SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૪૮ ૧૮૯ પ્રભુષ જેન બીજી પણ એક વાત ઐતિહાસિક દષ્ટિથી સિધ્ધ ન હોવા છતાં ખાસ ઉપયુક્ત છે. ભગવાન નેમિનાથના જીવનમાં આપણે એક એ પ્રસંગ જોઈએ છીએ કે જે અહિંસાધર્મની પ્રતિષ્ઠા કરે છે. યાદવવંશી ઉગ્રસેન રાજાએ નિરપરાધી પશુઓને પાંજરામાં પૂરેલાં, તે જોઈને રાજકુમાર નેમિનાથે વિવાહમંડપને ત્યાગ કર્યો એટલું જ નહિ પરંતુ સાંસારિક જીવન છોડીને દીક્ષા લીધી. ઉપ- રની કથા ભલે સામાન્ય લાગે છે, પરંતુ તેનાથી એ વાત સિદ્ધ થાય છે કે જન પરંપરાએ જ પ્રાચીન કાળથી અહિંસાધર્મની પ્રતિષ્ઠા૫ના કરી છે. ભગવાન મહાવીરના કાળમાં આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે તેમણે વેદના પ્રામાણ્યનો અસ્વીકાર કર્યો. કેટલાક જૈન ધર્મના અભ્યાસીઓને એવો ખ્યાલ છે કે જૈન ધર્મ વેદકાલથી છુટી. નિકળેલે એક પક્ષ છે, જેણે માત્ર પ્રતિક્રિયા કરવાનો પુરૂષાર્થ કર્યો. આ વાતને વિચાર કરો આવશ્યક છે. આજ સુધી વૈદિક અથવા હિન્દુ સંસ્કૃતિને એવો ઈતિહાસ છે કે જેમાં કોઈ સુધારક થયા તેણે વેદને પ્રમાણ માને છે. કોઈએ પણ વેદનું ખંડન કરીને સુધારણ કરવાનું સાહસ કયુ નથી. ઉપનિષદના ઋષિ, ગીતાના કર્તા, અન્ય અન્ય વૈદિક દશાના આચાર્ય, શ્રીમદ્ શંકરાચાર્ય મહારાષ્ટ્રીય અથવા બીજા સંતે, અને આધુનિક સુધારક દયાનંદ સરસ્વતી જેણે જેણે સુધારણ કરી, તે દરેકે વેદને પ્રમાણે માનેલ છે અને બ્રાહમણવર્ગને સર્વશ્રેષ્ઠ માન્ય છે. વેદનું પ્રામાણ્ય અને બ્રહાણેનું વર્ચસ્વ માની લેવાના કારણે જ કઈ પણ સુધારકને વિરોધ થતા નહેાતે, એટલું જ નહિ પણ એ સમજુતી ઉપર જ વૈદિક અને હિંદુસમાજે અન્ય ધર્મો સાથે સમન્વય કર્યો છે અને અન્ય મને પિતામાં ભેળવી લીધા છે. વેદને અપ્રમાણું કહીને હિંદુ અથવા વૈિદિક સમાજમાં ક્રતિ કરવાવાળું આજ સુધી કોઈ નજરે નથી આવતું. એને સાર એ થશે કે જે જન ધમે વેદનું પ્રમાણ્ય, ઇશ્વરની સૃષ્ટિ અને બ્રાહ્મણના માહાત્મ્યને માન્યું નહિ, એ જૈન ધર્મ મૂળથી જ વૈદિક મહેતા. વૈદિક સંસ્કૃતિની સાથે સાથે વધતી જતી શ્રમણે સંસ્કૃતિ જ તેની સંસ્કૃતિ હતી. તેના અધ્વર્યુ ભગવાન પાર્શ્વનાથ હતા, જેમણે નિગ્રંથ માગ ચલાવ્યો અને જેમણે સૌથી પ્રથમ અહિંસાનું પ્રરૂપણ કર્યું. (૩) ભગવાન પાર્શ્વનાથ પછી આપણે જે કાલખંડને વિચાર કરીએ છીએ તે મહાવીર યુગને છે. ભગવાન મહાવીરે જૈન ધર્મને પુનરૂદ્ધાર કર્યો. ભગવાન મહાવીરના સમયમાં લગભગ અરધા ઉપનિષદ્ રચાયા હતા અને ભારતીય જીવનમાં નવી સૃષ્ટિ નિર્માણ થઈ હતી. વેદકાલમાં જે આત્મવાદ, પરલેક, તત્વજ્ઞાન વગેરેનું નામનિશાન સુદ્ધાં નહતું તે વાદેને પ્રચાર ચાલુ થયું હતું અને પ્રતિભાસંપન્ન ભારતીય ક્ષત્રિય તથા બ્રાહ્મણોએ ઉપનિષદ્ જેના અનન્ય સાહિત્યનું નિર્માણ કર્યું હતું. નવીન તની શોધ થઈ રહી હતી અને બ્રહ્મ, વિશ્વ તથા જગતનાં મૂલ તત્વોને વિચાર વિશેષ રૂપથી સામે આવ્યો હતો. આ વિચારક્રાતિ ખાસકરીને ક્ષત્રિયની હતી, જેને બ્રાહ્મણોએ અપનાવી લીધી હતી અને બુદ્ધિમાન વગે તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી. આત્માની નિત્યતા અને વિશ્વની એકતા તરફ આ તત્વદશીએ વિકાસ કરતા ચાલ્યા હતા. પ્રત્યેક જીવ પિતાને ચાહે છે અને તેજ બ્રહ્નાને અંશ છે :– "न वा अरे सर्वस्य कामाय सर्य प्रियं, भवति आत्मनस्तु कामाय सर्व प्रियं, भवति आत्मा वा हे दृष्टव्यः श्रोतव्यः, मन्तव्यः" भैत्रेयि-याज्ञवल्क्य संवाद-(बृहदारण्यक उप.) જો કે ઉપર પ્રમાણે પ્રરૂપવામાં આવ્યું છે, તે પણ ઉપનિષદમાંથી આપણને એક પણ એવું વાકય મળતું નથી, કે જે આ તત્વનું અનુસરણ કરી આગળ એમ કહે કે આ કારણથી પ્રત્યેક આત્માએ બીજા આત્માઓ સાથે પ્રેમ કરવો જોઈએ. મૈત્રી' કે જે વિશ્વજીવનની એકમાત્ર ભાવના છે તેનો ઉલ્લેખ કોઈ પણ ઉપનિષદમાં આવતા નથી, અને તેને જન તથા બુદ્ધ ધમે પિતાને પ્રરૂપણમાં પરમ સ્થાન આપ્યું હતું. યજ્ઞસંસ્થાઓમાં જે હિંસા ચાલી રહી હતી તેનું ખંડન મહાવીરે કર્યું હતું તે વાતને ફરીથી યાદ આપવાની જરૂર નથી. યજ્ઞ સૃષ્ટિની સમાંલેચના તે કાળમાં કેવી રીતે થઈ હશે તેની ઝલક આપણને ઉત્તરાર્થનાન્તર્ગત “જન્નઇજ'માં જોવા મળે છે. તેનાથી પણ મૌલિક કાર્યો તે એ છે કે મહાવીરે દલિત અને પીડિતેને પણ અપનાવ્યા. સત્ય અર્થમાં મૌલિક અહિંસા તે આને જ કહી શકાય. યજ્ઞની હિંસા કે જેને ઉત્તરકાલીન વૈદિક બ્રાહ્મણે અહિંસા જ માનવા લાગ્યા હતા તેને જૈનધમે જરૂર બંધ કરી હતી. તેનું શુભ પરિણામ બ્રાહ્મણ કે અન્ય વર્ગો ઉપર એ આવ્યું છે કે આજે કોઈ પણ પ્રલેશન બ્રાહ્મણને પશુમેધ કરાવવામાં સમર્થ થઈ શકતું નથી. - જે વાતમાં જૈન ધર્મની વિશેષતા રહી તે એ છે કે વર્ણભેદને તેણે અસ્વીકાર કર્યો અને નવી સમાજવ્યવસ્થા, અપનાવી. આમાં બ્રાહ્મણોને વિરોધ હેય તે સહજ હતું, કેમ કે તે લોકો ધર્મ અને સમાજના નિયન્તા બની ચુક્યા હતા. જો કે બુદ્ધિજીવી વર્ગો ઠીક પ્રમાણમાં તત્વજ્ઞાનમાં વધારો કર્યો હત, તે પણ વર્ણભેદે સમાજને રેગી બનાવી દીધા હતા અને તેમાં શૂદ્રોની સ્થિતિ દયાપાત્ર બની ગઈ હતી. તેને શાસ્ત્ર શિખવાને અધિકાર નહોતે તેમજ રાજ્ય ચલાવવાને હક્ક નહોતો. તેનું સાધારણ પ્રતિબિમ્બ આપણને ઉત્તરાધ્યયનમાં “ચિત્તસંભૂતિ”ના સંવાદમાં મળે છે. દલિતવર્ગને અપનાવીને મહાવીરે પ્રચલિત સમાજમાં નવીન ક્રાન્તિ કરી. એ પણ એક પ્રશ્ન વિચારવા જેવો છે કે મહાવીરે પોતે ચાતુવર્ધને વિરોધ કેટલી હદ સુધી કર્યો ? “કમ્મણ બંભણે હેઈ, કમ્મુણા હાઈ ખિત્તિઓ” આ વાક્ય આગમમાં આપણને મળે છે તે પણ તેના અર્થની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. પૌય વિધાની ધારણા એવી છે કે કમથી અહિંઆ ગુણકમને બંધ થાય છે, અને લેગમાન જેવા પાશ્ચાત્ય વિદ્વાની ધારણા એવી છે કે જેન ધર્મે બ્રાહ્મણોને વિધ ભલે કર્યો, તે પણ ગુણકર્મનું તત્ત્વ તેણે અપનાવ્યું નહોતું. “કમ' શબ્દનો અર્થ કે પૂર્વ પતિ કમ–“પુણ્ય અથવા પાપ”—એવો કરે છે. જે કે પાશ્વ ય લોકોની ધારણા નવી છે તે પણ તેમાં સામે જસ્ય જરૂર છે. આપણામાં ઉચ્ચ ગોત્ર અને નીચ ગેત્રની જે કલ્પના છે, તે માત્ર મધ્યમ વર્ગને સમાજ છે. તે ઉપરથી અનુભાન કરી શકાય છે કે જનોએ જાતિભેદને સંપૂર્ણ ત્યાગ નથી કર્યો. આ બાબતમાં બૌદ્ધધર્મો જ વિશેષ આગળ પગલું ભર્યું હતું. અને તેની અસર જૈન ધર્મ ઉપર પણ પડી હોય તેમ લાગે છે. “ચિત્ત સંભૂતિ” સંવાદના અધ્યયન પછી આપણે જોઈ શકીએ છીએ કે મહાવીરે જન્મભૂલક ચાતુર્વણને વિરોધ કર્યો હતે. દલિત વર્ગોને અપનાવે, બ્રાહ્યાવગના માહાસ્યનો તેમજ વેદપ્રામાણ્યો અસ્વીકાર કરે એ વાતનો સ્પષ્ટ અર્થ તે હવે નવી સમાજવ્યવસ્થા અને તે પણ નવી નહિ–પરંતુ કુલશે ધન-સમાજશોધન અને નવપરિવર્તન. નવા સમાજના બંધારણમાં નવી સમાજવ્યવસ્થા આવી અને સાથે જ જુનું તત્વજ્ઞાન વ્યવસ્થિત રૂપમાં એકત્રિત થયું, અને રચવામાં આવ્યું. આ પરંપરાને અને સમાજને આપણે જૈન કહીએ છીએ, અને આ સમાજનાં જીવનમાં જે આજોલન થયા તેના ઉપર આપણે વિચાર કરવાને છે. અપૂર્ણ મૂળ હિંદીઃ પદ્મનાભ જૈન અનુવાદક: વેણુબહેન કાપડીઆ
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy