SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૪૮ પ્રભુ જેન કેટલાક સમાચાર અને નોંધ “ હમે દિમાગ હૈ ?” ઢલીલ નહિ ચાહિએ” મુ`બઇ પ્રાન્તિક મહાસભા સમિતિના પ્રમુખ શ્રી. એસ. કે. પાટીલને ખાસ કરીને મુંબઇમાં આજે કાણુ નથી જાતુ ? મુંબઈમાં જે સ્થાન મુંબઇની મ્યુનીસીપલ કારપે.રેશનના પ્રમુખનુ છે તેટલુ જ મહત્વનું અથવા તેા કેંગ્રેસન હિંદવ્યાપી પ્રતિષ્ટા ધ્યાનમાં લઇએ તા થી પણ વધારે મહત્વનું સ્થાન મુંબઇની પ્રાન્તિક મહાસમ સમિતિના પ્રમુખનું છે. એ જ એસ. કેં. પાટીલ આજે તા કોંગ્રેસની કારોબારીના પણુ એક સભ્ય છે. તેથી તેમ જ તે પેતાને ચુસ્ત ગાંધીવાદી માને છે, મનાવે છે તેથી તેઓ સમસ્ત હિંદી પ્રજાના વિશિષ્ટ આદરના અધિકારી છે અને તે કારણે જ તેમનુ વર્તન તેમ જ વ્યવહાર એક આદશ દેશભકતને બધી રીતે છાજે તેવુ' હાય એવી અપેક્ષા રાખાતે સામાન્ય પ્રજાજાને પુરા હક છે. આ ધોરણે વિચારતાં તેમના વિષેને નચે જણાવેલ અનુભવ કાઇ પણ સહૃદય માનવીને અત્યંત આધાત પહોંચાડે તેવા હાઈને જાહેર જનતા સમક્ષ રજી કરવાની આવશ્યકતા ભાસી છે. આ અનુભવ મારા એક મિત્ર શ્રી, ક્રાન્તિલાલ નથ્થુભાઇ પારેખના છે. તેઓ મેસ' માર્ પા રેખ એન્ડ કપનીના એક ભાગીદાર છે. તેમણે જીંદગીની શરૂઆતનાં કેટલાંક વર્ષોં ગાંધીજીના જ્યારે અમદાવાદ ખાતે સ્થાયી મુકામ હતેા તે દરમિયાન સત્યાગ્રહ આશ્રમમાં ગાળ્યાં છે, અને નાની મેટી રાજકારણી લડતા દરમિયાન ઠીક ઠીક મુદ્દતેને જેલવાસ પણ તેમણે બેગળ્યો છે. તે એક સુચારિત્રશીલ શાણા યુવાન છે. તેમને નચે જણાવેલ સમેગામાં મુ’બની કૉંગ્રેસના પ્રમુખ શ્રી, એસ. કે. પટીલને મળવાનું બન્યું. તેમની અને શ્રી. પાટીલ વચ્ચે શુ બન્યુ. તે આપણે તેમના જ શબ્દોમાં જોઇએ અને વિચારીએ. “તારીખ ૧૧-૨-૪૮ ના લગભગ ૧૦૦ વાગ્યે હું મુંબઇની પ્રાંતિક સમિતિના પ્રમુખ શ્રી પાટીલને મળવા ગયેા હતે. પૂજ્ય બાપુજીનાં અસ્થિને જળમાં પધરાવવા માટે નીકળનાર્ડ સરધસ કયે કયે રસ્તે થઇ. પસાર થશે તે વિષે સહારનાં જ છાપામાં સમાચાર હતા. સરઘસ માત્ર હિંન્દુ લતામાંથી જ પસાર થશે એવી જાહેરાત હતી. આથી હું પાટીલ સાહેબને વિનંતિ કરવા ગયા હતા કે સરધસ મુસ્લીમ લત્તામાંથી પશુ નીકળે. હું... શ્રી. પટીલની કેબીનમાં દાખલ થયા, નમસ્કાર કર્યાં; અને કયું “મૈં પ્રાજ્ઞી વિનંતિ અને આયા હું દિશા ભૂસુલ મુસ્લીમ સેમલે મી લાર હો” ટુકા ને ટચ પશુ અત્યંત ગ ભર્યાં જવાબ મલ્યો. “મેં વિમાન ક’. આ જવાબ સાંભળી હું ડધાઈ જ ગયા. આગળ કશુ ખેલવા વિચાર થાય એવું રહ્યું જ ન હતું. છતાં મેં કહ્યું " रविवार को बहिनों का जो शान्तिसरघस नीकला था वह मुग्लीन लत्तेमें से पसार हुआ था और बहोत ही मुस्लीम बहीनों रूस में शामील हुई थी। हमें ऐसा मौका मिला है तो हम भी जुलुस मुस्लीम लते में से पसार करें". વળી ટુંકા જવાબ મલ્યા “ શ્રૃત્તીજ્ઞ નŕ.” હું કંઇક ક્રી ખેલવા જતા, પણ ત્યાં તે ક્ી મને કી તેમણે એક જ વાત કહી મને દ ાઢ્યા ના ઉદ્દે યુસીલ નઢિ ચાદિષ.'' અને હું ખિન્ન હૃદયે બહાર નીકળ્યો. મનમાં વિચાર અબ્યો. જે મહાપુષે હિન્દુ મુસ્લીમ એકતા માટે પ્રણ પ્રાથર્યાં એ જ મહાપુરૂષનાં અસ્થિનુ’ સરધસ મુરલીમ લત્તામાંથી પસાર થાય એટૐ પણ આપણા પ્રાંત્તિક સમિતિના પ્રમુખને મ ંજુર નથી. ” અલબત્ત અહિં મારે સ્પષ્ટ કરવું જોઇએ કે શ્રી. પાટીલ ઉપર જાવેલ ભાઈશ્રી કાન્તિલાલ પારેખતે જાતે ઓળખતા # નહાતા. વળી એમ પણ સવિત છે કે જેમના માથે ગાંધીજીના ભરમપશેષના સરઘસની આખી જવાબદારી હેાય તેમની પાસે, ભાઇશ્રી કાન્તિલાલ ની ગમે તેટલી આકર્ષીક દલીલ હૈાવા છતાં, એ સરઘસ હિંદુ લતામાંથી જ કાઢવા માટે આપણે ન ાણુતા ડુઇએ એવાં ખાસ બળવાન કારણેા પણ હેય. પણ શ્રવૃતિનુંસૂ થતિ એ ન્યાયે ભાઇશ્રી કાન્તિલાલ જેવી એક વ્યકિત પેાતાની સમક્ષ આવીને ઉભી રહે અને તે કાંઇક વિશિષ્ટ વ્યકિત છે એટલું પણ શ્રી પાટીલ કળી ન શકે એટલા બધા બીનઅનુભવી શ્રી. પાટીલ, તે નથી જ. અને શ્રી. પાટીલ જેવું વિશિષ્ટ સ્થાન ભગવનાર વ્યકિત તરફથી વિષ, નમ્રતા તેમ જ ર.ભ્યતાની અપેક્ષા કરવાને સૌ કોઇ પ્રજાજાને હક છં. સામે આવેલા માણુસની વાત પૈતાને મજુર ન હેાય તે પશુ ના કહેવાની રીત રીતમાં પણ ફરક હોય છે. શ્રી, પાટીલ તરફથી દાખવવામાં આવેલી ઉપર જણાવેલી અર.ભ્યતા કેવળ અક્ષમ્ય છે. સારાષ્ટ્ર સરકારની સ્થાપના અને મહાગુજરાતના ઉત્તમ ગયા ફેબ્રુારી માસની ૧૫ મી તારીખે જામનગર ખાતે સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના કરવામાં આવી છે. આ નવી રચનાના પરિામે હિંંદી યુનીયનના અન્ય પ્રાત માફક કાઠિયાવાડ લગભગ એક પ્રાન્તનુ સ્વરૂપ ધારણ કરે છે. હિંદી યુનીયનમાંના કાઈ પણુ પ્રાન્તના ગવર્નરના સ્થાને કાઢિયાવાડમાં જુદી જુદી રીતે ચુંટાયલા પાંચ રાજવીઓના બનેલા એક પ્રમુખમંડળ (Presidium) ની નીમણુક કરવામાં આવી છે. મા પ્રમુખમંડળના પ્રમુખ નામદાર નમસાહેબ છે, જે કાઠિયાવાડના રાજપ્રમુખ તરીકે એળખાશે. વળી ભાવનગરના નામદાર નરેશને ઉપરાજપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા, પલીતાણુા તથા કેટડાસાંગાણીના રાજવીએ આ પ્રમુખમડળના અન્ય ત્રણ સભ્યેા છે. જામસાહેખની જાહેરાત મુજબ કાઠિયાવાડને હવે ‘સૌરાષ્ટ્ર' તરીકે ઓળખવાનું નક કરવામાં આળ્યું છે. સૌરાષ્ટ્ર સરકારનું પ્રધાનમંડળ છ સભ્યાનુ ઉભું’ કરવામાં આવ્યુ છે. મુખ્ય પ્રધાન શ્રી ઢેબરભાઇ; નાયબ વડા પ્રધાન શ્રી બળવન્તરાય મહેતા; અન્ય પ્રધાન શ્રી નાનાભાઇ ભટ્ટ, શ્રી રસિકલાલ પરીખ, શ્રી જગુભાઇ પરીખ, તથા શ્રી મનુલ ઇ મનસુખલાલ છે. આ સૌરાષ્ટ્ર સરકારમાં સૌથી પહેલું વહેલું જોડાનાર ભાવનગર રાજ્ય છે. આ માટે ભાવનગર નરેશને પુનઃ પુન : ધન્યવાદ ઘટે છે. ત્યાર બાદ ઉત્તરેત્તર કાઠિયાવાડનાં અન્ય રાજ્યો નેડાઇ રહ્યાં છે. આવતા એપ્રીલ પંદરમી ત.ર,ખ રહેલાં કાઠિયાવાડના લગભગ સવ રાજનો આ નવામત એકમમાં જોડાઈ ત્યાં હશે એમ આશા રાખ માં આવે છે. જુનાગઢમાં પણ આ બાબતમાં ફરીથી લોકમત હેવાશે અને એ લોકમતને નિધ સૌરાષ્ટ્રના એકમ સાથેના જોડાણમાં જ આવવાત છે એ વિષે એમત છે જ નહિ. જાફ્રાબાદ ઉપરથી જંજીરાન: . નવાબે પેતાની હકુમત ઉઠાવી લેવાતા નિષ્ણુ ય જાહેર કરી દીધો છે. અને આ રીતે જાફરાબાદ ધણું ખરૂં આ નવા એકમમા જોડઈ ગયુ' છે અથવા તે તુરતમાં જોડ!ઇ જવાનુ છે. બાકી રહેશે પ્રશ્ન દી, અમરેલી પ્રાન્ત અને મુંબઇ પ્રાન્તમાં પહેલાંથી જોડાયલાં રાજુપુર, ચેશ્વા જેવાં એ ચાર નાનાં મોટા ટપકાઓને. દીવ હાલ પેટુગીઝ સરકારની હકુમત નીચે છે તેથી સંભવ છે કે તેને નીકાલ કદાચ તુરતમાં નહિ આવે. અમરેલી પ્રાન્ત જે હાલ ગાયકવાડ નીચે છે તે વિષે વાટાઘાટ ચાલી રહી છે. રાણપુર ઘેધા વિષે પણ મુબઇ સરકાર સાથે મત્રણા શરૂ થવાની છે. આવી રીતે આખા કાર્ડિયાવાડમાં કેટલાય કાળથી જામી ખેઠેલાં જુદાં જુદાં રજવાડાંનાં જાળાં અને ભિન્ન બન્ન રાજ્યસત્તાની હકુમતને બહુ જ અલ્પ સમયમાં અન્ન આવી રહ્યો છે અને આખા કાઠિયાવાડ ઉપર એક જ તતંત્રની એકસરખી હુકુમતની સ્થાપના થઇ રહી છે.
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy