SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૪૮ પ્રબુદ્ધ જૈન : ૩૭૯ , નથી એમ પણ આપણે પોકારી પોકારીને કહેતા આવ્યા છીએ, અને આમ હોવા છતાં પણ હરિજન વિષે આપણા દિલમાં રહેલી ઉડી ધૃણા અવું બેહૂદુ વર્તન આપણી પાસે કરાવે છે અને આ માં પાટીયા વડે દેવમંદિરને-જિનમંદિરને-દુષિત કરવા પ્રેરે છે. જૈન સમાજનું આધ્યાત્િમક તેમ જ ધાર્મિક અધ:પતન કટલું બધુ થઈ ચકયું છે તેની કાંઈક ઝાંખી આવા પાટીયાદરા થઇ રહી છે. ન સમાજ હજુ પણ ચેતે અને જીવનશુદ્ધિના અને માનવી માત્ર વિષે અખંડ મિત્રીના આદેશને પીછાણે. કેવળ બાહ્ય સમૃદ્ધિ કે પરિગ્રહ પરિવાર ઉપર જૈન સમાજ લંબે વખત ટકી નહિ શકે, કદિ પ્રાણવાન તે બની નહિ જ શકે. પાલણપુરમાં જન મંદિરના દરવાજે હરિજન થોડા વખત પહેલાં પાલણપુરમાં જૈન મંદિરના પ્રવેશના કારણે જૈન અને હરિજનો વચ્ચે અથડામણ થયાના સમાચાર છાપામાં વાંચવામાં આવ્યા. આ સંબંધમાં શું શું બન્યું છે તેની પ્રમાણુ ભૂત વિગતે જાણવા હું આતુરતા સેવતા હતે એવામાં ગુજ• રાત હરિજન સેવકસંઘના આગેવાન કાર્યકર શ્રી. પરિક્ષિતલાલને એક વિગતવાર પત્ર આવ્યું છે તે તેમની સંમતિ મેળવીને પ્રબુદ્ધ જૈનના વાંચકે માટે અહિં નીચે હું પ્રગટ કરું છું :છે. ભાઈશ્રી પરમાનંદભાઈ ઉત્તર ગુજરાતમાં પાલણપુરના યુવાનોએ હરિજન સંધ નામની એક સ્વતંત્ર સંસ્થા ઉભી કરીને ભંગી ભાઈઓમાં થોડું કામ શરૂ કર્યું છે. આ યુવાન પૈકી આગળ પડતા એક—બે મુખ્ય જૈન છે. થોડા દિવસ ઉપર તેઓએ હરિજનોના મંદિર પ્રવેશને પ્રશ્ન ઉપાડ અને સ્વાભાવિક રીતે હરિજન હિંદુઓ હોવાથી ત્યાના ત્રણ હિંદુ મંદિર. (૧) પાતાળેશ્વર મહાદેવ, (૨) રામજી મંદિર, (૩) માતાજીના મંદિરમાં પ્રવેશ કરાવ્યું અને તેમાં કાંઈ મુશ્કેલી ન આવી. પણ આ પ્રવૃત્તિમાં મુખ્ય હથિ જનનો છે એમ ગણીને જે હિંદુઓ મંદિર પ્રવેશને માટે ઉત્સાહી ન હતા, પણ વિરોધ નહોતા કરી શકતા, અને જેઓ પાલણપુરમાં હાલ સનાતનીઓ કહેવાય છે તેમણે પ્રચાર કરીને તે જ દિવસે હરિજ નોને બોલાવીને જૈન મંદિરમાં તેમને પ્રવેશ કરાવાને વિચાર કર્યો. સાધારણ રીતે હરિજનો જૈન ધર્મ પાળતા નથી. એટલે તેમને જૈન મંદિરમાં પેસાડવાનો ઉપયોગ નથી. એ વિચારથી પ્રેરાઈને પેલા જન યુવકેએ આ પ્રવૃત્તિ હાલ ઉપાડેલી નહિ. વળી કાયદામાં થોડી ક્ષતિ છે તે સુધરીને આખરી તબકકે પહોંચી નથી. એટલે ૫ણુ આ પગલું વ્યવહારીક પણું ન હતું. પણ શુ વખતના સનાતન (હિંદુ) વિરૂદ્ધ જૈનનાં વિરોધને ઉપયોગ કરીને કેટલાક સનાતનીઓએ હરિજનોને સડાવીને તેમને જૈન મંદિર આગળ લઈ જવા પ્રયત્ન કર્યો. બીજી બાજુએ જેને મદિર પ્રવે. શના આ કાર્યક્રમથી અકળાયા, અને મને મળેલી માહિતિ પ્રમાણે જૈન સ્ત્રીઓએ અને જૈન સાધુઓએ મારો વિરોધ કર્યો, અને જૈન મંદિર પાસે સામા સામા મરચા મંડાયા. ૧૪૪ કલમને અમલ હોવા છતાં આ સ્થળે પોલીસ તાત્કાલિક પગલું લેવામાં જરા પિચી પડી અને પરિણામે હરિજન જૈન મંદિરમાં ન પરણી શકયા. પણ અરસપરસ ખેંચાખેંચીમાં બે હરિજનના વા. ત્રને નુકશાન થયું અને જેને સનાતનીઓ પૈકી કોઈને છેક નજી (જુજ) માર પડશે. આખરે પોલીસ વચ્ચે પડી. , આ બનાવ તા. ૮-૧૦-૪૮ ને રાજ બન્યો અને ગામમાં આ પ્રશ્નને અંગે કડવાશ થઈ હોવાથી મને પેલા જૈન યુવા ત્યાં લઈ ગયા. દરમ્યાન કોર્ટમાં સા માં સામા ફોજદારી ગુન્હા નોંધાયાં. ઉપરાંત જન મહાજનની ભલામણુ અગર જાણુથી બે જૈનોએ કેર્ટમાં યુવાન કાર્યકરે અને હરિજન સામે injunetion હુકમ માગે અને હરિજન જન નથી એટલે તેમને જન મંદિર પ્રવેશને હકક નથી. અને સરકારે કરેલું મંદિર પ્રવેશ બીલ ગેરકાયદેસર છે (ultra wires) છે એમ દાદ્દ માગી. - હું પરમ દિવસે જૈન અગેવાનોને મળે અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હાલને મંદિર પ્રવેશને કાયદે છેડે અધુરો છે પણ તે હાલ તાજેતરમાં સુધર્યો છે અને માત્ર ગવ• ન ઈ. ની મંજુરીની રાહ જોતા બેઠા છે. તે કાયદી પૂર્ણ છે . અને તેને આધારે સામાન્ય રીતે હરિજને, તમામ ખાનગી તેમ જ જાહેર હિંદુ મંદિરે, જેમાં હિંદુઓ તમામ અગર તેને એક વર્ગ પણું જઈ શકે છે તેમાં જવાને હકકદાર છે. કાયદામાં હિંદુઓમાં જેનોનો સમાવેશ કર્યો છે એમ પણ કહ્યું. ઉપરાંત હરિજનોને જ્યારે બીજા હિંદુ મંદિરમાં જવાની છુટ મળે છે તો જેને પણ ઉદારતા પૂર્વક તેમને હકક સ્વીકારે છે તે શાભા ભરેલું છે એવી પણ મેં તમને વિનંતિ કરી, પણ આખા જૈન સમાજ વતી જોખમદારી કોણ લે? અને કોર્ટમાં કેસ આવીને પડે છે. અમારી વાટાઘાટો ચાલતી હતી હતી અને મેં તે એવી ભલામણું બંને પક્ષોને કરી કે સામ સામા ફોજદારી કેસો પાછા ખેંચી લેવા. આ બાબત બંને પક્ષે સંમત થયા, પણ ગઈ કાલે તો injunction order આપવા કે કેમ તેની સુનાવણી અંગે મુદત માંગી અને ૨૭ મી તારીખની મુદત પડી છે. મેં સલાહ આપેલી કે જયારે બંને પક્ષે પિતતાના આરોપ ખેંચી લે છે ત્યારે હવે મૂળ કેસ (injunction ની માગણી) પણ ખેંચી લેવો જોઈએ. પણ આ બાબતમાં જૈન આગેવાનો સમત ન થઈ શકયા. વળી તેમના તરફથી માગણી કરવામાં આવી તેમાં અન્ય ભાઈઓ સંમત ન થયા. વળી આ દાદમાં હરિજનમાં કામ કરતા જૈન યુવક પોતે પણ મંદિરમાં ન જાય એવી પણ માંગણી કરવામાં આવી છે. એટલે પણ અમુક જેને બહુ અકળાય છે. પરિણામે કેસ ચાલશે એમ મને લાગે છે. અંગત રીતે હું માનું છું કે જે કે હરિજન જન નથી, અને તેઓ સામાન્યત: જૈન મંદિરમાં ન જાય એ દેખીતી વાત છે. છતાં અસ્પૃશ્યતા નિવારણની દૃષ્ટિએ જૈન ભાઈઓએ પણ પિતાનાં મંદિરો હરિજન માટે ખુલ્લાં જાહેર કર માં જ જોઈએ. જેમ જિન મંદિરમાં બ્રાહ્મણ કે પટેલ મુલાકાતે જાય અગર વૈષ્ણવ કે શૈવ મંદિરમાં જૈન મુલાકાતે જાય, અને વિના રોકટોક પાછો આવે તેમ હરિજન કાઈ પણું હિંદુ (જન સહિત) મંદિરમાં વિના રોકટોક સરખા હકકથી જઈ શકેવો જોઇએ જે જૈન ભાઈઓ, વકીલ વિ. હું મળ્યો. તેમણે મારી જેડ ઘણી મોડી રીતે વાત કરી છે પણ સમાધ ન થઈ શકયું નથી. તમે આ દિશામાં કઈ ઉપયોગી મદદ અગર દરમ્યાનગિરી કરી શકે તે સારું; કારણ કે આ કેસ વિનાકારણુ લંબાયા કરે અને હરિજમાં એવો પ્રચાર થાય અગર લાગણી ફેલાય છે જેનો હરિજનનાં મંદિર પ્રવેશના વિરોધી છે એ ઠીક નથી. પરિક્ષિતલાલના વદે માતરમ આ પત્રમાં ઉલ્લેખાયેલા કાયદાને આપણે પ્રથમ વિચાર કરીએ; કારણ કે આવો જ ઝગડે મુંબઈ નજીક આવેલા ભીવંડીમાં પણ ઉભું થયું છે. અને અન્યત્ર પણ આવા ઝગડા ઉભા થાય એ સંભવિત છે. પાલણપુર હવે સ્વતંત્ર દેશી રાજય રહ્યું નથી અને તે મુંબઈ પ્રાન્તમાં જોડાયેલું હોવાથી મુંબઈ પ્રાન્તને હરિજન મંદિર પ્રવેશધારે તેને લાગુ પડે છે. જન અને હરિજનો વચ્ચે આવી અથડામણે કોઈ પણ રીતે ઈચ્છવા ગ્ય નથી, હરિજન, વિનય પૂર્વક તેમજ સામાન્ય સ્વચ્છતા પૂર્વક ન મદિરમાં દર્શન કરવા આવે અને જેને તેમને પ્રેમ પૂર્વક આવકારે અને કાઈ કેવળ કાયદા ઉપર કે મૂળનેરી ઉપર પિતાનો હકક સાબીત
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy