________________
२०६
પ્રબુદ્ધ જૈન
સાહિત્યચેાશ અને અનાવટી અભિપ્રાયા સાહિત્યના ક્ષેત્ર સાથે પ્રકાર પ્રકારની ચેરીએ ` સંકળાયલી છે. એક તે। પુસ્તકચારી બહુ જાણીતી બાબત છે. કાર્યની કાઇ પણ વસ્તુ લીધી હેાય તે તેના ઉપયોગ પુરા થયે એના એ આકારમાં મૂળ માલીકને જેમ બને તેમ જદ્ધિથી પહોંચાડવી આ છે નીતિને સામાન્ય નિયમ. પણુ આપણા સમાજમાં પુસ્તકા સંબંધમાં આ નિયમના અમલ બ્રૂહુ હળવી રીતે થાય છે. અને કેટલાક ઠેકાણે કાઇ પાસેથી વાંચવા લાવેલું પુસ્તક અને ત્યાં સુધી પુસ્તકના માલીકને પાછું ન જ પહોંચાડવું—આ નિયમના જ અમલ ચાલી રહેલા માલુમ પડે છે.
આ ઉપરાંત સાહિત્યકામાં ખીજી એક પ્રકારની ચેરી આજ કાલ બહુ પ્રચલિત દેખાય છે. કાષ્ટના પણ લેખે। અને ખાસ કરીને વાર્તાએ મૂળ સ્વરૂપે કે થોડા ઉપર ઉપરના ફેરફાર સાથે પેાતાના નામે અન્ય સામયિક્રામાં પ્રગટ કરવાની કેટલાક લેખકાની દંત બહુ વધતી જતી નજરે પડે છે. વળી સામયિક પત્રના તંત્રીને મૌલિક લેખા અથવા તે વાર્તાઓની ખૂબ ખેંચ હોય છે. અન્ય સામયિકમાંથી ઉધૃત કયુ" છે. એમ જો કોઇ લેખ કે વાર્તાના અન્ત પ્રગટ કરવામાં આવે છે તે આ સામયિક તે બીજા છાપાના ઉતારા જ લે છે એમ વાંચકા આક્ષેપ કરે છે જે તંત્રીથી સહન થતુ નથી. આ કારણે ઘણી વખત કેટલાક તત્રીએ અમુક લેખ કે અમુક વાર્તા અમુક સામયિકમાંથી સીધેસીધી ઉપાડે છે અને એમ છતાં એ બાબતને નહેર રીતે બીલકુલ સ્વીકાર કરતા નથી. સદ્ગત ડો. વૃજલ લ મેધાણીની કેટલીક વાર્તાએ આ રીતે પાાફેર થઈને પ્રગટ થયેલી મારા જોવામાં આવી હતી. વળી કેટલીક વાર્તા પ્રભુદ્ધ જૈનમાં પ્રગટ થયેલી તે સીધે સીધી અન્ય સામયિકામાં ઉધ્ધત–વીકાર સિવાય પ્રગટ થયેલી પણ જોવામાં આવી હતી. હજુ ચેડા સમય પહેલાં જ તા. ૧૫-૧૧-૪૭ ના પ્રબુધ્ધ જૈનમાં પ્રગટ થયેલી સ્વ. શ્રૃજલાલ ધરમચંદ મેધાણી-ની ‘કદરદાનીની કદર’ એ મથાળાની એક વાર્તા શ્રી. પ્રાણલાલ જસાણી જેના તંત્રી છે એવા ‘જૈન પ્રચાર’ નામના એક અઠવાડિંક પત્રના તા. ૫-૧૨--૪૭ ના અંકમાં એ જ મથાળા સાથે શબ્દશઃ પ્રગટ થઈ છે અને એમ છતાં એ વાર્તા જાણે કે તંત્રીએ પોતે જ પેાતાના પત્ર માટે લખેલી હાય તેમ એ અંકમાં આ વાર્તાની આગળ કે પાછળ આ વાર્તાના ખરા લેખકના અથવા તે આ વાર્તા મૂળ જ્યાં પ્રગટ થઇ છે. તે પત્રના કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
હમણાં માં વળી એક નવા પ્રકારની તરકીબ જોવામાં આવી છે. આાજ કાલ પુસ્તકાની ખપત જાણીતા માણસા એ વિષે કુવા અભિપ્રાય ધરાવે છે તેની જાહેરાત ઉપર બહુ આધાર રાખે છે. આવી વાસ્તવિકતા ધ્યાનમાં લઇને ઇન્દોરના એક હિંદી સાહિ ત્યકાર શ્રી દુર્ગાશકરે ૧૯૪૭ ના ઓગસ્ટ માસમાં પ્રગટ થયેલા પેાતાના ‘ સ્વચ્છન્દ વાદ ' નામના પુસ્તકના જેકેટની એક બાજુએ એ બનાવટી અભિપ્રાય છાપ્યા છે. એક છે શ્રી લીલાવતી મુનશીને; બીજો છે કાકા સાહેબ કાલેલકરને!. શ્રી લીલાવતી મુનશીને આખે અભિપ્રાય ખનાવટી છે; શ્રી કાકાસાહેબના અભિપ્રાંયા પહેલા પારીગ્રાફ્ તેમના કાઇ લખાણમાંથી ઉધ્ધત કરે છે અને પછી પ્રસ્તુત પુસ્તકની ભલામણ કરતી એક નાની નેત્ર લેખકે પોતે જ ઉમેરી દીધી છે. આ બન્ને અભિપ્રાયે! મૂળ હિંદીમાં છે જેને અનુવાદ નીચે મુજબ છે –
તા ૧૫ ૨-૪૮
સ'શેધનપૂ વિવેચન જોને ' આશ્રય ચકિત થઇ. વૈજ્ઞાનિક ભૌતિકવાદના આધાર ઉપર વિષયનું વિવેચન કરવામાં આવ્યુ છે. અને તેની ગંભીરતામાં અશ્લીલતા જાણે કે લુપ્ત થઇ જતી ડાય એમ લાગે છે. સ્વચ્છન્દુવાદનુ* વધારે વિસ્તૃત વિવેચન થાય અને તેને ખુત્ર પ્રચાર થાય એમ હું ઇચ્છું છું.”
આચાય કાકા કાલેલકરના અભિપ્રાય
શ્રી. લીલાવતી મુનશીના અભિપ્રાય
“ આ પુસ્તક મહીના સુધી મારી પાસે પડી રહ્યું. એ વિષે વારવાર તકાદે થવાથી આખરે એ હુ` વાંચી ગઇ. નૈતિકતા · અથવા વિવાહના વિરોધ મને ખટકયે. આ તે અમારી સંસ્કૃતિ ઉપર જ કુઠારપ્રહાર છે. લખાણમાં અશ્લીલતાની છાયા પડેલી મારી નજર ઉપર આવી. પરંતુ આ બધું હોવા છતાં પણ લેખકનું નવીન
મનુષ્યજાતિએ સ્ત્રી-પુરૂષ સંબધની ગ'ભીરતા ઉપર વિચાર સરખા કર્યાં નથી. સ્ત્રીહૃદયનું ઉંડાણુ અને પુરૂષના પરાક્રમની ભવ્યતા વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં મનુષ્યજાતિ હજુ સુધી પણ સફળ થઈ શકી નથી. આ કારણે આજ સુધી માનવજીવન શાકાન્તક જ લેખવામાં આવે છે. રવીન્દ્રનાથ જેવા જીવનદ્રષ્ટાને પણ આખરે એમ કહેવુ' પડયું કે વિવાહ સંસ્થાત્મક દૃષ્ટિથી હજી સફળ થઈ શકેલ નથી, સ્ત્રી-પુરૂષની સમસ્યા હજી પુરેપુરી ઉકેલી શકાઇ નથી.
“આ સ્ત્રી-પુરૂષ સમસ્યા ઉપર પ્રાકૃતિક નિયમેના આધાર વડે સ્વચ્છ દવાદમાં સારે! પ્રકાશ પાડવામાં આવ્યા છે. લેખકને પ્રયત્ન આદરણીય છે.”
પુસ્તકનું' વિચારદારિદ્રય છુપાવવાને લેખકને આ એક કનિષ્ટ પ્રયત્ન છે. આની ઉપર વિશેષ વિવેચનની કશી જરૂર છે જ નહિં, પર્મન દ
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે
શ્રી ચુનીલાલ વમાન શાહને આવતા મે માસમાં ૬૦ વરસ પૂરાં થવાનાં છે તે પ્રસંગે અમદાવાદ મુંબઇના પત્રકારે તેમની ષષ્ટિપૂતિ ઉજવવાને વિચાર કરે છે તેને અમે આવકારીએ છીએ.
શ્રી ચુનીબા માત્ર પત્રકાર નથી. તેમણે પત્રકારના કામ ઉપરાંત પુષ્કળ નવલકથાઓ પણ લખી છે. અને એ નવલકયાને આપણા અર્વાચીન ઇતિહાસમાં લાંબા વખત સુધી એકસરખા સ્થિર આદર મળેલા છે. તેમણે ધણીખરી ઐતિહાસિક નવલકથાએ લખી છે અને તે પછીમાં ઐતિહાસિક ભૂમિકા પૂરેપૂરી પરિચિત કરવા મેાટે શ્રમ ઉઠાવેલા છે.
શ્રી ચુનીભાઇ તે ઉપરાંત એક વિવેચક પણ છે. પ્રજાબંધુમાં ‘સાહિત્યપ્રિય’ના તખલ્લુસથી ચાલુ સાહિત્યના પ્રશ્નો ઉપર તેમણે વારવાર રસિક ચર્ચા કરી છે. સાહિત્યની ચર્ચાઓમાં તટસ્થતા સાચવવી ઘણી મુશ્કેલ છે, પણ તેમણે હંમેશા તટસ્થતાથી પેાતાને મત બાંધેલા છે અને સમતલપણાથી તેનુ' નિરૂપણ કરેલું' છે. આવી ષષ્ઠિપૂર્તિ માં માત્ર માનપાનના મેળાવડાઓ થઇ રહ્યા પછી કશું જ કાયમી પરિણામ પાછળ રહેતુ નથી. તેને ખલે ભાઇશ્રી ચુનીભાઇની સાહિત્યચર્ચાના ઉત્તમ અને લાક્ષણિક લેખા આવા પ્રસંગે બહાર પડે તે વધારે ઇચ્છવા જેવુ' છે.
શ્રી ચુનીભાઇ બહુ મૂંગા કા કર્યાં છે. ૧૯૩૭ માં તેમને રજીતરામ વાવાભાઇ સુત્ર ચન્દ્રક મળ્યા ત્યારે ચન્દ્રકપ્રદાનની વિધિની સભામાં સદ્ગત આનદેશકરભાઈ ખાસ આવ્યા હતા. મને તેમણે બહુ સારા શબ્દોમાં શ્રી ચુનીભાઇની સૌમ્ય પ્રકૃતિ, સાહિત્યપરાયણુતા અને સમતલપણાની મુકત કૐ પ્રશસા કરી હતી. એ ચન્દ્રક એમને એમની સેવાના પ્રમાણમાં મેડા મળ્યા ગણાય, પણ સેવા ગમે ત્યારે પણ આદર પામે છે. આ વખતે એમની પત્રકાર તરીકેની સેવાની કદર થાય છે તે ચેગ્ય છે.
પત્રકાર તરીકેની તેમની કારકિર્દી માટે ટૂંકમાં એમ કહી શકાય કે અત્યારે પ્રજાબન્ધુનુ જે સ્વરૂપ છે તેના ઘડતરમાં તેમના જેટલા ભાગ્યે જ બીજા કાઇના કાળા હશે. અને પ્રજામન્તુ આપણુ એક ઉત્તમ ગંભીર ઉપયોગી અવાડિક છે. ઠાવકાઇ, મુદ્દાને જોઇતી ઐતિહાસિક ભૂમિકા આપી સ્પષ્ટ કરવા, સ સમજે એ રીતે