________________
7
૩૭૨
પ્રશુધ્ધ જૈન
પેાતાની જનતાને-દેશને ને અ ંતે વિશ્વને વિચાર પણ કરે છે. વિશ્વને વિચાર કરવામાંથી એની સંપૂર્ણ ધબુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ હું માનું છું. માત્ર વાણીથી નહી, સમગ્ર વિશ્વની સાથે એણે તાદાત્મ્ય અનુભવેલુ ડેવું જોઇએ. પેાતાના કુટુંબ માટે જેમ માન વીને ભાવ હાય છે, તેમ વિશ્વ માટે ભાવ ઊપજે અને એ ભાવ પ્રમાણે એ સમગ્ર જીવનની વ્યવસ્થા કરે તેને હું સાચે ધમ' કહું. છું, હું જેને પ્રજ્ઞા કહ્યુ` છું તેમાં સત્યાસત્યની દૃષ્ટિ તે ધદષ્ટિ એક, અભિન્ન, અનન્ય થઇ જાય છે.
આ
વૈજ્ઞાનિક સત્ય એક હાય ને નૈતિક દૃષ્ટિનું સત્ય ખીજું જ હાય, તે માનવી કામ જ ન કરી શકે. અનત વસ્તુ આત્મામાં ભરેલી છે. પણ એ બધાની વ્યવસ્થા એક જ હાઇ શકે. આત્માની અખંડતામાં તે એ અખડતા સિદ્ધ કરવી જોઈએ એ એ વાતમાં જેને શ્રદ્ધા હોય તે મારે મન આતિક છે ને ખીજા બધા નાસ્તિક છે. સત્યાસત્ય ને ધર્માંધ દૃષ્ટિ અહી એક થઇ જાય છે.
એક ખીજી દૃષ્ટિએ વિચાર કરીએ,
એક બાજુ આત્મા છે; બીજી તરફ આ શરીર છે. અને વિરેષ તા જુએ. આત્મા ગમે તેટલા ચેતનરૂપ હોય, તે પણુ આ શરીરની સાથે જ એ જોડાયેલા છે. શરીર જ છે. શરીરને ઉપરથી ધકકો મારે તે એક જડ પથ્થરની માફક જ એ નીચે પડશે, દે જડ નિયમને આધીન છે. એ નિયમે તે વૈજ્ઞાનિક કાય કારણ નિયમ છે. ત્યાં એ નિયમોની આવશ્યકતા છે. ભૂખ લાગે એટલે ખાવુ જ જોએ. થાક લગે એટલે મારે ઊંધવુ જોઇએ જ. આ જડ નિયમે છે.
પણ જગતની વ્યવસ્થામાં આ જડ આવશ્યકતના નિયમેા સાથે સ્વાદની યેાજના મુકાયેલી છે. ભૂખ લાગે છે ત્યારે દુ:ખ થાય -છે. ભૂખ સંતાષ તાં દુ:ખ શમે છે. એટલાથી કાઈ ખાસ સુખ થતું નથી, પણ રવાદ ાં ભાવાત્મક સુખ રહેલુ છે. જે જે આવશ્યક વસ્તુ છે તેમાં તેમાં કયાંક સ્વાદની યેજના થયેલી છે. સ્વાદ ન હત તે જીવન અકારૂ–અનિવાય' થઈ પડત.
તેવી જ રીતે ધામ ક આવશ્યકતામાં પણ એક જાતને આનંદ રહેલા છે.
મને અમુક પૈસાનુ` દાન કરવાને ધમ સમજાય, દાન કરવુ એ ફરજ છે. પરાણે દાન કરવું પડે છે ત્યારે તેમાં રસ-આનંદ આવતા નથી-જો કે શાસ્ત્રમાં તા એટલે સુધી કહ્યું છે, કે દાન શ્રદ્ધાથી કરે ને જો તેમ ન બને તે શરમથી પણ દાન તા કરા જ. પસે। એ સુખનુ સાધન છે એટલે દાન કરવામાં હું સુખને ત્યાગ કરૂ છું, પણ એમાં એક જાતને ધર્મવૃત્તિને આનંદ રહેલા છે, કે જેથી દાન કરવામાં પણ આનદ થાય છે. એમ ન થયુ' હેત તે માનવજીવન બહારથી લાદેલી ફરજોને લીધે નીરસ, કષ્ટમય અને ખધનરૂપ લાગતું.
લાવણ્ય
કાવ્ય શાસ્ત્રકારો કહે છે—બીજી* કાઇ સુંદર દૃષ્ટાંત નહિ મળવાથી હુ' પણું એ જ દૃષ્ટાંત આપુ છું-કે કોઇ સ્ત્રીનું એકએક અંગ ખરાખર થેચિત હોય, તે તેના આખા શરીરમાંથી પરિસ્ફુરે છે. કાઇ પણ એક અગમાંથી નહીં, પણ આખા શરીરમાંથી લાવણ્ય ઉલ્લુસે છે. તેવી જ રીતે સમગ્ર જીવન એક મહાન ઔચિત્યની દૃષ્ટિએ વ્યવસ્થિત થયું. હૈય, ત્યારે એ આખા જીવનમાંથી એક જાતનું સૌન્દર્ય પ્રગટ થાય છે. . અને એ રીતે સત્ય, શિવ અતે સૌને એકસાથે અનુભવ થાય છે. ' સ્ટીર ચેકપના દાખલા આપું. એમાં બે ચિત્ર હૈાય છે. પશુ અને આંખથી શ્વેતાં જ્યારે એક ચિત્ર દેખાય ત્યારે ખરાબર ઉઠે વવાળું યથાય દન થાય છે. તેવી જ રીતે માનવીને અહીં ત્રણ આખા છે. સત્યાસત્યની, ધર્માંધમ ની ને સુંદરઅસુંદરની. આ ત્રણેય આંખા વડે એક જ દન થાય ત્યારે એ દર્શન યથાયોગ્ય થયું' કહેવાય.
તા. ૧૫-૧૦-૪૮
આ રીતે જે સત્ય તેજ નીતિમય છે તે તેજ સુંદર છે. એમ જે જુએ છે, તે જ ખરૂં જોઇ શકે છે-૫ : પશ્યતિ ક્ષ પશ્યત્તિ પણ ઉપરની સ્થિતિ માનવીની પૂણુતાની સ્થિતિ છે, પણ આપણે તે બધા અપૂર્ણ છીએ.
માનવી ત`દુરસ્ત હોય તે જેને ભૂખ લાગે ત્યારે એને દ્વાર સ્વાદિષ્ટ લાગે છે. રેગીજીને હારના સ્વાદ લાગતા નથી. એવા માણસા હાય છે, જેમને રાગ થતા અથ્યની અરૂચિ થાય છે; પૃથ્યની જ રૂચિ થાય છે. સામાન્યત દુરસ્તીવાળાને પૃથ્યની જ રૂચિ થાય છે. પણ. એવા પણ ગી હૈાય છે કે જેમને પથ્યની જ રૂચિ થયા કરે; અને એટલા માટે આપણે આહારની અધી વ્યવસ્થા કેવળ સ્વાદ ઉપર કરી શકતા નથી. તેમ જ ધમ ને પૂરેપૂરા રવાદ આવે એવી કેટીએ આપણે પહોંચ્યા નથી. આપણને દુજી જે પ્રેય લગે છે એ શ્રેય હેતુ નથી; એટલા માટે આપણે સંયમ રાખવે જોઇએ. સંયમ વિના કાઇ પણ વસ્તુનું માપ નીકળી શકતુ નથી. કાંટા હાલે ત્યાંસુધી તે સાચુ તેલ તાવી શકે નહીં. તે જ રીતે પાન વગરની દીવાની જ્યાત સ્થિર રહે ત્યારે જ પ્રકાશ ખરાબર મળી શકે છે, ત્યારે જ કાઇ પણ વસ્તુનુ દર્શન ચેગ્ય રીતે થઇ શકે છે. તેવી રીતે સંયમથી બુદ્ધિ સ્થિર રાખવી જોઇએ. વિવેકબુદ્ધિ સ્થિર હેય તે જ સાચુ' દશ ન થઈ શકે, નહિતર વાસનાથી આકર્ષીક દેખાતી વસ્તુ આપણને સુંદર પણુ દેખાય. માનવીની અપૂણુતા તા એ છે, કે એ પોતાની જાતને ઠેઠ સુધી છેતર્યાં કરે છે. આપણે આપણા વડે મેક્ષ મેળવી શકીએ છીએ તેમ આપણે જ આપણા હ્રાસ કરી શકીએ છીએ.
અપૂણુતા ઉપરને વિજય એ જ સાચો વિજય છે. માનવજાતિને આખા વિકાસ એ દિશામાં થયેલા છે. ખાવાની ક્રિયા કેટલી બધી ગંદી છે? પણ આપણે તેની ગદા ખાજુને ઢાંકીએ છીએ; અને ખાવાની ક્રિયાને એક સામાજિક સ્વરૂપ આપીએ છીએ. મિત્રા, કુટુ’ખીઓ ભેગાં થ”ને આનદથી વાર્તા કરતાં કરતાં જમે છે અને એ રીતે એ ક્રિયાને ગદા વ્યકિતગત સ્વરૂપમાંથી ઉદ્ધાર થાય છે. એ જ રીતે આપણે સ્રીપુરૂષના સબંધમાં પ્રેમની ભાવના ખડી કરી, એમાં અનત રંગ પૂર્યાં છે.
માનવની સર્વ પ્રગતિકારક પ્રવૃત્તિઓ નીચે અખ'ડ આત્માની પરિપૂર્ણ તાની શકયતાની શ્રદ્ધા રહેલી છે. અંગત દૃષ્ટિભેદ છે, પણ મહાન સત્ય તા એક પરિપૂણુતાની શ્રદ્ધા છે. સત્યાસત્યની બાબતમાં આપણને એક મહ!ન શ્રહ્મા છે કે જો હું સત્ય ખરખર સમજતે હેશ, અને એનુ ખરાખર નિરૂપણ કરી શકીશ તા એ સત્યને સામેના માણુસ અવશ્ય સ્વીકારવાને છે,
જેમ બધાં માટે સત્ય એક છે તેમ જ નીતિ પણ એક જ છે, પણ ધણીવાર એક માણુસ ખીજાતે નીતિદશ ન કરાવી શકતા નથી, તેનું કારણ એ છે કે એમાં દર્શન અને નિરૂપણુ ઉપરાંત સામાં માણસ ઉપર પ્રેમ હેાવાની પણુ જરૂર છે. પ્રેમ વિના સામાને ધમ દશન કરાવી શકાતુ નથી. જગતના મહાન ધર્મ પ્રચારકા સંતે માનવજાત માટે નિઃસીમ પ્રેમ હતા. અને એમ જ્યાં સત્ય અને ધમ` એક થાય છે ત્યાં સૌન્ટનું દર્શન એની મેળે પ્રગટ થાય છે. એટલા માટે જ મહાન ધર્મોની ઉત્પત્તિ સાથે મહાન કળાનેા પણ એકદમ વિકાસ થયેલે પ્રતિદ્વાસમાં નજરે પડે છે,
માણુસે પેતાની ખાતર આ સત્ય, શિવ અને સુંદરને એક કરવા પ્રયત્ન કરવા જોઇએ, એમાં માત્ર શ્રદ્ધા હોય એટલું સ નથી, અને માટે પ્રયત્ન પણ હાવા જોઇએ. અને એની સાધનામાં પણ આપણુને ડગલેડગલે અને વિકાસને પગથિયેપગથિયે વધારે ને વધારે ઉચ્ચતર અ નના અનુભવ થયા વિના રહેતા નથી. આપણે સ એ માર્ગે જવાને પ્રયત્ન કરીએ.
રામનારાયણ વિશ્વનાથ પાઠક
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫-૪૦ ધનજી સ્ટ્રીટ, મુંબઈ.
મુદ્રઙ્ગસ્થાન : સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
todded tak ko ladaki