SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જેન. તા" ૫ ૨૪૮ સમાજ ચતુર્વિધ સંઘના તત્વ પર વ્યવસ્થિત કર્યો. એ વાત સાચી છે કે ભગવાન મહાવીરના આ નવા સમાજમાં બ્રાહ્મણ વગ ઓછો સામેલ થશે. બ્રાહ્મણોની કક્ષા ઉતરતી મનાવી લાગી અને ક્ષત્રિય જ્યારે નેતા બન્યા ત્યારે એ સ્વાભાવિક હતું કે બ્રાહ્મણ આ સમાજમાં ભળી શક્યા નહિ. મહાવીરના નવા સંઘમાં વિશેષકરીને ક્ષત્રિય અને વૈશ્ય વગ શામિલ થયો, બ્રાહ્મણવર્ગ છે, ત્યારે શામિલ થયો કે જ્યારે યુતિવાદથી તેઓનાં તનું ખંડન કરવામાં આવ્યું, પરિણામસ્વરૂપ આપણે જોઈએ છીએ કે મહાવીરના પરમ શિષ્ય ગણુધરે પ્રથમ વૈદિક બ્રાહ્મણ હતા, પાછળથી તેઓ જન થયા. એટલું બનવા છતાં પણ બ્રાહ્મણવગે પોતાનું સ્થાન છોડયું નહિ. તેઓનું મતપરિવર્તન કેવી રીતે કર્યું તે વાતેની શોધ જો કે થઈ નથી તે પણ ગણુધરવાદ' જેવા આગમમાં અને દંતકથાઓમાંથી જે નિષ્કર્ષ મળે છે તે ચિન્તનીય છે. કર્મવાદને સિદ્ધાન્ત જે વૈદિક અને બૌદ્ધ બન્નેને માટે ન હતું તે પ્રથમ ભગવાન પાર્શ્વનાથ અને પછી ભગવાન મહાવીરે જ પ્રરૂપણ કર્યો. મહાવીરના પહેલાના જમાનામાં જે વૈદિક સાહિત્ય (પ્રાચીન) નિર્માણ થયું હતું તેમાં કMસિદ્ધાન્તની બહુ જુજ ઠેકાણે પ્રરૂપણ કરવામાં આવી છે. એ છતાં પણ જે કાંઈ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે વિચારણીય તે છે જ. પરંતુ બૃહદવારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય સાથે આરવને જે સંવાદ આવે છે તેમાંના કેટલાક ભાગ જોતાં માલુમ પડે છે કે યાજ્ઞવલ્કય કમસિદ્ધાંતનું ઉચ્ચારણ ઘણી ગંભીરતાથી કરે છે અને આ બાબત ગુપ્ત રહે અને સાર્વજનિક ચર્ચાનો વિષય બની ન જાય એમ સૂચવતા લાગે છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે ઉપનિષદ કાળમાં આ તત્વ અવૈદિક દાર્શનિકેકારા વૈદિક દાર્શનિકોને મળ્યું હતું જે રહસ્વરૂપમાં હતું છતાં તેમને ચિન્તનીય લાગ્યું હતું. બૌદ્ધ ધર્મો પણ કર્મના સિદ્ધાન્તના મૂળને પકડી લીધું તેનું શ્રેય જન ધમને ઘટે છે. . કમસિદ્ધાન્ત જનોને જ હતા અને એ સિદ્ધાન્તને જનોએ એટલે બધે પલવિત કર્યો હતો કે દુનિયાના કેઈ પણ સાહિત્યમાં આ તત્વ વિષે આટલું બધું વિવેચન કરવામાં આવ્યું નથી. ભગવાન મહાવીરના સમયમાં અને તેમના કાળધર્મ પામ્યા બાદ જે આગમગ્રંથ રચવામાં આવ્યા છે એમાંથી કમસિધ્ધાન્ત પરત્વે જે ઉપલબ્ધ ભાગ આપણને મળે છે તેના અધ્યયન ઉપરથી આપણને માલુમ પડે છે કે આવો વિસ્તૃત અભ્યાસ કોઇ એક કાળ કે કોઈ એક વ્યક્તિને હોઈ શકે નહિ. પણ અનેક વિદ્વાનોએ અનેક સદીઓમાં જે નિદિધ્યાસ કરવામાં આવેલ છે તેનું આ ફળ છે. કમરસિધ્ધાન્તની સાથે જ એક બીજો મહાન સિદ્ધાન્ત હતે જેને જન ધમને પરમવિશિષ્ટ સિધ્ધાન્ત કહી શકાય. આગળ આપણે જોઈ ગયા છીએ કે ઉપનિષદમાં આત્માવાદની ચર્ચા સ્થળે સ્થળે કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારના નવા પ્રશ્નો વિશ્વચિંતકૅની સામે ઉત્પન્ન થયા હતા, જગતના મૂળકારણુને શોધી લેવાની આ પ્રકૃત્તિ જેટલી મહાન હતી એટલી વિવિધ પણ હતી અને નવીન પ્રકારના નિષ્કર્ષ પર આ ચિન્તકે પહોંચી ચુકયા હતા. જગતની નિત્યતા કે અનિત્યતા, એક કારણ કે અનેક કારણત્વ, ચેતનમૂલકારણુત્વ કે અચેતનમૂલકારણુત્વ, જીવ અને શરીરને ભેદ કે અભેદ ઈશ્વરવાદ, કે અનીશ્વરવાદ, સતવા કે અસતુવાદ, જેવા અન્ય અનેક વાદો પુષ્કળ પ્રમાણમાં વધી પડયા હતા કે વિવિધ ચિત્ત કેએ તેને ઉકેલવાનો પ્રયન કર્યો હતો. ભગવાન બુદ્ધ કે જે જીવનશોધન ઉપર અત્યધિક લક્ષ દેતા આ પારીત્રામાં કરવામાં આવેલાં વિધાનના રામ નમાં મહદારણ્યક. ઉપનિષદ તથા મીસીસ રીસડેલસિના આઉટલાઈન એફ બુદ્ધિઝ'માંથી લેખકે પૈડા ઉતારશ આપ્યા છે જે સ્થળસંકેચને લઈને અહિં’ આપી શકાયા નથી, તત્રી હતા, તેમને પણ વિશ્વશોધકોના અન્યાન્ય પ્રશ્નોના ઉત્તર દેવાની ફરજ પડી. ઉપનિષદોનો શાશ્વતવાદ અને વિવેચનો ઉચ્છેદવાદ એ બન્નેને ભોગ ન બનતા તેમણે જે કે વિભજ્યવાદ અંગીકાર કર્યો, તે પણ વિધાયક ઉત્તર દેવામાં તે. અસમર્થ રહ્યા. છવનોધકોને તેમણે સ્પષ્ટ આદેશ આપ્યું કે તેઓ આ વાદેથી અલિપ્ત રહે, અને પિતાના વાસ્તવિક પ્રશ્નો પર કે જે વર્તમાન જીવન સાથે ખાસ સંબંધ ધરાવે છે તે ઉપર પિતાનું લય એકત્રિત કરે. ભગવાન મહાવીરે આ અધુરૂં કામ પૂરું કર્યું. માનવજીવન જીવનશોધનમાં ત્યારે સંતુષ્ટ રહી શકે છે કે જ્યારે તે સંસારની આ ગુંચવણમાંથી કોઈને કોઈ રીતે પાર પામે છે. ભગવાન મહાવીરે પણ કેવળ શાશ્વતવાદ કે કેવળ ઉઝેદવાદનો રવીકાર નહેતે કર્યો. આ પ્રશ્નોના મહત્વનો તેમણે સ્વીકાર કર્યો અને - સ્વતંત્ર થી તેને સમન્વય ક”. ભગવાન મહાવીરને માર્ગ ખાસ અંતરથી તેના સમન્વય ક. મલીન મહં કરીને વિધાયક છે, તેમણે આ ભિન્ન મતપ્રણાલિઓને અનેક ભૂમિકાઓથી સ્વીકાર કર્યો અને તત્વના પ્રરૂપણુમાં તેને યથાયોગ્ય ઉપગ કર્યો. આ જ એમને સમાધાનકારી અનેકાન્ત માગ છે જે તેમની વિશેષ ભેટ છે. આ જ તત્તના બળ ઉપર આગળ જન દર શનિકોએ અન્ય દશનનું ખંડન કર્યું અને અનેકા- ન્તવાદ જૈન ધર્મને એક પર્યાયવાચી શબ્દ બન્યો. (જુઓ-આગમ, કલીન અનેકાન્તવાદ-૫. માલવણીયા કૃત) આ પ્રકારનું' તત્વ : જ્ઞાન કે જે પાશ્વનાથની પરંપરાથી મળ્યું હતું તેને ભગવાન મહાવીરે સ્થિર કયુ” અને તપ:પ્રધાન તથા અહિંસાત્મક આ પરંપરા સાથે કમ–સિધ્ધાંત તથા અનેકાન્તવાદને જોડી દઈને નશ્વનાથની - પરંપરાને સોધિત કરી તેમ જ પ્રબલ બનાવી. સમાજના ત્રણ ઘટકામાંથી આપણે પ્રથમ, ધટક તત્ત્વજ્ઞાનને વિચાર કર્યો છે. આ તત્વજ્ઞાનને અપનાવવાવાળા જનસમૂહ તે બીજે ઘટક છે, અને તે તત્ત્વજ્ઞાનનું પ્રચાર કરવાવાળું સાહિત્ય તે ત્રીજું ઘટક છે. ભગવાન મહાવીર જેમ તત્ત્વજ્ઞાન નવું નથી લાવ્યા તેમ એમણે સમાજ પણ નેવે નથી સ્થા. એમણે તત્વજ્ઞાનને વિકાસ કવા, તે પરિસ્થિતિમાં , તેને વિધાયક ઉપયોગ કર્યો અને પરંપરાથી પ્રાપ્ત તથા નવા અનુયાયીઓથી બનેલા સમાજનું તેમણે શેધન કયુ". આપણે આગળ જોઈ ગયા કે જૈન સમાજ ચતુઃસંઘની વ્યવસ્થા પર પ્રતિષ્ઠિત છે. આ ચાર સંધ છે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા, તેના આગળ ઉપર છ ભેદ થયા હતા. શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક, ત્રણે પાસિકા, શ્રાવક અને શ્રાવિકા. આ ચાર વર્ગોમાં સમાજના વિવિધ સાર એકત્રિત કરવામાં આવ્યું છે. પહેલો અને બીજે સિંધ તે અનુયાયીઓને એકત્ર કરે છે, જે અપ્રચાર પૂર્ણ થતાં વિશેષતમ સંસ્કૃતિસંવર્ધન, જ્ઞાનોપાસના અને જીવનશૈધન કરે છે. ત્રીજો અને ચોથા વર્ગ જીવનશૈધાની સાથે જ પહેલા બે વર્ગોની સેવા કરે છે, અને કમશઃ તેમાં સમ્મલિત થાય છે. છેલ્લા બે વર્ગ એવા છે કે જે વનના નિત્ય વ્યવહારમાં રચ્યા પચ્યા રહે છે, અર્થ અને કામની સાધના કરતાં કરતાં ધર્મની પ્રતિષ્ઠા૫ના. કરે છે, અને જીવનના વિવિધ અંગોને અપનાવે છે. કરે છે, શ્રમણ અને શ્રમણ આ બંને સંધ જો કે સંખ્યામાં નોના હોય છે તે પણ સમાજ પર તેમને જે નૈતિક અને ધાર્મિક અધિકાર રહે છે તે અન્ય અધિકારથી અને બે અને અધિક પ્રભાવશાલી હોય છે. આ સ્તર મૂળપુરૂષની નિકટવતી હોવાથી સંસ્કૃતિવધુ. નઈ તેના ફાળા અષક હોય છે. જયારે મૂળ નમાં તેને ફાળે અધિક હોય છે. જ્યારે મૂળવ્યકિત ઐતિહાસિક બની જાય છે ત્યારે આ અન્તવાસી અનુયાયીને માટે તે દેવતારૂપે બની જાય છે અને તેઓના ગુણગાનમાં આ અનુયાયી ધમને પ્રભાવ માનવા લાગે છે. ક્રમશઃ પરંપરા વધે છે, ધમ વધે છે, સમાજનું ક્ષેત્ર બદલાય છે, યુગ૫રિવર્તન થાય છે, પરિસ્થિતિ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy