SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 70 * ૦ ૦ પ્રશુદ્ધ જૈન સુરેખ, સુદર અને મધુર દેખાય છે. પોતાની અનેક નાની મેાટી યાતનાઓ વચ્ચે દ્વિદે હવે અગવડે અને દુઃખના ખ્યાલા છેડી અને આર્થિક ઉપરાંત સાંસ્કારિક અને આધ્યાત્મિક માગે આગળ ૫ વધવાનું છે, અને જે મહાન રાષ્ટ્રપિતા પાસેથી એણે પ્રેરણા મેળવી છે. તેનું પાન. કલેશાસિત . જગતને પણ કરાવવાનું છે. હિંદે એશિયા અને આફ્રિકાના પછાત દેશની આગેવાની તેા લેવાની છે જ; પરંતુ સુધરેલા ગાતા.. યુરપ-અમેરિકા પર પેાતાની આધ્યામિક઼સાધનાની સજીવની છાંટીને એ દેશને પણ શાષણુ–મુકત,,, ભય મુક્ત, કલેશમુક્ત કરવાના છે. પૂ. ગાંધીજીના સાચા વારસદાર પડિત જવાહરલાલની આગેવાની નીચે હિંદ પોતાની સવ'દેશીય પ્રગતિ સાથે, અંતે ખ'ડ જ્યોતને સુખશાન્તિપ્રદ પ્રકાશ જગતને પણ અજવાળશે જ, એમાં કઇ શક નથી. - વિદ્યાથી આના સ્તુત્ય પ્રયાસ સંયુક્ત જૈન વિદ્યથી ગૃદ્ધ માટે એક સામાન્ય ફાળે તા ચાલે જ છે; પરંતુ સંસ્થાના વિધાથી એ પણ એક કાળા સમિતિ રચીને પેાતાના પ્રયાસ કરી રહ્યા છે. આ સમિતિ રૂા. દશહજાર જેટલી રકમ એકઠી કરવાની આશા રાખે છે, જેમાં રૂા. ૪૫૦′ ભરાઇ ચૂકયા છે. ગૃહનાં એક ભૂતપૂર્વ વિદ્યાથી શ. ૫૦૧] તે ડ્રાફ્ટ મોકલતાં કાળા–સમિતિના મંત્રી શ્રી. મુગટભાઇ પર પત્ર લખતાં જણાવે છે કે ‘ આપણા ‘ હેામ'ના પ્રાણસમા શ્રી. મણુિભાષને પત્ર મને અમુક વખત પહેલાં મળેલા. જવાબ નથી આપી શક્યા, પશુ મુંબઇ આવેલ ત્યારે ગોકળદાસ મેાહનલાલ વાળા ગેાકળદાસભાઇ ગારકૂત કહેવરાવેલ કે મણિભાઇને પત્ર મને મળ્યો છે. અને હું મારા કાળે રૂા. ૫૦૧]-મેાકલી આપીશ. મુંબઈમાં એછું. રાકાણુ હાઇ તમને કે મુ. મણિભાઇને ન મળી શકયા, એ માટે દિલગીર છું. નાણાંવાળી સંસ્થામાં રસ લેનાર શુ મળી આવે, પણ આપણાં ‘હેમ’માં આટલા રસ લઇ તનતેાડ મહેનત કરનાર મણિભાઇ જેવા બહુ ઓછી સંસ્થાને મળશે. એટલે જ મણિભાઇને મે પ્રાસમાં ગણાવ્યા છે. આ સંસ્થાને પાયે। સ્વ. વાડીમા એ નાખ્યા અને તેના પર ચણતર મણિભાઇ કરી રહ્યા છે. અને તે પણ આજના કપરા સમયમાં, તે ધન્યવાદને પાત્ર છે. નવા માનની તૈયારી થઇ રહી છે એ જાણી મૂળ આનંદ થાય છે. આપના પત્ર થોડા દિવસ પહેલાં મળેàા. આ સાથે રૂ।. ૫૦૧] ને મુબઇના ડ્રાફ્ટ મેકલુ છું તેની પહેાંચ લખી આાભારી કરશે. પૂ. મણુિભાઇને મારા પ્રામ કહેશે. આ રૂપિયા મારા અંગત નામે ગણુા.' આજે વિદ્યાર્થી પ્રત્યે . મેટેરાઓના મનમાં ભાવ કરતાં અભાવ વિશેષ નજરે પડે છે, અને તેનુ કારણ કેટલાક વિદ્યાર્થીએની સાત્તિ અને તકસાધુતા છે, આમ છતાં દરેક સંસ્થામાં ઉપરાંત પત્રલેખક જેવા કૃતજ્ઞો અને ભાવનાશાળી વિદ્યાર્થી પશુ હોય છે જ; અને સેમાંથી પાંચ જ વિધાર્થી સંસ્થામાં કેળવણી લઇને પોતાનુ જીવન સુધારે અને સેવાભાવી નીવડે, તે દાતાનું દાન થયા છે. આ 'સ્થા માટે એકઠી કરવા ધારેલી રકમ ઠીક હદે પહેંચી ગઇ છે. વિદ્યાપ્રેમીએ બાકીને ભાગ વિનાવિલ`ખે પૂરો કરી શ્રી. મણિભાઇને ચિંતામુકત કરશે એવી માશા રાખીએ. તા. ૧-૧૨-૪૮ ( અનુસંધાન પૃષ્ઠ ૩૯૨ થી ચાલુ. ) સહકારથી કામ લ્યા. ..! પરંતુ દ્વેષ અને ઉદ્વેગ વિના, તીખાં તમતમતાં ભાષણા અને લખાણા વિના, શાંત ચર્ચા અને સત્ય વસ્તુને પ્રચાર તથા અસત્યને વિરાધ જરૂર થઇ શકે છે. ‘ત્યાં જશે! મા, તેનુ સાંભળો મા, તેને સગવડ આપો મા,' એમ કહીને જનતાને ગભરાવવાના આ યુગ નથી અને એવી કાઇની આજ્ઞા આ યુગની પ્રજા માનવાની નથી. માટે યુદ્ધની વાત છેડી, શાન્તિ અને સહકારથી કામ લેવું સારૂ' છે. દયા-દાનની હિમાયત સૌરાષ્ટ્રના કેટલાક સ્થાનકવાસી આગેવાનોને આવા ઝગડાએમાં બારે રસ છે, તે હું જાણું છું. તે શાન્ત પ્રજાને લડાવી મારવામાં ડહાપણ માનતા હેાય છે. દયા-દાનને માનનારાનુ કાર્ય તે। ભેદભાવ વિનાં ગરીઓની સેવા કરવાનુ છે. આજે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ, તંગી અને મોંધવારીની પરિસ્થિતિ છે. તેરાપ'થીએ સામે લડવા માટે ખવા ધારેલું ધન અને શક્તિ જો તેઓ ગરીખાના નિર્વાહ અને પશુઓના ધાસ માટે વાપરશે, તે જ દયા-દાનનું મહત્વ સમજ્યા છે, એમ કહેવાશે. સૌરાષ્ટ્રમાં આજે યા—દાનનું તે મારું ક્ષેત્ર ખુલ્લુ' પડયુ છે. તેઓ જો દયાદાનના હિમાયતી છે, તે આ ક્ષેત્ર ક્રમ જતું કરે છે? કાન્ફરન્સનું ગૌરવ વળી કાન્ફરન્સ જેવી અખિલ હિન્દની સસ્થાને કાઠિયાવાડી ખટપટ જેવી સંકુચિત પ્રવૃત્તિઓમાં અને કલેશના કારણેામાં સૌરા ષ્ટ્રના આગેવાને ખેંચી જાય છે, અને કાન્ફરન્સના સંકુચિત વિચારના આગેવાને પેાતાની આસપાસની સમિતિ અને જનતાની ઇચ્છા જાણ્યા વિના કાન્ફરન્સને આમાં ધસડે છે, કે ધસડવા વે છે, તે પશુ ચેગ્ય નથી. કેન્ફરન્સ પાસે ધણાં મહત્ત્વનાં કાર્યો છે. એનુ પાક્ષિક મુખપત્ર હજુ તે જનતાને સતૈષી શકે એવુ બન્યું નથી, અને કદી કાઇ ઉપકારક વાનગી પ્રજા પાસે રજુ કરી શકયું નથી, તેને આ ઝગડા માટે હથિયાર બનાવવાની ઉમેદ શ્રી. ખીમચંદભાઇ વારા સેવી રહ્યા છે, તેમાંથી ડાહ્યા આગેવાને એ વારવું જોઇએ, અને કાન્ફ્રન્સના ગૌરવને જાળવવુ જોઇએ. ધર્મની રક્ષા કઇ રીતે ? ‘સ્થાનકવાસી જૈન ધર્માં રક્ષક સમિતિએ આ ધમ યુદ્ધ' માટે ઊભું થએલુ લશ્કર છે. સ્થાનકવાસી જૈન' એ કાઇ ધમ' નથી, અને ધર્મ રક્ષકનું નામ રાખવાથી એ સમિતિ ઊજળી બની જતી નથી. એમ તે। મુસ્લીમ નેશનલ ગાર્ડાએ ‘નેશન’-રાષ્ટ્રની રક્ષા કરી નથી, પણ ખૂનખરાખી જ કર્યાં છે, અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધે પણ કામી ઝેર ફેલાવી, રાષ્ટ્રપિતાની હત્યાની પ્રેરણુા પાઇ છે. કેવળ નામ માત્રથી ધમ રક્ષક સમિતિ’ ધમની રક્ષા કરી શકવાની પણ નથી. લડાઇનાં વર્ષો દરમિયાન સૌરાષ્ટ્રમાં લાંચ, રૂત્રત, કાળાં અજાર, ગ્રામ્ય પ્રજાનું પીડન, મજુરાનું શાણ, મધ્યમ વર્ગની પાયમાલી વગેરે સરજાયુ' છે. ધમ' કે નીતિ જેવી કેઇ ચીજ કયાંય દેખાતી નથી. આમાં જન વેપારીએ અને અમલદારને હિસ્સે એછે નથી. સૌરાષ્ટ્રમાં ચૂંટણી વખતે કેટલા શહેરાના વેપારીએ જેમાં જેને પણ ઠીક સખ્યામાં હતા, તેમણે કૉંગ્રેસ વિરૂદ્ધ રજવાડી તત્ત્વને સહાય કરી છે, એ બધાં પાપનું નિવારણુ યા વિના બની રક્ષા થવાની નથી. આશા રાખીએ કે આશા રાખીએ કે સ્થાનકવાસી જૈન અગેવાને ધમ રક્ષાને નામે ધન અને શક્તિને ગેરરસ્તે વેડકી નાખવાનું માંડી વાળી, જૈન ધર્મની રક્ષા રૂપ ન્યાય, નીતિ, સદાચરણ અને સેવાને માગે આગળ વધે, અને એ જ માર્ગે સૌરાષ્ટ્રની જનતાને દેરે. પાનકવાસી કાન્ફરન્સ પણ દ્વેષ–કલેશના અગ્નિમાં ધી ન હામે પશુ ઐતે ઠારીને જનતાને પ્રેમ અને શાન્તિને માર્ગે દોરવાના પુરૂષા કરે. જટુભાઇ મહેતા જઢુભાઈ મહેતા શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. - મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy