SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૨-૪૮ • - પ્રબુદ્ધ જન. બદલાય છે અને વિશિષ્ટ સંસ્થાઓનું નિર્માણ થાય છે. પ્રતિગામી અને પુરોગામી અથવા સનાતન અને આધુનિક વિચારપ્રવાહનો વિરોધ થતો જાય છે. આ પરંપરાઓમાં મતભેદ થતાં થતાં સમાજભેદ, તત્વભેદ પણ થાય છે. આ રીતે ભૂલ સમાજ અને મૂલ તાવ નવું રૂપ ધારણ કરે છે. જૈન સમાજ પણ આ નૈસર્ગિક વિક્રિયાઓનો ભોગ બને છે. અને એ જ ગતિશીલતાનું ચિહન છે. ભગવાન મહાવીરના કાળમાં આ સાધુને પ્રભાવ અધિક રહ્યો છે. એક બાજુ બૌદ્ધ ભિક્ષુઓને સંધ અને બીજી બાજુ જૈન (નિચંન્ય) સાધુસંધ. ભગવાન મહાવીરની પછી, જ્યાં સુધી ભગવાન મહાવીર કેવળ ઐતિહાસિક વ્યકિત નહેતા બન્યા ત્યાં સુધી આ સંધ ખુબ ઉપયોગી અને પ્રભાવશાળી રહ્યો હતો. ત્યાર પછી તેમાં અનેક શાખાઓ વધી, નવા સંસ્કાર જવા, નવું પરિવર્તા થયું અને એ સંધ સ્થિતિશીલ બને. આ જ સ્થિતિ સાધ્વીઓની પણ રહી. પ્રત્યેક ધર્મમાં વધતા - એ.છા પ્રમાણમાં સ્ત્રીવર્ગની પ્રતિષ્ઠા રહી છે. આપણે ઉપનિષદકાલ તરફ નજર નાંખીએ છીએ, ત્યારે જણાય છે કે અભિવાદની ગંભીર ચર્ચામાં બુદ્ધિવાદ કરવાવાળા પંડિનેમાં પણ સ્ત્રીઓ અગ્રગય રહી હતી. ગાર્ગી, મૈત્રેયી વગેરે અનેક સ્ત્રીઓએ બ્રહ્મવાદિનીના રૂપમાં પિતાનું નામ ઇતિહાસમાં અમર કર્યું છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં પણ સ્ત્રી એને સાળી થવાને હક માન્ય હો. ભ. બુદ્ધની પહેલા જ જન સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓને “સાધુ સંઘમાં પ્રવેશ થઈ ચુક્યા હતા, આ કારણથી જ ઈચ્છા ન હોવા છતાં ભ. બુદ્ધને પણ પિતાના ભિક્ષુસંઘમાં સ્ત્રીઓને લેવી પડી. ભિક્ષુસંધમાં સ્ત્રીઓના પ્રવેશ જોખમ રૂપ છે, તેમ જ તેનાથી ભિક્ષુસંધ અવનત થશે એ અભિપ્રાય ભ. બુધ્ધ વ્યકત કર્યો હતો તે પણ તેમને પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને સ્વીકાર કરવો જ પડયો. તેનું કારણ એ હોઈ શકે કે જૈન સમાજમાં મહાવીરથી પહેલાં જ સ્ત્રીઓને સાધ્વસંધમાં સ્વતંત્ર સ્થાન મળ્યું હતું અને ધર્મપ્રચારમાં તેઓને ફાળો હતે. આ પછી બે સંધ શ્રાવક અને શ્રાવિકા, સમાજને અગત્યને સ્તર છે, જેના ઉપર સમસ્ત સંસ્કૃતિ, સંસ્કાર અને સમાજને નૈતિક આધાર અધિષ્ટિત રહે છે. સમાજ રૂઢિપ્રધાન હોવાથી જીવન તથા ધર્મના બાહ્ય અંગેનું રક્ષણ કરવું, ધર્મની વૃદ્ધિ કરવી એ તેઓનું કર્તવ્ય હોય છે. જૈન ધર્મ જાતિવિશિષ્ટ સમાજનિયમ નથી અપનાવ્યો, તેના અનેક કારણે હોઈ શકે છે. (૧) તપ પ્રધાન સંસ્કૃતિ હોવાથી જૈન સમાજ ધાર્મિક સમાજ રહ્યો, અને તેમાં જે તપાવી તે જ શ્રેષ્ટ રહ્યો. તપ, જીવનની વૃત્તિ નહિ હોવાથી અને જન્મ સાથે તેને સંબંધ ન રહેવાથી જાતિવિશિષ્ટ ઉચ્ચનીચતા તેમાં આવી શકી નહિ. (૨) જ્ઞાનથી વધારે મહત્વ ત્યાગને અને અપરિગ્રહને આપ- . વામાં આવ્યું, અને જે અધિક સન્યસ્ત તે શ્રેષ્ટ બન્યો. (૩) ધર્મપાલનમાં સર્વ વર્ગોને સમાન અધિકાર હેવાથી વૃત્તિઓમાં-ઉપજીવનમાં-ભેદ હોવા છતાં તેમાં ઉચ્ચનીચતા ઉપન્ન ન થઈ. (૪) શ્રાવકોમાં પણ જે અધિક તાપ્રધાન તે અધિક શ્રેષ્ઠ રહ્યો. ગૃહસ્થની જે ૧૧ પ્રતિમાઓ છે. તેનું મૂળ પણ આ જ છે. (૫) જેણે તપ અને ત્યાગને ન અપનાવ્યા તે અસંસ્કૃત કહેવાય અને કનિષ્ટ મનાવા લાગ્યા. આ રીતે જૈન સમાજની પ્રસ્થાપન ફરીથી સુધારીને કરવામાં આવી. ભગવાન મહાવીરના જીવનકાલમાં સંધમાં જે વિશેષ પ્રસિધ્ધ વ્યકિત હતી તેની સંખ્યા કા ૧૧૪૭ + છે, તેને વિવિધ આગમ-ગ્રન્થમાં ઉલ્લેખ છે, જેમાં - + જુઓ-ઉત્થાનમહાવીર ક [ જન પ્રકાશ ] “પાપત્ય અને મહાવીર સંધ” લેખક :-શ્રી. માલવણિયા. બ્રાહ્મણ-૧૪ ક્ષત્રિય-૫૮૫ વૈશ્ય-૬૩ શુદ્ર-૭ પાર્શ્વપર૫રાના–૫ અન્ય તીથી એ-૭૦૪ અજ્ઞાત-૨૮ આ સમસ્ત સંધ વૈશાલી અને મગધની આસપાસના ૩૩ નગરોમાં સ્થાયી હતા. કલ્પસૂત્ર આપણને જે સંખ્યા દેખાડે છે (૭૭૦૦૦) તે કદાચ સર્વ સંધેની અથવા તે ભગવાન મહાવીરની પછી હોઈ શકે. - ભ. મહાવીર અને પાર્શ્વનાથની પરમ્પરામાં કોઈ ખાસ ભેદ રહ્યો હોય એમ લાગતું નથી. તે પણ ભ. પાર્શ્વનાથને ધમ ચાતુર્યામિક હતો જેમાં ભ. મહાવીરે “ બ્રહ્મચર્ય વ્રતને જોડી દીધું, જે પહેલાં અપરિગ્રહ વ્રતમાં સક્લિીત હતું. આનું કોઈ ખાસ કારણ હોઈ શકે છે. તે સમયમાં સમાજ અને સંધમાં શિથિલતા આવી હશે, જેને રોકવા માટે આચાર-નિયમોને દઢ અને કડક કરવામાં આવ્યા હશે. બીજું એક મહતવને ભેદ અલવને રહ્યો છે. કેશી ગૌતમ સંવાદમાં આપણે અલની પ્રાચીનતા વિષે ઉઠાવેલા પ્રશ્નો જોઈએ છીએ. સાથે જ બૌદ્ધ પીટકામાં નિર્ચને “એક શાક' શબ્દથી પણ સંબોધન કરવામાં આવ્યું છે. તેને નિષ્કર્ષ એ હોઈ શકે કે ભ. પાર્શ્વનાથની પરમ્પરામાં સંપૂર્ણ અચેલ ન રહ્યું હોય. મહાતપસ્વી ભ. મહાવીરે અંતિમ જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાના ધોરણે અલત ધારણ કર્યું હશે. ગુણદૃષ્ટિથી શ્રેષ્ટ હોવાથી અચેતત્વને અને વ્યવહારિક ઉપયુક્તતા હોવાથી સચેતત્વને રજા આપવામાં આવી. તત્વજ્ઞાન અને સમાજની આલોચના પછી આપણે એ અંગને વિચાર કરીએ છીએ કે જે સંસ્કૃતિની સાધનામાં મહત્તવપૂરું સ્થાન ધરાવે છે. એ અંગ છે પ્રાચીન સાહિત્ય. જૈન સમાજમાં આ પ્રાચીનતમ સાહિત્ય હજી પણ ઉપલબ્ધ છે, કે જેને જિનાગમ'ના રૂપમાં પૂજવામાં આવે છે. આ જિનભાગમ જે કે સમગ્ર જન સાહિત્યનું નામ છે, તે પણ આગમશાસ્ત્રોનું સ્થાન તેમાં ઉંચું છે. ભ. મહાવીરના સમયમાં અને પછીનાં ચાર શતકેમાં આ આગમશાસ્ત્રો ની રચના થઈ છે, જેમાં તાત્કાલીન વિવિધ પ્રશ્નો પર જે વિવાદ થયે તેનું આચારનિયમોનું તથા સામાજિક આદેલનું અને કમ-સિદ્ધાન્તનું વિવરણ નિબધ્ધ કર.વામાં આવ્યું છે. આ જ આગમકાળમાં આચાચ ભદ્રબાહુ અને આચાય" કુન્દકુન્દ જેવા મહાન આચાર્ચે નિર્માણ થયાં જેની કૃતિઓ સાધારણ જૈન સમાજમાં પૂજનીય છે. અહિં સુધીમાં સમાલચનાને પ્રથમ ભાગ પૂરી થાય છે, અને તેની પછી જૈન સમાજમાં જે નવા આન્દોલન થયાં તેના પર સંક્ષિપ્ત વિચાર આપણે કરવાને છે. હવે આપણે ભ. મહાવીરના નિર્વાણ પછીથી લઈને વર્તમાનયુગ સુધીની સંક્ષિપ્ત સમાચના કરવાની છે. ભ. મહાવીરની પછી જૈન સમાજમાં જે મુખ્ય આધેલને થયાં અને જે ક્ષેત્રમાં તેમણે પ્રગતિ કરી તેના મુખ્યત્વે કરીને ત્રણ વિભાગ થઈ શકે છે. એક ભાગ છે રાજ્યશાસન અને તેની દ્વારા ધર્મપ્રચાર, બીજે દોશી નિક અને સાહિત્યવિકાસ તથા ત્રીજે વિભાગ સામાજિક આન્દોલનને છે. જો કે આ ત્રણે એકબીજા સાથે સંબંધ ધરાવે છે તે પણ તેની ઉપર અલગ અલગ વિચાર કરવાથી આપણા આખાએ સમાજજીવનને સ્પષ્ટ ખ્યાલ આપણને અવી શકે તેમ છે. રાજ્યશાસન-પહેલાં આપણે એ જાણવું જોઈએ કે જૈન સમાજે કયાં અને કયા યુગમાં રાજ્યશાસન કર્યું છે. અને અન્ય રાજપુરૂષે ને કયા પ્રકારથી જૈન ધર્મના સંસ્કાર આપ્યા છે. જૈન પરંપરા માને છે કે તેના બધા તીર્થકર ક્ષત્રિય હતા, સાથે સાથે એમ પણ માને છે કે તેમાં કોઈ કાઈ તે ચક્રવતિ પણ હતા અને બીજા બધા રાજકુટુંબના હતા. ભ. પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર ક્ષત્રિય હતા તે ઈતિહાસસિદ્ધ છે. ભગવાન મહાવીર પિતે રાજપુત્ર હતા અને તેમના સંધમાં પણ -
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy