SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અક : ૧૩ શ્રી મુંબઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જન તંત્રી: મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧ નવેમ્બર ૧૯૪૮ સોમવાર નૂતન વર્ષના મંગળ પ્રભાતે આજે વિક્રમ સંવત ૨૦૦૪ વષ' પુરૂં થાય છે, અને વિક્રમ સંવત્ ૨૦૦૫ નું વર્ષાં શરૂ થાય છે. વિદાય થતા અને આરભાતા વર્ષના સધિટાણે ભૂતકાળ તરક દૃષ્ટિ દેંડે છે અને ભવિષ્યને પણ વીંધવાના ચિત્ત પ્રયત્ન કરે છે. ગતવ'ના વિચાર કરવા સાથે જ બાપુજી યાદ આવે છે. તેમને ગુમાવ્યા તેની વેદના અને કેવી રીતે ગુમાવ્યા તેની શરમ બન્નેને સાથે અનુભવ થતાં ગમગીન બની જવાય છે. નાથુરામ ગોડસેને એ દુબુદ્ધિ સુઝી ન હાંત તે બાપુજી આપણી વચ્ચે આજે હયાત હૈ:તા અને સંભવ છે કે આજે જ્યાં પડિત જવાહરલાલ નહેરૂ આપણા પ્રતિનિધિ તરીકે ગયા છે ત્યાં બાપુજી ગયા હોત અને માથે ઝઝુમતા વિગ્રહુ. દાવાનલમાંથી દુનિયાને બચાવવા તનતેડ મહેનત કરી રહ્યા હોત. ગત વર્ષની પશુ આગળથી શરૂ થયેલું'. કાશ્મીર યુધ્ધ આજે પણ ચાલી રહ્યું છે, પણ હવે થોડા સમયમાં તેને નીકાલ આવી જશે એવી આશા બંધાઇ રહી છે. ગત વર્ષ દરમિયાન થયેલ અનેક દેશી રાજ્યનાં વિસર્જન અને તે કારણે થયેલી હિંદુસ્તાનની મેટી કાયાપલટ રાજકારણની દૃષ્ટિએ સથી મહત્વની ઘટના ખૂની છે અને તે માટે સરદાર વલ્લભભાઇ પટેલને હિંદી પ્રજાના અનેકાનેક ધન્યવાદ ઘટે છે. કાળનિર્માણનું એ એક ભારે વૈચિષ્ય છે કે કેટલાક નાના બનાવેા બનતાં ધણા સમય લાગે છે, જ્યારે થાડા સમયમાં કોઇ કાઇ વાર પવન વેગે એટલા બધા ઝડપી બનાવે બની જાય છે.. કે આપણી કલ્પના પલટાતી જતી પરિસ્થિતિના ગંમતે ગ્રહણ કરવામાં અસમથ નીવડે છે. છેલ્લા દેઢ વર્ષના હિંદના ઇતિહાસ કાંઈક આવે જ છે. આજથી પંદર મહીના પહેલાં દેશના ભાગલા સાથે એકાએક ઝ.દી આવી અને લગ ભગ એક સકાથી સ્થિરપણે સ્થપાયેલી બ્રીટીશ હકુમતને અન્ત આવ્યા. પછી આવી પંજાબની કત્લેઆમ અને હજારા કુટુ ખાની પારિવનાની પાયમાલી અને સ્થળાન્તર. પછી આવ્યું. જુનાગઢની આરઝી હકુમતનું આક્રમણુ અને પરિણામે નીપજેલી આખા કાઠિયાવાડની કાયાપલટ. આ થયું ન થયું ત્યાં આપણે બાપુજીને ગુમાવ્યા. આ અરસામાં હિંદભરતા દેશી રાજ્યા ઉત્તરોત્તર પલટાતા ચાલ્યા. કેટલાકે એકત્ર બનીને પેાતાનાં સ્વતંત્ર મડળે સ્થાપ્યાં; અમુક મેટા રાજ્યોએ પેાતપુતાના પ્રદેશમાં પ્રજાતંત્રની સ્થાપના કરી; કેટલાંક રાજ્યે સમીપમાં આવેલા હિંદી સધના પ્રાન્તમાં વિલીન થયાં. વાદરાના ગાયકવાડે થોડુંક માથુ ઉંચકયુ' અને આમ તેમ થોડા કથકલી નાચ કરી લીધે, પણ તેને પણ આખરે સાષ્ટાંગ દંડવન પ્રણામ કરવા પડયા. છેલ્લાં છેલ્લાં હૈદ્રાબાદના નિઝામે અવળી રમત શરૂ કરેલી. એક બાજુ સમાધનીની વાટાધાટો અને ખીજી બાજુએ યુધ્ધની. તૈયારીએ. તેના પ્રદેશમાં *.સીમ રઝવી નામના એક ધૂમકેતુને ઉદય થયા. તેને તે દીલ્હીને લાલ કલ્લે સર કરવા સિવાય બીજી કાઇ હૅળવી વાત કરવી ગમતી જ નહેાતી. તેના મેઢામાંથી આગ વરસી રહી હતી; આખા માંથી આગ . ૨૯. ન. શ્રી ૪૨૬૬ 0 વાર્ષિક લવાજમ રૂપિયા ૪ હિંદને તે ભારે ડરાવી રહ્યો હતે; પણ આ ખુધી ધાંધલધમાલનું આયુષ્ય હતું દરેજ, હિંદી સૈન્યે નિઝામના રાજ્ય ઉપર સર્વાં‘ગી આક્રમણ કર્યું" અને જાણે કે આંખના પલકારામાં એ ભયાનક ભૂતાવળતા નાશ કર્યાં અને હિંદના મધ્યભાગમાં રહેલું એક મોટામાં માટુ' ભવસ્થાન જોતજોતામાં નાથુદ થયું. એ જ અરસામાં કાયદે આઝમ ઝાનું અવસાન થયું અને પાકીસ્તાન અનાય બન્યું. ગત વર્ષોમાં આપણે આ રીતે એ મહામાનવાને ગુમાવ્યા. એક હતેા પ્રેમમૂર્તિ'; ખી હતા મસરભૂતિ. એક હતા દૈવી સંપત્તિના અધિષ્ઠાતા; બીજો હવે આસુરી સ`પત્તિના સમ્રાટ. એક હતા અહિંસા અને સત્યને ઉપાસક; અન્યને મન અહિ ંસા અને સત્ય આદશ વાદી ખેવકુફાની ઘેલછા હતી. એકમાં વેદના હતી, નિરાશા હતી; બીામાં આનંદ હતા, કૃતકૃત્યતા હતી, ધાયુ" સાધ્યાના ગવ હતા. એકે ભગવાનની પ્રાથના કરવા જતાં પોતાના જ ધમબંધુના હાથે પ્રાણ ગુમાવ્યા; બીજો સ્વાભાવિક મૃત્યુના પરિણામે આ ફાની દુનિયા છેાડી ચાલી નીકળ્યા. એકના અવસાનને આખી દુનિયા રડી; અન્યના પલેાકગમનને કાઇ રહ્યુ હોય તે માત્ર પાકીરત.ન જ રહ્યું. આમ અનેક પ્રવેશે। દાખવતું અને નાના મોટા અકાથી ભરેલુ' નાટક પુરૂ' કરીને એક વર્ષ' વિદાય લે છે. અને બીજા વમાં આપણે અનેક ચિન્તાએ, મુંઝવણા અને ભયાનક ક ંપના સાથે પ્રવેશ કરીએ છીએ. ઘરઆંગણે નવી પ્રાન્તરચનામાં મુબઈએ અલગ રહેવુ કે નવા ઉદ્ભવ પામતા બારાષ્ટ્ર પ્રાન્તમાં સમાઇ જવુ એ પ્રશ્ન ભયાનક સ્વરૂપ પકડી રહેલ છે. મુંબઇને મહારાષ્ટ્રમાં ભેળવવાના વિચારવાળા લોકો આજે જે વાણીતાંડવ આચરી રહ્યા છે અને મહારષ્ટ્રના ક્ષેત્રફળને કલ્પનાના છેડાઓ દોડાવીને જે રીતે ઉત્તરાત્તર વિસ્તારી રહ્યા છે તે જોતાં જાણે કે આપણી વચ્ચે એક નવુ' પાકીસ્ત ન જ ઉભું થઇ રહ્યું હાય એવી નીતિરીતિ અને ઘેલાનુ દર્શન થઇ રહ્યું છે. અને તે કરણે આ નાની દેખાતી બાબત સૌ કોઇને મન એક ચિન્તાને વિષય બની રહેલ છે. સમગ્ર દેશના વિચાર કરતાં, આપણને આઝદી મળી છે, સ્વરાજ્ય મળ્યું છે એમ છતાં પણ તે દ્વારા કપાયેલા સુખ કે સ્વાસ્થ્યના હજી આપણને કશે। અનુ. ભવ થતા નથી. આપણી હાડમારીઓ અને સકા વધતાં જ જાય છે. આમાંથી ઉગરવાના કાઇને સચ્ચે માગ જડતે નથી. આન્તર રાષ્ટ્રીય પ્રદેશમાં પણ જે કાંઇ બની રહ્યું છે તે વિશ્વશાન્તિ ગમે ત્યારે જોખમાવે અને ખા અકળાયલી, મુ’ઝાયલી, ગુંગળાતી દુનિ આને ગમે ત્યારે ધાર સૌહારને નતરતા ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દે તેવા ભય પેદા કરી રહેલ છે. આમ આજે આ જગતમાંથી શન્તિ કે સુખચેન અલાપ થયા છે અને તે કયારે પાછા આવશે એની હજુ કાંઇ સુઝ પડતી નથી આ મહાસાગરમાં બિન્દુ સમાન જૈન સમાજ અને તેના નાના મોટા પ્રશ્નોના શુ' વિચાર કરવા ? તેનું ભાવી પણ જગતના
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy