SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૪૮ શુદ્ધ જૈન હાય છે તે જ સત્રધાર વિષે પણ તેનુ વળષ્ણુ એકાએક પલટો લે છે અને તે સૂત્રધારની નેતાગીરીમાં જ્યાં ત્યાં તેને એકુડ્ડીનુ દર્શાન થાય છે અને તે સૂત્રધારના સિદ્ધાન્તો પણ તેને મન ઉપહાસયેાગ્ય બની જાય છે. આ રીતે વીર નરીમાનની કારકીદીતા સમગ્રપણે વિચાર કરતાં આવે આરહ અવરોહ આપણે અનુભવીએ છીએ. એક દિવસ તે મુંબઇની પ્રજાનાં દિલના રાજા હતા. હાવે' નરીમાન કેસમાં તેમણે દાખવેલી નિડરતા ઉપર મુબઇની પ્રજા મુગ્ધ હતી. ૧૯૩૦-૩૨ ની લડતમાં તેમનું અગ્રસ્થાન હતું અને મુ’બઇ નગરીના તેએ અપ્રતિમ નેતા હતા. ૧૯૩૫-૩ ની સાલ આવી. પ્રાત પ્રાન્તના પ્રધાનમંડળે રચાવા લાગ્યાં. મુંબઇ પ્રાન્તમાં કાણુ મુખ્ય પ્રધાન થાય તે પ્રશ્ન ઉપસ્થિત થયેા. આ સ્થાન ઉપર તે પોતાની જ વરણી થવી એઈએ, આમાં · બીજો સવાલ જ કેમ હાઇ શકે-આવા અભનિવેશે શ્રી. નરીમાનના ચિત્તને ઘેરી લીધું. આગળ પાછળ બનેલી અનેક ઘટનાઓ, વળી કથા કયા વિભાગમાંથી કેટલા કેટલા સભ્યો ચુંટાઈને આવ્યા છે અને સવ સભ્યોને કણ વધારે માન્ય થશે-એવા કેટલાક ખ્યાલેના પરિણામે કૉંગ્રે સના પાર્લામેન્ટરી ખેડે` વીર નરીમાનને બાજુએ રાખીને શ્રી બાળાસાહેબ ખેર ઉપર આ કળશ ઢળ્યા. આમ બન્યું ત્યારથી વીર નરીમાન કોંગ્રેસના વિરધી અન્યા, ગાંધીજીની અહિંસાના તેમ જ તેમની કાતિના ઉપાહાસક બન્યા, અને કૉંગ્રેસને તેમના સામે શિસ્તનાં પગલાં ભરવા પડે તેવી સ્થિતિ તેમણે ઉભી કરી. તેમણે આગેવાની ગુમાવી અને દેશના પ્રત્યાધાતી તત્ત્વ સાથે તેમની મહેાબત શરૂ થઇ. આમ લગભગ દશેક વર્ષ પસાર થયા અને વીર નરીમાનને લેકે લગભગ ભુલી ગયા. એટલામાં આઝાદી આવી, સર્વત્ર આપણાં તંત્ર સ્થપાયાં, શકિતશાળી માણસાની ખેંચ પડવા લાગી, ભૂતક,ળતે વિસારીને પણ અનેક વ્યક્તિને સત્તાસ્થાને સાંપાવા લાગ્યા. શ્રી. નરીમાન માટે પણ બહાર આવવાની—ખાગળ આવવાનીતક ઉભી થઈ. મુંબઇની કારપેરેશનમાં કૉંગ્રેસ તરફથી તે ચુંટાયા અને કારપેરેશનના ક્રૉંગ્રેસી સભ્યનુ માગેવાંનસ્થાન શ્રી પાટીલે-ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરવાની નિશ્ચિત આશામાં–શ્રી નરી. માનને સુપ્રત કર્યુ. આમ કાંગ્રેસમાં તેમણે પુન: પ્રવેશ તે કર્યાં પણ તેની પાછળ પાછલાં વર્ષોમાં તેમણે કરેલા કૉંગ્રેસના દ્રોહુના તેમને કોઇ અન્તસ્તાપ હતા કે નહિ, ગાંધીજી પ્રત્યે દાખવેલી અવમાનના વિષે કાઈ પશ્ચાતાપ હતા કે નહિ એ વિષે આપણને કશુ જાણવા મળ્યું નથી. તેઓ કાંગ્રેસની અંદર આવવા અને અગ્રસ્થાન મેળવવા આતુર હતા અને કોંગ્રેસને એમના ઉપયોગની એક યા ખીજા કારણે જરૂર હતી એટલું જ આપણે જાણીએ છીએ. સભવ છે કે તેમના લિનું પરિવર્તન થયું હૈ।ષ અને Return of the Prodigal Son જેવા તેમના કાંગ્રેસમાં પુનઃ પ્રવેશ હૈાય. પશુ આવા કાઇ પરિવત નના કે કશા પશુ પરિવત ન સિવાયના તેમના પ્રત્યાવત નના દેશને વિશેષ લાભ મળે તે પહેલાં નિષ્ઠુર વિધિએ તેમને એકાએક ઝડપી લીધા, ગમે તેમ હાય, તેમણે તના જીવનની અમુક કક્ષાએ કૉંગ્રેસની, દેશની બહુ ભારે સેવા બજાવી છે, અને અદ્ભુત નિડરતાને તેમ જ કાયકુશળતાંત નમુના તેમણે પોતાનાં અનેક કાર્યોં દ્વારા રજી કર્યો છે એ વિષે એ મત હાઇ ન જ શકે. ભૂલાયેલા નરીમાન અવસાનના કારણે વીર નરીમાન' તરીકે આપણા દિલમાં પુનઃ જીવતા થાય છે અને આપણું હૃદય તેમને આદર તેમજ સન્માનની અંજલિ આપતાં કૃતા'તા અનુભવે છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સન્માનસમારંભ શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી તા. ૨૩-૧૦-૪૮ શુક્રવારના રાજ સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ સૌરાષ્ટ્ર તરફથી હિંદી સુધની લોકપ્રતિનિધિ સભાના સભ્ય તરીકે ચુટાયા તે અંગે ખુલીયન એકસચેંજના હાલમાં એક સન્માન સમારભ ચેાજવામાં આવ્યા હતા. શરૂઆતમાં શ્રી ગણેશભાઇ પરમાર તરી ३७७ પ્રાથનાગીત ગવાયા બાદ શ્રી મણિલાલ મેાકમચંદ શાહ તરફથી સબાનું પ્રમુખસ્થાન સ્વીકારી કામકાજ શરૂ કરવા શ્રી દુલભજી ખેતાણીને વિનતિ થતાં તેમણે સભાનું પ્રમુખસ્થાન સ્વીકાર્યુ. ત્યાર બાદ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ, શ્રી રતિલાલ ચીમનલાલ કાઠારી, શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કાઠારી, લીંબડીવાસી શ્રી લાભુભાઈ આચાય શ્રી. વેણીબહેન કાપડીઆ, શ્રી. મેાહનલાલ સૈપાન તથા શ્રી. મૃતલાલ દલપત્તભાઇ શેઠે પ્રસ’ગાચિત વિવેચન કર્યાં અને શ્રી. ચીમનલાને ભાવભરી અંજલિએથી નવાજ્યા. સભામાં પ્રમાણમાં હાજરી ઓછી હતી, પણ તેનું ઇષ્ટ પરિણામ એ આવ્યુ કે આ સન્માન સમાર ંભ અંગત મિત્રાના સ્નેહસમેલનમાં ફેરવાઇ ગયેા અને તેથી આવા પ્રસંગે સામાન્યતઃ વળ ઔપચારિક વખાણેાથી ભરેલાં ભાષણા થાય છે તેના બદલે દરેક વકતાએ પેાતાના દિલની વાતા કરી, અને ચીમનભાઇની યોગ્ય પ્રશસા સાથે પેતપેાતાને ઠીક લાગી તેવી ટકોર પણ કરી અને એમ છતાં પણ એ પાછળ દરે કે પેાતાના દિલમાં ચીમનભાઈ વિષે રહેલા ઉંડા સદ્ભાવ ગૌરવભરી ભાષામાં વ્યકત કર્યાં. સભાનુ વાતાવરણ પણુ નિરસ મનવાને ખદલે મીઠી મશ્કરીએના કારણે વિદમય બની રહ્યું. આ સર્વના જવાબ આપતાં શ્રી ચીમનભાઇએ પશુ એક સુન્દર આત્મનિવેદન કર્યુ અને અત્યુતિ કે અપેાકિત ઉભયથી પર રહીને-જાણે કે પાતા વિષે તટસ્થ બનીને ખેલતા હાય–એમ પેતાના વિચાર, વળણા તેમ જ દૃષ્ટિબિન્દુએ ના તેમણે સભાજનાને મીઠા પરિચય કરાવ્યે અને સાથે સાથે શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વિલક્ષણ વિશેષતાઓના પણ સરસ ખ્યાલ આપ્યા. સભાના પ્રમુખ શ્રી દુલભજી ખેતાણીએ ઉપસ ંહાર કરતાં શ્રી. ચીમનભાઇની અપૂર્વ કાર્યશક્તિ, યેાજના શક્તિ, બુદ્ધિમત્તા તથા સહૃદયતાના સગ્રેટ ખ્યાલ આપતુ સુન્દર વિવેચન કર્યુ. શ્રી. ચુનીલાલ કામદારે શ્રી. ચીમનભાઇ, પ્રમુખસાહેબ તથા સભાજનન ઉપકાર માન્ય અને સબા વિસજ્જન કરવામાં આવી. 鹃 તા. ૨૪-૧૦-૪૮ ના રેન્જ સુંદાળા હોલમાં મુંબઇની આગેવાન સ્થાનકવાસી સંસ્થા તરફથી મુંબઈની ધારાસભાના પ્રમુખ શ્રી. કુંદનમલજી પીર્દીના અધ્યક્ષસ્થાને શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહને માનપત્ર આપવાને સમારંભ યાજવામાં આવ્યું હતા. કન્યાશાળાની બહેતા તરફથી સ્વાગત ગીત ગવાયા બાદ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને શ્રી, વેલજી લખમશી નપુએ માનપત્ર વાંચી સભળાવ્યું હતું અને તે માનપત્ર પ્રમુખશ્રીના વરદ હસ્તે અણુ કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ માનપત્રના સમર્થનમાં ભિન્ન ભિન્ન વકતામએ પોતપોતાના દૃષ્ટિબિન્દુથી શ્રી. ચીમનભાઇની પ્રસસા કરી હતી. પ્રાસ ંગાપાત્ત શ્રી. ચંદુલાલ કસ્તુરચંદ પેાતાના ભાષ્ટ્રમાં હરિજન મંદિર પ્રવેશ ધારા જેના ઉપર લાદવામાં આવ્યું છે એ સામે પેાતાના વિરોધ જાહેર કર્યાં અને જ્યારે જનેને પણ, ન્હાઇ ધેને ચેકખાં કપડાં પહેરીને આવે તે જ, ભગવાનની પૂજા કરવા મળે છે ત્યારે હરિજનાને એમતેએમ પૂજા કરવા જૈન મંદિરમાં દાખલ થવા કેમ દેવાય ? * રિજાને અને જૈન મંદિરને લાગેવળગે શું ?–આવે પ્રશ્ન રજુ કર્યા હો અને શ્રી ચીમનભાઇ લેકપ્રતિનિધિ સભામાં જાય છે તે ત્યાં ધર્મની રક્ષા કરવા તેમણે અનુરોધ કર્યાં હતા. આના ઉત્તરરૂપે સભાપતિ શ્રી શીરાદિયાજીએ જણાવ્યુ` હતુ` કે “જનાના આવા વિરોધ ઉચિત નથી. જ્યાં અનેક જૈનેતરેશને અન મંદિરમાં રાજીખુશી અને પ્રેમથી પ્રવેશ કરવા દેવામાં આવે છે ત્યાં હરિજના જૈન મંદિરમાં આવતા હોય તે તેમને કમ અટકાવી * અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે હરિજન મદિર પ્રવેશધારા હરિજ નાને મ"દરામાં માત્ર પ્રવેશ કરવાના જ હક આપે છે, પૂજા કરવાનો નહિ,
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy