SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૪૮ પ્રબુદ્ધ જૈન ૩૭૫ કોમવાદી હિંદુઓ પણ એ માટે કંઈક જવાબદાર હશે ? હિંદુ જ્ઞાતિવ્યવસ્થા અને હિંદુ સંગઠનની હિલચાલના પડદા પર પાકિ- સ્તનવાદને મૂકીને જોઈએ તે આપણને કેવું ચિત્ર દેખાય છે તે જોવું ઘટે છે તે દેખાશે કે હિંદુ તેમ જ ઝીણાસાહેબની જન્મ જ્ઞાતિ-જા–બંનેમાં સમાનપણે રહેલા જ્ઞાતિપ્રથા અને એકત્ર કુટુંબની પ્રથાના સંસ્કારોનું સીધું પરિણામ પાકિસ્તાનવાદ થઈ શકે છે. - સાચે જ, એ રીતે જોઈએ તે એમ જ કહી શકાય કે જે રીતે હિંદુ માનસમાં જ્ઞાતિપ્રથા ધર્મ સાથે સંકળાએલી છે તે જ ધે રણે નીપલું પાકિસ્તાન હિંદુ જ્ઞાતિપ્રથાની મોટામાં મોટી સફળતા છે. હિંદુસ્તાનના મુસ્લિમો એમના આ મહાન નેતાની અસર તળે જ્ઞાતિપ્રથાને નિષેધ કરનાર સમાજ મટીને મોટો જ્ઞાતિવાદી સમાજ બની ગયે. હિંદુ એકત્ર કુટુંબની પ્રથાનો જે નિયમ છે કે તેમાં કુટુંબને કોઈ પણ પુરૂષ ભજન, પૂજન અને ધનના ભાગલા ભાગી શકે, તેને એમણે સ્વીકાર કર્યો. વળી જેને પિતાથી નીચા કે બરેબરિયા ન માને તેમનાથી સાવ અળગા રહેવું, અને જેમને એ પિતાથી નીચા માને તેમના પ્રત્યે ગુમાન અને તે છડાઇથી વર્તવું એ હિંદુ જ્ઞાતિપ્રથાની ખાસિયત પણ એમણે પૂરેપૂરી સ્વીકારી લીધી. ' હિંદુ ગ્રામ અને નગરરચનામાં જુદી જુદી ન્યાત પિતાતાની જુદા જુદા મહોલ્લા, શેરીઓ, ને પોળમાં રહે છે. કેટલીક વાર તે ગામનાં ગામ ન્યાતવાર હોય છે. અળગા રહેવું, ભાગલા પાડવા, બીજી ન્યાતા સાથે રેટી-બેટી-પાણી અને ભીંતને પડદો રાખવે એ હિંદુ સમાજ જીવનનાં વિશેષ લક્ષણો છે. શ્રી ઝીણા એવા નિરાશાવાદી નિર્ણય પર આવ્યા કે ધમ-જ્ઞાતિ વગેરેના ભેદભાવ રહિત પ્રજા-ત્રવાદી રાષ્ટ્રીયતાના કોંગ્રેસ ગમે તેટલા ઠરાવ કરે, પણ હિંદુઓ સદાયે જ્ઞાતિપરાયણ લે કે જ રહેવાના; અને જ્ઞાતિની પાછળ ઊંચનીચપણની ભાવના અને તેને લીધે એક બીજા સાથે ભળવાને અણગમે રહેલાં હોવાથી વ્યવહારમાં હિંદુસ્તાનનું રાજ્ય લેકશાહી નહીં પણ જ્ઞાતિશાહી સિદ્ધાંત પર જ ચાલશે. રાષ્ટ્રીયતા અને લોકશાહીના સિદ્ધાંતને કયારેયે હિંદુસ્તાનમાં વળ્યવહારિક રીતે અમલ થશે નહીં. આ વિષેની એમની અશ્રદ્ધા એમણે વારંવાર કહી બતાવી હતી. પશ્ચિમની લેકશાહી હિંદ માટે નકામી છે એ એમને મત બંધાઈ ગયે હતે. વળી, એમણે હિંદુસંગઠનની હિલચાલને, તેના પોકળપણાને અને તેના અંતિમ ધ્યેયને પારખી લીધાં. એનું પેકળપણું એ વાતમાં રહેલું હતું કે એણે કદીયે જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા સામે જોરદાર મેર માં નહોતા. આથી, તે બધા હિંદુઓને અંદરથી એકત્ર કરી શકે એ શકય નહોતું અને એનું અંતિમ ધ્યેય ઇસ્લામવિરોધી હિંદુરાજ્ય સ્થાપવાનું હતું. દિઓની આ અસલ નબળાઈ, એના કેટલાક ગંગનવિહારી” નેતાઓના ઓટા ભ્રમે તથા બીજા ચતુર નેતાઓની કુટિલતા અને મમાં જ પોતાની તક રહેલી છે, એમ એમની ઝીણી બુદ્ધિએ પારખી લીધું; પિતે પશુ મુસ્લમાન કરતાં હિંદુ સંસ્કારે જ વધારે પામેલા હોવાથી હિંદના મુસલમાનોને સંગઠિત કરવામાં તેમણે હિંદુ મનોવૃત્તિને જ ઉપયોગ કરી લીધું. ઈસ્લામના ગમે તે સિદ્ધાંત હોય, તે છતાં એમણે મુસ્લિમ માનસને હિંદુ બનાવી દીધું. આ કઠણ તે નહોતું. કેમ કે, હિંદના મુસલમાનોનો મોટો ભાગ ધમ સિવાય બીજી બધી બાબતમાં તે સંસ્થાનના હિંદુઓના જેવો જ છે. જ્ઞાતિવાર પ્રતિનિધિત્વ, હિંદુસ્તાનના સંપૂર્ણ ભાગલા, અને હિંદુ અને મુસલમાન વતીઓની સંપૂણું વહેંચણી વગેરે માંગણીઓમાં હિંદુ મનોવૃત્તિનું જ પ્રતિબિંબ દેખાઈ આવે છે. એ હિંદુ મનોવૃત્તિ છે, એને પુરા એ કે બ્રિટિશ પ્રધાનની ત્રણ પ્રાંતીય જૂથ રચવાની યેજનાને સ્વીકાર કરવામાં આવતાં જ પંજાબ તથા બંગાળના કેગ્રેિસવાદી તેમ જ બિનસંગ્રેસવાદી હિંદુ તથા શીખ બને આગેવાનોએ એ બે પ્રાંતના ભાગલા પાડવાની જોરદાર ચળવળ ઊભી કરી. - જેમ હિંદુઓની બધી રૂઢિઓ ધર્મ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોય છે, તેમ જ શ્રી ઝીણાએ પણ મુસલમાનોનાં હૃદયને ફેરવી નાખવા માટે પાકિસ્તાનની માગણીને ધમ" સાથે સાંકળી દીધી. મુસલમાનોમાં હિંદુઓના જેવા સખત જાતજાતના વાડા ન હોવાથી, મુસલમાનોને સંગઠિત કરવામાં હિંદુઓ કરતાં એમને વધારે સફળતા મળી એમાં નવાઈ નથી. હિંદુ આગેવાનો અને એમની વચ્ચે એક બીજી બાબતમાં એ સમાનતા હતી. બંને કુશળ વકીલના વર્ગના રહ્યા. કુટિલતા અને વક્રતા સુધી પહોંચે એટલી વકીલી ચતુરાઈ બંનેમાં કેળવાયેલી. કાગળ પર બંનેને મંજુર હોય એવી ભાષામાં નિર્ણય ઘડવે, મનમાં તેના અર્થ વિષે મતભેદ કે ચેરી રાખવી, અને પછી અમલ કરતી વખતે પોતાને ન ગમતું પગલું લેવું પડશે એમ જાય ત્યારે એકબીજા સાથે અથે બેસાડવાની લડવાડ શરૂ કરવી; પછી બંનેએ સામસામા આક્ષેપ અને જવાબ વાળીને વાતાવરણ એવું કરી મૂવું કે બંનેએ મંજૂર કરેલે મૂળ નિર્ણય જ પડતા મૂકે પડે અને નવેસરથી વાટાઘાટ શરૂ કરવી પડે એવી સ્થિતિ પેદા થાય-એ આ વકીલબુદ્ધિનું અપલક્ષણ છે. શ્રી ઝીણું પણુ એ વિદ્યામાં નિષ્ણાત હતા. હિંદુઓ પર ‘તમારી લાકડી ને તમારો વાંસે’ ની રીત અજમાવી, હિંદુઓને જ દોષ સિદ્ધ કરવામાં હંમેશાં સફળ થયા ન હોય, તોયે તટસ્થ માણસના મનમાં હિંદુએની સરળતા અને ન્યાયબુદ્ધિ વિષે શંકા ઉત્પન્ન થાય એવું દેખાડવામાં તે એમને ઘણી વાર સફળતા મળી. આમ વિચાર કરતાં, મને ઘણીવાર લાગ્યું છે કે ઝીણા અને પાકિસતાન એ હિંદુ સમાજનું જ પાકેલું ફળ છે. પાકિસ્તાન આપણુ મિત્ર તરીકે હિંદમાં પાછું ભળે એમ આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, જે મનોવૃત્તિઓ, સંસ્કારે, રૂઢિઓ વગેરેએ પાકિસ્તાનને પેદા કર્યું તે દેશને આપણા જીવનમાંથી કાઢયે જ છૂટક છે. એક પાકિસ્તાન થઇને જેટલું બગડવાનું હતું તેટલું બગડી ગયું એમ માનવાનું નથી. વખત જતાં ઝીણાસાહેબની આગાહી મુજબ દરેક ઘર, શેરી, મહાલે, ગામ અને તાલુકાના ભાગલા પડાવવા સુધી એ દોષ આપણને ખેંચી જાય એ છેક અસંભવ નથી. અને તે ભાગલા માત્ર હિંદુ-મુસલમાનના નહીં રહે પણ જે જે કાંઈ સ્થાનિક કે સામાજિક જુદાં જુદાં જ છે.ય તે સૌને એને ચેપ વળગશે. જો આપણે એક રાષ્ટ્રરૂપે આપણો વિકાસ સાધી હોય તે આપણી સંકુચિત સમાજ દ્રષ્ટિને નાશ કરે ઘટે છે. કિશોરલાલ મશરૂવાળા કેટલાક સમાચાર અને નોંધ કાયદે આઝમ વિષે શ્રી કિશોરલાલભાઈ શ્રી. કિશોરલાલભાઈ જેવા પ્રતિભાસંપન્ન લેખકના કોઈ પણ લેખમાં જણાવેલા વિચારે પિતાને અસ્વીકાર્ય લાગતા હોય તે પણ તે વિરોધ પ્રગટ રીતે રજુ કરતાં કોઈ પણ વ્યક્તિ અત્યા સંકોચ અનુભવે એ સ્વાભાવિક છે, કારણ કે તેમની સમય વિચારસરણિ પૂર્વગ્રહો કે અભિનિવેશથી લગભગ સર્વથી મુકત હોય છે જ્યારે આપણા જેવા માટે એ અત્યન્ત વિકટ કાર્ય છે. આમ છતાં પણ જ્યાં આપણું મન સંમતિ અનુભવતું ન હોય ત્યાં એ મુજબ જાહેર કર્યા સિવાય આપણા માટે બીજો વિકલ્પ રહેતો નથી. કિશોરલાલભઈ ઝીણુનું વિકૃત સ્વરૂપ અને તેના પરિણામરૂપ પાકીસ્તાનનું નિર્માણ-ઉભયની બધી જવાબદારી હિંદુ સમાજની રીતભાત, રહેણીકરણી અને આચાર વિચાર તથા સમાજ રચનાના સ્વરૂપ ઉપર નાંખે છે. આ વિધાન સહેજે ગળે ઉતરતું નથી. અલબત્ત હિંદુ સમાજમાં નાતજાત, વાડાબંધી, અને ઉંચનીચની ભાવના કંઈ કાળથી ચાલી આવે છે અને તેણે આ૫ણા સામાજિક જીવનમાં
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy