મુસાફરીએ જાઉં છું.” મંગળતિને કોઈ મિત્ર તેને કહે છે કેઃ “મને તમારા પ્રવાસની વાત સંભળાવશે ? ” અને મંગળ મૂર્તિ જવાબ આપે છે કેઃ “જરૂર જે કાઈ પ્રવાસ કરવા નીકળે છે તે પોતાનાં કાન અને આંખને ઉઘાડવા માટે અને પિતાના આત્માને અનેક ઉપાધિઓથી મુક્ત કરવા માટે જ નીકળે છે. દિવ્ય તત્ત્વને પિતાને અનુભવ થાય અને અનેક મહાન સિદ્ધપુરૂષને પરિચય થાય તે માટે તેમજ અમરફળને આસ્વાદ કરવા મળે તથા જ્ઞાનગંગાનાં ચેતનાદાયી જળ પીવા મળે તે હેતુથી તે નવખંડ અને આઠ જંગલી મુલકામાં ભ્રમણ કરે છે. તે હવા ઉપર સવારી કરે છે અને . હવા તેને ક્યાં લઈ જાય ત્યાં તે મેજથી વિચરે છે. આ બધાં પરિબ્રમણો બાદ તે પાછા ઘેર આવે છે, બારણાં બંધ કરે છે, કારી દીવાલ સામે નજ૨ ટેકવીને બેસે છે, ધ્યાન અને શાન્તિમાં દિવસરાત ગળે છે અને આ રીતે પોતાના જીવનને અવશેષ ભાગ પૂરો કરે છે. જેમણે ઓપદ પ્રાપ્તિ કરી છે, તેમને હું નથી. હું મારા આત્માને મારા શરીરી અંદર અભાવળપવ, પકડી રાખવા માંગું છું, મારા ચારિરથને ચીવટ પૂર્વક વિકસાવવા ઇચ્છું છું, અને શૂન્યસમ બને અનન્ત વિશ્વાકાશ સાથે એકરૂપ થવા ઇચ્છું છું. મેં મારા મામાને શરીરની અંદર જકડી રાખવા પ્રયત્ન કર્યો છે, પણુ અણુધર્યો તે બહાર નીકળી અદ્રશ્ય થઈ ગયો છે. મેં પૂરી પીવટથી મારા ચારિત્ર્યને ઘડવા પ્રયત્ન કર્યો છે, પણ અનેક લાગણીઓના વિકારોએ અને ચિત્તવૃત્તિના તરંગો એ મને ક્ષુબ્ધ બનાવી દીધો છે. મેં દિશા અને કાળથી અનવચ્છિન્ન ઉડ્ડયન સાધવા પ્રયત્ન કર્યો છે, પણ દેવવાસના એ અને અહિક કામનાએ મને નીચે ફેંકી દીધું છે, અને તેથી અન્તર્ગત શક્તિ પ્રાપ્ત નહિ કરી શકવાના કારણે તથા મારા અમાને સ્વસ્થ અને સમભાવશીલ બનાવવાના હેતુથી મેં બહારના સંયેગે અને સાધનોને ઉપયોગ કર્યો છે અને દિલની અંદરથી આનંદ મેળવવાનું શકય નહિ લાગવાથી સૃષ્ટિ. સૌન્દનું મેં અવલંબન લીધું છે. આ કારણોને લીધે મારો પ્રવાસ વિચિત્ર પ્રકાર બન્યા છે. સ્વૈરવિહાર “મારો એક મિત્ર કે જેને ટેકરા-ટેકરીમાં ભટકવું ખૂબ ગમે છે તેની સાથે હું નીકળી પડું છું અને અમે બને કફની ધારણ કરીએ છીએ, અમારા દરેકના હાથમાં એક એક કમંડલુ હોય છે અને જરૂર પડયે કામ લાગે તે માટે દશ રૂપિયા અને સાથે રાખીએ છીએ. અમને વધારેની જરૂર હોતી નથી, પણ કોઈ પણ આફત કે સંકટને પહોંચી વળવા માટે બરોબર દશ રૂપિયા અમે જાળવી રાખીએ છીએ. અને અમે બન્ને શહેરોમાં અને ગામડામાં, રાજદરવાજે અને શ્રીમાનોના મહેલ આગળ, બંદિશ સમીપ અને સાધુઓની પર્ણકુટિઓ સામે, ભીખ માંગતા ભટકીએ છીએ. શેની ભિક્ષા માંગવી તેની અમે પૂરી સંભાળ રાખીએ છીએ, અમે ભાત માંગીએ છીએ અને મધની કદી યાચના કરતા નથી; શાક-રોટલી માંગીએ છીએ, માંસાહાર અમને ખપ નથી. અમે પૂરી નમ્રતાથી યાચના કરીએ છીએ, પણ કદી કોઈના એશિયાળા થઈને યાચતા નથી. અમને લોકે જે કાંઈ આપે છે લઈને વિદાય થઈએ છીએ અને અમને લેકે કાંઈ નથી આપતા તે પણ અમે તેમને છોડીને પ્રસન્નતાપૂર્વક આમળ ચાલીએ છીએ. કઈ લેક તોછડાઈથી વતે છે તે પણ અમે તેને નમનતાઈથી જવાબ આપીએ છીએ. જ્યારે ભિક્ષા માંગતાં કશું પણ મળતું નથી અને જ્યારે બીજો કોઈ રસ્તો રહેતું નથી ત્યારે અમારી પાસે જે દશ રૂપિયા હોય છે તેમાંથી પાંચ પંદર આના ખરચીએ છીએ અને પાછો આગળ ચાલતાં શકય હોય ત્યારે અધૂરા દેશ રૂપિયા પૂરા કરી લઈએ છીએ. પણ અમને ખાસ ફરજ ન પડે ત્યાં સુધી અમે અમારી પાસે શી રોકડમાંથી કાંઈ પણ ખચતા નથી. “કોઈ પણ ચોકકસ સ્થળે પહોંચવાનું નકકી કર્યા સિવાય અમે પ્રવાસ કરીએ છીએ, અને જ્યાં ઠીક પડે ત્યાં આરામ લઈએ છીએ, અને કોઈ દિવસ એક માઈલ, કઇ દિવસ બે માઈલ, અને કે છ દિવસ ત્રણ, ચાર, કે પાંચ કે દશ માઈલ–એમ ધીમે ધીમે ચાલીએ છીએ. બહુ જ થાક લાગી જાય એ લાંબે પ્રવાસ અમે કદી ખેડતા નથી. અને જ્યારે અમે કોઈ પર્વત કે નદીનાળા આગળ આવી પહોંચીએ છીએ અને વહેતાં ઝરણુએ, શ્વેત શિલાઓ, સુન્દર જળ પક્ષી એ અને મધુર કલરવ કરતાં પર્વતપંખીઓ પિતાના અદૂભુત સૌન્દર્ય વડે અમને મુગ્ધ બનાવે છે ત્યારે કઈ નદીની વચ્ચે ગોઠવાયેલા નાનાસરખા ટાપુને અમે પસંદ કરીએ છીએ અને કોઈ સ્વચ્છ શિલા ઉપર બેસીને દૂર દૂર નજર દેવીએ છીએ. અને 'રે અમને લાકડા કાપનારા, મંછી પકડનાર, ગામડાના લે છે કે ળાલા વૃદ્ધ માણસે મળે છે, ત્યારે નથી અને તેમના નામ કે ઠામઠેકાણાં પૂછતા, નથી અમે અમારાં નામ કે ઠામઠેકાણાં કહેતા, નથી ખાલી આબેહવાની તેમની સાથે વાત કરતા, પણ તેમના ગ્રામજીવનનાં સુખદુ:ખની તેમ જ અનંદકલેલી વાતે "" ચર્ચા એ છીએ અને થોડી વાર બાદ તેમનાથી આનંદપૂર્વક ટા પડીએ છીએ અને કશી પણ ગ્લાન કે ગમગીની વગર અમે આગળ ચાલીએ છીએ. અતિશય ઠંડી કે ગરમી પડે ત્યારે અમારા શરીરસ્વારને હાનિ ન પહોંચે એ હેતુથી કે.ઈ સુરક્ષિત રથને અમે આરામ લઈએ છીએ. રસ્તા ઉપર બહુ ભીડ હોય ત્યારે બાજૂએ ઊભાં રહીએ છીએ અને બીજા લોકોને આગળ જવા દઈએ છીએ. અને કાઈવાર કોઈ મેટી નદી ઓળંગ બી હેય ત્યારે બીજા બધા લે કે હોડીમાં ગોઠવાઈ જાય ત્યાંસુધી અમે રાહ જોતાં ઊભા રહીએ છીએ. જે કોઈ દિવસ તેફ ચડી આવે છે તે અમે નદી ઓળંગવાને પ્રયત્ન કરતા નથી. પણ ધારે કે નદી ઓળંગતાં અડધા ભાગે હોઈએ અને કદી આંધીનું તેફાન ચડી આવ્યું, તે અમે અમારી આત્મશાન્તિ જાળવી રાખીએ છીએ, અને જીવનની અસ્થિરતા જાણતા હોઈને બધી વાત નસીબ ઉપર છોડતાં અમે વિચા. રીએ છીએ કે જે નદી ઓળંગતાં આપણે ડૂબી જઈએ તે જેવી ઇશ્વરની ઈચ્છા! તેની ચિન્તા કયે આપણે ઓછા જ બચવા હતા ? જે એ તોફાનમાંથી અમે બચી ન શકીએ, તે આ મારો પ્રવાસ ત્યાં પૂરો થાય છે. પણ જો સદ્દભાગ્ય બચી જઈએ તે પહેલાં માફક અમે આગળ ચાલીએ છીએ. જે કઈ નાલાયક બદમાશને અમને રસ્તામાં ભેટ થાય, અથવા તો અકસ્માતે તેવા કોઈ બદમાશ સાથે અમે અથડાઈ પડીએ, અને તે માણસ અમારી સાથે તોછડાઈથી વર્તે તે અમે તેની નમ્રતાથી માફી માંગીએ છીએ. આ રીતે મારી માંગવા છતાં પણ તે સાથે લડવા ઝગડવા સિવાય બીજો કોઈ મણ ન રહે તે અમારો પ્રવાસ ત્યાં પૂરો થાય છે. પણ એમ કરતાં તેના પંજામાંથી અમે છૂટવા ૫ મી એ તે અમે પહેલાં માફક આગળ ચાલવા લાગીએ છીએ. અમારા બેમાંથી જે કોઈ એક માંદુ પડે તે માંદા સાથીની સારવાર કરવા માટે અમે અટકી જઈએ છીએ, અને સાજો સાથી માંદાને ઔપચાર કરે છે અને માંદે સાથી શાતિથી પડી રહે છે અને અને નિરીક્ષણ કરે છે અને મૃત્યુથી તે જરા પણ ડરતા નથી. આમ કરવાથી ગંભીર માંદગી હળવી
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy