________________
39.
પ્રશુદ્ધ જૈન
પ્રમુખસ્થાન લેવાની વિનંતિ કરતાં જણાવ્યુ હતુ કે “આજે ગાંધી જયન્તી અગે પ્રવચન કરનાર મહાસતી ઉજ્જવળ કુમારી હૈય અને ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫ માં હિંદુસ્તાનમાં આવ્યા - અને અમદાવાદ ખાતે સત્યાગ્રહુ આશ્રમની સ્થાપના કરી ત્યારથી તે ગાંધીજીના અવસાન સુધી જેમણે ગાંધીજીના અનુયાયી અને સાથી તરીકે કામ કર્યુ છે. એવા સ્વામી આનંદ પ્રમુખસ્થાને હાય-આના જેવા સુન્દર સુયેાગ બીજો શુ રુાઇ શકે ?” સ્વામી આનન્દે પ્રમુખસ્થાન લીધા બાદ મહાસતીજીના પ્રવચનની શ્રોતાએાના ચિત્ત ઉપર કાયમ અસર રહે એ હેતુથી પ્રસ ંગચિત પાતાને જે કહેવાનુ હતુ. તે શરૂઆતમાં જ કર્યું (જેના સાર હવે પછીના પ્રમુદ્ધ જનમાં પ્રગટ કરવામાં આવશે.) ત્યારાદ મહાસતીજી ઉજ્જવળકુમારીએ પેાણા કલાક સુધી ગાંધીજીના જીવનની મહત્તા વિષે શ્રોતાજનને
ાન દમુગ્ધ કરે તેવુ સુન્દર પ્રવચન કયુ" (જેને સાર પણુ હ્રવે પછીના અંકમાં પ્રગટ થશે). તપશ્ચત્ અડધે એક કલાક પ્રશ્નોનરીમાં પસાર થયે. અન્તમાં સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે મહાસતીજીને તથા સ્વામી આનના આભાર માનતાં જેવી રીતે તાજેતરમાં પ્રગટ થયેલ મહાદેવભાની ડાયરી દ્વારા આપણને ગાંધીજી વિષે કેટકેટલું જાણુવા સમજવાનું મળે છે તે રીતે વનિ જેમને ગાંધીજીને સમાગમ હું તેવા રવામી આનંદને ગાંધીજી વિષેનાં પોતાનાં સ્મરણે રાખ્તબદ્ધ કરવા અને પ્રગટ કરવા આગ્રહપૂર્વક વિનતિ કરી અને વંદેમાતરમના મંગળ ગાન સાથે સભા વિસર્જિત થઇ.
‘ગાંધી બાપુનો પવાડા’ અને ‘ગાંધી બાપુ'
ગુજરાતના કવિવર શ્રી. અરદેશર કરામજી ખબરદારને આજે કાણુ નથી એળખતું ? કેટલાંય વર્ષાથી ખીછાને પડયા પડયા પણુ તે ગુજરાતી સાહિત્યની અખંડ સેવા કરી રહ્યા છે અને તેમનાં કાવ્યગ્રંથા એક પછી એક પ્રગટ થઇ રહ્યા છે, જેમાંના કેટલાક તે આજે મુંબઇની યુનીવસી ટીએ પાઠયપુસ્તક તરીકે મજુર કર્યાં છે. ગાંધીજી હિંદુસ્થાનમાં આવ્યા ત્યારથી તેમને ગાંધીજી સાથે અખંડ સબંધ હોવાનું તે ણુ વે છે. ગાંધીજીને ચિત્રાદ્વારા રજુ કરવાી સૌથી વધારે યશ જો “આપણે જાણીતા ચિત્રકાર શ્રી કનુ દેસાઇને આપીએ તે આજના ગુજરાતી કવિઓમાં ગાંધીજી વિષે સૌથી વધારે કાવ્યે શ્રી. ખબરદારના હાથે રચાયા છે એમ આપણે જરા પણ અતિશયતા વિના કહી શકીએ છીએ. ગાંધીજીની એવી જન્મજયન્તી હુ ઓછી પસાર થ હશે કે જ્યારે શ્રી. ખબરદારે ગાંધીજીની સુંદર કાવ્યપ્રશસ્તિ રચી નહિ હૈાય. ગાંધીજીનું અવસાનથી તેમને કવિ આત્મા શેવિશ્વલ યા, અંદરથી હલી ઉડ્ડયા અને એ વેદનામાંથી એક પછી એક કાવ્યને જન્મ થવા લાગ્યું. આ કાવ્યના તેમના તથી ખે સંગ્રહે। બહાર પડયા છે. એકનુ નામ છે ગાંધી બાપુનો પવાડા' જે ત્રણ ભાગમાં વહેંચા યક્ષેા છે. પહેલા ભાગમાં સામાન્ય ગુણપ્રશસ્તિ છે; ખીજા ભાગમાં ગાંધીજીના જન્મથી માંડીને તે ૧૯૧૫ માં હિંદુસ્તાન ખાતે પાછા કર્યાં ત્યાંસુધીના જીવનની આછી રૂપરેખા આપવામાં આવી છે અને ત્રીજા ભાગમાં અવશેષ જીવન આલેખવામાં આવ્યુ છે. આખુ' કાવ્ય રામ લક્ષ્મણ વનમાં સીધાવતાં’ એ ચાલુ લોકગીતની ઢળમાં રચવામાં આવ્યું છે અને લેાક સહેલાઇથી ગાઇ શકે, સમજી શકે એવી તેની સરળ પદ્યરચના છે. બીજા સગ્રહનુ નામ છે ગાંધી બાપુ.' આ પુસ્તકમાં ગાંધીજી વિષે કવિશ્રીને ઉડે। ભકિતભાવ અને જે કરૂણ્ણાજનક સ ંયોગેમાં ગાધીજીનું અવસાન નીપજ્યું તે કારણે કવિએ · અનુભવેલી તીવ્ર વેદના ઉભયના તેમની દર્દભરી અને વિવિધ પ્રદેશમાં ઉડ્ડયન કરતી કવિતા દ્વારા આપણુને રામાંચપ્રેરક અનુભવ થાય છે. જેના દિલમાં ગાંધીજી વિષે ઉંડા આદર હાય, અને જેણે ગાંધીજીના અવસાન વિષે અત્યન્ત નિકટના સ્વજનના અવસાન સમે આધાત અનુબન્યા હોય તેમણે આ અન્ને કાવ્ય સંગ્રહે વસાવવાયામ છે. ગાંધી બાપુના
તા. ૧૫-૧૦-૪
પાડાની કીમત રૂ. ૧ા છે; ‘ગાંધી બાપુ'ની કીમત રૂ. ૩ છે. *જાલા મેન્શન, પારસી કોલોની, દાદર. જી. આઇ. પી. મુંબઇ ૧૪' એ સરમામે કવિશ્રી ઉપર લખવાથી એ બન્ને પુસ્તકા મળી શકશે. ગાંધીજીને આવી હૃદયંગમ અને સવેદનપ્રેરક અજલિ આપવા માટે કવિ શ્રી અરદેશર . ખબરદારને ગુજરાતી પ્રશ્નના ધન્યવાદ ઘટે છે. પાન .
સ્વ. છેટાલાલ શાહ
રાજકાટના જાણીતા ધારાશાસ્ત્રી અને કાયકર શ્રી. છેઢાલાલ પટલાલ શાહનુ ૩૬ વર્ષની ભરયુવાનીમાં અવસાન થયુ છે.
રાજકાટના જાણીતા કેળવણીકાર સ્વ. પેપટલાલ કળચંદ શાહના તેઓ પુત્ર હતા. તેમની બુદ્ધિ નાનપશુથી જ તેજસ્વી હતી અને નાની વયમાં એડવેકેટની પરીક્ષામાં સારા ગુણુ લઇ પસાર કરી સ્વતંત્ર પ્રેકટીસ શરૂ કરી કેરળ પાંચ જ વર્ષમાં સૌરાષ્ટ્રના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તરીકેનુ સ્થાન તેમણે પ્રાપ્ત કરી લીધું હતું.
જાહેર જીવનમાં પણુ તેમણે નાની વયથી જ પ્રવેશ કર્યો હતા. શરૂઆતમાં જૈન યુવક સધ અને કાઠિયાવાડ જૈન યુવક પરિષદ ભારત સામાજિક પ્રવૃત્તિ- તેમણે શરૂ કરી, રાકે સત્યાગ્રહ વખતે બે વખત જેલવાસ સ્વીકાર્યાં; અને પછી તે રાજકીય પ્રવૃત્તિમાં સીધે ભાગ લેવાનું તેમણે શરૂ કર્યુ. વ્યાયામ પ્રવૃત્તિ, વિદ્યાથી' પ્રવૃત્તિ, બાર એસેસીએશન, સમઢિયાળા ગ્રામ સુધારણા સમિતિ, લીગલ એડ સેસાયટી, સાહિત્ય સભા વિગેરે સંસ્થા સાથે તેઓ સ’કળાયેલા હતા. છેલ્લા ખારેક માસથી તે ધીકતી પ્રેકટીસને ખાજુએ મૂકીને સૌરાષ્ટ્રના એકમ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓમાં બધા વખત તે આપવા લાગ્યા હતા. સૌરાષ્ટ્ર સરકાર વતી મારી રાજ્યના વહીવટ તેમણે સભાળી, મારખીના પ્રજાના હૃદયમાં સારૂં સ્થાન મેળવી લીધું હતું. સૌરાષ્ટ્રની બંધ રસભા માટે કોંગ્રેસે તેમને રાજકોટના ગ્રામ્ય વિભાગના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં હતા.
સ્વ. છેટુભાઇ સાથે ખૂબ નીકટના પરિચયમાં આવવાથી તેમના કેટલાક ખાસ ગુણ્ણાને પણ મતે પરિચય થયેા હતે. તે ખૂબ મહેનતુ, અભ્યાસવૃત્તિ વાળા, અને વ્યવહારમાં મળતાવડા હતા. પેતાથી જૂદી વિચારસરણી ધરાવનારાઓ સાથે પણ તેઓ ગાઢ મૈત્રી ટકાવી શકયા હતા. જો તે થેડા જ વર્ષ વધુ જીવ્યા હાત, તે ધારાકીય પ્રવૃત્તિમાં તે સૌરાષ્ટ્રમાં વધુ ઝળકતી કારકીદી' સ’પાદન કરી શક્યા હેત, એ તેમની અભ્યાસવૃત્તિ અને વકતૃત્વકળા તથા દલીલશિંકત પરથી કહી શકાય છે.
સ્વ. Èટુભાઇ સામાજીક વિષયમાં ઠીક પ્રગતિશીલ વિચારા ધરાવતા હતા. રાજકોટના જૈન યુવક સંધ તરથી ઉપાડવામાં આવેલી મૃત્યુભેજન વિરેશ્વક પ્રવૃત્તિઓમાં એમણે ખૂબ જ રસ લીધેલે અને જ્ઞાતિભેજને વખતે પીકેટીંગ, વિરેધ સમા, નિવે દા વગેરેમાં સક્રિય ભાગ લેતા.
રાજકારણી ચર્ચાઓ, અદાલતનું કામકાજ વગેરેમાં તે કદી પશુ ઉશ્કેરાયા વિના, પ્રતિસ્પધીને ગરમ કરી શકવાની શક્તિ ધરા વતા હતા. તેમનું પડછંદ શરીર, મોટા અવાજ, હસતું મુખ દરેક પ્રંગે તેમના વ્યકિતત્વને રજુ કરતું.
સ્વ. છેટુભાઈના જવાથી સૌરાષ્ટ્રની પ્રજાએ, કૉંગ્રેસે, તે તુ સમાજે એક અતિ મહત્ત્વના આગેવાનને ગુમાવેલ છે. પ્રભુ તેમના આત્માને શાન્તિ અ૫ે અને તેમનાં પત્ની તથા કુટુંબીજતેને તેમના વિયોગ સહન કરવાનુ બળ આપે એ જ પ્રાથના ! જટુભાઈ
વીર નરીમાન વિષેની અવસાન નોંધ જગ્ય.ના અભાવે આવતા અંક ઉપર મુલતવી રાખવી પડે છે. · તંત્રી