________________
૧૮૮
પ્રબુદ્ધ જૈન
તા. ૧-૨-૪૮
પવન, આજની પરિસ્થિતિ, આજનું જીવન આપણી સામે કેવા આકારમાં ઉપસ્થિત છે અને હવે પછીના આગામી કાળમાં શું કરવું જરૂરી છે તેને પણ આપણે વિચાર કરે પડશે. ભૂતકાળનું સિંહાવકન અને વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરીને આપણે આપણા સમાજનું ઉજજવળ ભવિષ્ય નિર્માણ કરવાનું છે, જિનેન્દ્રનું તીર્થ સર્વવ્યાપી બનાવવાનું છે. આપણે વિચારવું પડશે, સમન્વય કરવું પડશે, અને સત્ય અર્થમાં “વસલ્યને અપનાવી નવેસરથી નવસર્જન કરવું પડશે. ચાલે ! હવે આપણે સિંહાવકન કરીએ !
- ભારતને પ્રાચીન ઇતિહાસ સાક્ષી પુરે છે કે જૈન સમાજ હંમેશા ક્રાતિકારી રહ્યો છે. એ ક્રાન્તિ સામાજિક, દાર્શનિક અને સાંસ્કૃતિક પણ હતી. ઇતિહાસને આધાર લઈને આપણે કોઈ ઐતિહાસિક સત્ય સિદ્ધ કરવાનું નથી, પરંતુ વર્તમાનકાળમાં જે વાતે નિશ્ચિત થઈ ચુકી છે તેને જ આધાર લઈ માત્ર સિંદ્વાવલોકન કરવાનું છે.
સામાન્ય રીતે આર્યાવર્તાને ઇતિહાસ વેદકાલથી શરૂ થાય છે. આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આપણું દેશમાં આર્યો આવીને વસ્યા. તે લાકે ભાષામાં અને પ્રવૃત્તિઓમાં અહિં આ વસતા લેકે કરતાં ભિન્ન પ્રકારના હતા. નવા નવા પ્રદેશ પર વિજય પ્રાપ્ત કરે, અને વિશ્વદેવતાઓની સ્તુતિ કરી જીવન કાવ્યમય બનાવવું તે આ લોકોની વિશેષતા હતી. વૈદિક ઋષિઓ ક્ષત્રિય વૃતિના હતા તેટલા જ બ્રાહ્મણવૃત્તિના પણ હતા. કુદરતની મહત્તા જોઈને તેઓને આત્મા નાચી ઉઠતે. સમસ્ત વિશ્વને પિતાને શરણે લાવવાની અને તેના ઉપર વિજય પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ તેઓમાં રહેતી હતી. હજી આત્મવાદનું જટિલ અને સૂક્ષ્મ તત્ત્વ તેના વિચારને વિધ્ય નહોતું બન્યું. દુનિયાના અપ્રતિમ ભાગેને માટે અભ્યર્થના કરવી, કુદરતની શક્તિઓને દૈવી તત્તવ માની પૂજન કરવું અને પુરૂષાર્થડે આગળ વધવું એ જ તેઓનું ધ્યેય રહ્યું હતું. આ યુગમાં જ વેદની રચના થઈ અને આ સમાજમાં ક્રમશઃ યજ્ઞપ્રધાન સંસ્કૃતિનું નિર્માણ થયું. સત્ય અર્થમાં કાવ્ય તે કયારનું અદૃશ્ય થયું હતું, માત્ર આડઅર બાકી રહ્યો હતો. બ્રાહ્મણકાલમાં યજ્ઞયાગોની પ્રવૃત્તિની અધિકતા એટલી બધી વધી ગઈ કે તેના વિરોધી દળોએ તે કર્મકાંડને ત્યાગ કર્યો અને વનમાં જઈને રહ્યા. આ સમયમાં જે સાહિત્ય નિર્માણ થયું તેને આપણે “આરણ્યક' નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી વિશ્વસાહિત્યમાં અનન્ય એવા ઉપનિષદની રચના થઈ. ત્યારથી બ્રાહ્મણ વર્ગની યપ્રધાન સંસ્કૃતિની પ્રતિષ્ઠા ઘટતી ચાલી અને ભારતમાં નવીન જીવન શરૂ થયું.
ઉપનિષદકાળની પહેલાં જૈન ધર્મની અવસ્થા કેવી જાતની હતી તે જાણવા માટે આપણી પાસે એક પણ સાધન ઉપલબ્ધ નથી. સાધારણ રીતે પ્રત્યેક ધર્મના સનાતની લોક પિતાના ધર્મને અનાદિથી ચાલ્યા આવતા સમજાવે છે, જેમાં આપણો સમાજ અપવાદ નથી. સનાતનીઓની દૃષ્ટિ પ્રાચીનતા પર જેટલી રહે છે, તેટલી સત્ય પર રહેતી નથી, એટલું જ નહિ પરંતુ સત્યની કસોટી પણ પ્રાચીનત્વ ઉપરથી થાય છે, જો કે સત્યશોધકે તે કેવળ સત્યની ઉપર જ ભાર મૂક જોઈએ.
તુલનામક ઇતિહાસથી જાણવા મળે છે કે વેદકાળની પહેલાં પણ આ દેશમાં એક વિશિષ્ટ સંસ્કૃતિ હતી, જે આર્ય સંસ્કૃતિની સાથે સાથે વધતી રહી, જેણે આક્રમક નવી સંસ્કૃતિને સામને કર્યો અને જરૂર પડયે સમય પણ કર્યો. તેને આપણે દ્રાવિડ અર્થાત્ મૂળ ભારતીય સંસ્કૃતિ કહી શકીએ. ભલે તે લોકોની સંસ્કૃતિ મૌલિકતા ધરાવતી ન હોય તે પણ તે આર્યસંસ્કૃતિથી ભિન્ન હતી અને તેમાં ઉચ્ચનીચ્ચ સંસ્કાર પણ હતા. આ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિના નામથી ઓળખાય છે. આ શ્રમણ સંસ્કૃતિ વ્યાપક અર્થમાં સાંખ્યમતવાદી કહેવાય છે. આજે જેને આપણે વૈષ્ણન, શૈવ ઇત્યાદિ નામથી ઓળખીએ છીએ, તે લોકો
એક યુગમાં વેદવિરોધી હતા અને તેઓની અલગ સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી. આ લોકોની સાથે જૈન, આછવક આદિ તપ:પ્રધાન વર્ગોને સમાવેશ થતો હતો. આર્યોએ આ દેશની પ્રજાને જીતી લીધી. આ યુગમાં વિરોધ અને યુદ્ધ થયા તેનું વર્ણન આપણને વેદ વાલ્મમાં સ્પષ્ટપણે મળે છે.
આદિ ભારતવાસીઓના ત્રણ મહાવના તો મનાય છે. તપ, અહિંસા અને કર્મવાદ. આ ત આધુનિક લાગે છે, તે પણ તેને થોડે ઘણો અંશ તે યુગમાં મૂળરૂપમાં હોવો જોઇએ. આ વિષે જાણવા મળ્યું છે તે મુજબ ઉપરનાં તત્તનું પ્રરૂપણ વેદકાલમાં પણ બહુ પાછળથી થયું છે પણ વિશેષ નિરૂપણ એ કાળમાં થયું છે કે જ્યારે બ્રાહ્મણ કાષ્ઠને છોડી અધ્યાત્મવાદની - ચર્ચા કરવા લાગ્યા હતા. બ્રાહ્મણકાળમાં હિંસા અત્યંત વધવા લાગી, અને બ્રાહ્મણવર્ગ પિતે યજ્ઞસૃષ્ટિને ઇશ્વર બની બેઠે. આ કમ કાણુથી અલગ રહી તેને બહિષ્કાર કરનાર એક વર્ગ પણ તે સમયે હતે.
સાથે સાથે એ પણ નકકી છે કે આર્યસંસ્કૃતિથી વિભિન્ન એ આ વર્ગ હતા, જેમાં અનેક વિચારપ્રવાહ અને આચારને વિકાસ થયો હતે. આજ જેને આપણે શૈવ અને મહાદે ને ઉપાસક સમજીએ છીએ તેનું મૂળ આ સંસ્કૃતિમાં છે. અરપંથી કે જે સ્મશાનમાં રહેતા હતા, અને ઉગ્ર તપશ્ચર્યા તથા પંચાગ્નિ સાધન વડે કાયાકલેશ કરતા હતા તે એક વર્ગ પણ આમાં હતું. સાથે સાથે અહિંસાની પ્રતિષ્ઠા કરતાં કરતાં તમય જીવન જીવવાવાળે પંચ આ સંસ્કૃતિમાં પ્રબળ હતું. આ તપઃપ્રધાન સંસ્કૃતિ શ્રમણ- * ધમ કહેવાતી હતી. આ સંસ્કૃતિના અનેક પંથે છે, જે આવક, શૈવ, જૈન વગેરે નામથી પ્રસિધ્ધ છે.
ઉપનિષદકાળ પછી નવો ખંડકાલ નજરે આવે છે. જેમાં બે મહાન વ્યકિઓને જન્મ થયે. તે છે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર. આ બન્ને મહાપુરૂષોએ વેનું ખંડન કર્યું, વેદના પ્રામાયને અસ્વીકાર કર્યો, બ્રાહ્મણોની મહત્તાનો ઇનકાર કરી નવીન તો તેને ઉપદેશ આપ્યું, પરંતુ આ બન્ને મહાત્માઓનું ' કાર્યક્ષેત્ર ભિન્ન હતું. ભગવાન બુદ્ધનું ધર્મપ્રવચન ભગવાન મહાવીરથી પહેલાં શરૂ થયું હતું અને તેમને મહાવીર કરતાં વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતે. પાલી ભાષાના પ્રાચીન પીટકમાં આપણને તેના જુદા જુદા પથે અને વાદ જોવા મળે છે. બુધે તેઓના અનુયાયીઓનો પ્રતિરોધ અને વિવાદ કર્યો. પુરાણુ કપ, મખલિ ગોસાલ, અજિત' કેશકાલિ, પકુદ કાન, સંજય બેલપુિત્ત અને નિગ્રન્થ નાતપુત વગેરેને ઉલ્લેખ વારંવાર પાલી પીટકમાં આવે છે. બુધે અલગ અલગ ધર્મોને પ્રયોગ પિતે જાતે કર્યો અને સ્વયંપ્રજ્ઞ થઈને નવો ધર્મ સ્થાપ્યું. ભગવાન મહાવીરને એટલી મુશ્કેલીઓ નહતી. ભગવાન મહાવીરને ને ધમ સ્થાપવાને નહે. માત્ર મૂલધર્મનું સંશોધન કરવાનું હતું. ભગવાન મહાવીરની પહેલાથી જ નિગ્રંથ સંપ્રદાય અપ્રતિત હતા કે જે ભગવાન પાર્શ્વનાથને અનુગામી હતે.
ભગવાન પાર્શ્વનાથથી જ ઐતિહાસિક જૈન ધર્મની શરૂઆત થયેલી માનવામાં આવે છે. પાર્શ્વનાથના સમયમાં અનેક પંથે હતા. જે અવૈદિક અને તપઃપ્રધાન હતા. આ પંથમાં દેહદંડને પ્રચાર હતું અને હિંસા પણ ચાલતી હતી. અહિંસાના સિદ્ધાન્તનું પ્રથમ ઉચ્ચારણ આપણને પાર્શ્વનાથના જીવનમાં દેખાય છે. ભગવાન, પાર્શ્વનાથના જીવનની એક કથા છે, જે તત્કાલિન વિવાદ પર , પૂરતો પ્રકાશ પાડે છે. કથાને સાર એ છે કે પાર્શ્વનાથે એક પંચાગ્નિ સાધકને જગાડે અને તેમાં થનાર હિંસા તરફ તેનું ધ્યાન ખેંચ્યું. ભલેને આ કથા સામાન્ય હેય, તે પણ એ વાત સ્પષ્ટ છે કે ભગવાન પાર્શ્વનાથના સમયમાં હિંસા અહિંસાને વિવાદ ચાલુ જ હતું. અને અહિંસાવાદી વર્ગ અસ્તિત્વમાં હતો.
.