SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧પ-૧૦-૪૮ ' પ્રહ જેના - - મંદિર કે દેવદ્રવ્ય વિષે મુળ જૈન આગમોમાં કશે પણ સ્પષ્ટ ઉલ્લેખ કે વિધાયક પ્રતિપાદન શેઠું જડતું નથી. મૂળ આગમ એજ કેવળ જૈન શાસ્ત્ર નથી. પાછળના ધર્મગ્રંથોમાં તે સંબંધમાં અનેક ઉલ્લેખે છે એ હકીકત તેમણે લેશમાત્ર ઈનકારી નથી. વળી ઉપર જણાવેલ નિર્ણય પિતાના સંશોધનના પરિણામે તેમને પ્રાપ્ત થયેલ છે. એ તે સુવિદિત છે કે આજની અનેક ધાર્મિક માન્યતાઓને ઐતિહાસિક સંશોધન ઈનકારી રહેલ છે. આ ઉપરથી કઈ એમ કહી નહિ શકે કે ચાલુ માન્યતાઓને બાધક એવા કોઈ પણ ઐતિહાસિક નિર્ણય કદિ કેઈએ પ્રગટ કરવા જ નહિ. વસ્તુ આજે રૂઢ થઇ રહેલી અનેક માન્યતાઓનું એતિહાસિક સંશોધન દ્વારા તેમ જ દેશકાળ અંગે પ્રાપ્ત થતા વિવેક વિચાર ધારા નવું સંકરણ થવાની ખાસ જરૂર છે. મુંબઈ જેન યુવક સંધની પ્રવૃત્તિઓને આ પણ એક મુખ્ય ઉદેશ છે. . (૪) શ્રી કકલાઈએ પોતાના લાંબા પત્રમાં તેમ જ નિવે. દનમાં જેઓ મુર્તિ અને મંદિરમાં માનતા ન હોય તેમને મુનિ અને મંદિરની બાબતમાં કે દેવદ્રવ્યના ઉપયોગની બાબતમાં માંથુ મારવાને હક નથી આમ વારંવાર જણાવીને સંધના સભ્યો વચ્ચે ભેદબુદ્ધિ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે જે અત્યન્ત દુઃખદ છે. સંધના બંધારણની કલમ ૩ (૧) ૧ માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે “આ યુવક સંઘમાં જોડાનાર પોતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે, દિi, બર મૂર્તિપૂજક જૈન છે કે સ્થાનકવાસી જન છે એવી વિશિષ્ટ રીતે પિતાની જાતને ઓળખાવવામાં કશું પણ મહત્વ સમજશે નહિ. પિતે જૈન છે એટલે ભગવાન મહાવીર પ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિને વારસ છે એટલી જ ઓળખાણ આ યુવક સંધમાં જોડાનાર સભ્ય પિતા માટે પુરતી ગણશે.” આ મુજબ મુંબઈ જૈન યુવક સંધ સંપ્રદાયભેદને લેશ પણ મહત્વ આપતું નથી અને જૈન સમાજના અંગ ઉપાંગના ગુણો વિષે વિચાર કરવા તેમ જ દર્શાવવાનો સંઘના દરેક સભ્યને સંપૂર્ણ અધિકાર છે એમ માને છે. સંઘના પાયામાં રહેલે આ ફીરકાભેદને અભાવ શ્રી. કઠલભાઈ આજે કેમ ભુલી જાય છે એ સમજી શકાતું નથી. આ ઉપરાંત શ્રી કમલભાઈ એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એકલા મૂર્તિપૂજ કોના શાસ્ત્ર સિદ્ધાન્તોને ઉથલાવી પાડવાને મરથ સેવે છે. આ આક્ષેપ કેવળ બીનપાયાદાર છે, સંધના બંધારણમના નીતિ અને કાર્યપધ્ધતિ વિભાગમાં જન સમાજની મંદિર સંસ્થા, સાધુસંસ્થા તેમ જ તીર્થ સંરથા તેમ જ આખા જૈન સમાજને લગતી વળગતી બીજી અનેક બાબતે વિષે માર્ગદર્શક વિધાન કરવા માં આવ્યા છે. આજે દેવદ્રવ્યના ઉપયે મને પ્રશ્ન એરણ ઉપર છે તેથી તેને લગતી ચર્ચાઓ પ્રબુદ્ધ જૈનમાં કાંઈક વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. શ્રી કમલભાઈએ ઉપર જણાવેલી ભેદબુદ્ધિ આગળ ધરીને સંઘના મૂળમાં કુઠાર પ્રહાર કરવા પ્રયત્ન સેવ્યું છે. (૫) એ એક ભારે કમનસીબીભરેલી ઘટના છે કે જે વ્યક્તિ એક ઉદ્દામ વિચારવાળા અને ક્રાન્તિવ દી યુવક તરીકે પિતાની જાતને જાહેર કરવાનું અભિમાન લે છે તે જ વ્યક્તિ બાર વર્ષ પહેલાં તેમની જ આગેવાની નીચે સર્વાનુમતે મંજુર કરેલા બંધારણમાંની કેટલીક અગત્યની કલમો રદ કરવાની અને એ રીતે સહેજે કલ્પ નામાં ન આવે એવી પીછેહઠ કરવાની સંઘ સમક્ષ માંગણી રજુ કરે છે. કાળ કરતાં પણ માણસના મનની ગતિ ખરેખર વધારે ગહન છે ! (૬) શ્રી કલમોઈ કાર્યવાહક સમિતિએ દેવદ્રવ્યના પ્રશ્ન સંબંધે પિતાની નીતિ સ્પષ્ટ કરતા તા. ૧૩-૭-૪૮ ના રેજ સર્વાનુમતે પસાર કરેલા બે ઠરાવે પાછા ખેંચી લેવા, બંધારણમાં રહેલી દેવદ્રવ્યનાં ઉપયોગને લગતી કલમો તેમ જ સમાજના સ્વચ્છ કે ઉત્કર્ષને બાધક લાગે તેવી ધાર્મિક લેખાતી રૂઢી કે પ્રણાલિકા દુર કરવા માટે જરૂર જણાયે તેને લગતા કાયદાઓ કરાવવાની પ્રવૃતિને સંમતિ આપતી કલમ કઢાવી નાંખવા તેમ જ પિતાનામાં વિશ્વાસ હેવાને સંધના સભ્યોની સામાન્ય સભા પાસે ઠરાવ કરાવવા માંગણી કરે છે. આ સંબંધમાં જણાવવાનું કે હજી તા. ૧૧-૭-૪૮ ના રોજ મળેલી સંઘની અસાધારણ સભાએ દેવદ્રવ્યને લગતા શિસ્ત નિયમનું સર્વાનુમતે સમર્થન કર્યું છે. વળી સંધનું વહીવટી વર્ષ આસો વદ અમાસના પુરૂં થતું હોવાથી બહું ઘેડા સમયમાં નવી ચુંટણી માટે વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં મળનાર છે, જે વખતે સંધા સભ્યને ગત વર્ષની સમગ્ર કાર્યવાહી સંબંધે પિતાના વિચારો પ્રગટ કરવાને પુરો આવકાશ માનનાર છે. તેથી આ સંબંધમાં અત્યારે કાર્યવાક સમિતિને વિશેષ કશું પણ કરવાની જરૂર લાગતી નથી. સ્પષ્ટ મતભેદના કારણે સંઘને શ્રી વેણીબહેન કે શ્રી કમલભાઈ જેવા સભ્યોને ગુમાવવા પડે એ અત્યન્ત દુઃખ ઉપજાવનારી ઘટના છે, પણ કો મુંબઈ જન યુવક સંધ જૈન સમાજ તેમ જ વિશાળ સમાજના અમુક પ્રશ્નો પરત્વે ચોકકસ મન્તવ્ય ધરાવતા સભ્યને સંધ છે અને શિસ્તનું અનુપાલન એ સંધની શકિતને પાયો છે. સંધ માં સભ્ય પોતે સ્વીકારેલા બંધારણ અને શિસ્તનિયમ ઉપર કેટલા મકકમ છે એના ઉપર જ અને નહિ કે કેવળ સભ્ય સંખ્યા ઉપર સંધનું સાચું મહત્વ રહેલું છે. આજે દેવદ્રવ્યનો પ્રશ્ન સભ્યની મકકમતાની કસોટી કરી રહેલ છે. આવતી કાલે એક પછી એક બીજા પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થવાના છે; કારણ કે મુંબઈ જૈન યુવક સંઘ જૈન સમાજને સર્વદેશીય ક્રાન્તિના માર્ગે લઈ જવાના ઉદ્દેશ ઉપર રચાયેલી અને કાર્ય કરતી એક અજોડ અને વિલક્ષણ પ્રકારની સંસ્થા છે, અને સમય આવ્યે કપ્રિયતાના ભેગે. પણ તેણે પિતાનું કાર્ય આગળ ધપાવ્યે જ જવાનું છે. સાર્વજનિક કલ્યાણને લક્ષ્યમાં રાખીને સર્વોદયની ભાવનાપૂર્વક જૈન સમાજ તેમજ વિશાળ જનસમુદાયની યથાશકિત સેવા કરવાનો આ સંસ્થા મરથ સેવે છે. તે કેમી નામાભિધાન ધરાવતી હોવા છતાં શુદ્ધ રાષ્ટ્રવાદથી રંગાયેલી છે અને બાહ્ય સ્વરૂપે સાંપ્રદાયિક દેખાતી છતાં સાંપ્રદાયિક સંકીર્ણતાથી સદા પર છે, અને તેથી જ જેઓ આ સંસ્થાને સાંપ્રદ યિક ત્રાજવે તોળે છે તેઓ આ સંસ્થાના અદ્યતન ઉદાત્ત સ્વરૂપને યથાર્થ રીતે ગ્રહણ કરવામાં અસમર્થ નીવડે છે, અને તેવી જ રીતે જે ઓ આ સંસ્થાને પંદર સત્તર વર્ષ પહેલાનાં માપે માપે છે તેઓ પશુ આ સંસ્થાના ઉત્તરોત્તર સધાતા વિષને બીલકુલ સમજી શકતા નથી. વળી આ સંસ્થા કે ઈ ભિન્ન ભિન્ન વિચાર ધરાવનાર વ્યકિતઓને શંભુમેળ નથી, પણ ચેપ ધ્યેય અને વિચારસરણ અનુસાર કાર્ય કરવા માટે એકત્ર થયેલ વ્યકિતઓનું એક નાનું સરખું જુથ છે. આમ હોવાથી સંથનું બંધારણુ જેમને સંપૂર્ણતયા સ્વીકાર્યું હોય અને શિસ્તના નિયમ પાળવાની જેમની પુરી તત્પરતા હોય તેઓ સંધને ચુસ્તપણે વળગી રહી પુરે સાથ અને સહકાર આપે અને જેઓ આ રીતે ચાલી શકે તેમ ન હોય તેઓ સિંધથી છુટા થઈને પણ સંધને બળવાન બને છે અને સંઘની તાકાતમાં વૃદ્ધિ કરે એવી સંઘના સભ્યો પ્રત્યે કાર્યવાહક સમિતિની આગ્રહપૂર્વક અભ્યર્થના છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ ગાંધી જયંતી તા. ૧૦–૧૦-૪૮ રવિવારના રોજ સવારના ભાગમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી ગાંધી જયન્તીને કાર્યક્રમ ગઠવવામાં આવ્યું હતું. પ્રારંભમાં શ્રી મેનાબહેને “વૈષ્ણવ જન નું ભજન સંભળાવ્યું હતું અને બહેન ગીતાંજલિએ એક ભજન ગાયું હતું. ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆએ સ્વામી આનંદને સભાનું
SR No.525933
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1948 Year 09 Ank 17 to 24 and Year 10 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1948
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy