________________
તા. ૧-૧૧-૪૮
(તા. ૧૦-૧૦-૪૮ ના રોજ શ્રી મુંખરું કુમારીએ આપેલ પ્રવચનની સક્ષિસ નોંધ)
પ્રશુદ્ધ જૈન
મહાત્મા ગાંધીજી
જૈન યુવક સંધના આશ્રય નીચે ચેાાયલી ગાંધી જયન્તીના પ્રસંગે મહાસતી ઉજ્જવળ
છેલ્લા બે હજાર વર્ષમાં કોઇ પણ માણસ માટે નહિ કહેવાયું હાય, નહિ લખાયું હોય તેટલું પૂ. ગાંધીજી માટે કહેવાયું અને લખાયું છે. વિશ્વના અસ માણુસાએ, એમના માટે લખ્યું છે. આજે મારે માટે કઇ તેથી નવું કહેવાતું નથી. મારે જે કહેવાનુ છે. તે જાનુ છે. અનેક વખત કહેવાઇ ગયેલુ છે. જૂતુ છે છતાં એ આપણામાં પ્રાણ પૂરનારૂં છે, નવુ જીવન અને નવું ચેતન આપનારૂ છે. સૂરજ રાજ ઊગે છે તે આથમે છે, એ ને એ સરજ ખીજે દિવસે ઊગે છે, પણ એ જૂના સૂરજ નવો પ્રાણ નવી ચેતના આપી જાય છે. એ જ પ્રમાણે મહાપુરુષનું સ્તુતિગાન નવુ જીવન આપે છે.
ધણા માણસે સમજે છે કે ગાંધીજી રાજદારી પુરુષ હતા. અને મને પૂછે છે કે રાજદ્દારી પુરુષ માટે તમારા જેવા સાધુ સંતા ખેલી શકે ખરાં? સ્થૂલ દ્રષ્ટિએ એ રાજદ્વારી હતા, પણ સુક્ષ્મ દ્રષ્ટિએ એ ધમ પુરુષ હતા. એમના પોતાના જ શબ્દોમાં કહું તે I wear the garb of a politieian. bnt am at heart a religious man.' (હું રાજદ્વારીના ઝભ્ભો પહેરૂ છુ પણ હૃદયથી ધામિક વૃત્તિવાળા છું, ) · એમનાં સર્વકાર્યાં. ધમ થી ભરપૂર હતાં. ધર્મમાં એમને તૂટ શ્રદ્ધા હતી. હિ ંસાથી—અધમ થી કરેલું કાય કાઈ સિ સળ નથી થતું' એમ માનતા. વ્યક્તિગત ક્ષેત્ર હાય, સામુદાયિક ક્ષેત્ર હાય કે પારમાર્થિ ક ક્ષેત્ર હાય-કાઈ પણ ક્ષેત્રમાં અધમ ના આશરે ન લેવાય. અન્યાયને પ્રતિકાર કરવા જ જોઇએ. ગાંધીજીએ આપણને નવુ' જ બતાવ્યું કે પ્રતિકાર પશુ ધર્મથી થ શકે છે. અધમ, અસત્ય, હિંસા કાઇમાં સાચું બળ નથી હેતુ તેથી તેમના આશ્રયે કરેલુ કામ ટકી ન શકે. સત્ય જ ભળવાન છે અને એજ ટકી શકે છે. પ્રેમ ને મૈત્રી જ ટકી શકે. દા. ત. જ્ઞ ય તે ધિક્કારે અને વ અ તે ધિક્કારે તે બન્ને વચ્ચે પરસ્પર વૈર વધે. પણ જો એમાંથી એકમાં પ્રેમ કે મૈત્રીનેા ભાવ હાય તે। બીજાને વૈરભાવ નબળા પડી જાય. એ જ રીતે વૈર રખનારની સામે વૈર રખી વૈરતે બળવાન બનાવીએ છીએ એ આ ધમ પુરૂષે શીખવ્યુ. એ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા નથી. પંચમહાભૂતના દેહુ એ મહાત્માજી નાતા. એમનુ સૂક્ષ્મ શરીર એમના સ્કૂલ શરીર સાથે વિલીન નથી થયું. આકાશમાં તારામાંથી એક કિરણુ નીકળે છે ને હજાર વર્ષ આપણને મળે છે. અસ્ત પમી ચૂકેલા તારાનુ છેલ્લું કિરણ પણ અરત બાદ કેટલાય સમયે જોવા મળે છે. તે જ પ્રમાણે આ ધમ પુરૂષના સુક્ષ્મ શરીરમાંથી નીકળેલુ' અહિંસા અને સાયરૂપી કિરણ હજારો વર્ષો સુધી ટકશે.
સમભવ એ એમનું મસ્તક હતું. વધુ, જાતિ, સ’પ્રદાય કે દેશ કોઇ તેમનાં કાય માં વિઘ્નરૂપ થતાં નહિ. તેમને મન બ્રાહ્મણ ને હરિજન, તવંગર અને ગરીબ, કાળા ને ગારા, ભણેલા તે અભણ બધા સરખા હતા. બાપુ તે સમભાવના પયગંબર હતા, આપણા મહાકવિ ટાગોરની કવિતામાં એ જ સમભાવ નીતરે છે. પ્રખર તત્ત્વચિંતક રધાકૃષ્ણનના ચિંતનમાં પણ એ જ સમભાવ મોખરે આવે છે.
0
માનવતા એમનું હૃદય બની. એમના જીવનની દરેકે દરેક પ્રવૃત્તિમાં માનવતા વણાયેલી છે. લેહી, માંસુ, તે પરસેવાની નદીએમાં એમને હિંસા જ દેખતી. અને એના તરફ્ આપણું લક્ષ ખેંચ્યું. જીવનનિર્વાહ માટે તનતેડ મહેનત કરી પરસેવે પાડતા શ્રમજીવીનું લેબી ને જુલ્મી માલિકા માટે રેડાતુ લોહી અને એના સ્વજનાના આંસુ જોઇ બાપુનુ હૃદય પીગળી ગયું ને એ અન્યા આજીવન સન્યાસી. જેમ ગિરધરલાલની મૂર્તિ પર કારડા વીંઝાતા અને શેરડા દેખાતા પ્રેમઘેલી મીરાની પીઠ ઉપર, તેવી રીતે દરિદ્રનારાયંણુ
પર પડેલા કારડાની વ્યથા બાપુના હૃદય પર અંકિત થતી. બાપુ શ્રેષ્ઠ માનવતાના પ્રતીક હતા. માનવતાના રંગરેજ હતા. તેની પાસે જનારને માનવતાના રંગે રંગી દેતા. એક વાર ઓરિસ્સાના પ્રવાસે દીના' એન્ડ્રુઝ સાથે બાપુ ગયા હતા. સ્ટેશન પર ગાડીની રાહ જોઇને બેઠા હતા ત્યાં એક વૃદ્ધ હરિજન આયે, મેઢામાં તરણું લઇ બાપુના પગમાં પડયે બાપુએ હસતાં હસતાં તેની પાસે ભેટ માગી. હરિજન પાસે એક પૈસા હતા તે આપવા માંડયેા. બાપુએ કહ્યું કે હું કંઇક વિશેષ ભેટ માગુ છું. હરિજન ખૂબ ખુશ થયા. તેને થયું કે મારી પાસે પણ કંઇક વિશેષ છે. ખાપુએ માગી લીધું કે મને ત્રણ વચન આપ. એક તે કઇ દિવસ ક્રાઈ પાસે મેઢામાં તરણું લેવું નહિ, કારણ કે નાના મેાટા દરેક માણસને સ્વમાન હાય છે અને તે દરેક માણસે જાળવી રાખવુ જોઇએ. બીજું, દારૂ ન પીવે અને ત્રીજું, પરમાટી ન ખાવી. હરિજને ખુશી થતાં બાપુજીની ત્રણે માંગણીએ સ્વીકારી. એ ચાર મિનિટના સ'સર્ગ'માં જ તેની ઉપર માનવતાનો રંગ ચઢાવ્યેા. આ એમના ચમકર હતા.
સત્ય અને અહિંસા તે। એમના શ્વાસેાસ હતા. અસત્ય અને હિંસાના વાતાવરણમાં તે ગુંગળાઇ જતા. આઝાદી પહેલાં અને આઝાદી પછી જે હિંસાનું તાંડવ મચ્યું તેનાથી તેમના પ્રાણ રૂંધાયા. એ ભયંકર માનવતા વિહાણા તકાના વચ્ચે પણ એ અહિંસાની દીવાદાંડી બન્યા. પ્રેમને પ્રકાશ ફેંકયો. તેમને ધીમે પણ અચળ, સ્થિર અવાજ વેરની સામે પ્રેમ રાખવા ચાલુ જ રહ્યો. અહિં સામાંથી એમની તલભર પણ શ્રદ્ધા ખૂંટી નહિ.
સેવા અને સત્યાગ્રહ એમના એ ચરણુ હતા. એમની સમગ્ર પ્રવૃત્તિ—સેવા જ હતી. આપણા પૂવ જોએ-યુદ્ધ મહાવીરેજે મત્ર આપ્યું। તેને આપણે ભૂલી ગયા હતા. બાપુએ ક્રીથી યાદ દેવડાવ્યા.. તેઓ કહેતા કે ગીની-દુ:ખીની જે સેવા કરે છે એ પ્રભુની સેવા કરે. છે. ભગવાન મહાવીરને એકવાર પ્રશ્ન કરવામાં આવ્યા હતા કે સેવા કરવાથી શું લાભ થાય ? ભગવાને જવાબ આપ્યા હતા કે સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. તીથકર જેવી યોગ્યતા મેળવાના રાજમામ સેવા જ છે. બાપુના જીવનમાં આ સેવા અનેક સ્વરૂપે આપણે પરાવાયેલી જોઇએ છીએ. સેવગ્રામમાં રાગીઓની સેવા પેાતાને હાથે જ કરતા. એક વાર ખરજવાના રોગવાળા એક ખેડૂત આવ્યો. પોતાના રોગ માટે ઉપાય પૂછ્યા. બાપુને થયું કે આ ગરીબ માણુસ સાધન સામગ્રી કર્યાથી લાવશે ? તેથી પોતાની જ નહાવાની ઓરડીમાં પેાતાને માટે તૈયાર કરેલા પાણીથી ભરેલું ટબ તેને નહાવા આપ્યુ અને પછી પોતાને જ હાથે મલમ લગાવી આપ્યું. પછી એ જ ઞ સક્ કરાવી પાતે એમાં નહાયા. આ રીતે સેવા અને સત્યાગ્રટ્ટુ એમના ચરણ બન્યા.
અભય અને સંયમ એમની ભૂક્તા હતી. એક બાજુ આખી દુનિયાના અભિપ્રાય હાય અને બીજી બાજુ પેાતાને સૂઝેલુ સત્ય હાય, તે આખી દુનિયાને અવગણીને પણુ તે પેાતાના નિય મુજબ વર્તતા. અમેરિકામાં કવિવર ટાગેારને એક પત્રકારે મહાત્માજીના ખાસ ખાસ ગુણે! કયા એવે પ્રશ્ન કર્યાં હતા. ટાગોરે જવાબ આપ્યા હતા કે અભય, સત્ય અને હિસાબની ચોખવટ, એ ત્રણ ગાંધીજીમાં મુખ્ય ગુણા હતા. મારી સામે કાઇ કરો લઈને આવે તેા હું નાસવા માંડુ, પણ જો ગાંધીજી પાસે માત્ર તે એ જરાય પણુ ગભરાયા વગર હુસતા મૃખડે તેનું સ્વાગત કરશે. કોઇ વ્યકિત, પ્રસંગ કે સત્તાથી તે કદી ભ્રષ પામ્યા નથી, તેમ કાઇને ભય પમાડવાની તેમણે કદી યચ્છા કરી નથી. સાક્ષર કે અભણુ, વૃદ્ધ બાળક કે સદાચારી કે દુરાચારી બધા જ તેમની પાસે નિર્ભયતાથી જઇ શકતા.