________________ 408 પ્રબુદ્ધ જેન તા. 15-12-48 ' આવા જ નથી, ઉધરવામાં આવી સામે જૈન સમાજના વિરોધી સુરે અનેક બાજુએથી સંભળાઈ રહ્યા છે ત્યારે અમારામાંથી એક પણ જૈન આચાર્ય એમ પાકા રીને કહેવાને તૈયાર નથી કે " આ ખાપણુને શોભતું નથી. જૈન મંદિર સૌ કોઈને માટે ખુલ્લું હોવું જોઈએ. તેમાં અમુક આવે કે અમુક ન આવે એમ આપણે કહી શકીએ જ નહિ.” આ જોઈને મને ભારે દુઃખ તેમ જ આશ્ચર્ય થાય છે. સામાન્ય ગૃહસ્થ જીવન ગાળતા જૈનોનાં ચિત્ત તે રૂઢિગત હેય એ આપણે સમજી શકીએ છીએ, પણ એ એક જન સાધુ પણ ન મળે કે જે આ પ્રશ્નને રૂઢિથી પર થઈને જોઈ શકે અને સમાજને વિરોધ વહારીને પણ સત્ય વસ્તુને ઉચ્ચાર કરી શકે ! આ કેટલું દુઃખદ છે ?" આ સાંભળીને શ્રી શંકરલાલભાઈએ કહ્યું કે તમારૂં કહેવું બરાબર છે, પણ ઘારો કે કોઈ હરિજન જન હેય તે તે તેને જન મંદિરમાં દાખલ થવા દેવા સામે તે જૈને * વાંધો ન લે ને?"આના જવાબમાં જણાવ્યું કે આમ તે કેટલાક જને કહે છે કે * કોઇપણ હરિજન જૈન હોય તો અમે તેને જરૂર જૈન મંદિરમાં આવકારીએ, અને તેઓ વધે એ રીતે ઉઠાવે છે કે આ તે જે હરિજને કદિ જેને હતા નહિ અને છે નહિ તેમને અપાસરે મંદિરમાં કાયદાથી શાને લાદવામાં આવે છે? પણ આ બધી દેખાવની ઉદારતા છે અને આજે કોઈ હરિજન જન નથી એ બાબતની પુરી ખાત્રી હોઈને આવા ઉદાર ભાવ રજુ કરવામાં આવે છે. બાકી * હિંદુ સમાજમાં અપૂ સામે જે ધૃણ છે તે જે ઘણા જૈનેના દિલમાં ઉડે જડાયેલી હું જોઈ રહ્યો છું. માત્ર આજ કાયદે, બદલાયેલું વાતાવરણુ, નાતજાતવિરોધી વિચારીને ફેલાવો, અમે પણ એટલા જ આગળ પડતા વિચારના છીએ એવું ઘમંડ-આવાં કારણોને લીધે આ ઘણું આજના આગેવાન લેખાતા જેને પ્રગટપણે થન કરી શકતા નથી. બાકી આ ઘૂ અમારામાં કેટલી ઉંડી છે તેને દાખલે તમને કદંબગિરિમાંથી મળશે. શત્રુ જય પાસે કદંબગિરિ નામની એક ટેકરી છે. ત્યાં જૈનના જાણીના આચાર્ય શ્રી. વિજયનેમિસૂરિએ અનેક આલીશાન મંદિરે ઉભાં કરાવ્યાં છે અને જયાં કેવળ જગલ હતું અને વેરાન હતું ત્યાં તેમણે મંગળમય સ્વર્ગ પેદા કર્યું છે. આ મંદિરના પ્રવેશદ્વાર આગળ જ તેમણે આરસના એક શિલાલેખ કોતરાવ્યા છે જેની મતલબ એવી છે કે આજે તે કોઈ અસ્પૃશ્ય જૈન નથી પણ કાળાન્તરે પણ કે અસ્પૃશ્વ જૈન થાય તે પણ તેને આ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ. આ શિલા લેખ આજે ' પણ મોજુદ છે. પણ આ તે આપણે જરા આડે ઉતરી ગયા. વસ્તુતઃ આજે કઈ હરિજન જન જ નથી અને તેથી એ પ્રશ્ન એ રીતે અમારે ત્યાં હજુ ઉપસ્થિત થયે નથી.” શ્રી. શંકરલાલભાઈએ કહ્યું કે " પણ અમારે ત્યાં એક કામ કરનારી હરિજન - બાઈ છે જે જૈન છે અને જૈન ધર્મ પાળે છે.” આ સાંભળીને મને ભારે આશ્ચર્ય થયું અને તે બાદને જોવા જાવાની મેં ઇચ્છા વ્યકત કરી. તે બાઈને તેમણે બેલાવી. મેં તેને પુછયું. “બહેન તમારું નામ શું ? " તેણે જવાબ આપ્યું કે “મારું નામ જીવી” મેં પૂછયું કે “શંકરલાલભાઈ કહે છે કે તમે જૈન છો અને જન ધર્મ પાળે છે તે બરોબર છે?” તેણે ઉત્તર આપ્યો કે “હાજી, અમે બીજાપુરના છીએ અને અમારે ત્યાં એક મેટા બુદ્ધિસાગરજી મહારાજ થઇ ગયા તેમણે અમારા જેવા દશબાર કુટુંબેને જૈન બનાવ્યા હતા અને, એ કુટુ છે આજે પણ જૈન ધર્મ પાળે છે. ત્યાં અમે દેરા અપાસરામાં જઈએ છીએ અને પજુસણમાં અને મોટા દિવસે વ્રત ઉપવાસ કરીએ છીએ અને દેરા અપાસરામાં જતાં અમને કઈ રોકતું નથી. તેમના ચેલાઓ પણ ત્યાં આવે જાય છે અને ત્યાંના સંધમાંથી અમને આવી કઈ પણ કટોક ન કરે એની તકેદારી રાખે છે.” આ સાંભળીને હું ખરેખર આ મુગ્ધ બની ગયે. કઈ હરિજન જન હોઈ શકે અને તે પણ આજના જ જૈન આચાર્યોની પરિપાટીમાંના એક આચાર્યની કૃપા અને પ્રેરણાના પરિણામે અને તે પણ ત્યારે કે જયારે આ દેશમાં ગાંધીજીના હાથે અસ્પૃશ્યતા નિવારણના તુમુલ આંદોલનથી શરૂઆત સરખી પણ થઈ નહોતી ? સહજપણે એ આચાર્યની મહાનુભાવતા પ્રત્યે મારું દિલ નમી પડયું. મેં તે બહેનને પુછ્યું કે “અહિં તમે કોઈ વાર દેરા અપાસરામાં જાઓ છો ખરા?” તેણે જવાબ આપ્યા કે “અહિં પણ કોઈ સાથે જઈએ ખરા, કારણ કે અમને અહિં કેણ ઓળખે? પણ અમે હરિજન છીએ એમ જાહેર કરીએ તે અમને કોઈ પેસવા ન દે.” જાણે કે નવી કમાણી કરી હોય એવા ઉછરંગથી બીજ દિવસે પંડિત સુખલાલજીને મળવાનું બન્યું ત્યારે આ હકીકત તેમને જણાવી. ત્યાં બીજા મિત્રો બેઠા હતા તેમનામાંના એક શ્રી મણિલાલ મગનલાલ દલાલ. તેમણે ઉપરની વાત સાંભળીને બુધ્ધિસાગર મહારાજના દિલની વિશાળતાનું સમર્થન કરતાં તેમની સાથે પિતને એક અનુભવ જણાવ્યા. કેટલાં વર્ષો પહેલાં મહારાજશ્રી જ્યારે હયાત હતા ત્યારે પ્રાંતીજ મુકામે તેઓ પિતાના પત્ની સાથે મહારાજશ્રીને વાંદગયા હતા. તેમણે જણાવ્યું કે, અમે મહારાજશ્રી પાસે ગયા ત્યારે મહારાજશ્રીના દર્શન કરવા માટે શ્રાવક ઉપરાંત બીજી કેમના કેટલાય માણસે-કોળી, ઠાકરડા, હરિજન, મુસલમાને, માછીમારે આવેલા બેઠા હતા. ત્યાંના ગરીબ માણમાં વહેંચવા માટે હું થોડા ક૫ડા તેમ જ પુસ્તકો લઈ ગયું હતું. આ બધું મેં મહારાજશ્રી સામે ધયું અને કહ્યું કે આ બધું બધી કામના છોકરાઓમાં આપની મારફત વહેંચી આપવા માટે લાવ્યો છું. આપને કેમ લાગે તેમ કરો. એટલે તેમણે હરિજનના મુખીને બેલા અને હરિજનોના છોકરાઓને ઉપાશ્રયમાં એકઠા કર્યા અને પિતાના હાથે પેલા મુખીના કહેવા મુજબ ચેપડીઓ તેમજ કપડાં વહેંચી આપ્યાં. મહારાજ શ્રીની આવી ભવ્ય વિશાળતા જોઈને મારા આનંદ તેમજ આશ્રયંને, પાર ન રહ્યો અને મહારાજ શ્રી ના ચરણોમાં હું નમી પડે. આટલા વર્ષોના ગળે માત્ર એક “સંતબાલ’ પાકે અને તે પણ સ્થાનકવાસી સમાજમાં અને શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ સમાજની આટલી લાંબી પરંપરામાં એક પણ બીજે બુદ્ધિસાગર ન પાકે અને જૈન સમાજને આગળ દેરવાની તાકાત દાખવવાને બદલે કેવળ ગતાનુગતિકા વૃત્તિને વરેલા અથવા તે શુધ્ધ પ્રત્યાધ તી વાણથી ભરેલા સધુઓનાં જ આપણને પ્રાયશઃ દર્શન થયા કરે એ આપણા જન સમાજની કેવી કરૂણાનક કમનસીબી છે? પરમાનંદ સંઘદ્વારા વિદ્યકીય રાહતનો પ્રબંધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા કોઈ પણ જૈન ભાઈ કે બહેનને જરૂરી વૈદ્યકીય રાહત આપવાનો પ્રબંધ કેટલાય સમયથી કરવામાં આવ્યો છે. આ રાહતમાં દવા, ઈ -જેકશન, ડાકટરના બીલે, હોસ્પીટલ ખર્ચ તેમ જ દર્દીને માંદગી દરમિયાન જરૂરી આર્થિક મદદ-આવી અનેક બાબતેનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા વૈધકીય રાહતની અપેક્ષા ધરાવતા મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા સૌ કોઈ જૈન બંધુઓ તેમ જ બહેનાને આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે. ' જયંતિલાલ લલુભાઈ પરીખ . * મંત્રી, વૈદ્યકીય રાહત સમિતિ. ના માન - સ્ટ્રીટ, મુંબઈ. શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે તત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, 45-47 ધનજી મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, કે 51, કાલબાદેવી રોડ, મુંબઈ. 2