________________
*તા. ૧-૨-૪૮
.
પ્રબુદ્ધ જેન
૧૯૧
સાથે પંડિત જવાહરલાલ કહે છે 1મ આપષ્ણુ સર્વને અજવાળનાર દીયા- દાંડી ઓલવાઈ ગઈ છે અને આપણી તરફ અંધકાર છવાઈ રહ્યો છે. જનાબ સુહરાવર્દી કહે છે તેમ “ગાંધીજીના જવાથી જાણે કે પૃથ્વી રસાતળ ગઈ હોય એમ લાગે છે. દબાયલા અને છુંદાયેલા લોકોના રોષને આજે શાત્વન આપે એવું બીજું કોણ છે ? તેમનાં આંસુ લુછે એવું આજે અન્ય કોણ છે? જ્યારે જ્યારે આપણને જરૂર પડતી ત્યારે ત્યારે દરેક મુશ્કેલીના પ્રસંગે સલાહ અને દોરવણી માટે આપણે ગાંધીજી પાસે જતા અને ગાંધીજી આપણી મુશ્કેલી દૂર કરતા, આપણી ગુંચ ઉકેલી આપતા, આપણને કદિ નિરાશ ન કરતા. હિંદના પ્રજાજને આજે રડી છે ! છાતીફટ રહી ૯! કારણ કે આજે એ તેજોરાશિનો અસ્ત થયો છે કે જેમાંથી સત્ય અને ન્યાય, માનવજાત માટે અગાધ પ્રેમ અને ત્યજાયેલા અને વિસરાયેલા મિત્રવિહોણા જન માટે લોકોત્તર કરૂણ નીતરતી હતી.” એમના જવા સાથે જાણે કે આપણે આપણું સર્વસ્વ ગુમાવી બેઠા છીએ !
છેલ્લાં ૩૦ વર્ષથી ગાંધીજીનું આખા દેશ ઉપર અને ખાસ કરીને રાષ્ટ્રિય મહાસન ઉપર અખંડ પ્રભુત્વ વતંતુ હતું. હિંદના રાજકારણ તેઓ પ્રમુખ સૂત્રધાર હતા. અનેક રાજકારણી પુરૂષના સલાહકાર અને શિરછત્ર સમાન હતા. હિંદનું સર્વ શાણપણું, ડહાપણ હિંદી સંસ્કૃતિનું સવ સારભૂત તત્વ તેમનામાં કેન્દ્રીભૂત થયું હતું. તેમાં સ્થિતપ્રજ્ઞ હતા, પ્રજ્ઞાતિ હતા. સૌ કોઈના તેઓ પરમ મિત્ર હત; તેમના દિલમાં દીન, દુઃખી અને દરિદ્રો માટે અખંડ કરૂણ વહેતી હતી, હિંદમાં સરમુખત્યાર જેવું સ્થાન ધરાવતા છતાં તેમની વાણી કે વર્તનમાં સત્તાશાહીને કોઈ રૂઆબ નહોતું અને તેમના પ્રત્યેક કાર્યો પાછળ લેકશાહી ભાવનાને વાસ્તવિક અમલ જોવામાં આવતું હતું. તેમની મહત્તા કેવળ રાજકારણુને અવલંબીને નિર્માણ નહેતી થઈ. તેઓ ધર્મામાં હતા, સાધુ હતા, સન્ત હતા. તેઓ એક અદિતીય યુગભ્રષ્ટા હતા..
તેઓ હિંદુસ્થાનમાં આવ્યા ત્યારથી આજ સુધીમાં બનેલી અનેકાનેક ઘટનાઓ જેમાં 1 કેટલીક ઘટનાઓ તે આપણામાંના કેટલાકને નજરોનજર નિહાળવાનું બનેલું હશે તે સર્વ ઘટનાઓની રમરછુપરંપરા એક વિશાળ ચિત્રપટ માફક આંખ સામે-૯૫નાની નજર-સામે સરી રહી છે અને એ જોતાં જોતાં આપણી વચ્ચેથી કે મહ: 1 પુરૂષ પિતાના લાંબા જીવનને તેમજ મૃત્યુને કૃતાર્થ કરને કરતે અગોચર થઈ ગયેલ છે તેનું આપણને સચેટ ભાન થાય છે અને આપણું હૃદય કોઈ તીવ્ર વેદનાથી વીંધાય છે. જનતાના કલ્યાણ માટે સદાયે પરિભ્રમાણુશીલ મહાન પરિવ્રાજક, બહારથી સદાય હસતા અને અંદરથી પિતાના જ દેશમાં પિતાના જ દેશબંધુએના હાથે સરજાતા હત્યાકાંડથી અને બહેનની ચાલી રહેલી બેઆબરૂથી રોમે રોમે બળી રહેતા, ધડિમાં કલકત્તા તરફ, ઘડિમાં નૌઆખલી તરફ, ત્યાંથી વળી બીહ.૨ તરફ, ત્યાંથી દીલ્હી થઈને કશ્મીર તરફ, ત્યાંથી પાછા બીહાર તરફ, ત્યાંથી પાકીસ્તાન તરફ જવાની અપેક્ષાપૂર્વક પાછા ફરતાં દીલડી તરફ-આમ ૨. તરફની આગને ઓલવતા ઠારતા અને લોકોને ધીરજ અને શાન્તિ આપતા-આવા દરિદ્રનારાયણની બીજી જડી-આવા જંગમ તીર્થની બીજી કઈ આવૃત્તિ–આજ સુધી દુનિયાએ કદિ જોઈ નથી. એમની જોડને પુરૂષ હવે પછી પણ કોણ જાણે પાકે ત્યારે ખરો ! રાજકારણની શું ચે હય તે આપણે ગાંધીજી પાસે દેડતા, હરિજેન ઉદ્ધારને પ્રશ્ન હોય, કોમી એકતાને પ્રશ્ન હોય, મધનિષેધ, શિક્ષણ, નૈસર્ગિક ઉપચાર, ખેડુતો, મજુ, ભાષા, લિપિ, રાજાઓ, વણકર-આમાંથી કોઇને લગતી બાબત વિચારવાની હોય તો આપણે ગાંધીજી પાસે દોડી જતા અને દરેક બાબતમાં આપણા મનનું
તેઓ સમાધાન કરતા, આપણને નવું માર્ગદર્શન કરાવતા, નવી પ્રેરણા આપતા, અને કાર્યતત્પર બનાવતા. આપણુ સવંનું એક અને અનોખું અવલંબન, અબુઝમાં બુદ્ધિ જાગૃત કરનાર અને બુદ્ધિવાદીમાં શ્રદ્ધા ઉત્પન્ન કરનાર, શિથિલને સચેત કરનાર અને ચંચળને સ્થિર કરનાર-આવા મહાત્મા ગાંધી આજે દુષ્ય જગતની પેલેપાર ગયા છે, અને જેમ પુત્ર પિતા વિનાને બને, સ્ત્રી સ્વામી વિનાની બને, માનવી પિતાને કોઈ પરમ મિત્ર અને સાથીને ગુમાવે–ચોવી આપણી દશા થઈ બેઠી છે !
રાત્રીના સાડા આઠ થાય અને રેડીઓમાંથી તે જ દિવસે સાંજે તેમણે જે પ્રવચન કર્યું હોય તે સંભળાવું શરૂ થાય. પંદર મીનીટમાં શું કહું અને શું ન કહું એ મુઝવણપૂર્વક તેમને વાણીપ્રવાહ વહેવા માંડે, વાણી તે વૃદ્ધની-કેટલુંક સમજાય અને કંઇ કંઇ ન પણ સમજાયુ-પણ જુસે જુવાનને. શાન્તિને, ધી જના, સમભાવના, વૈર સામે વૈર ન વિચારવાના આગ્રહને, રામનામને, ઈશ્વર-વિષેની અનુપમ શ્રદ્ધાનો ઉપદેશ વરસવા માંડે. તેમની એકની એક વાત સાંભળીને કદિ કદિ આપણે કંટાળતા, પણુ આપણુ લેકેને વૈરતૃપ્તિના, હિંસાના, ખૂનરેજીના રસ્તે ધસી રહેતા જોઈને તેમને આત્મા અકળાઈ ઉઠતે, એમાં વળી પાકીસ્તાનમાં બનતી ઘટનાઓ બળતામાં ઘી રેડતી, અને આમ છતાં પણ પાકીસ્તાન ગમે તે કરે તે પણ આપણે કશું બેટું કરી ન બેસીએ એ ચિન્તા તેમને સતત વ્યગ્ર રાખતી હતી અને તેથી આ બાબતમાં હિંદુઓને અને શિ એને ફરી ફરી ચેતાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ માગ રહેતું નહોતું. એ પવિત્ર પુરૂષાર્થભરી વાણી હંમેશા સાંબળતા રહેવું એ આપણા જીવનને અનન્ય લહાવે હતો. આજે એ વાણી સદાને માટે બંધ થઈ ! હવે આપણને, સરકારને, હિંદુઓને, મુસલમાનોને સાચું કોણ સંભળાવશે, ખોટું કરતાં કાણુ વારશે ? કંટ્રલ સામે તેમણે કેટલો સખત પિકાર ઉઠાવે અને આ બાબતમાં હઠીલી બનેલી આપણી પોતાની સરકારને નમતું આપવાની તેમણે કેવી ફરજ પાડેલી ? આ આપણો સતત માર્ગદર્શક-આપણે વીસે કલાકને ચોકીદારગુમાવતાં આપણી આંખે અંધારા આવતા લાગે છે, કાન જાણેક બધિર બની બેઠા છે, પણ જાણે કે પાંગળા થઈ ગયા છે !
ગાંધીજીનું એક હિંદુતા હાથે ખુન થયું આ હકીકતથી આપણા કપાળે તે જરૂરી કાળી ટીલી ચટી છેજ પણું સંભવ છે કે ગાંધીજીને આત્મા આજે જ્યાં હોય ત્યાં જે તેઓ આ હકીકત જાણે તે એક રીતે જરૂર રાજી થાય અને વિચારે કે જે મારૂં આજ રીતે મૃત્યુ થવાનું હતું કે તે એક હિંદુના હાથે થયું એ બહુ સારું થયું. કારણ કે આમ બનવાથી જે અધોગતિનું આત્મભાન પિતાની જીવતી વાણીથી હિંદુ જનતાને પિતે નહોતા કરાવી શક્યા તે આત્મભાન પિતાતા આવા મૃત્યુથી હિંદુ જનતાના દિલમાં કદાચ પેદા કરાવી શકે, પણ આથી વધારે મહત્વની કપના તે એ છે કે જે તેમનું ખુન એક હિંદુને બદલે કોઈ એક મુસલમાનના હાથે થયું હેત તો આજે આપણું આ કમનસીબ દેશમાં કેટલાયે મુસલમાનોની કતલ થઈ બેઠી હતી અને આ દુર્ઘટનાથી ગાંધીજીને આત્મા જ્યાં હતા ત્યાં કેટલો બધે કકળી ઉઠત? આજે આપણામાંના ઘણા ખરા કેવળ પૈતૃપ્તિ અને હિંસાની પરિભાષામાં જ જે કાંઈ તરફ બની રહ્યું છે તેને વિચાર કરતા થઈ ગયા છે અને તેથી ઉપર જણાવેલી સંભાવનામાં જરા પણ અતિશયતા મને લાગતી નથી. ષ મત્સર ક્રોધ અને નિષ્ણુરતાએ આપણા દિલને, આપણા આત્માને એટલે બધે જકડી લીધો છે કે જે ગાંધીજીને ખુની મુસલમાન હેત તે જરૂર આપણે ગાંધીજીના નામે જ કેટલાય મુસલમાનોને અવલમંજલે પહોંચાડી દીધા હોત!
-
-
n..