________________
૨૨૪
પ્રભુ, જેન
-
તા. ૧૫-૩-૪૮
-
-
--
આખા કાઠિયાવાનાં નાના મોટા રાજ્યો તે જોતજોતામાં વિસજિત થઈ રહ્યા છે, પણ એટલાથી જ આ સીમાવિસજનની પરંપરાને છેડે આવવાને નથી. કલ્પનાતીત એવા એક અને અખંડ કાઠિયાવાડના ઉદ્ભવ સાથે ગુજરાતી ભાષાભાષી એવા કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાંથી એક અને અખંડ મહાગુજરાતનું નિમણુકાયું આજે વ્યવહારૂ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ પામી
ચુકયું છે. જેમ જુનાગઢ, જામનગર, તેમ જ ભાવગનર જેવાં ' રાજ્ય વિસર્જિત થઈ રહ્યાં છે તેવી જ રીતે કચ્છ, વડોદરા તેમ જ ગુજરાતના અન્ય દેશી રાજ્યોએ પણ સવર વિસજિત થયે જ છુટકે છે. આ નવતર ધ્યેયને સત્વર સિદ્ધ થયેલું જોવા ક૭, કાઠિયાવાડ તથા ગુજરાતની રાજસ્થાની પ્રજા અત્યન્ત અતુર તેમજ આકુળવ્યાકુળ બની રહી છે અને હિંદી સંસ્થાનના પ્રાંતનાં પુનવિધાનને પ્રશ્ન હાથ ધરવામાં આવે અને મુંબઈ ઇલાકામાંથી મહારાષ્ટ્ર છુટું પડે તે સાથે જ અવશિષ્ટ ગુજરાતમાં ગુજરાતનાં દેશી રાજ્ય, કચ્છ તેમ જ કાઠિયાવાડને જોડી દઈને મહાગુજ. રાતનો પ્રસ્ત ઉભો કરવાની કલ્પના અત્યત આવેગપૂક સેવાઈ રહી છે. આ જ હેતુથી એપ્રીલના બીજા પખવાડીઆની શરૂઆતમાં મુંબઈમાં વસતા કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનાં. રાજસ્થાનની પ્રજાનું એક સંમેલન ભરાવાનું છે. આ રીતે જે ધટનાઓ એક વખત અશકય અથવા દુઃશકય જેવી લાગતી હતી તે જ ધટનાઓ અનુકુળ કાળબળના વેગ નીચે સુશકય બની રહી છે. જે રાજાઓ અને મહારાજાએ પોતપોતાની હકુમતને થાવગ્રંદ્રદિવાકરી ચિરંજીવ માનતા હતા તે રાજાઓ, મહારાજાઓ અને તેમની હકુમત જોતજોતામાં સ્મરણાવશેષ બની રહેલ છે અને કેવળ આપખુદી નીચે દબાઈ રહેલી, શેષાઈ રહેલી ગુગ- - ળાઇ રહેલી પ્રજા આઝાદીનાં, આબાદીનાં, નવનિમણુનાં અને સર્વાગી એકીકરણના ભવ્ય સ્વપ્નાંઓ સેવી રહી છે અને બીનઅનુભવ, બનઆવડતનાં જોખમ ખેડીને પણ આગળ વધવાની અને કેાઈ કાળે કલ્પાયું ન હતું એવું મહાગુજરાતનું ભવ્ય ભાગ્યનિર્માણ સધવા ! અપૂ તમન્ના સેવી રહી , કાઠિયાવાડને- સૌરાષ્ટ્રનેય પૂર્વકાશમાં દેદીપ્યમાન થઈ રહેલ છે. મહાગુજરાતના અરૂણને પણ ઉદય થઈ ચુક્યું છે.
જય સૌરાષ્ટ્ર જય કર !! જય ગુજરાત ! !! સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાં ત્રણ જૈન પ્રધાને :
શ્રી. રસિકલાલ પરીખને વિશેષ પરિચય
સૌરાષ્ટ્રના નવા પ્રધાનમંડળમાં શ્રી જગુભાઈ પરીખ, શ્રી મનુભાઈ મનસુખલાલ શાહ, તથા શ્રી. રસિકલાલ પરીખ–આ ત્રણ બંધુઓ જન છે અને આ બંધુઓ જેન હેવાના કારણે નહિ પણ આજ સુધીની તેમની એક યા અન્ય પ્રકારની કેવળ બીનકામી દેશસેવા-ના પરિણામે તેમ જ પ્રત્યેકની વિશિષ્ટ યોગ્યતાના કારણે સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી ઢેબરભાઈએ આ ત્રણ બંધુઓને પિતાના પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે. જૈન સમાજમાંથી આવી ઉંચી મેગ્યતાવાળા ત્રણ બંધુઓ મળી આવે એ હકીકત જૈન સમાજને ખરેખર અત્યન્ત ગૌરવ આપે તેવી છે. આ ત્રણ બંધુએમાંથી શ્રી જગુભાઈ પરીખને પ્રભુદ્ધ જૈનના તા. ૧-૨-૪૮ ના અંકમાં થોડા સમય પહેલાં જ પરિચય કરાવ્યું છે. શ્રી. મનુભાઈ મનસુખલાલ વઢવાણુ બાજુના સ્થાનકવાસી જૈન છે. તેમની ઉમ્મર પુરાં ૩૦ વર્ષની પણ નથી. તેઓ આપણુ સર્વને લગભગ અપરિચિત છે. કેટલાંક વર્ષોથી તેઓ દીલ્હીવાળા લાલા શ્રીરામની મીલમાં ઘણું ખરું જનરલ મેનેજર તરીકે નોકરી કરતા હતા. ૧૯૪૨ ની લડત આવી ત્યારે તેમણે મીલને આટલે મહત્વને
અધિકાર એકાએક છોડી દીધું હતું, ભૂગર્ભમાં રહીને ખુબ કામ કર્યું હતું, અને કેટલાક સમય તેઓ દીલ્હીના લાલકીલામાં
પરહેજ રહ્યા હતા અને અનેકવિધ યાતનાઓ તેમણે સહન કરી હતી. તેમના ઉપર લાલા શ્રીરામને પિતાના પુત્રેથી પણ અધિકતમ પ્રેસ હાઇને તેઓ જે છુટયા કે તરત જ મૂળ સ્થાન. ઉપર તેમને લેવામાં આવ્યા હતા અને આ કાર્ય બદલ તેમને રૂ. ૨૫૦૦ ને પગાર મળતો હતો. કાઠિયાવાડનું કહેણ આવ્યું કે તરત જ તેમણે પોતાની ચાવડી મોટી કરી છોડીને કાઠિયાવાડ તરફ ચાલી આવવા તત્પરતા દાખવી. લાલા શ્રીરામે તેમને મહામુશ્કેલીમાં મુકત કર્યા અને માસિક રૂ. ૨૫૦૦ ને પગાર કમાનાર શ્રી મ..ભાઈએ રુ. ૫૦૦ જેવું નજીવું વેતન સ્વીકારીને સૌરાષ્ટ્રના ચરણે પોતાની શકિત અને સેવા ધરી દીધી. તેમની વેશ્યતા પ્રમાણે વ્યાપાર અને ઉદ્યોગનાં ખાતાં જ તેમને સુપ્રત કરવામાં આવ્યા છે.
ત્રીજા બંધુ શ્રી રસિકલાલ પરીખ. મુંબઈમાં શ્રી દુર્લભજી ઉમેદચંદન રૂના વ્યાપાર 1 વર્ષો જુની પેઢી ચાલે છે. તેમાંના ભાઈ દુર્લભજીના શ્રી રસિકલાલ નાનાભાઈ થાય. હાલ તેમની ઉમ્મર ૩૮ વર્ષની છે. ૧૮૨૯માં તેમણે ઈન્ટર કોમર્સની પરીક્ષા આપી અને દેશમાં સવિનયભંગની લડત અવી. તેમણે પિતાને અભ્ય સ બાજુએ મુક્યો અને લડતમાં ઝંપલાવ્યું. ધંધુકા બેનેરા બાજુના જંગમાં તેમણે આગેવાની લીધી. અને ઉત્તરોત્તર જેલવાસ સ્વીકાર્યો. આ જ રીતે ૧૯૩૩ માં જયારે સામુદાયિક સત્યાગ્રહ મુલતવી રાખવામાં આવ્યું અને વ્યકિતગત સત્યાગ્રહની લડત શરૂ કરવામાં આવી ત્યારે પણ તેઓ જેલ જવાનું ન ચુક્યા. પછી તે લડત સર્વથા બંધ પડી. તેમણે અધુરે મુકેલ અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૩૪ તેઓ બી. કોમ. થયા. ૧૯૩૫ માં વિશેષ અભ્યાસ માટે તેઓ લંડન ગયા અને ત્યાં બે વર્ષ રહ્યા અને ૧૯૩૭માં લડન સ્કુલ ઓફ ઈકોનોમીકસ બી. કોમ. થયા. ત્યાર બાદ તેઓ દેશમાં પાછા આવ્યા અને શ્રી રારદાબહેન સાથે તેમણે લગ્ન કર્યું. તેઓ ઈંગ્લાંડમાં હતા તે દરમિયાન તેમણે બેરીસ્ટરના, ટમ્સ રાખવા શરૂ કર્યા હતા અને તે પુરૂ કરવા માટે તેમને પાછું ઈંગ્લાંડ જવાનું હતું. પણ ૧૯૩૭ માં રાજકોટ ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદનું સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણા નીચે અધિવેશન ભરાયું તે વખતે તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદ કાર્યવાહક સમિતિમાં ચુંટાયા અને કાઠિયાવાડના રાજકારણમાં તેઓ સીધી રીતે ગુંથાયા અને પરિણામે ઈંગ્લાંડ જવાને અને બેરીસ્ટરનું પૂરું કરવાનો વિચાર તેમણે હંમેશાને માટે માંડી વાળે. એક મહીને તેઓ મુંબઈમાં રહ્યા અને અન્ય રાજકારણી કાર્ય સાથે પિતાની પેઢીનું કા' જેવા લાગ્યા. પણ કાઠિયાવાડનું ઉગ્ર બનતું જતું રાજકાઃ ૬ તથા રાજકોટમાં વાગી રહેલા આગામી લડતના ભણકારા તેમાં મુંબઈ ચેટીને બેસી રહેવા દે તેમ હતું જ નહિ, ૧૮૩૮ - જુલાઈ ઓગસ્ટમાં રાજકોટ રાજસ્થાની લડતનું એક મોટું કેન્દ્રસ્થાન બની ગયું. સામાન્યતઃ અપ્રગટ રહીને તેમણે આખી લડતનું અપ્રતિમ કુશળતાપૂર્વક સંચાલક૧૯૩૭ માં તેઓ જ્યારથી કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહક સમિતિમાં આવ્યા ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના તેમના પરિચયની શરૂ બાત થયેલી, પણ રાજકોટની લડતના કારણે તેઓ સરદારશ્રીના વિશેષ કિટ ૫.રચય (i આવ્યા. ત્યાર છે તે અાજ સુધી તેઓ સરદારશ્રીના પરમ વિશ્વાસ છે પાત્ર બની રહ્યા છે. રાજકોટનો લડત વધારે ને વધારે ઉગ્રતા ધારણ કરતી જતી હતી તેવામાં લીંબડીમાં રાજકારણી લડતનું આંદોલન શરૂ થયું અને શ્રી. રસિકભાઇ લીંબડીના તે વતની એટલું જ નહિ પણ લીંબડી સાથે, લીંબડી રાજ્ય સાથે તેમને વંશપરંપરાને ગાઢ સંબધિ, એટલે લીંબડીની લડતનું સર્વ સંચાલન તેમના ભાગે જ આવી પડયું અને રાજ્યસત્તાની અમાનુષી દમનનીતિ સામે વિરોધ દાખવતી હીજરતની આગેવાની પણ તેમણે અખત્યાર કરી. તે હીજરતને અમલ થતાં તેમણે લીંબડી